ઇન્દ્રાવતી નદી

ભારતની નદી

ઇન્દ્રાવતી નદી ભારત દેશમાં આવેલી નદીઓ પૈકીની એક મુખ્ય નદી છે, જે ઓરિસ્સા તથા છત્તીસગઢ રાજ્યમાંથી વહે છે. આ નદી ગોદાવરી નદીની ઉપનદી છે.

પ્રવાહ ફેરફાર કરો

ઇન્દ્રાવતી નદીનું ઉદગમ સ્થાન ઓરિસ્સા રાજ્યમાં આવેલા કાલાહાંડી જિલ્લામાં રામપુર નજીક આવેલું છે. [૧] આ નદીની કુલ લંબાઈ ૨૪૦ માઇલ જેટલી છે. [૨]. આ નદી મુખ્યત્વે છત્તીસગઢ રાજ્યના બસ્તર તેમ જ દંતેવાડા જિલ્લામાંથી પસાર થાય છે. દંતેવાડા જિલ્લામાં આવેલા ભદ્રકાલી નજીક ઇન્દ્રાવતી નદી અને ગોદાવરી નદીનો સંગમ થાય છે. આ નદીના પથરીલા તળના કારણે એમાં નૌકાયન કરવું સંભવ નથી.

પર્યાવરણ ફેરફાર કરો

ઇંદ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન ફેરફાર કરો

ઇંદ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન ઇન્દ્રાવતી નદીના કિનારે વસેલું છે. આ ઉદ્યાનનું કુલ ક્ષેત્રફળ ૨૭૯૯ વર્ગ કિમી છે [૩].

ચિત્રકોટનો ધોધ ફેરફાર કરો

જગદલપુરની નજીકમાં ઇન્દ્રાવતી નદી પર એક વિશાળ જળ પ્રપાત (ધોધ) બનેલો છે. આ જળ પ્રપાત ચિત્રકોટ જલ પ્રપાતના નામથી ઓળખાય છે. આ ધોધના ઘોડાની નાળ સમાન મુખના કારણે આ જળ પ્રપાતને ભારતનો નાયગરા ધોધ પણ કહેવામાં આવે છે.

 
ચિત્રકોટ જલ પ્રપાત


સંદર્ભો ફેરફાર કરો

  1. "Indravati River in India". મેળવેલ ૨૦૦૯-૦૧-૦૯.
  2. "બસ્તર જિલ્લાનું અધિકૃત વેબસાઇટ". મૂળ માંથી 2009-02-07 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૦૯-૦૧-૦૯.
  3. "Indian wildlife". મેળવેલ ૨૦૦૯-૦૧-૧૩.

બાહ્ય કડીઓ ફેરફાર કરો