૨૮.૬૫૧° N ૭૭.૨૩૪° E

ઇમારતનો મુખ્ય ભાગ
જામા મસ્જિદ, દિલ્હી, 1852.
જામા મસ્જિદનો ગુંબજ.
સમચોરસ ચિત્રમાલા

મસ્જિદ-ઇ જહાં-નૂમા (ફારસી: مسجد جھان نما , 'વિશ્વનું પ્રતિબિંબ પાડતી મસ્જિદ'), જે સામાન્ય રીતે દિલ્હીની જામા મસ્જિદ તરીકે ઓળખાય છે તે ભારતમાં આવેલી જૂની દિલ્હીની મુખ્ય મસ્જિદ છે. તેનું બાંધકામ તાજમહાલના સર્જક મુઘલ સમ્રાટ શાહ જહાં દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને ઈ.સ. ૧૬૫૬માં પૂર્ણ થયું હતું, તે ભારતમાં સૌથી મોટી અને વિખ્યાત મસ્જિદ છે. તે જૂની દિલ્હીના ચાવરી બાઝાર રોડની અત્યંત વ્યસ્ત મધ્ય શેરીની શરૂઆતમાં આવેલી છે.

પાછળથી તેને આપવામાં આવેલું, જામા મસ્જિદનું નામ મુસ્લિમોની શુક્રવારની બપોરની સાપ્તાહિક સામૂહિક નમાઝ, જુમ્માહનો ઉલ્લેખ કરે છે, જે સામાન્ય રીતે મસ્જિદમાં, "સમૂહ પ્રાર્થના મસ્જિદ" અથવા "જામી મસ્જિદ"માં કરવામાં આવે છે. મસ્જિદનું પ્રાંગણ ૨૫,૦૦૦ જેટલા પ્રાર્થનાર્થીઓને સમાવી શકે છે. મસ્જિદમાં ઉત્તર દરવાજા પર વિવિધ યાદગીરીઓ (સ્મૃતિઓ) રાખવામાં આવી છે, જેમાં હરણના ચામડા પર લખેલી કુરાનની પ્રાચીન પ્રતનો પણ સમાવેશ થાય છે.

બાંધકામ ફેરફાર કરો

ઐતિહાસિક જામા મસ્જિદ(શુક્રવાર મસ્જિદ)નો પાયો મુઘલ સમ્રાટ શાહજહાં દ્વારા 6 ઓક્ટોબર ઈ.સ. 1650 (10મો શવ્વાલ 1060 એએચ-ઇસ્લામિક કેલેન્ડરનો દસમો મહિનો)ના રોજ શાહજહાનાબાદમાં એક ટેકરી પર નાખવામાં આવ્યો હતો. આ મસ્જિદ એ 5,000 કામદારોના છ વર્ષોના પ્રયત્નોનું પરિણામ છે.[૧] તે સમયે બાંધકામ પાછળ 10 લાખ (1 મિલિયન) રૂપિયાનો ખર્ચ થયો હતો અને આ તે જ સમ્રાટ હતો જેણે જામા મસ્જિદની સામે આગ્રામાં તાજમહાલ અને લાલ કિલ્લો બાંધ્યો હતો, અને તે અંતે ઈ.સ. 1656(1066 એએચ)માં જામા મસ્જિદ તૈયાર થઈ હતી, જેમાં લાલ રેતિયા પથ્થર અને સફેદ આરસપહાણના પટ્ટાઓમાંથી બનાવવામાં આવેલા ત્રણ દરવાજાઓ, ચાર ટાવરો અને બે 40 મીટર ઊંચા પાતળા મિનારાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.[૨]

શાહ જહાંએ દિલ્હી, આગ્રા, અજમેર અને લાહોરમાં પણ અન્ય અગત્યની મસ્જિદો બનાવી હતી. જામા મસ્જિદનો ફ્લોરપ્લાન આગ્રા નજીક આવેલી જામા મસ્જિદ, ફત્તેહપુર સિક્રી જેવો જ છે, પરંતુ દિલ્હીની જામા મસ્જિદ વધુ મોટી છે અને તે બે મસ્જિદો જેટલો વિસ્તાર ધરાવે છે. તેના શાસકે આ મસ્જિદ ઊભી કરવા માટે વિશાળ મેદાનની પસંદગી કરી હોવાથી તેનો વધુ વિસ્તાર કર્યો હતો. લાહોરની બાદશાહી મસ્જિદની થોડી મોટી સ્થાપત્ય રચનાનું બાંધકામ શાહજહાંના પુત્ર ઔરંગઝેબ દ્વારા 1673માં કરવામાં આવ્યું હતું, જે દિલ્હીની જામા મસ્જિદ સાથે ગાઢ સંબંધ ધરાવે છે.

સ્થાપત્ય ફેરફાર કરો

મસ્જિદના મોખરાના ભાગ સુધી પૂર્વ, ઉત્તર અને દક્ષિણમાંથી ત્રણ પગથિયા ચઢીને પહોંચી શકાય છે, તે તમામનું લાલ રેતિયા પથ્થરથી બાંધકામ કરવામાં આવ્યું છે. મસ્જિદનો ઉત્તરીય દરવાજો 39 પગથિયાં ધરાવે છે. મસ્જિદનો દક્ષિણ દરવાજો 33 પગથિયાં ધરાવે છે. મસ્જિદનો પૂર્વીય દરવાજો શાહી પ્રવેશદ્વાર હતો અને તેને 35 પગથિયાં છે. આ પગથિયાંનો ખાણીપીણીના ખૂમચાઓ, દુકાનો અને શેરી-મનોરંજન કરનારાઓને સમાવવા માટે ઉપયોગ કરાતો હતો. સાંજે મસ્જિદના પૂર્વીય ભાગનો ઉપયોગ સામાન્ય રીતે મરઘાં-બતકાં અને અન્ય પક્ષીઓ માટેના બજાર તરીકે કરાતો હતો. ભારતીય સ્વતંત્રતાના 1857ના બળવા પહેલાં, મસ્જિદના દક્ષિણ ભાગ નજીક મદ્રેસા હતી, જેને બળવા બાદ પાડી નાખવામાં આવી હતી.

મસ્જિદ પશ્ચિમ તરફે છે. તેની ત્રણ તરફને ખુલ્લી કમાનો સાથેની સ્તંભાવલી આવરી લેવામાં આવી છે, જે પ્રત્યેક કેન્દ્રમાં ઊંચો ટાવર જેવો પ્રવેશમાર્ગ ધરાવે છે. મસ્જિદ આશરે 261 ફૂટ (80 મીટર) લાંબી અને 90 ફૂટ (27 મીટર) પહોળી છે, અને તેના છાપરાને કાળા અને સફેદ આરસપહાણના એકાંતર પટ્ટા સાથે ત્રણ ગુંબજોથી બનાવવામાં આવ્યું છે, જેમાં તેનો મોટા ભાગનો હિસ્સો સોનાનું આવરણ ધરાવે છે. બે ઊંચા-પાતળા મિનારાઓ, 130 ફૂટ (41 મીટર) ઊંચા છે, અને 130 પગથિયાં ધરાવે છે, લંબાઈમાં સફેદ આરસપહાણ અને લાલ રેતિયા પથ્થરના પટ્ટા ધરાવે છે, અને બીજી બંને બાજુ ગુંબજો ધરાવે છે. ત્રણ મિનારાઓને પ્રોજેક્ટિંગ ગૅલેરીઓથી અલગ કરવામાં આવ્યા છે અને તેની ઉપર ખુલ્લા 12 બાજુઓવાળા ગુંબજવાળો શામિયાનો છે. મસ્જિદના પાછળના ભાગમાં, ચાર મિનારાઓને આગળના ભાગની જેમ જ શણગારવામાં આવ્યા છે.

મસ્જિદના ગુંબજની અંદરના ભાગમાં પશ્ચિમ તરફ પડતા સાત કમાનવાળા પ્રવેશદ્વારો સાથેનો સભાખંડ છે અને મસ્જિદની દીવાલોને કમર જેટલી ઊંચાઇ સુધી આરસપહાણથી આવરી લેવામાં આવી છે. વધુમાં આ પ્રાર્થના સભાખંડ, કે જે 61 મીટર x 27.5 મીટરનો છે અને 11 કમાનવાળા પ્રવેશદ્વારો ધરાવે છે, જેમાંથી મધ્યની કમાન પહોળી અને ઊંચી છે અને અનેક દરવાજાઓના સ્વરૂપમાં છે, જેમાં દરેક ખૂણે પાતળા મિનારાઓ સાથે તેની પર સામાન્ય અષ્ટકોણ શામિયાનો છે. આ કમાનવાળા પ્રવેશદ્વારો ઉપરાંત ચાર ફૂટ (1.2 મીટર) લાંબી અને 2.5 ફૂટ (760 મિલીમીટર) પહોળી સફેદ આરસપહાણની તકતીઓ છે, જેમાં કાળા આરસપહાણથી શિલાલેખનું જડતર કરવામાં આવ્યું છે. આ શિલાલેખો મસ્જિદના બાંધકામનો ઇતિહાસ પૂરો પાડે છે, અને શાહજહાંના શાસન અને ચારિત્ર્યની મહત્તા વ્યક્ત કરે છે. મધ્ય કમાન પરનો સ્લેબ ફક્ત "ધી ગાઇડ!" (માર્ગદર્શિકા) એવા સરળ શબ્દો ધરાવે છે.

મસ્જિદ અગાશીની ફરસબંધીથી પાંચ ફૂટ(1.5 મીટર)ના પ્લેટફોર્મ પર ઊભી છે અને ત્રણ પગથિયા ઉપર જતા મસ્જિદના પૂર્વ, ઉત્તર અને દક્ષિણ તરફેના આંતરિયાળ ભાગ તરફ દોરી જાય છે. મુસ્લિમોની પ્રાર્થનાની સાદડીનું અનુકરણ કરવા માટે મસ્જિદના માળને સફેદ અને કાળા આરસપહાણના શણગારથી આવરી લેવાયો છે; પાતળી કાળા આરસપહાણની બોર્ડર પ્રાર્થના કરનારાઓની નિશાની આપે છે, જે ત્રણ ફૂટ લાંબી અને 1 ½ ફૂટ પહોળી છે. કુલે થઇને 899 જેટલી આ પ્રકારની જગ્યાઓ છે, જેને મસ્જિદના માળ પર અંકિત કરવામાં આવી છે. મસ્જિદના પાછળના ભાગને ખડકની ઊંચાઇથી આવરી લેવાયો છે, જેની પર મસ્જિદ પથ્થરમાંથી કંડારવામાં આવેલા ભાગ સાથે ઊભી છે.

આતંકવાદના બનાવો ફેરફાર કરો

2006 વિસ્ફોટો ફેરફાર કરો

14 એપ્રિલ 2006ના જામા મસ્જિદમાં બે વિસ્ફોટો થયા હતા. પ્રથમ વિસ્ફોટ આશરે 17:26 અને બીજો સાત મિનિટ બાદ આશરે 17:33 વાગ્યે (ભારતીય સમય (IST)) થયો હતો. ઓછામાં ઓછી તેર વ્યક્તિઓને તે વિસ્ફોટમાં ઇજા થઇ હતી. તે દિવસ મુસ્લિમોનો પવિત્ર દિવસ શુક્રવાર હોવાથી અને ઇસ્લામિક સ્થાપક મુહમ્મદનો જન્મદિવસ મિલાદ ઉલ નબી પછીનો પ્રથમ શુક્રવાર પણ હોવાથી, તે સમયે મસ્જિદમાં આશરે 1000 વ્યક્તિઓની હાજરી હતી. સત્તાવાર પ્રવક્તાના અનુસાર મસ્જિદને કોઇ નુકસાન થયું ન હતું.

2010 ગોળીબાર ફેરફાર કરો

15 સપ્ટેમ્બર 2010ના રોજ, મસ્જિદના ત્રણ નંબરના દરવાજા પાસે મોટરસાયકલ પર સવાર બંદૂકધારીએ ઊભેલી બસ પર ગોળીઓ છોડતા બે તાઇવાનના પ્રવાસીઓને ઇજા થઇ હતી. [૩]

ગૅલેરી ફેરફાર કરો

જામા મસ્જિદના ઇમામો ફેરફાર કરો

  • 1) સૈયદ અબ્દુલ ગફૂર શાહ બુખારી શાહી ઇમામ
  • 2) સૈયદ અબ્દુલ શકુર શાહ બુખારી શાહી ઇમામ
  • 3) સૈયદ અબ્દુલ રહીમ શાહ બુખારી શાહી ઇમામ
  • 4) સૈયદ અબ્દુલ ગફૂર શાહ બુખારી થાની શાહી ઇમામ
  • 5) સૈયદ અબ્દુલ રેહમાન શાહ બુખારી શાહી ઇમામ
  • 6) સૈયદ અબ્દુલ કરીમ શાહ બુખારી શાહી ઇમામ
  • 7) સૈયદ મીર જીવાન શાહ બુખારી શાહી ઇમામ
  • 8) સૈયદ મીર એહમદ અલી શાહ બુખારી શાહી ઇમામ
  • 9) સૈયદ મોહમ્મદ શાહ બુખારી શાહી ઇમામ
  • 10) મૌલાના સૈયદ ઐહમદ બુખારી શાહી ઇમામ
  • 11) મૌલાના સૈયદ હમીદ બુખારી શાહી ઇમામ
  • 12) સૈયદ અબ્દુલ્લાહ બુખારી [૧] સંગ્રહિત ૨૦૧૧-૧૧-૧૭ ના રોજ વેબેક મશિન
  • 13) સૈયદ એહમદ બુકારી [૨] સંગ્રહિત ૨૦૧૧-૧૧-૧૭ ના રોજ વેબેક મશિન

જામા મસ્જિદ, દિલ્હી, ભારતના ઇમામોનો ઇતિહાસ [૩] સંગ્રહિત ૨૦૧૧-૧૧-૧૭ ના રોજ વેબેક મશિન

આ પણ જોશો ફેરફાર કરો

  • મુસ્લિમ સ્થાપત્ય
  • ઇસ્લામિક કળા
  • સાહ્ન (Sahn)
  • ઇસ્લામિક ઇતિહાસની સમયરેખા

નોંધ ફેરફાર કરો

  1. "હેવન ઓન અર્થ: ઇસ્લામ", 23 નવેમ્બર, 2004 વીડીયો ડોક્યુમેન્ટ્રી, હિસ્ટ્રી ચેનલ. નિર્માતા/દિગ્દર્શક, સ્ટીફન રૂકે. સ્ક્રીપ્ટરાઇટર/હોસ્ટ: ખ્રિસ્તી કેનીયલી
  2. "જામા મસ્જિદ દિલ્હીનો ટૂંકો ઇતિહાસ". મૂળ માંથી 2011-11-17 પર સંગ્રહિત. મેળવેલ 2011-03-29.
  3. "BBC News: Tourists shot near Delhi mosque".

સંદર્ભો ફેરફાર કરો

બાહ્ય લિંક્સ ફેરફાર કરો

જામા મસ્જિદ, દિલ્હી વિષય પર વધુ જાણવા માટે જુઓ:
  શબ્દકોશ
  પુસ્તકો
  અવતરણો
  વિકિસ્રોત
  દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો
  સમાચાર
  અભ્યાસ સામગ્રી
 
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:
તસવીરો

ઢાંચો:Mosques in India ઢાંચો:Mughal Empire ઢાંચો:Delhi landmarks