અક્ષાંશ-રેખાંશ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું {{ગુજરાતી વિશ્વકોશ}}
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૯:
 
{{geo-stub}}
 
અક્ષાંશ–રેખાંશ : અક્ષાંશ એટલે પૃથ્વી ઉપરનું કોઈ ભૌગોલિક સ્થાન વિષુવવૃત્તથી કેટલું દૂર આવેલું છે તે પૃથ્વીના ગોળા ઉપર કે નકશામાં દર્શાવવા માટેનું માપ. તે ખૂણાની રીતે મપાતું અંતર (કોણીય અંતર) છે. પૃથ્વી પોતાની ધરી (અક્ષ) ઉપર 24 કલાકમાં એક ધરીભ્રમણ પૂરું કરે છે, જેને કારણે પૃથ્વી ઉપર દિવસ-રાત થતાં અનુભવાય છે. આ અક્ષને કાટખૂણે આવેલું અને પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થતું સમતલ પૃથ્વીની સપાટીને જે વર્તુળમાં છેદે તેને પૃથ્વીનું વિષુવવૃત્ત કહેવાય છે. પૃથ્વીના પટ ઉપરના કોઈ સ્થળનું વિષુવવૃત્તથી ઉત્તર-દક્ષિણ દિશામાં માપતાં જે કોણીય અંતર આવે, તેને તે સ્થળના અક્ષાંશ કહેવાય છે. કોણીય માપ હોવાથી અક્ષાંશને અંશ (= ડિગ્રી0)  કળા (મિનિટ ´) – વિકળા (સેકન્ડ ’’) દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. [10 (અંશ) = 60´ (કળા) = 3600’’ (વિકળા)]. સ્થળ વિષુવવૃત્તથી ઉત્તર કે દક્ષિણ દિશામાં આવેલું હોય તે મુજબ અક્ષાંશના આંકડાની સાથે દિશાસૂચક સંજ્ઞા ઉ. કે દ. લખવામાં આવે છે. પૃથ્વીની ધરીને લંબાવતાં પૃથ્વીના પટને તે ધ્રુવબિંદુઓમાં છેદે છે. પૃથ્વીનું ધરીભ્રમણ થતું હોવા છતાં અક્ષની વ્યાખ્યા મુજબ, અક્ષની ઉપર જ રહેલ ધ્રુવ તો તેમનાં નામ અનુસાર અચળ, સ્થિર જ રહે છે. ઉત્તર ધ્રુવના અક્ષાંશ ઉ. 900 અને દક્ષિણ ધ્રુવના દ. 900 (મહત્તમ) છે, જ્યારે વિષુવવૃત્તના અક્ષાંશ 00 (લઘુતમ) છે.
 
10 અક્ષાંશનું પૃથ્વીના પટ ઉપરનું સરેરાશ રેખીય અંતર 60 દરિયાઈ માઈલ (nautical mile) એટલે 111 કિમી. થાય છે. અમદાવાદના અક્ષાંશ ઉ. 230-01´ છે, એટલે કે અમદાવાદનું ભૌગોલિક સ્થાન વિષુવવૃત્તથી ઉત્તર દિશામાં 230-01´ પર આવેલું છે, અક્ષાંશનો ગાળો પ્રદેશનો વિસ્તાર (ભૌગોલિક સીમાઓ વચ્ચેનો વ્યાપ) કેટલો છે તે સૂચવે છે. ગુજરાત રાજ્ય ઉ. અક્ષાંશ 200-01´ થી 240-07´ની વચ્ચે આવેલું છે; ભારત દેશ ઉ. 080-04´ થી 370-06´ અક્ષાંશ વચ્ચે વિસ્તરેલો છે.
 
કોઈ પણ સ્થળના અક્ષાંશ નક્કી કરવા માટેની એક સહેલી અને પ્રાયોગિક રીત પણ છે. બહારની બાજુએ લંબાવતાં પૃથ્વીની ધરી આકાશી ગોળાને જ્યાં છેદે છે તે આકાશીય ધ્રુવબિંદુને પારખવું અને નજીકના ક્ષિતિજતળથી તે કેટલું ઊંચે રહેલું છે તેનું કોણીય માપ કાઢવું. આ માટે ઉત્તર ગોળાર્ધમાં કુદરતી સગવડ સાંપડેલી છે, કારણ કે ધ્રુવતારક (Pole Star) લગભગ પૃથ્વીની ધરીની દિશામાં જ આવેલો છે. એટલે ઉત્તર ગોળાર્ધમાંના કોઈ પણ સ્થળેથી જોતાં ઉત્તર ક્ષિતિજથી ધ્રુવતારક કેટલો ઊંચો દેખાય છે તે કોણીય માપ ઉપરથી અવલોક્ધાના સ્થળના ખગોળ-આધારિત અક્ષાંશ નક્કી કરી શકાય છે.
અક્ષાંશ–રેખાંશ
પોતાની ધરી ઉપર મુક્તપણે ફરી શકે તેવી રીતે ગોઠવેલી લોહચુંબકીય સોય કોઈ સ્થળે ક્ષિતિજતળ સાથે કેટલો ખૂણો (નમન કોણ, inclination) રચે છે તેને આધારે અવલોક્ધાના સ્થળના ચુંબકીય અક્ષાંશ (magnetic latitude) નક્કી થઈ શકે છે. આવી ચુંબકીય સોય પૃથ્વીના ચુંબકીય વિષુવવૃત્ત ઉપર ક્ષિતિજરેખાને સમાંતર રહે છે, જ્યારે ચુંબકીય ધ્રુવ ઉપર તે કાટખૂણે ઊભી રહે છે.
 
