વસંત વિજય

કવિ કાન્તનું ખંડકાવ્ય

વસંત વિજય એ એક ખંડકાવ્ય છે. ભારતીય કવિ મણિશંકર રત્નજીભટ્ટ 'કાન્ત' (૧૮૬૭-૧૯૨૩) દ્વારા તેની રચના કરવામાં આવી હતી.

વસંત વિજય 
રચનાર: મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત'
મૂળ શીર્ષકવસંતવિજય
પ્રથમ પ્રકાશનપૂર્વાલાપ (૧૯૨૩)
દેશબ્રિટિશ રાજ
ભાષાગુજરાતી
સ્વરૂપખંડકાવ્ય
છંદવિવિધ સંસ્કૃત વ્રુત્ત

સારાંશ ફેરફાર કરો

વસંત વિજય ભારતીય પૌરાણિક મહાકાવ્ય મહાભારતમાં પાંચ પાંડવોના પિતા પાંડુના જીવન ખંડની એક ઘટનાને આવરે છે.[૧] વસંત વિજય મહાભારતના આદિ પર્વની એક ઘટનાને વિગતવાર વર્ણવે છે.[૨]

પાંડુ એક સમાગમ કરતા હરણને મારે છે, જેના માટે તેને તેવાજ મૃત્યુનો શ્રાપ આપવામાં આવે છે. પાંડુ બ્રહ્મચર્યનું પાલન કરીને શ્રાપમાંથી છુટકારો મેળવવાનો પ્રયત્ન કરે છે પરંતુ વસંતના ઊંડા પ્રભાવ હેઠળ, તે પોતાનું આત્મ-નિયંત્રણ ગુમાવે છે અને તેની પત્ની માદ્રી સાથે સંભોગ કરે છે. પરંતુ તેના જીવલેણ પરિણામને જાણનારી માદ્રી સંકોચ અનુભવે છે.[૧]

વસંત વિજયમાં, કાંત શાસ્ત્રીય, છાંદસ શૈલીમાં નાટકીય રીતે ઘટનાનું વર્ણન કરે છે. વસંતનો વિજય વાસનાનો વિજય અને માનવ દુર્દશાના ભાગ્યનું પ્રતીક છે.[૧]

પ્રતિભાવ ફેરફાર કરો

મનસુખલાલ ઝવેરીના જણાવ્યા મુજબ, વસંત વિજય, કાંતની અન્ય કવિતાઓ ચક્રવાક મિથુન અને દેવયાની સાથે, ગુજરાતીમાં ઉચ્ચ કાવ્યાત્મક શ્રેષ્ઠતાનું ધોરણ સ્થાપિત કરનાર ખંડકાવ્યની કળાનું એક નોંધપાત્ર ઉદાહરણ છે.[૩][૪] આ કવિતા તેની છંદરચના, તેમાંથી પરિણમતી ધ્વનિ અસર અને તેના ભાવનાત્મક ઊંડાણ માટે જાણીતી છે.[૨]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ George, K. M., સંપાદક (1997). Masterpieces of Indian Literature. 3. New Delhi: National Book Trust. પૃષ્ઠ 1694. ISBN 978-81-237-1978-8.
  2. ૨.૦ ૨.૧ શુક્લ, જયદેવ (1986). ખંદકાવ્ય. સાહિત્યસ્વરૂપ પરિચય શ્રેણી - ૭. અમદાવાદ: ચંદ્રમૌલી પ્રકાશન. પૃષ્ઠ 46–52. OCLC 15657273.
  3. ઝવેરી, મનસુખલાલ મગનલાલ (1978). History of Gujarati Literature. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 112. OCLC 639128528.
  4. Das, Sisir Kumar (2005). History of Indian Literature: 1800–1920, Western Impact: Indian Response. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 316. ISBN 978-81-7201-006-5.

બાહ્ય કડીઓ ફેરફાર કરો