ઓમકારેશ્વર બંધ

નર્મદા નદી પર બંધ

ઓમકારેશ્વર બંધ (અંગ્રેજી: Omkareshwar Damભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યના ખંડવા જિલ્લામાં આવેલ માંધાતાના ઉપરવાસ વિસ્તાર ખાતે નર્મદા નદી પર બાંધવામાં આવેલ એક ગ્રેવીટી પ્રકારનો બંધ છે. આ બંધના નિચાણવાસમાં તરત જ ઓમકારેશ્વર મંદિર સ્થિત થયેલ હોવાથી તેને ઓમકારેશ્વર બંધ નામ આપવામાં આવ્યું છે. આ બંધ વર્ષ ૨૦૦૩ અને ૨૦૦૭ વચ્ચેના સમયમાં, 132,500 ha (327,000 acres) જેટલા વિસ્તાર માટે સિંચાઈની સવલત પૂરી પાડવાના હેતુથી બાંધવામાં આવ્યો હતો. આ બંધ સાથે સંકળાયેલ એક જળવિદ્યુત મથક પણ બંધના પાયામાં બનાવવામાં આવેલ છે, જેની સ્થાપિત ક્ષમતા ૫૨૦ મેગાવોટ (૮ × ૬૫ મેગાવોટ) જેટલી છે.[૧][૨]

ઓમકારેશ્વર બંધ
ઓમકારેશ્વર બંધ is located in ભારત
ઓમકારેશ્વર બંધ
ઓમકારેશ્વર બંધનું ભારતમાં સ્થાન
દેશભારત
સ્થળમાંધાતા, ખંડવા જિલ્લો, મધ્ય પ્રદેશ
અક્ષાંશ-રેખાંશ22°14′37.26″N 76°9′46.83″E / 22.2436833°N 76.1630083°E / 22.2436833; 76.1630083
બાંધકામ શરુઆત૨૦૦૩
ઉદ્ઘાટન તારીખ૨૦૦૭
બાંધકામ ખર્ચ૩૫૩૯.૧૬ કરોડ રૂપિયા
સંચાલકોનર્મદા વેલી ડેવલપમેન્ટ વિભાગ, મધ્યપ્રદેશ
બંધ અને સ્પિલવે
બંધનો પ્રકારગ્રેવીટી
નદીનર્મદા નદી
ઊંચાઇ33 m (108 ft)
લંબાઈ949 m (3,114 ft)
સરોવર
કુલ ક્ષમતા141,547.8 m3 (115 acre⋅ft)
સક્રિય ક્ષમતા27,877 m3 (23 acre⋅ft)
સ્ત્રાવ વિસ્તાર64,880 km2 (25,050 sq mi)
ઊર્જા મથક
શરૂઆત તારીખ૨૦૦૭
ટર્બાઇન૮ × ૬૫ મેગાવોટ (ફ્રાન્સીસ પ્રકાર)
સ્થાપિત ક્ષમતા520 MW

સંદર્ભો ફેરફાર કરો

  1. "Omkareshwar Power Station". NHDC Limited. મૂળ માંથી 2015-02-20 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૫.
  2. "Salient Features of Omkareshwar Project" (PDF). NVDA. મૂળ (PDF) માંથી 2015-02-18 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૫.