અક્ષાંશવૃત્ત (latitude circle) : પૃથ્વીના પટ ઉપરનાં એકસરખા અક્ષાંશવાળાં સ્થાનો ઉપરથી પસાર થતા વર્તુળને અક્ષાંશવૃત્ત કહેવાય છે. તેનું કેન્દ્ર ધ્રુવબિંદુ ઉપર હોય છે. વિષુવવૃત્ત એ સૌથી મોટું અક્ષાંશવૃત્ત છે અને જેમ જેમ અક્ષાંશ વધતા જાય તેમ તેમ તેમની ત્રિજ્યા ઘટતી જાય છે. 900 અક્ષાંશે તો તે ધ્રુવબિંદુ સાથે એકરૂપ થઈ જાય છે. પૃથ્વીની સપાટી ઉપરનાં બે અક્ષાંશવૃત્તો વચ્ચેનો ચાપ અક્ષાંશ દીઠ સરેરાશ 111 કિમી. હોય છે.
 
પૃથ્વીના પ્રાકૃતિક વિભાગોની લાક્ષણિકતા વર્ણવવા માટે અક્ષાંશવૃત્તો ઘણાં ઉપયોગી છે. ઉત્તર તેમજ દક્ષિણ 230-27´ અક્ષાંશવૃત્તો અનુક્રમે કર્કવૃત્ત અને મકરવૃત્ત તરીકે જાણીતાં છે. આ બે વચ્ચેના પૃથ્વીના વિસ્તારને ઉષ્ણકટિબંધ કહે છે. બારે માસ ગરમ આબોહવા અને ઉનાળુ વરસાદ એ તેની લાક્ષણિકતા છે. ઉત્તર તેમજ દક્ષિણ 660-23´ અક્ષાંશવૃત્તોને અનુક્રમે ઉત્તર તેમજ દક્ષિણ ધ્રુવવૃત્ત (polar circle) કહેવામાં આવે છે. કર્કવૃત્ત અને મકરવૃત્તથી ધ્રુવવૃત્ત સુધીના મધ્યઅક્ષાંશવાળા વિસ્તારમાં સમશીતોષ્ણ આબોહવા હોય છે, જ્યારે ધ્રુવવૃત્તથી ધ્રુવબિંદુઓ સુધીના ભાગમાં બારે માસ ખૂબ ઠંડી આબોહવા હોય છે.
 
રેખાંશ : પૃથ્વી ઉપરના કોઈ સ્થળના રેખાંશ એટલે તે સ્થળના રેખાંશવૃત્તનું, (સર્વમાન્ય) માનક રેખાંશવૃત્ત(prime meridian)થી માપતાં, પૂર્વ-પશ્ચિમ દિશામાં થતું કોણીય અંતર.
 
કોઈ પણ સ્થળનું ભૌગોલિક સ્થાન નક્કી કરવા માટે તેના અક્ષાંશ ઉપરાંત રેખાંશ જાણવા જરૂરી છે. એ સ્થળના અક્ષાંશવૃત્ત દ્વારા જેમ તેનું વિષુવવૃત્ત(માનક અક્ષાંશવૃત્ત)થી ઉત્તર/દક્ષિણ અંતર મળે છે, તેવી રીતે તે સ્થળના રેખાંશવૃત્તને આધારે માનક રેખાંશવૃત્તથી તેનું પૂર્વ/પશ્ચિમ અંતર નક્કી થાય છે. આ વિશેષ અક્ષાંશવૃત્ત અને રેખાંશવૃત્તનું છેદબિંદુ તે સ્થળનું ભૌગોલિક સ્થાન નિશ્ચિતપણે દર્શાવે છે. કોઈ પણ બે રેખાંશવૃત્ત વચ્ચેનું કોણીય અંતર એકસરખું હોવા છતાં વિષુવવૃત્ત ઉપર તેમની વચ્ચેનું રેખીય અંતર (linear distance) મહત્તમ હોય છે, જે અક્ષાંશ વધવા સાથે ક્રમશ: ઘટતું જઈને ધ્રુવબિંદુ ઉપર શૂન્ય થાય છે. જેમ કે રેખાંશનો ગાળો 10 હોય તેવાં બે રેખાંશવૃત્તો વચ્ચેનું રેખીય અંતર વિષુવવૃત્ત ઉપર 111 કિમી. 300 અક્ષાંશે 96.5 કિમી., 600 અક્ષાંશે 55.7 કિમી., 800 અક્ષાંશે 19.3 કિમી. અને 900 અક્ષાંશ (ધ્રુવબિંદુ) ઉપર તો તે અંતર ઘટીને 0 કિમી. થઈ જાય છે.
 
અક્ષાંશના કોણીય માપની સાથે દિશાસૂચક ઉ. કે દ. લખવાની પ્રથા છે, તેમ માનક રેખાંશવૃત્તથી ઇચ્છિત સ્થળ દર્શાવવા પૂર્વ કે પશ્ચિમ દિશાસૂચક પૂ. કે પ. લખાય છે. રેખાંશનો ફલક 00 થી 1800 પૂર્વ કે પશ્ચિમ છે. પહેલાંના જમાનામાં કોઈ સ્થળના રેખાંશ નક્કી કરવા માટે, વહાણવટીઓ શિરોબિંદુમાંથી પસાર થતી અને દક્ષિણમાંથી ઉત્તર તરફ જતી રેખા(meridian, યામ્યોત્તરરેખા)ને સૂર્ય-ચંદ્ર અથવા જાણીતા પ્રકાશિત તારક અથવા નક્ષત્ર ક્યારે ઓળંગે છે તેના અવલોકનને આધારે ગણતરી મૂકતા હતા. સમયમાપનમાં રહેલ ત્રુટિને કારણે રેખાંશની ગણતરીમાં 100થી 200 જેટલી ભૂલ પણ થતી. હાલમાં સમયસંકેતોના રેડિયો-બ્રોડકાસ્ટ ઉપરાંત સુનિશ્ચિત તરંગલંબાઈ(wave-length)ના રેડિયો-સંકેતોનું પ્રસારણ કરી રહેલા સુવિદિત ઉપગ્રહોની મદદથી વાદળછાયું આકાશ હોય ત્યારે પણ વહાણ, વિમાન કે ઉપગ્રહ પોતાનાં ભૌગોલિક સ્થાન ખૂબ ચોકસાઈપૂર્વક નક્કી કરી શકે છે.
 
રેખાંશવૃત્ત (meridian) : કોઈ પણ સ્થળના શિરોબિંદુ ઉપરથી પસાર થતા અને પૃથ્વીના એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી ઉત્તર-દક્ષિણ દિશામાં લંબાતા કાલ્પનિક અર્ધવૃત્તને તે સ્થળનું રેખાંશવૃત્ત કહેવામાં આવે છે. જો દરરોજ બરાબર બપોરે સૂર્યના આકાશીય સ્થાનનો વેધ લેવામાં આવે, તો એવાં સ્થાનોને જોડતી ઉત્તર-દક્ષિણ રેખા એ જ પેલા સ્થળનું રેખાંશવૃત્ત હોય છે. આથી તેને મધ્યાહ્નવૃત્ત પણ કહેવાય છે.
 
પ્રાચીન કાળમાં આર્યભટ, વરાહમિહિર જેવા ભારતીય આચાર્યો ઉજ્જૈની નગરીના રેખાંશવૃત્તને માનક યામ્યોત્તર રેખા ગણતા હતા અને તેના સંદર્ભમાં દુનિયાનાં અન્ય સ્થળોના રેખાંશ-તફાવત અનુસાર ત્યાંના સ્થાનિક સૂર્યોદય, સૂર્યાસ્ત વગેરેનું વિતરણ કરતા હતા. તે જ પ્રમાણે છેલ્લાં બસો વર્ષથી ગ્રિનિચના રેખાંશવૃત્તને આપણે સર્વમાન્ય માનક રેખાંશવૃત્ત ગણીએ છીએ. તેવી જ રીતે 1800ના રેખાંશવૃત્તને, આંતરરાષ્ટ્રીય તિથિરેખા કહેવામાં આવે છે. તેનાથી પશ્ચિમે આવેલ વિભાગમાં નવો દિવસ ગણીને તારીખ અને વાર લખાય છે; જ્યારે તેનાથી પૂર્વમાં આવેલા વિસ્તારોમાં એક દિવસ પહેલાંનાં તારીખ અને વાર ચાલે છે. આ તિથિરેખાને ઓળંગનાર માણસ જે તે વિસ્તારનાં ચાલુ તારીખ અને વારને અપનાવી લે છે. દેશભરમાંના સમયમાપન માટે દરેક દેશ પોતપોતાનો સમયવિસ્તાર (time-zone) નક્કી કરે છે, જ્યાંનો સ્થાનિક સમય અને ગ્રિનિચ સમયનો તફાવત કાં તો પૂર્ણાંક કલાકોમાં, અથવા ભારતની જેમ, પૂર્ણાંક કલાકો +30 મિનિટ જેટલો હોય છે
 
સંજય ચૌહાણ