રાજીવ ગાંધી

ભારતના સાતમા વડાપ્રધાન

રાજીવ ગાંધી ‍(૨૦ ઓગસ્ટ, ૧૯૪૪ - ૨૧ મે ૧૯૯૧) એક ભારતીય રાજકારણી હતા, જેમણે ૧૯૮૪થી ૧૯૮૯ સુધી ભારતના છઠ્ઠા વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. તેમના માતા, વડા પ્રધાન ઈન્દિરા ગાંધી, ૪૦ વર્ષની ઉંમરે સૌથી નાના ભારતીય વડાપ્રધાન બન્યા હતા. ગાંધી રાજકીય રીતે શક્તિશાળી નેહરુ-ગાંધી પરિવારનો હિસ્સો હતા, જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા હતા.

રાજીવ ગાંધી

ભારતના પૂર્વ વડાપ્રધાન, સાંસદ
રાજીવ ગાંધી, ૧૯૮૭
ભારતના ૬ઠ્ઠા વડાપ્રધાન
રાષ્ટ્રપતિઝૈલ સિંઘ
આર. વેંકટરામન
પુરોગામીઈન્દિરા ગાંધી
અનુગામીવી. પી. સિંઘ
પ્રમુખ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
પુરોગામીઈન્દિરા ગાંધી
અનુગામીપી. વી. નરસિમ્હારાવ
અંગત વિગતો
જન્મ
રાજીવ રતન ગાંધી

૨૦ ઓગસ્ટ ૧૯૪૪
બોમ્બે, બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત
(હવે, મુંબઇ, મહારાષ્ટ્ર, ભારત)
મૃત્યુ21 May 1991(1991-05-21) (ઉંમર 46)
તમિલનાડુ, ભારત
મૃત્યુનું કારણહત્યા
અંતિમ સ્થાનવીર ભૂમિ
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથી
સંતાનોરાહુલ ગાંધી
પ્રિયંકા ગાંધી
માતા-પિતાફિરોઝ ગાંધી
ઈન્દિરા ગાંધી
માતૃ શિક્ષણસંસ્થાટ્રિનિટ્રી કોલેજ, કેમ્બ્રિજ
ઇમ્પિરિયલ કોલેજ લંડન
ક્ષેત્ર
  • પાયલોટ
  • રાજકારણી
પુરસ્કારોભારત રત્ન (૧૯૯૧)
ઇન્દિરા ગાંધી, જવાહરલાલ નેહરુ, રાજીવ ગાંધી અને સંજય ગાંધી

તેમના મોટાભાગના બાળપણ દરમિયાન, તેમના દાદા જવાહરલાલ નેહરુ વડાપ્રધાન હતા. યુનાઈટેડ કિંગડમમાં તેમણે અભ્યાસ કર્યો હતો અને ૧૯૬૬માં તેઓ ભારત પરત ફર્યા હતા અને રાજ્યની માલિકીની ઇન્ડિયન એરલાઇન્સના વ્યાવસાયિક પાયલોટ બન્યા હતા. ૧૯૬૮માં તેમણે સોનિયા ગાંધી સાથે લગ્ન કર્યા; દંપતિ દિલ્હીમાં પોતાનાં બાળકો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડરા સાથે જીવનમાં સ્થાયી થયા હતા. ૧૯૭૦ના દાયકામાં, તેમના માતા ઈન્દિરા ગાંધી વડા પ્રધાન હતા અને તેમના ભાઇ સંજય ગાંધી (અગાઉ સંજય) સંસદ સભ્ય હતા; તેમ છતાં, રાજીવ ગાંધી રાજકારણથી દૂર રહ્યા હતા. ૧૯૮૦ના દાયકામાં વિમાન દુર્ઘટનામાં સંજયના અવસાન પછી, ગાંધીએ અનિચ્છાએ ઈન્દિરાજીના આદેશથી રાજકારણમાં પ્રવેશ કર્યો. તે પછીના વર્ષે તેમણે તેમના ભાઈની સંસદીય બેઠક અમેઠી જીતી હતી અને લોકસભાના સભ્ય બન્યા હતા. રાજીવને કોંગ્રેસ પક્ષના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતી અને ૧૯૮૨ એશિયાઇ રમતોત્સવના આયોજનમાંં નોંધપાત્ર જવાબદારી આપવામાં આવી હતી.

