લીંબડી રજવાડું એ બ્રિટિશ રાજની કાઠિયાવાડ એજન્સી હેઠળ ૯ તોપની સલામી ધરાવતું રજવાડું હતું. તે સમયે લીંબડી પર ઝાલા વંશના શાસકોનો અધિકાર હતો.[૧] ૧૯૪૭માં ભારતને સ્વતંત્રતા મળતા અન્ય રજવાડાંની જેમ લીંબડી ભારત સંઘરાજ્યમાં ભળી ગયું હતું.

લીંબડી રજવાડું
લીંબડી રિયાસત
રજવાડું of બ્રિટિશ ભારત
આશરે ૧૫૦૦–૧૯૪૭
Coat of arms of લીંબડી
Coat of arms

લીંબડીનું સૌરાષ્ટ્રમાં સ્થાન
વિસ્તાર 
• ૧૯૩૧
632 km2 (244 sq mi)
વસ્તી 
• ૧૯૩૧
40688
ઇતિહાસ 
• સ્થાપના
આશરે ૧૫૦૦
• ભારતની સ્વતંત્રતા
૧૯૪૭
પછી
ભારત
Public Domain આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. Missing or empty |title= (મદદ)CS1 maint: ref=harv (link)

લીંબડીનો રજવાડી ઇતિહાસ ફેરફાર કરો

કાઠિયાવાડમાં રજવાડાઓના અસ્તિત્વના કાળખંડમાં લગભગ ૨૨૨ નાના અને મધ્યમ કદના રજવાડાંઓ હતાં. લીંબડી તેમાંનું એક રજવાડું હતું. ઈ.સ. ૧૭૬૮થી ૧૯૪૮ના કાળ દરમ્યાન હરીસિંહજી, ભોજરાજજી, હરભમજી, ફતેહસિંહજી, જશવંતસિંહજી, જટાશંકર એમ ઘણાં શાસકોએ લીંબડી પર રાજ કર્યું.

જશવંતજીના સમય દરમ્યાન સ્વામી વિવેકાનંદ તેમની સૌરાષ્ટ્રની મુલાકાત દરમ્યાન લીંબડી શહેરમાં આવ્યા હતાં. રાજ જશવંતજી તેમના મિત્ર બન્યા હતાં. ૪ મે ૧૮૯૨ થી ૨૮ મે ૧૮૯૨ દરમ્યાન તેઓ મહાબળેશ્વરમાં સાથે રહ્યાં હતાં. તેમની વચ્ચેની આધ્યાત્મીક ચર્ચાઓ રાજા જશવંતસિંહની રોજનીશીમાં વર્ણવાયેલા છે. એવું માનવામાં આવે છે કે વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા માટે રાજા જશવંતસિંહજીએ સ્વામી વિવેકાનંદને પ્રેરણા આપી હતી.

સર જશવંતસિંહ બાદ સર જટાશંકર લીંબડીની ગાદીએ આવ્યા. તેમણે પોતાના શાસન દરમ્યાન નવા મૂલ્યો અમલમાં લાવ્યાં. લોકોને શાસનના નીતિ નિયમોની જાણ થાય તેમાટે તેમણે ઈ.સ. ૧૯૦૯માં લીંબડી દરબારી ગેઝેટ પ્રસિદ્ધ કરાવવાની શરૂઆત કરી. લીંબડી રાજના સુવ્યવસ્થાપન માટે તેમણે "સુધારી" નામની સમિતિની પરંપરા ચાલુ કરી, આ સમિતિમાં કુલ ૩૦ સભ્યો હતાં, તેમાં ૧૮ સભ્યો જન સમુદાયના અને ૧૨ સભ્યો વ્યવસ્થાપન સમિતિના હતા. આ વ્યવસ્થા હેઠળ સ્વચ્છતા, સ્વાસ્થ્ય, અજ્ઞિ શમન, દીવા બત્તી આદિ જેવા સામાજિક ફાયદા જ્યારે જરૂરિયાત પડતી તે વખતે ઉપલબ્ધ કરાવવામાં આવતાં.

