રાજનાથ સિંહ

ભારતના રક્ષામંત્રી

રાજનાથસિંહ (audio speaker iconસાંભળો ) ‍(જન્મ ૧૦ જુલાઈ, ૧૯૫૧) એ ભારતના એક પ્રમુખ રાજનેતા છે. તેઓ લખનૌ સંસદીય ક્ષેત્રના સાંસદ છે તથા હાલમાં ભારતના રક્ષામંત્રી તરીકે કાર્યરત છે. આ પૂર્વે તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તેમજ વાજપેયી સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. ૨૦૦૫થી ૨૦૦૯ અને ૨૦૧૩થી ૨૦૧૪ સુધી બે વખત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. તેમણે કારકિર્દીની શરૂઆત ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે કરી હતી.

રાજનાથ સિંહ
રાજનાથ સિંહ, ફેબ્રુઆરી ૨૦૨૦.
રક્ષા મંત્રી, ભારત સરકાર
પદ પર
Assumed office
૩૧ મે ૨૦૧૯
પ્રધાન મંત્રીનરેન્દ્ર મોદી
પુરોગામીનિર્મલા સિતારમન
ગૃહ મંત્રી
પદ પર
૨૬ મે ૨૦૧૪ – ૩૦ મે ૨૦૧૯
પ્રધાન મંત્રીનરેન્દ્ર મોદી
પુરોગામીસુશીલકુમાર શિંદે
અનુગામીઅમિત શાહ
ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ
પદ પર
૨૩ જાન્યુઆરી ૨૦૧૩ – ૮ જુલાઈ ૨૦૧૪
પુરોગામીનિતીન ગડકરી
અનુગામીઅમિત શાહ
અંગત વિગતો
જન્મ (1951-07-10) 10 July 1951 (ઉંમર 72)
ચંદૌલી જિલ્લાના ભાભૌરા ઉત્તરપ્રદેશ, ભારત
રાજકીય પક્ષભારતીય જનતા પક્ષ
અન્ય રાજકીય
જોડાણો
ભારતીય જનસંઘ (૧૯૭૭ પહેલાં)
જીવનસાથીસાવિત્રી સિંઘ
સંતાનોત્રણ (પંકજ સિંઘ (રાજકારણી), નીરજ સિંઘ અને અનામિકા સિંઘ)
માતૃ શિક્ષણસંસ્થાદીનદયાલ ઉપાધ્યાય ગોરખપુર યુનિવર્સિટી
વેબસાઈટOfficial website

પ્રારંભિક જીવન ફેરફાર કરો

સિંહનો જન્મ ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લાના ભાભૌરા ગામના રાજપૂત પરિવારમાં થયો હતો.[૧] [૨] તેમના પિતા રામ બદન સિંહ હતા અને તેમની માતા ગુજરાતી દેવી હતા. ખેડૂત પરિવારમાં જન્મેલા સિંહે ગોરખપુર વિશ્વવિદ્યાલયમાંથી પ્રથમ શ્રેણીમાં ભૌતિક વિજ્ઞાનમાં અનુસ્તાતકની પદવી પ્રાપ્ત કરી. 13 વર્ષની ઉંમરથી (૧૯૬૪થી) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા છે તથા મિર્જાપુરમાં ભૌતિકશાસ્ત્રના અધ્યાપક તરીકે તેમના વ્યવસાય દરમિયાન પણ તેઓ સંઘ સાથે જોડાયેલા હતા. ૧૯૭૪માં ભારતીય જનતા પક્ષના પૂર્વગામી, ભારતીય જન સંઘના મિર્ઝાપુર એકમ માટે તેમને સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. [૩]

રાજકીય કારકિર્દી ફેરફાર કરો

૧૯૭૫માં ૨૪ વર્ષની ઉંમરે, સિંહને જન સંઘના જિલ્લા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૧૯૭૭માં તેઓ મિર્જાપુર વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ ૧૯૮૪માં ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ બન્યા, 1986 માં રાષ્ટ્રીય મહાસચિવ અને 1988 માં રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યાં. તેઓ ઉત્તર પ્રદેશ વિધાન પરિષદમાં પણ ચૂંટાયા હતા.[૩]