૩૧ ઑક્ટોબર ૧૯૮૪ની સવારે, તેમની માતાના બે અંગરક્ષકોએ તેમની માતાની હત્યા કરી હતી; તે દિવસે પાછળથી, ગાંધીને વડા પ્રધાન નિયુક્ત કરવામાં આવ્યા હતા. આગામી કેટલાક દિવસોમાં તેમના નેતૃત્વની તપાસ કરવામાં આવી હતી, કારણ કે સંગઠિત ટોળાઓએ શીખ સમુદાય વિરુદ્ધ રમખાણો કર્યા હતા, જેના પરિણામે દિલ્હીમાં રમખાણો થયા હતા. ડિસેમ્બરમાં, કૉંગ્રેસ પક્ષ માટે લગભગ રાષ્ટ્રવ્યાપી સહાનુભૂતિને કારણે પક્ષે અત્યાર સુધીના સૌથી મોટી લોકસભાની બહુમતી મેળવી ૫૪૨ બેઠકોમાંથી ૪૧૧ બેઠકો મળી હતી. રાજીવ ગાંધીના કાર્યકાળમાં વિવાદો પેદા થયા હતા જેમાં ભોપાલ ગેસ દુર્ઘટના અને શાહબાનો કેસનો સમાવેશ થાય છે. ૧૯૮૮માં તેમણે માલદીવ્સમાં બળવાને દબાવી દીધો હતો અને LTTE જેવા આતંકવાદી તમિલ જૂથોનો વિરોધ કર્યો હતો અને પછી ૧૯૮૭માં શ્રીલંકામાં શાંતિ સેના મોકલીને લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલમ (એલટીટીઈ) સાથે સંઘર્ષ ખોલવા તરફ દોરી ગયા હતા. ૧૯૮૭ના મધ્યમાં બોફોર્સ કૌભાંડમાં તેમની ભ્રષ્ટાચાર મુક્ત છબીને નુકસાન થયું હતું અને ૧૯૮૯ની ચૂંટણીમાં તેમના પક્ષને મોટી હાર જોવા મળી હતી.

૧૯૯૧ની ચૂંટણી સુધી રાજીવ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ રહ્યા હતા. જ્યારે તેઓ ચૂંટણીઓ માટે ઝુંબેશ ચલાવી રહ્યા હતા, ત્યારે તેમને એલટીટીઈ દ્વારા આત્મઘાતી બોમ્બર દ્વારા હત્યા કરવામાં આવી હતી. તેમની વિધવા સોનિયા ૧૯૯૮માં કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ બન્યા હતા અને ૨૦૦૪ અને ૨૦૦૯ની સંસદીય ચૂંટણીઓમાં પક્ષને વિજય અપાવ્યો હતો. તેમના પુત્ર રાહુલ સંસદ સભ્ય છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વર્તમાન પ્રમુખ છે. ૧૯૯૧માં ભારત સરકારે તેમને મરણોત્તર ભારત રત્ન, દેશના સર્વોચ્ચ નાગરિક પુસ્કાર એનાયત કર્યો હતો. ૨૦૦૯માં ઇન્ડિયા લીડરશિપ કોન્ક્લેવમાં રાજીવ ગાંધીને આધુનિક ભારતના ક્રાંતિકારી નેતા પુરસ્કાર મરણોત્તર આપવામાં આવ્યો હતો.[૧]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Special award bestowed on Rajiv Gandhi". The Hindu. 2009-09-27.