સૌરાષ્ટ્રમાં આમ તો ઘણાં રજવાડાં હતાં, પણ રસ્તા પર સૌપ્રથમ વિદ્યુત દીવા રાજા જટાશંકરના સમયમાં લીંબડી શહેરમાં મુકવામાં આવ્યાં હતાં. જટાશંકરના સમયમાં ખેતી અને ખેડૂતોની સ્થિતિ સુધારવા ઉપર સૌથી વધુ મહત્ત્વ આપાવામાં આવતું હતું. ભૂમિ સંપદાના વિકાસ માટે જરૂરિયાતમંદ લોકોને રાજા તરફથી ત્રણ વર્ષ માટે કોઈ પણ કર લીધા વિના જમીન ખેડવા દેવામાં આવતી હતી.

ઈ. સ. ૧૯૦૮માં 11,600,000 acres (47,000 km2) ખેતી હેઠળ હતી. જે ઈ.સ. ૧૯૩૫માં 18,100,000 acres (73,000 km2) સુધી પહોંચી હતી. ખેડૂતોના ઉત્થાન માટે લીંબડી સહકારી બેંક (લીંબડી કોઑપરેટીવ બેંક) ની સ્થાપના કરવામાં આવી હતી. ખેડૂતો માટે નવા નવા કાયદાઓ કાઢીને તેમને ધીરાણના બોજામાંથી મુક્તિ આપવામાં આવી હતી. તેના સમય દરમ્યાન વારંવાર દુકાળ પડતા હતાં આથી કપરી પરિસ્થિને પહોંચી વળવા રાજા હંમેશા ખેડૂતોને અન્ન અને ઘાસચારાનો સંગ્રહ કરીને મૂકવાની સલાહ આપતાં. આને કારણે ઈ.સ. ૧૯૧૨ પછી દુકાળને કારણે લીંબડી રાજને કોઈ મોટી અસર થઈ નહીં.

રાજા જટાશંકરના સમય દરમ્યાન અહીં કપાસનો વ્યાપાર અને જીનીંગ મિલોનો ખૂબ વિકાસ થયો. આ સિવાય સાબુ, કાંસુ, નીકલ પ્લેટીંગ, ચાકુ છુરી આદિના ઘણાં કારખાના અહીં ખોલવામાં આવ્યાં. લોકહિત માટે રાજાએ એ સમયે ૧૫થી ૨૦ હજારની આવકને ભોગે નશાબંદી દાખલ કરી હતી. દારૂના ઉત્પાદન અને વેચાણ પણ સખત પ્રતિબંધ હતો. આવા કામ કરનાર અપરાધીને ખૂબ ભોગવવું પડતું. ઈ.સ. ૧૯૧૨માં બાળ વિવાહ વિરૂદ્ધ કાયદો લાવવામાં આવ્યો. તે સિવાય ભિખ માગવા પર પણ પ્રતિબંધ હતો. લીંબડી રાજમાં કોઈ પણ ભૂખું ન સુવે તેની તકેદારી રખાતી. જન્મ પહેલાં અને મૃત્યુ પછીના કુરિવાજો પણ બંધ કરવામાં આવ્યા હતાં. શ્રાવણ માસમાં અને હોળીના તહેવાર પર પશુ બલિ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ઈસ. ૧૯૦૯માં રાજ્યમાંથી ગાયની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

