ખલીલ ધનતેજવી

ગુજરાતી કવિ

ખલીલ ધનતેજવી (મૂળ નામ: ખલીલ ઇસ્માઇલ મકરાણી[૧]) ‍ગુજરાતી અને ઉર્દૂ ગઝલકાર હતા.[૨]

ખલીલ ધનતેજવી
ખલીલ ધનતેજવી
ખલીલ ધનતેજવી
જન્મખલીલ ઇસ્માઇલ મકરાણી
(1935-12-12)December 12, 1935
ધનતેજ
મૃત્યુ4 April 2021(2021-04-04) (ઉંમર 85)
વડોદરા
અંતિમ સ્થાનવડોદરા
વ્યવસાયકવિ, લેખક, પત્રકાર, પ્રેસ અને ચલચિત્ર નિર્માતા
ભાષાગુજરાતી, ઉર્દૂ
રાષ્ટ્રીયતાભારત
શિક્ષણધોરણ ૪
નોંધપાત્ર પુરસ્કારો
સહી

જીવન ફેરફાર કરો

 
ખલીલ ધનતેજવી મનોજ ખંડેરિયા સાથે

તેમનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં ૧૨ ડિસેમ્બર ૧૯૩૫ના રોજ થયો હતો.[૩] તેમણે ૪ ધોરણ સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું.[૩][૪]

ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ચલચિત્ર નિર્માણ સાથે સંકળાયેલા હતા.[૧]

૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ વડોદરા ખાતે તેમનું અવસાન થયું હતું.[૫]

સર્જન ફેરફાર કરો

તેમનું કેટલુંક સર્જન નીચે પ્રમાણે છે.[૧]

ગઝલસંગ્રહ ફેરફાર કરો

  • સાદગી
  • સારાંશ (૨૦૦૮)
  • સરોવર (૨૦૧૮)
  • સોગાત
  • સૂર્યમુખી
  • સાયબા
  • સાંવરિયો
  • સગપણ
  • સોપાન
  • સારંગી

નવલકથા ફેરફાર કરો

  • ડો. રેખા (૧૯૭૪)
  • તરસ્યાં એકાંત (૧૯૮૦)
  • મીણની આંગળીએ સૂરજ ઊગ્યો (૧૯૮૪)
  • લીલા પાંદડે પાનખર (૧૯૮૬)
  • સન્નાટાની ચીસ (૧૯૮૭)
  • સાવ અધૂરા લોક (૧૯૯૧)
  • લીલોછમ તડકો (૧૯૯૪)

પુરસ્કારો ફેરફાર કરો

તેમને ૨૦૦૪માં કલાપી પુરસ્કાર અને ૨૦૧૩માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૨] ૨૦૧૯માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૬] સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેમને ૨૦૨૨ માં ભારત સરકાર દ્વારા મરણોપરાંત પદ્મશ્રી નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૭]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ડૉ. કિરીટ એચ. શુક્લ, સંપાદક (૨૦૦૮). ગુજરાતી સાહિત્યકાર પરિચયકોશ (૨જી સંવર્ધિત આવૃત્તિ). ગાંધીનગર: ગુજરાત સાહિત્ય અકાદમી. પૃષ્ઠ ૪૭૮.
  2. ૨.૦ ૨.૧ "Khalil Dhantejvi to be presented Vali Gujarati Award". DeshGujarat (અંગ્રેજીમાં). ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫. મેળવેલ ૧ મે ૨૦૧૮.
  3. ૩.૦ ૩.૧ "Poet to donate 1.5 lakh aid to poor students on his birthday - Times of India". The Times of India. ૨૯ જૂન ૨૦૧૨. મેળવેલ ૧૫ મે ૨૦૧૮.
  4. "Vadodara to host two-day theatre festival in first week of July! - Times of India". The Times of India. મેળવેલ ૧ મે ૨૦૧૮.
  5. "2019ના નરસિંહ મહેતા એવોર્ડ વિજેતા લોકપ્રિય શાયર ખલીલ ધનતેજવીનું અવસાન". www.gujaratsamachar.com. મૂળ માંથી ૪ એપ્રિલ ૨૦૨૧ પર સંગ્રહિત. મેળવેલ ૪ એપ્રિલ ૨૦૨૧.
  6. "2019નો નરસિંહ મહેતા એવોર્ડ લોકપ્રિય શાયર ખલીલ ધનતેજવીને…." chitralekha. 3 September 2019. મેળવેલ 21 September 2019.
  7. "Padma Awards 2022 announced". Press Information Bureau. 2022-01-25. મેળવેલ 2022-01-26.

બાહ્ય કડીઓ ફેરફાર કરો