પી.એન.ભગવતી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
SHIKSHANJAGAT (ચર્ચા | યોગદાન) [https://shikshanjagat.net/ ભગવતી, પી. એન. (]જ. 21 ડિસેમ્બર 1921, અમદાવાદ) : ભારતના અગ્રણી ન્યાયવિદ તથા દેશની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ. આખું નામ પ્રફુલ્લચંદ્ર નટવર...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું |
KartikMistry (ચર્ચા | યોગદાન) {{સુધારો}} જરુરી. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
||
લીટી ૧:
{{સુધારો}}
[https://shikshanjagat.net/ ભગવતી, પી. એન. (]જ. 21 ડિસેમ્બર 1921, અમદાવાદ) : ભારતના અગ્રણી ન્યાયવિદ તથા દેશની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ. આખું નામ પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી. પિતા અગ્રણી ધારાશાસ્ત્રી તથા સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ હતા. માતાનું નામ સરસ્વતીબહેન. 1937માં સોળ વર્ષની ઉંમરે મૅટ્રિકની પરીક્ષામાં આખા ઇલાકામાં બીજા નંબરે ઉત્તીર્ણ થયા બાદ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી 1941માં બી.એ.ની પરીક્ષા પાસ થયા અને એક વર્ષ માટે એ કૉલેજના ફેલો નિમાયા (1941–42). ત્યારબાદ ગાંધીજીની હાકલને માન આપી ‘હિંદ છોડો’ આંદોલનમાં ઝંપલાવ્યું અને આઠ માસ સુધી ભૂગર્ભ પ્રવૃત્તિઓ કરી. 1943માં મુંબઈની સરકારી લૉ કૉલેજમાં દાખલ થયા, જ્યાંથી 1945માં એલએલ.બી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ ઍડ્વોકેટ(ઓ. એસ.)ની પરીક્ષા પાસ કરી મુંબઈની વડી અદાલતમાં વકીલાત શરૂ કરી. ટૂંકસમયમાં વ્યવસાયક્ષેત્રે નામના મેળવી. ‘મુન્દ્રા કૌભાંડ’ નામથી જાણીતા બનેલા કેસમાં એમણે ‘ચાગલા તપાસ પંચ’ સમક્ષ તે વખતના સંરક્ષણસચિવ એચ. એમ. પટેલનો કુશળતાપૂર્વક બચાવ કરેલો.▼
'''પી. એન. ભગવતી''', (૨૧ ડિસેમ્બર ૧૯૨૧) ભારતના અગ્રણી ન્યાયવિદ તથા દેશની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ છે.
== જીવન ==
દ્વિભાષી મુંબઈ રાજ્ય(1956–60)નું મહારાષ્ટ્ર અને ગુજરાત આ બે અલાયદાં રાજ્યોમાં વિભાજન થતાં, 1960માં નવી રચાયેલી ગુજરાતની વડી અદાલતના ન્યાયમૂર્તિ તરીકે તેમની વરણી થઈ. 1965માં ઑસ્ટ્રેલિયા ખાતે ત્રીજી રાષ્ટ્રકુટુંબ કાયદા પરિષદમાં ભારતના પ્રતિનિધિ તરીકે તેઓ હાજર રહ્યા હતા. 1967માં ગુજરાતની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના પદ પર તેમની નિમણૂક થઈ અને ત્યારે તેઓ ભારતના સૌથી નાની ઉંમરના મુખ્ય ન્યાયમૂર્તિ હતા. તેમના કુશળ નેતૃત્વ હેઠળ ગુજરાતની વડી અદાલતે ભારતની અન્ય વડી અદાલતોમાં અગ્રિમ સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. જુલાઈ 1973માં સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે તેમને બઢતી મળી. જુલાઈ 1985માં તેઓ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા અને ડિસેમ્બર 1986માં તે પદ પરથી તેઓ નિવૃત્ત થયા.▼
▲
▲
== સંદર્ભ ==
{{Reflist}}
{{વ્યક્તિ-સ્ટબ}}
|