માલી ડોશી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
+
લીટી ૨:
 
==પાત્રપરિચય==
માલી ડોશી એ કથાનાયક કાળુના પિતા વાલાના નાના ભાઈ પરમાની પત્ની છે.<ref name="મહેતા ૨૦૦૮">{{cite book |last=મહેતા |first=ધીરેન્દ્ર |author-link=ધીરેન્દ્ર મહેતા |chapter='માનવીની ભવાઈ'(ત્રયી)-નું સંઘટનસૂત્ર |editor1-last=ચૌધરી |editor1-first=રઘુવીર |editor1-link=રઘુવીર ચૌધરી |editor2-last=દવે |editor2-first=રમેશ ર. |editor2-link=રમેશ ર. દવે |title=પન્નાલાલનું પ્રદાન |year=૨૦૦૮ |edition=બીજી |publisher=[[ગુજરાતી સાહિત્ય પરિષદ]] |location=અમદાવાદ |pages=૧૭૯–૧૮૨૧૪૯–૧૫૭ |oclc=24870863}}</ref> આમ માલી ડોશી કથાનાયક કાળુની કાકી છે. એમ છતાં કાળુના કુટુંબનું અહિત ઈચ્છવું, અહિત કરવું અને અહિત કરવા હંમેશા સક્રિય રહેવું એ માલી ડોશીની સ્થાયી વૃત્તિ-પ્રવૃત્તિ છે. નવલકથામાં તે 'દુરિતના જીવંત પ્રતિક' તરીકે ઉપસી આવે છે.<ref name="પારેખ ૨૦૨૦">{{Cite book |last=પારેખ |first=યોગેન્દ્ર |title=નવલકથાનું સ્વરૂપ, MGT-01: માસ્ટર ઑફ આર્ટસ્ - ગુજરાતી, નવલકથાનું સ્વરૂપ, એકમ ૪: માનવીની ભવાઇ: એક અધ્યયન |publisher=ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી |year=૨૦૨૦ |pages=૩૬–૩૮ |isbn=978-93-89456-37-0}}</ref>
 
ઈર્ષા એ માલીના સ્વભાવનો સ્થાયીભાવ છે. કોઈના ઘરમાં સુખ-શાંતિ તે જોઈ શકતી નથી. ગામમાં કોઈ પણ પ્રસંગ હોય ત્યાં માલી ડોશી પોતાના કર્કશ સ્વભાવથી એ પ્રસંગને બગાડવાનો પ્રયત્ન હંમેશા કરે છે. જ્યારે વાલા ડોસાને ત્યાં કાળુનો જન્મ થાય છે અને કાળુનું નામકરણ થાય છે ત્યારે પણ તેને આ નવજાત શિશુ સાથે અહમ્, અણગમા, અને ઈર્ષાનો સંબંધ બંધાઈ જાય છે.<ref name="પારેખ ૨૦૨૦"/> કાળુના જન્મની વધામણીના પ્રસંગે ઉલ્લાસનું વાતાવરણ છે, એ સમયે માલી ત્યાં જઈને કહે છે:<ref name="મહેતા ૨૦૦૮"/>