યમનોત્રી ઉત્તર ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું મહત્વનું યાત્રાધામ છે. આ ઉત્તર ભારતનાં પ્રખ્યાત ચારધામ પૈકીનું એક ધામ છે. યમનોત્રી ખાતે પવિત્ર યમુના નદીનું ઉદ્ગમસ્થાન આવેલું છે. યમનોત્રી હિમાલયની ગોદમાં આવેલું અત્યંત રમણીય સ્થળ છે. યમુનોત્રી ધામથી યમુના નદી નું ઉદભવ સ્થળ ખુબ સુંદર તથા મનમોહક લાગે છે.

અહીં જવા માટે ગંગા કિનારા પરના પવિત્ર યાત્રાસ્થળ હરિદ્વારથી વાહન વ્યવહાર ચાલે છે.

આ પણ જુઓ ફેરફાર કરો