1991 માં ઉત્તર પ્રદેશ રાજ્યની પ્રથમ ભાજપ સરકારમાં શિક્ષણ પ્રધાન બન્યા. શિક્ષણ પ્રધાન તરીકેના તેમના કાર્યકાળની મુખ્ય વિશેષતાઓમાં નકલ વિરોધી અધિનિયમ (એન્ટીકોપિંગ એક્ટ), 1992 નો સમાવેશ થાય છે, જે નકલ માટે બિનજામીનપાત્ર ગુનાની સજા કરે છે, [૪] આ ઉપરાંત વિજ્ઞાન વિષયના આધુનિકરણ સહિત અભ્યાસક્રમમાં વૈદિક ગણિતનો સમાવેશ કર્યો. [૫] એપ્રિલ 1994 માં, તેઓ રાજ્યસભા (સંસદના ઉચ્ચ ગૃહ) માં ચૂંટાયા હતા અને તેઓ ઉદ્યોગ અંગેની સલાહકાર સમિતિ (1994-96), કૃષિ મંત્રાલય, વ્યાપાર સલાહકાર સમિતિ, હાઉસ સમિતિ અને કન્સલ્ટિવ કમિટિ માટે સલાહકાર સમિતિ, માનવ સંસાધન વિકાસ સમિતિમાં સામેલ થયા હતા. [૩] 25 માર્ચ, 1997 ના રોજ, તેઓ ઉત્તર પ્રદેશમાં ભાજપના એકમના અધ્યક્ષ બન્યા અને 1999 માં તેઓ સડક પરિવહન માટે કેન્દ્રીય કેબિનેટ પ્રધાન બન્યા. [૩] 2000 માં, તેઓ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા અને 2001 અને 2002 માં હૈદરગઢથી બે વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાયા. [૪] તેમણે ઓબીસી અને એસસી વચ્ચે સૌથી વધુ પાશ્વભાગ વર્ગ રજૂ કરીને સરકારી નોકરીઓમાં અનામત માળખાને બુદ્ધિગમ્ય બનાવવાનો પ્રયાસ કર્યો, જેથી આરક્ષણનો લાભ સમાજના નીચલા દરજ્જા સુધી પહોંચી શકે. [૬]

૨૦૦૩માં, સિંહને કૃષિ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને પાછળથી અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની એનડીએ સરકારમાં ફૂડ પ્રોસેસિંગ માટે અને ભારતના અર્થતંત્રના સૌથી અસ્થિર વિસ્તારોમાંના એકને જાળવવાના મુશ્કેલ કાર્યનો સામનો કરવો પડ્યો હતો. [૭] આ સમયગાળા દરમિયાન તેમણે કિસાન કૉલ સેન્ટર અને કૃષિ આય વીમા યોજના સહિતની મહત્વની પરિયોજનાઓ શરૂ કરી.[૮] તેમણે કૃષિ લોન પર વ્યાજ દરોમાં ઘટાડો કર્યો અને ખેડૂત આયોગની સ્થાપના કરી તથા ખેડૂત આવક વીમા યોજના શરૂ કરી. [૬]

૨૦૦૪ની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપે સત્તા ગુમાવ્યા પછી, તેમને વિપક્ષમાં બેસવાની ફરજ પડી હતી. ભારતીય જનતા પક્ષના અગ્રણી નેતા લાલ કૃષ્ણ અડવાણી ના રાજીનામાં અને વ્યૂહરચનાકાર પ્રમોદ મહાજનની હત્યા પછી સિંહે સૌથી મૂળભૂત હિંદુત્વ વિચારધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને પક્ષનું પુનર્નિર્માણ કરવાની માંગ કરી હતી.[૯] તેમણે કોઈ પણ કિંમતે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના સંદર્ભમાં "સમાધાન નહિં" ની જાહેરાત કરી[૯] અને વડા પ્રધાન તરીકે વાજપેયીના શાસનની પ્રશંસા કરી, અને ભારતના સામાન્ય લોકો માટે એનડીએ દ્વારા કરવામાં આવેલા તમામ વિકાસ તરફ ધ્યાન દોર્યું.[૧૦] તેમણે ભારતમાં અંગ્રેજી ભાષાની ભૂમિકાની આલોચના કરી, સાથે જ દાવો કર્યો કે તે સાંસ્કૃતિક મૂલ્યોનું ધોવાણ કરે છે.[૧૧]

31 ડિસેમ્બર, 2005 ના રોજ તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યાં, એ પદ પર તેઓ 19 ડિસેમ્બર, 2009 સુધી રહ્યાં. મે 2009 માં, તેઓ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.[૧૨]

24 જાન્યુઆરી 2013 ના રોજ ભ્રષ્ટાચારના આરોપોને કારણે નીતિન ગડકરીના રાજીનામા બાદ, સિંહ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ફરી ચૂંટાયા હતા.[૧૩]

 
સોનપુરના નવાગાંવમાં એક રેલીને સંબોધતા રાજનાથ સિંહ (૨૦૧૫)

તેમણે લખનૌ મતદારક્ષેત્રમાંથી 2014 ની લોકસભાની ચૂંટણી લડી હતી અને ત્યારબાદ સંસદના સભ્ય તરીકે ચૂંટાયા હતા.[૧૪]

ભારતનાં ગૃહમંત્રી ફેરફાર કરો

નરેન્દ્ર મોદી સરકારમાં તેમને કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે નિમવામાં આવ્યા હતા અને ૨૬ મે, ૨૦૧૪ના રોજ તેમણે શપથ લીધા હતા.[૧૫]

તેમણે ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ) ખાતે પોલીસે કરેલી કાર્યવાહીના વિરોધમાં દાવો કર્યો હતો કે "જે.એન.યુ. ઘટના" ને લશ્કર-એ-તોઇબાના પ્રમુખ હાફિઝ સઈદ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું, જેનાથી વિવાદ સર્જાયો હતો. [૧૬]

રક્ષામંત્રી ફેરફાર કરો

૧ જૂન ૨૦૧૯ના રોજ સિંહ ભારતના સંરક્ષણ મંત્રી બન્યા.[૧૭]

સંદર્ભ ફેરફાર કરો

  1. Singh, Ujjwal Kumar (2007-01-11). The State, Democracy and Anti-Terror Laws in India (અંગ્રેજીમાં). SAGE Publications India. ISBN 978-81-7829-955-6.
  2. "Rajnath Singh takes charge as Union Home Minister". The Economic Times. મેળવેલ 2020-10-20.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ "Profile: Rajnath Singh". Zee News. મૂળ માંથી 30 September 2007 પર સંગ્રહિત.
  4. ૪.૦ ૪.૧ "How Rajnath Singh rose through the ranks". Rediff.com. 31 January 2013
  5. "Who is Rajnath Singh? : India, News". India Today. 23 January 2013. મેળવેલ 28 January 2013.
  6. ૬.૦ ૬.૧ "Achievements". rajnathsingh.in
  7. "Courage, Mr Rajnath Singh". The Hindu. 11 June 2003.
  8. "Shri Rajnath Singh, MP (Ghaziabad)". wikimapia.org
  9. ૯.૦ ૯.૧ Ghatak, Lopamudra (23 December 2006). "It's basic instinct for Rajnath Singh". The Times of India. મૂળ માંથી 2012-11-06 પર સંગ્રહિત. મેળવેલ 2019-07-07.
  10. Rajnath Singh is new BJP President સંગ્રહિત ૧૧ માર્ચ ૨૦૧૪ ના રોજ વેબેક મશિન. indianewsdiary.com
  11. "BJP chief claims English bad for India, triggers outrage." The Times of India. 20 July 2013
  12. "Ministry of Home Affairs" (PDF). મૂળ (PDF) માંથી 2017-06-06 પર સંગ્રહિત.
  13. "Rajnath steps down, Gadkari takes over as BJP president". The Times of India. 19 December 2009. મૂળ માંથી 25 ઑક્ટોબર 2012 પર સંગ્રહિત. મેળવેલ 28 January 2013. Check date values in: |archive-date= (મદદ)
  14. "Rajnath Singh surpasses Vajpayee’s victory margin in Lucknow". The Hindu. 18 May 2014
  15. http://pmindia.gov.in/en/news_updates/portfolios-of-the-union-council-of-ministers-2/
  16. "Understand the reality… Lashkar chief Hafiz Saeed backed JNU incident: Home Minister Rajnath Singh". The Indian Express (અંગ્રેજીમાં). 2016-02-15. મેળવેલ 2020-10-20.
  17. "PM Modi allocates portfolios. Full list of new ministers", Live Mint, 31 May 2019, https://www.livemint.com/politics/news/pm-modi-allocates-portfolios-full-list-of-new-ministers-1559288502067.html 

બાહ્ય કડીઓ ફેરફાર કરો