૨૮ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૦૯મો (લિપ વર્ષ દરમ્યાન ૨૧૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૫૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ ફેરફાર કરો

  • ૧૯૧૪ – પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો.
  • ૧૯૮૪ – ઓલિમ્પિક રમતો: ૨૩મી ઓલિમ્પિયાડની રમતો: લોસ એન્જલસમાં ગ્રીષ્મ ઓલિમ્પિક્સ શરૂ કરવામાં આવ્યો.
  • ૨૦૧૭ – પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને ભ્રષ્ટાચારના આરોપમાં દોષી ઠેરવ્યા બાદ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તેમને હોદ્દા પરથી આજીવન ગેરલાયક ઠેરવ્યા.

જન્મ ફેરફાર કરો

  • ૧૯૦૫ – કે. કા. શાસ્ત્રી, ગુજરાતી ભાષાના બહુશ્રુત વિદ્વાન (અ. ૨૦૦૬)
  • ૧૯૦૭ – એવી મેયપ્પન, (A. V. Meiyappan) ભારતીય ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક (અ. ૧૯૭૯)
  • ૧૯૪૦ – અનિલ જોશી, ગુજરાતી નિબંધકાર અને કવિ

અવસાન ફેરફાર કરો

  • ૧૭૫૦ – જોહાન સેબેસ્ટિયન બાચ, બેરોક સમયગાળાના જર્મન સંગીતકાર (જ. ૧૬૮૫)
  • ૧૯૪૬ – સંત આલ્ફોન્સા, ભારતીય મૂળની પ્રથમ મહિલા જેઓ કેથોલિક ચર્ચ દ્વારા સંત તરીકે કેનોનાઇઝ કરવામાં આવ્યા. (જ. ૧૯૧૦)
  • ૨૦૧૪ – અશ્વિન મહેતા, સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા ગુજરાતી છાયાચિત્રકાર (જ. ૧૯૩૧)
  • ૨૦૧૬ – મહાશ્વેતા દેવી, ભારતીય બંગાળી લેખક અને સામાજિક-રાજકીય કાર્યકર્તા (જ. ૧૯૨૬)

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો