મછુન્દ્રી નદી

ભારત દેશ ની એક નદી

મછુન્દ્રી નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીરના જંગલમાંથી નીકળતી એક નદી છે.[૧] પૂર્વ ગીરના જંગલમાં રાજમલ તળેટીના જેનગરના ઉપરના ભાગેથી આ નદી નીકળે છે. હડાળા પાસેના ભગતના કુવેથી આ નદી નીકળે છે એવી પણ સ્થાનિક માન્યતા પ્રવર્તે છે. આ નદીની લંબાઇ આશરે ૬૦ કિલોમીટર જેટલી છે. ગીરના જંગલમાંથી પસાર થતી આ નદી ઉના તાલુકાના નવાબંદર ગામ પાસે અરબી સમુદ્રમાં મળી જાય છે.

મછુન્દ્રી નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
લંબાઇ૬૦ કિમી

ઉના તાલુકામાં આવેલા કોદિયા ગામ પાસે આ નદી ઉપર એક મોટો બંધ બાંધવામાં આવેલ છે, જેની સિંચાઈથી ઉના તાલુકાનાં ગામોને લાભ મળે છે. તેમ જ દ્રોણેશ્વર પાસે આ નદી ઉપર એક બંધ બાંધવામાં આવેલ છે, જે વર્ષો જૂનો છે. ઉના તાલુકાને મછુન્દ્રી નદી અને રાવલ નદી પરના બંધના પાણીનો લાભ મળે છે.

આ નદીને બંને કાંઠે ઘટાટોપ વનરાઈ, ઉંચી-નીચી ભેખડો, માલધારીઓ તથા સિંહો જોવા મળે છે. જંગલ વિસ્તારમાંથી પસાર થતી આ નદીના કાંઠે દ્રોણેશ્વર મહાદેવનું પુરાતન મંદિર આવેલ છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "મછુન્દ્રી નદી". guj-nwrws.gujarat.gov.in, Government of Gujarat. મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૦૪ ડિસેમ્બર ૨૦૧૫. Check date values in: |access-date= (મદદ)