જયા મહેતા

ગુજરાતી ભાષાના કવયિત્રી, વિવેચક અને અનુવાદક

જયા વલ્લભદાસ મહેતાગુજરાત, ભારતના ગુજરાતી ભાષાના કવયિત્રી, વિવેચક અને અનુવાદક છે.

જયા મહેતા
જન્મ (1932-08-16) August 16, 1932 (ઉંમર 91)
કોળીયાક (તા. ભાવનગર), ગુજરાત, બ્રિટીશ ભારત
વ્યવસાયકવયિત્રી, વિવેચક અને અનુવાદક
ભાષાગુજરાતી
શિક્ષણએમ.એ., પીએચ. ડી.
માતૃ શિક્ષણ સંસ્થાએસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટી, મુંબઈ
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શોધ નિબંધHumour in Gujarati Poetry and Drama _upto 19th Century_ with special reference to Akho Premanand Shamal Dalpatram and Navalram. (૧૯૭૩)
માર્ગદર્શકઅનસૂયા ત્રિવેદી

જીવન ફેરફાર કરો

જયા મહેતાનો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૯૩૨ના રોજ ભાવનગર જિલ્લાના, કોળિયાક ગામે લલીતાબેન અને વલ્લભદાસને ત્યાં થયો હતો. પીટીસી સુધીનો અભ્યાસ પૂર્ણ કરી તેઓ પ્રાથમિક શાળાના શિક્ષિકા તરીકે જોડાયાં.[૧] નોકરી દરમિયાન તેમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. ૧૯૫૪માં બી.એ. અને ૧૯૬૩માં એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટી, મુંબઇથી એમ.એ.નો અભ્યાસ પૂરો કર્યો.[૨] બાદમાં પીએચ. ડી.ની પદવી મેળવી. તેઓ એસ.એન.ડી.ટી. મહિલા વિશ્વવિદ્યાલયમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયા હતા. તેઓ સુધા (સૌરાષ્ટ્ર ટ્રસ્ટના સાપ્તાહિક) અને વિવેચન (ત્રિમાસિક રૂપે ગુજરાતી વિભાગ, એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટી) ના સહ સંપાદક હતા.[૩] તેમણે પ્રવાસી, મુંબઈ સમાચાર અને સમકાલીન દૈનિકમાં કટારલેખક તરીકે પણ કામ કર્યું હતું.

સર્જન ફેરફાર કરો

જયા મહેતા મુક્ત છંદમાં તર્કવાદી (રેશનાલિસ્ટ) કવિતા લખે છે. તેમની કવિતા ભાવનાત્મક દુનિયાથી સંલગ્ન થવાને બદલે તાર્કિક અને સામાજિક રીતે જાગૃત છે.[૪] વેનેશિયન બ્લાઇન્ડ (૧૯૭૮), એક દિવસ (૧૯૮૨), આકાશમાં તારાઓ ચૂપ છે (૧૯૮૫), હોસ્પિટલ પોએમ્સ (૧૯૮૭) એ તેમના કાવ્યસંગ્રહો છે. રેણુ અને એક આ ખરે પાંદડુ (૧૯૮૯) તેમની નવલકથાઓ છે. [૩][૨] વેનેશિયન બ્લાઇન્ડ અને આકાશમાં તારાઓ ચૂપ છે કાવ્યસંગ્રહો તેમની "માનવ દુર્દશાની ચિંતા" પ્રતિબિંબિત કરે છે. મનોગત (૧૯૮૦), કાવ્યઝાંખી (૧૯૯૮૫), અને અનુસંધાન (૧૯૮૬), બુકશેલ્ફ (૧૯૯૧) એ તેમની વિવેચનાત્મક કૃતિઓ છે. કવિ પ્રિય કવિતા (૧૯૭૬), વાર્તા વિશ્વ (સહ સંપાદન, ૧૯૮૦), સુરેશ દલાલના શ્રેષ્ઠ કાવ્યો (૧૯૮૫), આપણા શ્રેષ્ઠ નિબંધો (૧૯૯૧), રઘુપતિ રાઘવ રાજારામ (૨૦૦૭) તેમના સંપાદિત પુસ્તકો છે. તેમના સંશોધન કાર્યોમાં ગુજરાતી કવિતા અને નાટકમાં હાસ્યવિનોદ, ગુજરાતના પ્રશસ્તિકાવ્યો (૧૯૬૫), ગુજરાતી લેખિકાઓએ નવલકથા-વાર્તા સાહિત્યમાં આલેખેલું સ્ત્રીનું ચિત્રનો સમાવેશ થાય છે. વિમાનથી વ્હીલચેર તેમનું પ્રવાસવર્ણન છે.

તેમણે અનેક કૃતિઓનું ભાષાંતર કર્યું છે. મારા મિત્રો (૧૯૬૯), આરતી પ્રભુ (૧૯૭૮), મનનું કારણ (૧૯૭૮), ચર્ચબેલ (૧૯૯૮૦), રવિન્દ્રનાથ : ત્રણ વ્યાખ્યાનો, સૌંદર્યમીમાંસા (સહ અનુવાદ), ચંપો અને હિમપુષ્પ, સમુદ્રાલયની પ્રચંડ ગર્જના, રેવન્યૂ સ્ટેમ્પ (અમૃતા પ્રિતમની આત્મકથા, ૧૯૮૩), દસ્તાવેજ (૧૯૮૫), સુવર્ણમુદ્રા અને … (૧૯૯૧), રાધા, કુંતી, દ્રૌપદી (૨૦૦૧), વ્યાસમુદ્રા એ તેમના અનુવાદો છે.[૩][૨] તેમણે અર્નેસ્ટ હેમિંગ્વેની ધ ઓલ્ડ મેન એન્ડ ધ સીનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.

તેમણે ૧૯૯૨માં એસ એલ યેદિયુરપ્પાની નવલકથા દત્તુનો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો.[૫]

પુરસ્કાર ફેરફાર કરો

તેમના અનુવાદ કાર્ય માટે તેમને દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.[૩]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. Susie J. Tharu; Ke Lalita (1991). Women Writing in India: The twentieth century. Feminist Press at CUNY. પૃષ્ઠ 365–366. ISBN 978-1-55861-029-3.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ જાની, સુરેશ બી. (2006-08-13). "જયા મહેતા". ગુજરાતી પ્રતિભા પરિચય. મેળવેલ 2018-02-26.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ બ્રહ્મભટ્ટ, પ્રસાદ (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. અમદાવાદ: પાર્શ્વ પ્રકાશન. પૃષ્ઠ 141–142. ISBN 978-93-5108-247-7.
  4. Nalini Natarajan; Emmanuel Sampath Nelson (1996). Handbook of Twentieth-century Literatures of India. Greenwood Publishing Group. પૃષ્ઠ 125. ISBN 978-0-313-28778-7.
  5. Rao, D. S. (2004). Five Decades: The National Academy of Letters, India : a Short History of Sahitya Akademi. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 48. ISBN 978-81-260-2060-7.