જીરું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:Jeera.jpg|200px|thumb|right| જીરુંના દાણા]]
'''જીરું''' એક સપુષ્પીય વર્ગની વનસ્પતિ છે, જેનું વૈજ્ઞાનીક નામ ''ક્યુમીનમ સાયમીનમ'' (Cuminum cyminum) છે. વરિયાળી જેવા દેખાતા જીરુંના દાણા તેમ જ પાવડરનો મસાલા તરીકે બહોળા પ્રમાણમાં વપરાય છે. ભારતીય ઉપખંડમાં આખા જીરુંના દાણા વઘારમાં તેમ જ દળીને બનાવેલા જીરુંના પાવડરનો ઉપયોગ વાનગી બનાવતી વેળાના અંતિમ ચરણમાં સ્વાદ માટે કરવામાં આવે છે.
 
[[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં જીરુંની ખેતી કરવામાં આવે છે. આ પૈકી [[મહેસાણા જિલ્લો|મહેસાણા]] તેમ જ [[પાટણ જિલ્લો| પાટણ]] જિલ્લાઓમાં સૌથી વધુ પ્રમાણમાં જીરું પકવવામાં આવે છે.
 
== આયુર્વેદમાં જીરું ==
 
ભારતીય પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ [[આયુર્વેદ]]માં પણ જીરુંનો ઉલ્લેખ જોવા મળે છે. જીરું તીખું, પચ્યા પછી પણ તીખું, ગરમ, તીક્ષ્ણ, રુચિકારક, જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર, પિત્ત તથા અગ્નિ વધારનાર, ઉદરશૂળ - આંકડી- મરોડનું શમન કરનાર, સુગંધી, કફ, વાયુ, દુર્ગંધ, ગોળો, ઝાડા, સંગ્રહણી તથા કરમિયાંનો નાશ કરનાર છે.
 
{{સ્ટબ}}