ભરત મુનિ ભારતીય રાજવી અને ૠષિ હતા. તેમના સમય મુદ્દે જુદા જુદા મતો પ્રવર્તે છે. ભારતીય નાટ્યશાસ્ત્રના મહાનગ્રંથ નાટ્યશાસ્ત્રની તેમણે રચના કરી હતી. નાટ્યકલા માટે આ ગ્રંથને આદિ ગ્રંથ માનવામાં આવે છે. તેમાં નાટ્ય, સંગીત, છંદ, અલંકાર વગેરેનું સાંગોપાંગ પ્રતિપાદન કરવામાં આવ્યું છે.