ભૌતિક શાસ્ત્રમાં પદાર્થ પર થતી તે ક્રિયા કે જેને કારણે પદાર્થને પ્રવેગ મળે છે, એટલે કે વેગ બદલાય છે, તેને બળ કહેવાય છે. બીજા શબ્દોમાં બળને કારણે પદાર્થ પ્રવેગ પામે છે. આ સિદ્ધાંત સૌથી પહેલો આઇઝેક ન્યુટનના સિદ્ધાંતોમાં જોવા મળે છે. ન્યુટનનો બીજો નિયમ દર્શાવે છે કે:

F = m · a

જ્યાં,

F બળ,
m દળ, અને
a પ્રવેગ છે.