ભગવદ્ગોમંડલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Update.
નાનું સંદર્ભ અપડેટ અને અર્કાઇવ્ડ.
લીટી ૨:
 
==વ્યુત્પત્તિ==
ભગવદ્ગોમંડલ શબ્દની સંધી છૂટી પાડતા, 'ભગવત્' અને 'ગોમંડલ' એમ બે શબ્દો મળે છે. માટે આ શબ્દની વ્યુત્પત્તિ વિષે અનેક તર્ક છે, જેને આધારે તેનો અર્થ કંઇક આ રીતે કરી શકાય: 'ભગવત્' એટલે ભગવતસિંહજી, બૃહત્, સમૃદ્ધિવાન, જ્ઞાનભરપૂર, પ્રભુપ્રેરિત કે ગૌરવવંતુ. જ્યારે 'ગોમંડલ' એટલે શબ્દસંગ્રહ, શબ્દકોશ, જ્ઞાનકોશ, સરસ્વતીભંડાર કે [[ગોંડલ]]. આમ, ભગવદ્ગોમંડલ એટલે (૧) ભગવતસિંહજી શબ્દસંગ્રહ (૨) બૃહત શબ્દકોશ (૩) સમૃદ્ધિવાન જ્ઞાનકોશ (૪) જ્ઞાનભર્યો સરસ્વતી-ભંડાર (૫) પ્રભુપ્રેરિત વ્યાપક વાણી અને (૬) ગૌરવવંતું ગોંડલ.<ref>[{{Cite web|title=ભગવદ્ગોમંડલ શું છે?|url=http://www.bhagwadgomandal.com/gu/index.php?action=whatisbhagvadgomandal 'ભગવદ્ગોમંડલ શું છે|url-status=live|archive-url=https://web.archive.org/web/20210420145136/http://www.bhagwadgomandal.com/gu/index.php?']action=whatisbhagvadgomandal|archive-date=2021-04-20|access-date=2022-05-22|website=www.bhagwadgomandal.com}}</ref>
 
==સંશોધન==
[[File:H.H. Maharaja Thakore Shri Sir Bhagwant Singhji Sagramji Sahib Bahadur, Maharaja of Gondal, GCSI, GCIE, 1911.jpg|right|210px|thumb|ગોંડલના [[મહારાજા ભગવતસિંહજી]], ૧૯૧૧.]]
સર ભગવતસિંહજીએ ઈ.સ. ૧૯૧૫ની આસપાસ એવા ગુજરાતી શબ્દો શોધવાની શરૂઆત કરી કે જે કોઈપણ કોશમાં ન જોવા મળતા હોય, તેમના આ સંશોધન માટે તેમણે પ્રમાણભૂત ગ્રંથો, મહત્ત્વનાં પુસ્તકો, [[નવલકથા]]ઓ, કાવ્યસંગ્રહો વગેરેનો જ નહિ પરંતુ વર્તમાનપત્રો, સામયિકો, નિવેદનો, જાહેરખબરો, નાટક સિનેમાનાં ચોપાનિયાંઓ, ચીજવસ્તુઓની મૂલ્યપત્રિકાઓ, વિગેરેમાંથી ઉપયોગી જણાતા શબ્દોનો સંગ્રહ કરવા માંડ્યો અને આ પૈકી જે શબ્દોમાં તેમને સચ્ચાઈ જણાઈ તેનો તેમણે કોશમાં સમાવેશ કર્યો. તેમનો આગ્રહ હતો કે ગુજરાતી લોકોની બોલચાલની ભાષાનું પ્રતિબિંબ તેમાં હોય. શબ્દોના અર્થની સાથે સાથે, તેની વ્યુત્પત્તિ અને જોડણીના નિયમોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા.<ref name="દિભા">{{ઢાંચો:Cite web|last=ભટ્ટ|first=કાંતિ|date=૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫|title=અભૂતપૂર્વ ગુજરાતી જ્ઞાન કોષ : ભગવદગોમંડળ|url=http://www.divyabhaskar.co.in/news/ABH-bhagavadgomandal-in-a-cells-in-unprecedented-knowledge-5122257-NOR.html|titleurl-status=અભૂતપૂર્વ ગુજરાતી જ્ઞાન કોષ : ભગવદગોમંડળlive|lastarchive-url=ભટ્ટhttps://web.archive.org/web/20201202170634/https://www.divyabhaskar.co.in/news/ABH-bhagavadgomandal-in-a-cells-in-unprecedented-knowledge-5122257-NOR.html|firstarchive-date=કાંતિ2020-12-20|access-date=૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫2016-02-12|website=[[દિવ્ય ભાસ્કર]]|access-date=૧૨ ફેબ્રુઆરી ૨૦૧૬}}</ref>
 
==તવારિખ અને તથ્યો==
[[ઓક્ટોબર ૧|પહેલી ઓક્ટોબર]] ૧૯૨૮ના દિવસે [[ગોંડલ]]માં 'ભગવદ્ગોમંડલ' કોશની કચેરી શરૂ કરી જેમાં તેમણે ત્યાર સુધીનાં કરેલા સંશોધનમાં એકત્ર કરેલા વીસેક હજાર શબ્દોથી કોશ રચવાની શરૂઆત કરી. ભગવદ્ગોમંડલનો પ્રથમ ગ્રંથ ૨૫મી ઓગષ્ટ ૧૯૪૪ના રોજ પ્રસિદ્ધ થયો જેમાં ૯૦૨ પાનાં હતાં જેમાં ૨૬,૬૮૭ શબ્દો અને તેનાં ૫૧,૩૩૮ અર્થોનો સમાવેશ થયેલો હતો, આ ગ્રંથશ્રેણીનો અંતિમ નવમો ગ્રંથ [[માર્ચ ૯|૯ માર્ચ]] ૧૯૫૫ના પ્રસિદ્ધ થયો હતો. આમ ૧૯૪૪થી ૧૯૫૫ એમ, ૧૧ વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલા નવ ગ્રંથોનાં કુલ ૯૦૦૦થી વધુ પૃષ્ઠોમાં આશરે ૨,૮૧,૩૭૭ શબ્દો, તેના ૮,૨૧,૮૩૨ અર્થો અને ૨૮,૧૫૬ જેટલાં રૂઢિપ્રયોગોનો સંગ્રહ છે.<ref>[{{Cite web|title=શબ્દકોશનો ઉદ્ભવ અને વિકાસ|url=http://www.bhagwadgomandal.com/gu/index.php?action=history 'શબ્દકોશનો ઉદ્ભવ અને વિકાસ' ભગવદ્ગોમંડલ વેબસાઇટ પર]|url-status=live|archive-url=https://web.archive.org/web/20210304025654/http://www.bhagwadgomandal.com/gu/index.php?action=history|archive-date=2021-03-04|access-date=2022-05-22|website=www.bhagwadgomandal.com}}</ref>
 
આમ, છવ્વીસ વર્ષની જહેમતને અંતે પ્રસિદ્ધ થયેલા નવ ગ્રંથો પાછળ, તે સમયે લગભગ સાડાપાંચ લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો. આ નવ ગ્રંથોના સંગ્રહની કિંમત તે સમયે રૂ ૫૪૫ હતી, પરંતુ રાજ્યાશ્રયને કારણે તે ૧૪૬ રૂપિયામાં પ્રાપ્ત થતો હતો. આ ગ્રંથના રચયિતા [[મહારાજા ભગવતસિંહજી]] તેનું અંતિમ સ્વરૂપ જોવા ન પામ્યા, પ્રથમ ગ્રંથ પ્રસિદ્ધ થયાનાં ૪ મહિના પહેલા, ૧૯૪૪ની [[માર્ચ ૯|નવમી માર્ચે]] ૭૮ વર્ષની વયે તેમનું અવસાન થયું.