પ્રાથમિક કક્ષાથી મેટ્રીક્યુલેશન સુધીનો અભ્યાસ મફતમાં અપાતો, તે છોકરાઓ માટે ફરજીયાત અને છોકરીઓ માટે મરજીયાત હતો. જો કોઈ છોકરી શાળામાં જાય તો તેને પુસ્તકો, દફતર, કપડા આદિ મફત આપવામાં આવતાં મુંબઈ સરકારના કેળવણી ખાતાના ઉપરી શ્રી. ડી. પરજયે સર જસવંત હાઈસ્કુલ ને દેશની ૧૦ સર્વોતકૃષ્ટ શાળામાં ગણી હતી. ઉચ્ચ અભાસ માટે વિદેશ જનારને સર્વ ખર્ચ મળે તેવી સર જટાશંકરે વ્યવસ્થા કરાવી હતી. આ કાર્ય માટે તે સમયના રૂ. ૨૦,૦૦૦ અલાયદા રખાયા હતા. આ રાજાએ માત્ર લીંબડીના જ નહીં પણ બહારની શાળા કોલેજના વિકાસ માટે પણ દાન આપ્યું હતું. રાજાએ બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયને રૂ. ૧ લાખનું દાન આપ્યું હતું.[૨] તે સિવાય રવિન્દ્રનાથ ટાગોરના શાંતિનીકેતનને પણ દાન આપ્યું હતું. તેમણે અમુક જ્ઞાતિ આધારિત છાત્રાવાસોને પણ દાન આપ્યું હતું. રાજાએ પાંચ હરતા-ફરતા પુસ્તકાલયો શરૂ કરાવ્યા હતાં.

આ રાજ્યમાં ક્રિકેટને ખૂબ મહત્ત્વ આપવામાં આવતું હતું. ઈ.સ. ૧૯૨૮માં ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેની એક મેચમાં ઘનશ્યામસિંહજી ભારતીય ક્રિકેટ ટીમના ઉપ કપ્તાન હતાં. સ્વાસ્થ્ય માટે લીંબડીમાં આઠ હોસ્પીટલો સ્થપાઈ હતી. વધુ અભ્યાસ અર્થે ડૉ. એ. ડી. પોપટને લીંબડી રાજે ઇંગ્લેન્ડ મોકલ્યા હતાં. ઈ.સ ૧૯૧૪માં લોકોની સહુલીયત માટે સ્ટેશન અને મહેલ વચ્ચે ટ્રામ સેવા ચાલુ કરવામાં આવી હતી. ઈ. સ. ૧૯૦૯માં વુડ હાઉસ વેજીટેબલ માર્કેટ અને સર્કીટા હાઉસ બાંધવામાં આવ્યું હતું. રેલ્વે સ્ટેશનની બાજુમાં બાળુબા ધર્મશાળા રૂ. ૮૦,૦૦૦ને ખર્ચે બાંધવામાં આવી હતી. ઈ. સ. ૧૯૩૬માં ભોગાવો નદી પર દોલતસિંહ પુલ બાંધવામાં આવ્યો જેનું ઉદ્ઘાટન વાઈસરૉય લોર્ડ વેલિંગ્ડને કર્યું હતું. તેમની પાસે એ બે સીટ વાળું વિમાન અને એક વિમાન પટ્ટી હતી. તેમને બ્રિટિશ સરકારનો KCIE એવોર્ડ (૧૯૨૧) અને KCS (૧૯૩૧) એવોર્ડ મળ્યો હતો.

ઈ.સ. ૧૯૩૮માં ૯૦ વર્ષની ઉંમરે પહોંચ્યા પછી દોલતસિંહજી રાજનીતિ છોડવાની શરૂઆત કરી. તે સમય દરમ્યાન ૨૪ ડિસેમ્બર ૧૯૩૮ના દિવસે લીંબડીના લોકોએ "પ્રજા મંડળ"ની સ્થાપના કરી જેથી આ મંડળ અને રાજા વચ્ચે સંઘર્ષ નિર્માણ થયો. ૧૯૩૯માં પ્રજા મંડળે એક અધિવેશન ભર્યું, આ વાત રાજાને ન ગમતાં તેમાં હુલ્લડ થયું હતું. તેમાં ઘણાં લોકોને ઈજા પહોંચી હતી. આથી લોકો હતાશ થઈને લીંબડીથી અન્ય શહેરોમાં સ્થળાંતર કરવા લાગ્યા. ઈ.સ. ૧૯૪૦માં દોલતસિંહજીના અવસાન પછી, દિગ્વીજયસિંહજી લીંબડીની ગાદીએ આવ્યાં પરંતુ માત્ર ૪ મહિને સત્તા પર રહ્યા બાદ તેમનું અવસાન થયું. ત્યાર બાદ છત્રપાલસિંહજી સત્તા પર આવ્યા. ભારતને સ્વતંત્રતા મળતા તેનું ભારતીય સંઘરાજ્યમાં વિલિની કરણ થયું. આજે પણ લીંબડીનો રાજ પરિવાર તેની પરંપરા નિભાવે છે અને લોકો તેમને માન આપે છે.

શાસકો ફેરફાર કરો

લીંબડીના શાસકને ઠાકોર સાહેબ કહેવાતા.[૩]

  • ૧૬.. - ૧૭.. : વેરીસળજી-૧ અદેરાજ
  • ૧૭.. - ૧૭.. : આસકરણજી-૩ વેરીસળજી
  • ૧૭.. - ૧૭.. : આદેરાજજી ૨ આસકરણજી
  • ૧૭.. - ૧૭.. : વેરીસળજી ૨ આદેરાજજી
  • ૧૭.. - ૧૭૮૬ : હરભાણજી ૧ વેરીસળજી (અ. ૧૭૮૬)
  • ૧૭૮૬ - ૧૮૨૫ : હરિસિંહજી હરભાણજી (અ. ૧૮૨૫)
  • ૧૮૨૫ - ૧૮૩૭ : ભોજરાજજી હરિસિંહજી (અ. ૧૮૩૭)
  • ૧૮૩૭ - ૮ જાન્યુ ૧૮૫૬ : હરભમજી ૨ હરિસિંહજી (અ. ૧૮૫૬)
  • ૮ જાન્યુ ૧૮૫૬ - ૩૦ જાન્યુ ૧૮૬૨ : ફતેહસિંહજી ભોજરાજજી (અ. ૧૮૬૨)
  • ૩૦ જાન્યુ ૧૮૬૨ - ૨૬ એપ્રિ ૧૯૦૭ : જસવંતસિંહજી ફત્તેહસિંહજી (જ. ૧૮૫૯ - અ. ૧૯૦૭) (૩૦ જૂન ૧૮૮૭ થી, સર જસવંતસિંહજી ફત્તેહસિંહજી)
  • ૩૦ જાન્યુ ૧૮૬૨ - ૧ ઑગ ૧૮૭૭ : રાણી શ્રી હરિબા કુંવરબા - સાહેબ (સ્ત્રી) - સગીર
  • ૨૬ એપ્રિલ ૧૯૦૭ - ૩૦ સપ્ટૅ ૧૯૪૦ : દોલતસિંહજી જસવંતસિંહજી (જ. ૧૮૬૮ - અ. ૧૯૪૦) (૧ જાન્યુ ૧૯૨૧ થી, સર દોલત જસવંતસિંહજી)
  • ૩૦ સપ્ટૅ ૧૯૪૦ - ૬ જાન્યુ ૧૯૪૧ : દિગ્વીજયસિંહજી દોલતસિંહજી (જ. ૧૮૯૬ - અ. ૧૯૪૧)
  • ૬ જાન્યુ ૧૯૪૧ - ૧૫ ઑગ ૧૯૪૭ : છત્રસાલસિંહજી દિગ્વીજયસિંહજી (જ. ૧૯૪૦)
  • ૬ ઑગ ૧૯૪૧ - ૧૫ ઑગ ૧૯૪૭ : .... - સગીર

સંદર્ભ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો