શ્રીલંકાનો આંતરવિગ્રહ

શ્રીલંકાનો આંતરવિગ્રહએ શ્રીલંકાના ટાપુ પર લડાયેલો વિગ્રહ હતો. આ લડાઈનો પ્રારંભ જુલાઈ 23, 1983નાં રોજ થયો હતો અને તે સમયે લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલમ (એલટીટીઈ (LTTE), કે જે તમિલ ટાઈગર્સ તરીકે પણ ઓળખાય છે.) દ્વારા સરકારની વિરુદ્ધમાં સમયાંતરે વિદ્રોહ કરવામાં આવતો હતો. આ જૂથ એક અલગાવવાદી આક્રમણખોર સંગઠન હતું જે આ ટાપુની ઉત્તર-પૂર્વ દિશામાં તમિલ ઇલમ નામનું એક સ્વતંત્ર તમિલ રાજ્ય રચવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું. 30 વર્ષ ચાલેલા સૈન્ય અભિયાન બાદ, મે 2009માં શ્રીલંકાની સેનાએ તમિલ ટાઈગર્સને હાર આપી હતી.[૧] 25 વર્ષ સુધી વિદ્રોહ્રની પરિસ્થિતિને કારણે દેશના લોકો, પર્યાવરણ અને અર્થતંત્રને ભારે હાડમારીનો સામનો કરવો પડ્યો હતો, એક અંદાજ પ્રમાણે આ સમયગાળા દરમ્યાન આશરે 80,000-1,00,000 લોકો માર્યા ગયા હતા.[૧૫] લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલમએ જે રીત રસમો અપનાવી તેને કારણે યુનાઈટેડ સ્ટેટસ, ભારત, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુરોપીય સંઘના સંખ્યાબંધ સભ્ય રાષ્ટ્રો સહિતના 32 દેશોમાં તે ત્રાસવાદી સંગઠન તરીકે કુખ્યાત થઇ ગયું.

Sri Lankan Civil War

Sri Lanka is on an island off the coast of India
તિથિ July 23, 1983 – May 18, 2009[૧]
સ્થાન Sri Lanka
પરિણામ Sri Lankan government victory
ક્ષેત્રીય
બદલાવ
The LTTE had controlled most of the north of the country and half of the eastern coastline from 2002 to 2008. In 2009 all of the territory was recaptured by the government.
યોદ્ધા
Sri Lanka
Indian Peace Keeping Force (1987–90)
ચિત્ર:Tamil-tigers-flag.svg Liberation Tigers of Tamil Eelam
સેનાનાયક
શ્રીલંકા Junius Richard Jayawardene (1983–89)

ભારત Rajiv Gandhi (1987–89)  
ભારત V P Singh (1989–90)
શ્રીલંકા Ranasinghe Premadasa (1989–93) 
શ્રીલંકા Dingiri Banda Wijetunge (1993–94)
શ્રીલંકા Chandrika Kumaratunga (1994–2005)
શ્રીલંકા Mahinda Rajapaksa (2005–2009)

ચિત્ર:Tamil-tigers-flag.svg Velupillai Prabhakaran (1983-2009) 
શક્તિ/ક્ષમતા
શ્રીલંકા Sri Lanka Armed Forces:
95,000 (2001)
118,000 (2002)
158,000 (2003)
151,000 (2004)
111,000 (2005)
150,900 (2006)[૨]
ભારત Indian Peace Keeping Force:
100,000 (peak)
LTTE:
6,000 (2001)
6,000 (2002)
7,000 (2003)
7,000 (2004)
11,000 (2005)
8,000 (2006)
7,000 (2007)[૨][૩]
મૃત્યુ અને હાની
23,327+ killed
59,037+ wounded (Sri Lankan military and police)[૪][૫][૬][૭]
1,155 killed
(Indian Peace-Keeping Force)[૮]
27,639 Tigers killed[૯][૧૦][૧૧][૧૨][૧૩]
1,800 Tigers captured[૧૪]
80,000-100,000 killed overall (estimate)[૧૫]
May 16, 2009: Sri Lankan Government declared a military defeat of LTTE.[૧૬]
May 17, 2009: LTTE admit defeat by Sri Lankan Government.[૧૭]
May 19, 2009: Mahinda Rajapaksa officially declares civil war over in parliament.

બે દશક સુધી ચાલેલા યુદ્ધ અને શાંતિ મંત્રણાનાં ત્રણ નિષ્ફળ પ્રયત્નો તેમજ 1987થી 1990 દરમિયાન ભારતીય શાંતિરક્ષક દળના રૂપમાં ભારતીય સૈન્યનાં ઉપયોગ બાદ, 2001માં જ્યારે વાટાઘાટો કર્યા બાદ યુદ્ધ-વિરામની ઘોષણા કરવામાં આવી ત્યારે જ આ સંઘર્ષમાં કોઈ ટકાઉ સમજૂતી સંભવ બની હતી, 2002માં આંતરરાષ્ટ્રીય દરમિયાનગીરીથી યુદ્ધવિરામનાં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.[૧૮] જો કે, 2005ના આખરી ગાળામાં મર્યાદિત પ્રમાણમાં વિગ્રહ પુનઃ શરૂ થયો અને જ્યાં સુધી સરકારે જુલાઈ 2006માં એલટીટીઈની વિરુદ્ધમાં સંખ્યાબંધ મોટાં લશ્કરી હુમલાઓ કરવા શરૂ કર્યાં ત્યા સુધી વિગ્રહ વકરતો ગયો, સરકારનાં આ સૈન્ય અભિયાનને લીધે ટાપુનાં સમગ્ર પૂર્વીય પ્રદેશમાંથી એલટીટીઈનો સફાયો થઈ ગયો. ત્યારબાદ એલટીટીઈએ જાહેરાત કરી કે તેઓ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત કરવા માટે પોતાની સ્વાતંત્ર્ય ચળવળ પુનઃ શરૂ કરશે.[૧૯][૨૦][૨૧]

2007માં, સરકાર દેશના ઉત્તર ભાગમાં આક્રમણ કર્યું, અને એલટીટીઈએ આશરે 10,000 વખત યુદ્ધવિરામના કરારનો ભંગ કર્યો હોવાના આક્ષેપ સાથે 2 જુલાઈ, 2008ના રોજ યુદ્ધવિરામમાંથી પોતે ખસી ગયા હોવાની ઔપચારિક જાહેરાત કરી.[૨૨] ત્યારપછી, હથિયારોની દાણચોરી માટે વપરાતાં એલટીટીઈના સંખ્યાબંધ વિશાળ જહાજોના વિધ્વંસ,[૨૩] અને તમિલ ટાઈગર્સના નાણાકીય સ્રોતો ઉપર આંતરરાષ્ટ્રીય સ્તરે આવેલી તવાઈ તેવા સકારાત્મક પરિબળોને કારણે, અગાઉ તમિલ ટાઈગર્સના કબ્જામાં રહેલા સમગ્ર વિસ્તાર ઉપર સરકારે નિયંત્રણ મેળવ્યું, આ વિસ્તારોમાં ટાઈગર્સની વાસ્તવિક રાજધાની કિલિનોચ્ચી, મુખ્ય લશ્કરી થાણું મલાઈતિવુ અને સમગ્ર એ9 હાઈ-વે[૨૪]નો સમાવેશ થાય છે, આ કારણોસર એલટીટીઈએ આખરે 17 મે, 2009ના રોજ પરાજયનો સ્વીકાર કરવો પડ્યો.[૨૫] આ યુદ્ધના અંતને પગલે, શ્રીલંકાની સરકારે શ્રીલંકાને પોતાની ધરતી પરથી આતંકવાદને નેસ્તનાબુદ કરનાર આધુનિક વિશ્વના સૌપ્રથમ દેશ તરીકે વર્ણવ્યો.[૨૬][૨૭]

ઉદભવ અને વિકાસ ફેરફાર કરો

આધુનિક સંઘર્ષના મૂળ બ્રિટીશ રાજ સુધી લંબાય છે, જયારે આ દેશ સિલોન તરીકે ઓળખાતો હતો. 20મી સદીના પ્રારંભિકગાળામાં આ દેશમાં રાજકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરવાના ઉદ્દેશ સાથે સિંહાલી જાતિની રાષ્ટ્રવાદી રાજકીય ચળવળ શરૂ થઇ હતી, શાંત મંત્રણાઓ બાદ બ્રિટીશરોએ 1948મા આ દેશને આઝાદી આપી હતી. સ્વતંત્રતાબાદ જયારે દેશના સૌપ્રથમ બંધારણની રચના કરવાની ઘડી આવી ત્યારે તે સમયે સિંહાલી અને તમિલ જાતિ વચ્ચેના મતભેદો ભડકી ઉઠ્યાં.

1936માં સ્ટેટ કાઉન્સિલની ચૂંટણી બાદ, લંકા સામા સમાજા પાર્ટી (એલએસએસપી)ના સદસ્યો એન. એમ. પરેરા અને ફિલીપ ગુણવર્દનાએ સત્તાવાર ભાષા તરીકે અંગ્રેજીના સ્થાને સિંહાલી અને તમિલ ભાષાને રાખવાની માગ કરી. વર્ષ 1936ના નવેમ્બરમાં, સ્ટેટ કાઉન્સિલ દ્વારા 'આ ટાપુની નગરપાલિકા અને પોલીસ અદાલતોની કાર્યવાહી સ્થાનિક ભાષામાં હોવી જોઈએ' અને 'પોલીસ મથકોમાં કરાતી નોંધો સરકારે જણાવેલી ભાષામાં નોંધાવી જોઈએ' એવા પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યા અને તે કાયદા સચિવને સોંપવામાં આવ્યા. જો કે, 1944માં, જે. આર. જયવર્ધનેએ સ્ટેટ કાઉન્સિલમાં એવી રજૂઆત કરી કે સત્તાવાર ભાષા તરીકે અંગ્રેજીના સ્થાને સિંહાલીને રાખવી જોઈએ.[૨૮] 1956માં વડાપ્રધાન એસ. ડબલ્યુ. આર. ડી. ભંડારનાયકેએ સિંહાલા ઓન્લી એક્ટ પસાર કરતા જાતીય હિંસા ભડકી ઉઠી. આ આંતરવિગ્રહ એ ત્યારપછીના ભડકાઉ રાજકારણમાં વૃદ્ધિનું પ્રત્યક્ષ પરિણામ છે.[સંદર્ભ આપો]તમિલ યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ (ટીયુએલએફ)ની રચના અને તેના 1976ના વેડુકોટ્ડેઈ (વેટ્ટુકોટ્ટઈ) ઠરાવને કારણે આ મુદ્દો વધુ ઉગ્ર બન્યો.

1963માં, શ્રીલંકાની સરકાર દ્વારા ઓઈલ કંપનીઓના રાષ્ટ્રીયકરણના ટૂંક સમય બાદ જ, એક અલગ તમિલ રાજ્ય 'તમિલ ઈલમ' સાથે સંબંધિત દસ્તાવેજોનું વિતરણ થવું શરૂ થયું. આ સમયે, કોલમ્બોમાં બ્રિટીશ હાઈ કમિશનનાં એક કર્મચારી એન્ટન બાલાસિંઘમે અલગાવવાદી ગતિવિધિમાં ભાગ લેવાનું શરૂ કર્યું. બાદમાં તેણે બ્રિટન સ્થળાંતર કર્યું, જ્યાં તે લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમનો મુખ્ય વિચારક બન્યો. 1960ના દશકના આખરી ભાગમાં, ઘણાં તમિલ યુવાનોએ, જેમાં વેલુપિલ્લઈ પ્રભાકરન પણ હતો, પણ આ ગતિવિધિમાં ભાગ લેવાનું શરૂ કર્યું. આ તમામ દળોએ એકસાથે ભેગા થઈને 1972માં તમિલ ન્યૂ ટાઈગર્સની રચના કરી. આ સંગઠન પહેલી સદીના ચૌલ સામ્રાજ્યની વિચારસરણીની આસપાસ રહીને રચાયું હતું. આ સામ્રાજ્યનું પ્રતીક વાઘ હતો. આ ઉપરાંતની હિલચાલમાં, માન્ચેસ્ટર તથા લંડનમાં ઈલમ રિવોલ્યૂશનરી ઓર્ગેનાઈઝેશન ઓફ સ્ટુડન્ટ્સની રચના થઈ; જે આ પ્રદેશમાં ઈલમીસ્ટ ગતિવિધિની કરોડરજ્જુ સમાન બની ગયું, આ સંગઠન વસવાટ માટે આવતા લોકોના પાસપોર્ટ તથા રોજગારની વ્યવસ્થા કરતું તથા તેમની પાસેથી ભારે વેરો વસૂલતું. આ સંગઠન ઈલમવાદી લોજિસ્ટીકલ ઓર્ગેનાઈઝેશનનો આધાર બની હતી, તેને બાદમાં લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમે સંપૂર્ણપણે હસ્તગત કરી લીધી હતી.

ટીયુએલએફએ ટીએનટીના યુવાન આક્રમણખોરોનાં સશસ્ત્ર પગલાને ટેકો આપ્યો હતો અને તેમને "અમારા છોકરા" તરીકેનું બિરૂદ આપ્યું હતું. આ "છોકરા" યુદ્ધ બાદ વસતીમાં જે વધારો થાય તેની ફળશ્રુતિરૂપ હતા. ઘણાં થોડાઘણાં શિક્ષિત, બેરોજગાર તમિલ યુવાનોએ પોતાની સમસ્યાના ઉકેલ માટે ક્રાંતિકારી રીતો તરફ વળ્યાં. ડાબેરી પક્ષો લાંબા સમય સુધી "બિન-સાંપ્રદાયિક" રહ્યાં હતા, પરંતુ ફેડરલ પાર્ટી (તેમજ તેના ફણગાં સમાન ટીયુએલએફ), અત્યંત રૂઢિચુસ્ત હતી અને તેમાં વેલ્લાલા જાતિવાદનું વર્ચસ્વ હતું, તેણે ભાષાકીય અધિકારો માટેની પોતાની લડાઈમાં ડાબેરીઓ સાથે રહીને રાષ્ટ્રીય જોડાણની રચના કરવાનો પ્રયાસ કર્યો નહીં. જુલાઈ 1977માં યુએનપીને ચૂંટણીમાં જ્વલંત વિજય મળ્યો, તેને પગલે ટીયુએલએફ મુખ્ય વિરોધ પક્ષ બન્યો, જેણે કુલ મતોમાંથી આશરે છઠ્ઠાં ભાગના મત શ્રીલંકાના ભાગલાની વિચારધારાના આધારે જીત્યાં હતા.

1977ના ઓગસ્ટમાં, જુનિયસ રિચર્ડ જયવર્ધનેની નવી યુએનપી સરકારે બહુમતી સિંહાલી વિસ્તારોમાં રહેતા તમિલોની વિરુદ્ધ એક સુઆયોજિત કાર્યક્રમ સાથે ડાબેરીઓ ઉપર પોતાનો હુમલો ચાલુ રાખ્યો. ઓગસ્ટમાં, સરકારે કેવળ તમિલો દ્વારા માગવામાં આવેલા શિક્ષણના અધિકારોને જ મંજૂરી આપી.[૨૯] પરંતુ શ્રીલંકાનું વિભાજન કરીને તમિલ રાજ્યની રચના કરવાના પોતાના ચૂંટણી વાયદાને પૂરો કરવામાં નિષ્ફળ સાબિત થયેલી તમિલ નેતાગીરી હવે તમિલ આક્રમણખોરો ઉપર પોતે જે નિયંત્રણ ધરાવતી હતી તે ગુમાવી રહી હતી.[સંદર્ભ આપો]

આંતરવિગ્રહમાં ભડકો ફેરફાર કરો

શ્રીલંકામાં ચાલી રહેલી સંઘર્ષની રાજનીતિને પગલે, ઉત્તર અને પૂર્વનાં તમિલ યુવાનોએ આક્રમણવાદી જૂથોની રચના કરવાનું શરૂ કર્યું. આ જૂથોએ સ્વતંત્ર ધોરણે કોલમ્બો તમિલ નેતાગીરી વિકસાવી. આ પૈકીનું સૌથી જાણીતું જૂથ હતું ટીએનટી, જેણે બાદમાં 1976માં પોતાનું નામ બદલીને લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ અથવા એલટીટીઈ કર્યું. પ્રારંભિક ગાળામાં, એલટીટીઈએ રાજ્ય વિરૂદ્ધ હિંસાત્મક અભિયાન હાથ ધર્યું, જેમાં ખાસ કરીને પોલીસના માણસોને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા. આ ઉરાંત તેણે ઉદારમતવાદી તમિલ રાજકારણીઓનો પણ ઉપયોગ કર્યો જેમણે સરકાર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો. 1975માં પ્રભાકરન દ્વારા જાફનાનાં મેયર આલ્ફ્રેડ દુરાઈઅપ્પાહની હત્યા એ એલટીટીઈની સૌપ્રથમ મોટી કામગીરી હતી. પ્રારંભિક વિગ્રહમાં એલટીટીઈની કામ કરવાની રીત હત્યાઓ ઉપર આધારિત રહી હતી. 1977માં ખુદ એલટીટીઈના આગેવાન પ્રભાકરન દ્વારા તમિલ સાંસદ એમ. કેનેગારત્નમની હત્યા કરવામાં આવી.[૩૦]

જુલાઈ 1983માં, દેશની ઉત્તરમાં રહેલા લશ્કર ઉપર એલટીટીઈએ જાનલેવા હુમલો કરીને 13 સૈનિકોને મારી નાખ્યાં.[૩૧] પોતાના લાભ માટે રાષ્ટ્રવાદી લાગણીઓનો ઉપયોગ કરીને, જયવર્ધનેએ દેશની રાજધાની કોલમ્બો તથા અન્ય જગ્યાઓએ (જુઓ બ્લેક જુલાઈ) સામુહિક હત્યાઓ અને કતલની ગોઠવણ કરી - અલબત્ત દેશના ગ્રામીણ વિસ્તારોમાં સંખ્યાબંધ કતલો નોંધાઈ હતી, જે એલટીટીઈના હુમલા પૂર્વે થઈ હતી.[સંદર્ભ આપો] 400થી 3,000 વચ્ચેની સંખ્યામાં તમિલો માર્યા ગયા હોય તેવો અંદાજ છે,[૩૨] તથા ઘણાં લોકો સિંહાલી-બહુમતી વિસ્તારોમાંથી નાસી ગયા હતા. સામાન્ય રીતે આ તબક્કાને આંતરવિગ્રહની શરૂઆત માનવામાં આવે છે.

પ્રારંભમાં એલટીટીઈ ઉપરાંત, સંખ્યાબંધ આક્રમણવાદી જૂથો હતા. એલટીટીