કમળ (Nelumbo nucifera) એ એક પ્રકારની જલીય વનસ્પતિ છે.પ્રાચિન ઇજીપ્તમાં જુના રાજ્યનાં વખતથી (ઇ.પૂ.૨૬૮૬-૨૧૮૧) દિવાલો અને શ્થંભો પર કમળનાં ચિત્રો આલેખવામાં આવતાં.જે "પવિત્ર કમળ" કે "વાદળી કમળ" તરીકે ઓળખાય છે.

લક્ષ્મી કમલ (Nelumbo nucifera)
કમળનું ફુલ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: વનસ્પતિ
(unranked): સપુષ્પ વનસ્પતિ
(unranked): યુડીકોટ્સ
Order: પ્રોટીએલ્સ
Family: નિલમ્બોનેસી
Genus: 'નિલમ્બો'
Species: ''ન્યુસીફેરા''
દ્વિનામી નામ
Nelumbo nucifera
Gaertn.
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ
  • Nelumbium speciosum
  • Nymphaea nelumbo

કમળ નું મુળ વતન વિયેતનામ થી અફઘાનિસ્તાન સુધી ગણાય છે. તે સૌંદર્ય પ્રસાધન અને ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે. ઇ.સ.૧૭૮૭માં પ્રથમ વખત તેને પશ્ચિમ યુરોપમાં લઇ જવાયેલ,અત્યારે કમળની આ પ્રજાતિ આફ્રિકામાં બહુ ઓછી જોવા મળે છે,પરંતુ દક્ષિણ એશિયા અને ઓસ્ટ્રેલિયામાં તેમનું વાવેતર કરવામાં આવે છે. કમળ ભારત તથા વિયેતનામનું "રાષ્ટ્રીય ફુલ" ગણાય છે.

કમળ પર્ણ.
કમળ.

વપરાશ ફેરફાર કરો

 
કમળકંદ,કમળનું ફળ અને બીજ.
 
કમળની દાંડી,આડી કાપીને બાફેલી,એશિયન વાનગીઓમાં વપરાય છે.

ફૂલ, બીજ અને કુમળા પાંદડા અને મૂળ ([રાઇઝોમ્સ])સર્વે ખાવા લાયક છે. એશિયામાં પાંખડીનો ઉપયોગ સજાવટ અને પાંદડાનો ઉપયોગ ખધ્ય પદાર્થ બાંધવા માટે થય છે. કોરિઆમાં પાંદડા અને પાંખડીનો ઉપયોગ તિસેન નામની વનસ્પતિ ચા (હર્બલ ટી) તરીકે થાય છે. યેંકોચા(연꽃차) કમળના સુકવણી કરેલ પાંખડી માંથી બને છે અને યૉનીપ્ચા(연잎차) પાંદડામાં થી બને છે. તેની દાંડી જે ને ચીની ભાષામાં ઓયુૢ કેંટોનીઝમાં ન્ગાઉ ભારત અને પાકિસ્તાનના અમુક ભાગોમાં ભેંૢ જાપાનીમાં રેંકોનૢ કોરિયામાં યેંગોયુન તરીકે ઓળખાય છે. તેની ઉપયોગ સુપમાં શાક તરીકેૢ તળીનેૢ હલકા શેકીનેૢ સીજવીને ખાવાના ઉપયોગમાં લેવાય છે. તેની પાંખડીૢ પાંદડાૢ દાંડી ને કાચા પણ આરોગિ શકાય છે પણ તેમાં ફેસ્કીઓલોપ્સીસ બસ્કી નામના પરોપજીવી પ્રત્યારોપણનો ભય છે માટે કમળના ભાગ આદિ રાંધીને ખાવા હિતાવહ છે. કમળન મૂળ ડાઍટરી ફાયબરૢ વિટામીન સીૢ પોટૅશીયમૢ થાયમીનૢ રાયબોફ્લેવીનૢ વિટામિન બી-૬ૢ ફોસ્ફરસૢ તાંબુ અને મેંગેનીઝમાં સમૃદ્ધ છે અને તેમાં સાંદ્ર ચરબી ઘણી ઓછી છે.

તેના પુંકેસરને સુકવીની તેમાંથી સુગંધી વનસ્પતિજન્ય ચા બનાવવામાં આવે છે. જેને ચાયનીઝમાં લિઆન્હુઆ ચા કહે છે અને વિએટનામમાં ચાને ખાસ સુગંધ આપવા તે વપરાય છે. ક્ઝીઆનની એક જાત ચીનમાં ખૂબ જ પ્રચલીત છે તેને કાચી પણ ખાઈ શકાય છે કે તેને સુકવીને તેમાંથી પોપકોર્ન જેમ ફોડી શકાય છે. તેને પાણીમાં ઉકાળીને પોચાપાડી તેમાં થી ખીરા જેવું બનાવી શકાય છે કે તેને સુકા લોન્ગન અને રોક સુગર સાથે મેળવી ગળ્યું સૂપ બનાવી શકાય છે. સાકર મિશ્રિત કમળના બીજની લુગદી (પેસ્ટ) મુનકેક, દાઈફુકુ આદિ બનાવવામાં વપરાય છે. કમળના બીજ ને ભારતમાં હફૂલ મખાણા કહે છે અને તે ભારતીય રસોઈ માં વપરાય છે.[૧]

પવિત્ર કમળના વિભિન્ન ભાગો પરંપરાગત એશિયન વનસ્પતિ વૈદુમાં થાય છે.

તેના ભિન્ન દેખાતા બીજના માથાઓ જે જળીય કેનના અંકુર જેવા દેખાય છે તેનો ઉપયોગ સુકા ગુલદસ્તાની બનાવટ માટે થાય છે.photo સંગ્રહિત ૨૦૦૮-૦૯-૧૧ ના રોજ વેબેક મશિન પારંપારિક પવિત્ર કમળ નીમ્ફીઆ કીરુલા સાથે દૂરના સંબંધી છે અને તેના જેવા ગુણ ધર્મો પણ ધરાવે છે આ બનેંમાં ન્યુસીફેરાઈન અને અપોર્ફાઈન નામના આલ્કોલોઈડસ્ છે.


સાંસ્કૃતિક મહત્વ ફેરફાર કરો

 
ખીલેલું કમળ
 
હાથમાં તથા મુગટમાં કમળફુલ સાથે ભગવાન વિષ્ણુ
 
લક્ષ્મીજી

હિંદુવ્તવમાં ખીલેલું કમળ -પદ્મને પુરાણ શસ્ત્રોના આરંભ સાથે અને વિષ્ણુ, બ્રહ્મા, લક્ષમી અને સરસ્વતી દેવી આદિ સાથે જોડવામાં આવે છે. પ્રાચીન કાળથી કમળ હિંદુ પરંપરાનું ભવ્ય ચિન્હ રહ્યું છે. કમળનો ઉપયોગ હમેંશા દિવ્ય સુંદરતાના રૂપક તરીકે થાય છે. વિષ્ણુને પદ્મલોચન તરીકે પણ ઓળખાય છે. કમળની પાંખડીઓનું ખુલવું આત્માના દ્વાર ઉઘડવા સાથે સરખાવાય છે. તેનું કાદવ ખીલવું એક અનેરૂ આધ્યાત્મીક ઉદાહરણ પુરું પાડે છે. બ્ર્હ્મા અને લદ્મી જેવા સમૃદ્દિના દેવનો સંબંધ કમળ સાથે છે. પ્રભુ ચિત્રકારીમાં હિંદુ પરંપરામાં દેવ દેવીની હમેંશા કમળ ઉપર બેસાડેલા હોય છે. કમલ આ ચોકરાના નામ તરીકે પણ વપરાય છે. અને કમલા બને છે છોકરીનું નામ.

વૈદિક અને પુરાણીક સાહિત્યમાં કમળ નો ઘણો ઘણો ઉલ્લેખ થયો છે. દા.ત.

જે વ્યક્તિ પોતાના કર્મ કોઈ પણ આકર્ષણ વગર કરે છે અને તેના પરિણામ પ્ર્ભુ ને સમર્પિત કરી કરી દે છે તે કમળના પર્ણની જેમ પાણીમાં હોવા છતાં સૂકો રહે છે. ભાગવદ ગીતા ૫.૧૦

હિંદુત્વ ની જેમ જ બુદ્ધ ધર્મમાં કમળ, શરીર, વાણી અને મગજની પવિત્રતા દર્શાવવા થાય છે. જેમ કમળ કાદવ પર તરીને પવિત્ર રહે છે તેમ શરીર, વાણી અને મગજની પવિત્રતા પણ કષાય માં રહેવા છતાં મેળવી શકાય છે. ગૌતમ બુદ્ધ ને હમેંશા કમળ પર બેઠેલા બતાવાય છે. દંત કથામાં એવું પણ કહે છે ગૌતમ બુદ્ધ જ્યાં પગ મુકતાં ત્યાં કમલ ખીલી ઉઠતાં

હિંદુ અને બુદ્ધ માન્યતા થી પ્રેરીત આંતરરાષ્ટ્રીય બહાઈ ફેઈથ સમાજ એ તેના ચિન્હની રૂપરેખામાં આચિન્હ અપનાવ્યું અને નવી દીલ્હીમાં કમળ બનાવડાવ્યું.

કમળ એ ભારતનું વતની છે તે ભારત અને વિયેટનામનું રાષ્ટ્રીય ફૂલ છે. ભા જ પા, એક ભારતીય રાજનૈતિક પક્ષ જે પોતાને ભારતીય સાંસ્કૃતિક રાષ્ટ્રવાદમાં નિપુણ માને છે તેણે પોતાનું ચૂંટણી ચિન્હ કમળ રાખ્યું છે. આ ક્ષેત્રની ઘણી કળાઓ માં કમળ દેખાતું રહે છે.

ચીની લોકો કમળને પવિત્રતા અને સૌન્દર્યનું પ્રતીક માને છે. તેની ઉપયોગ ચીને કવિતામાં ઘણો થાય છે. કમળના ચીની પરંપરામાં મહત્વની ચરમસીમા કંફ્યુસીયસના વિધ્વાન ઝૌ દુન્યી દ્વારા કહેવાયું છે “હું કમળને ચાહું છું કેમ કે તે કાદવમાં ઉગવા છતાં તે બેદાગ છે”

ફોટો ફેરફાર કરો

નોંધ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો