જુલાઇ ૧૫
તારીખ
૧૫ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૯૬મો (લિપ વર્ષ દરમ્યાન ૧૯૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૬૯ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ ફેરફાર કરો
- ૧૯૧૦ – એમિલ ક્રેપેલિને તેમના પુસ્તક ક્લિનિકલ સાઇકિયાટ્રીમાં તેમના સાથી એલોઇસ અલ્ઝાઇમરના નામ પરથી ચેતાપેશી અપભ્રંશની પરિસ્થિતિને અલ્ઝાઇમર રોગનું નામ આપ્યું.
- ૧૯૫૫ – અઢાર નોબેલ પારિતોષિક વિજેતાઓએ પરમાણુ શસ્ત્રો વિરુદ્ધ મૈનાઉ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા, બાદમાં અન્ય ૩૪ લોકોએ સહ-હસ્તાક્ષર કર્યા.
- ૧૯૭૯ – વડાપ્રધાન મોરારજી દેસાઈએ રાજીનામું આપ્યું.
- ૨૦૦૨ – પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટર ડેનિયલ પર્લની હત્યાની શંકામાં બ્રિટિશ મૂળના અહમદ ઓમર સઈદ શેખને ફાંસીની સજા અને અન્ય ત્રણને આજીવન કેદની સજા ફટકારી.
- ૨૦૦૬ – સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ટ્વિટર શરૂ કરવામાં આવ્યું.
જન્મ ફેરફાર કરો
- ૧૬૦૬ – રૅમ્બ્રાં હાર્મેન્ઝૂન વાન રીન, ડચ ચિત્રકાર અને છાપચિત્રકલાના કસબી (અ. ૧૬૬૯)
- ૧૭૮૩ – જમશેદજી જીજીભાઈ, પારસી-ભારતીય વેપારી અને પરોપકારી (ફિલાન્થ્રોપીસ્ટ) (અ. ૧૮૬૯)
- ૧૯૦૩ – કે. કામરાજ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (સંગઠન)ના સંસ્થાપક નેતા અને તમિલનાડુના ત્રીજા મુખ્યમંત્રી. (અ. ૧૯૭૫)
- ૧૯૦૬ – આર. એસ. મુગલી, કન્નડ ભાષાના સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા કવિ અને શિક્ષણવિદ્ (અ. ૧૯૯૩)
- ૧૯૧૨ – બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માન, મહાવીર ચક્ર વિજેતા ભારતીય સૈન્ય અધિકારી. (અ. ૧૯૪૮)
- ૧૯૧૫ – લેફ્ટનન્ટ જનરલ કાશ્મીર સિંહ કાટોચ, ભારતીય સૈન્ય અધિકારી (અ. ૨૦૦૭)
- ૧૯૩૩ – એમ. ટી. વાસુદેવન નાયર, ભારતીય લેખક અને પટકથા લેખક
- ૧૯૩૭ – પ્રભાષ જોશી, ભારતીય પત્રકાર (અ.૨૦૦૯)
- ૧૯૫૬ – અશોક સેન, ભારતીય સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી
અવસાન ફેરફાર કરો
- ૧૯૦૪ – એન્તોન ચેખવ, રશિયન વાર્તાકાર અને નાટ્યકાર (જ. ૧૮૬૦)
- ૧૯૬૭ – બાલ ગંધર્વ, મરાઠી નાટકોમાં સ્ત્રી પાત્રો તરીકેની ભૂમિકાઓ માટે જાણીતા મંચ અભિનેતા અને મરાઠી ગાયક.
તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો
બાહ્ય કડીઓ ફેરફાર કરો
વિકિમીડિયા કૉમન્સ પર July 15 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.