આશ્રમશાળા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
No edit summary
લીટી ૧:
પ્રાથમિક શિક્ષણ એટલે કે ધોરણ ૧ થી ૭ સુધીનું શિક્ષણ. આ પ્રાથમિક શિક્ષણ જ્યાં આપવામાં આવતું હોય, તે શાળાને [[પ્રાથમિક શાળા]] કહેવાય છે. આ જ રીતે [[માધ્યમિક શાળા]] ધોરણ ૮ થી ધોરણ ૧૦ સુધીનું શિક્ષણ અને ઊચ્ચતર માધ્યમિક શાળા ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ આપે છે. આ ધોરણ ૧ થી ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ આપતી જે શાળામાં વિદ્યાર્થીને રહેવા તેમ જ જમવાની સગવડ પણ હોય તેવી શાળાને '''આશ્રમશાળા''' કહેવામાં આવે છે, જે ખાસ કરીને અંતરીયાળ ગામોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવેલી હોય છે. [[ગુજરાત]] રાજ્યના ઘણાં ગામોમાં આશ્રમશાળાઓ આવેલી છે. આ આશ્રમશાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા સમુહજીવનના અભ્યાસના હેતુ માટે રસોઇકાર્યમાં મદદ, સફાઇ તેમ જ સુશોભન કાર્ય, પાણી ભરવાનું કાર્ય, ગૌશાળાકાર્ય, બાગકામ, ખેતીકામ, કાંતણકામ જેવાં શ્રમકાર્યો પણ કરવામાં આવે છે. કેટલીક આશ્રમશાળાઓમાં વિદ્યાર્થીઓમાંથી વ્યવસ્થાપક સમિતિ પણ બનાવવામાં આવે છે, જે બધાં જ કાર્યોમાં દેખરેખ અને માર્ગદર્શનનું કાર્ય કરે છે.
 
[[ગુજરાત| ગુજરાત રાજ્ય]]માં આવેલી આશ્રમશાળાઓમાં સરકાર દ્વારા આવી કેટલીક આશ્રમશાળાઓ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત કેટલાંક કેળવણી મંડળો દ્વારા તેમ જ સર્વોદય સંસ્થાઓ દ્વારા પણ આશ્રમશાળાઓ ચલાવવામાં આવે છે. કેટલીક ખાનગી સંસ્થાઓ પણ આ ક્ષેત્રમાં કાર્યરત છે.
 
[[શ્રેણી:આશ્રમશાળા]]