મોર બની થનગાટ કરે

ઝવેરચંદ મેઘાણી નું એક જાણીતું ગુજરાતી ગીત

મોર બની થનગાટ કરે, મૂળે નવી વર્ષા, એક જાણીતું ગુજરાતી ગીત છે, જેનો અનુવાદ ૧૯૪૪માં ઝવેરચંદ મેઘાણીએ કર્યો હતો. તેને સંગીતબદ્ધ હેમુ ગઢવીએ કર્યું હતું. આ ગીત હકીકતમાં રવિન્દ્રનાથ ટાગોરે રચેલા નવવર્ષા શીર્ષક ધરાવતા બંગાળી ગીતનો આછો-પાતળો અનુવાદ (અનુસર્જન) છે.

મેઘાણીએ આ ગીત ૧૯૨૦ના વર્ષમાં ટાગોરના મુખે કલકત્તામાં સાંભળ્યું હતું અને ત્યારબાદ ટાગોરના મૃત્યુ (૧૯૪૧) પછી ૧૯૪૪માં તેનો અનુવાદ ગુજરાતી ભાષામાં કર્યો હતો. આ ગીત તેમના કાવ્યસંગ્રહ રવીન્દ્ર-વીણા (૧૯૪૪)માં પ્રકાશિત થયું હતું.[૧][૨] આ ગીત અન્ય કેટલાક ગાયકો જેમ કે ચેતન ગઢવી અને આશિત દેસાઈએ પણ ગાયું છે. આ ગીતનો ઉપયોગ વર્ષ ૨૦૧૩માં રજૂ થયેલ હિન્દી ફિલ્મ ગોલીયોં કી રાસલીલા રામ-લીલામાં શીર્ષક ગીત તરીકે કરવામાં આવ્યો હતો. જે સંજય લીલા ભણસાળી દ્વારા નિર્દેશિત હતી અને આ ગીતના ગાયક પ્રસિદ્ધ ગુજરાતી લોક ગાયક ઓસમાણ મીર હતા.[૩]

સંદર્ભ ફેરફાર કરો

  1. "Ram-Leela song Man mor bani thanghat kare: Original poet to get credit in film". bollywoodlife.com. મેળવેલ ૨૭ નવેમ્બર ૨૦૧૩.
  2. "JHAVERCHAND MEGHANI's LITERATURE". meghani.com. મેળવેલ 2017-07-21.
  3. "Kutchi voice adds colour to Bhansali's epic love story in Gujarat | Latest News & Updates at Daily News & Analysis". dna. ૧૦ ઓક્ટોબર ૨૦૧૩. મેળવેલ ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૭.