ઉંબરો વડની પ્રજાતિનું એક વિશાળ વૃક્ષ હોય છે. ઉંબરાના વૃક્ષને સંસ્કૃતમાં ઉદુમ્બર, બંગાળીમાં હુમુર, મરાઠીમાં ઉદુમ્બર, હિંદીમાં ગૂલર, અરબીમાં જમીઝ, ફારસીમાં અંજીરે આદમ કહેવામાં આવે છે. આ ઝાડ પર ફૂલ આવતાં નથી. આ ઝાડની શાખાઓમાંથી ફળ ઉત્પન્ન થતાં હોય છે. ફળ ગોળ -ગોળ અંજીરના આકારનાં હોય છે. અને આ ફળમાંથી સફેદ - સફેદ દૂધ નિકળે છે. આ ઝાડનાં પાંદડાં લભેડા જેવાં હોય છે. નદીના પટમાં થતાં ઉંબરાનાં પાંદડાં અને ફળ સામાન્ય ઉંબરાનાં પાંદડાં -ફળ કરતાં નાનાં હોય છે.

ઉંબરો / ઉદુમ્બર
ફાઇકસ રેસમોસા Ficus racemosa
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
Division: Magnoliophyta
Class: Magnoliopsida
Order: Rosales
Family: Moraceae
Genus: 'Ficus'
Species: ''F. racemosa''
દ્વિનામી નામ
Ficus racemosa
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ

Ficus glomerata Roxb.

પર્ણો ફેરફાર કરો

કઠ ઉંબરાનાં પાંદડાં ઉંબરાનાં પાંદડાંથી મોટાં હોય છે. તેનાં પાંદડાંને અડકવાને કારણે હાથોમાં ખૂજલી થવા લાગે છે. આ ઉપરાંત પાંદડાંમાંથી દૂધ નિકળે છે. ઉંબરાનું ઝાડ નદી ઉંબરો અને કઠ ઉંબરો એમ જુદા જુદા બે પ્રકારના હોય છે.

ગુણ ફેરફાર કરો

ઉંબરો શીતળ , ગર્ભસંધાનકારક , વ્રણરોપક , રૂક્ષ , કસેલો , ભારે, મધુર, અસ્થિસંધાન કારક તેમજ વર્ણને ઉજ્જ્વળ કરનાર છે. કફપિત્ત,અતિસાર તથા યોનિ રોગને નષ્ટ કરનાર છે.

ઉંબરાની છાલ - અત્યંત શીતળ, દુગ્ધવર્ધક , કસેલી, ગર્ભહિતકારી તથા વર્ણવિનાશક હોય છે.

ઉંબરાનાં કોમળ ફળ- સ્તંભક, કસેલો, હિતકારી તથા તૃષા પિત્ત-કફ અને રૂધિરદોષ નાશક છે.

મધ્યમ કોમળ ફળ - સ્વાદુ ,શીતળ , કસેલા, પિત્ત , તૃષા, મોહકારક તેમ જ વમન તથા પ્રદર રોગ વિનાશક હોય છે.

તરૂણ ફળ - કસેલા, રૂચિકારી , અમ્લ , દીપન , માઁસવર્ધક , રૂધિરદોષકારી તથા દોષજનક હોય છે.

પાકાં ફળ - કસેલા, મધુર, કૃમિકારક, જડ, રૂચિકારક, અત્યંત શીતળ, કફકારક તથા રક્તદોષ, પિત્ત, દાહ, ક્ષુધા, તૃષા, શ્રમ, પ્રમેહ શોક અને મૂર્છા નાશક હોય છે.

નદી ઉંબરો - ઉંબરો - ગૂલર ઘણા પ્રકારે ગુણ વાળું તથા રસવીર્ય અને વિપાકમાં એનાથી થોડું હિન હોય છે. ઉંબરાના વૃક્ષનો એક ભેદ કાકોદુમ્બરી અથવા કઠૂમર છે. નામ - સંસ્કૃત - કાકોદુમ્બરી, હિંદી - કઠૂમર , બંગાળી- કાકડુમુર, કાલાઉમ્બર તથા બોખાડા ,ગુજરાતી- ટેડ ઉંબરો ,અરબી-તનવરિ ,ફારસી-અંજીરેદસ્તી,,અંગ્રેજી-કિગૂટી. ગુણ- કઠ ઉંબરો સ્તંભક, શીતળ, કસેલા તથા પિત્તકફ, વ્રણ, શ્વેતકુષ્ટ, પાંડુ રોગ, અર્શ, કમળો, દાહ, રક્તાતિસાર, રક્તવિકાર, શોથ, ઉર્ધ્વશ્વાસ તેમજ ત્વગ દોષ વિનાશક હોય છે.

સંદર્ભ ફેરફાર કરો

બાહ્યકડીઓ ફેરફાર કરો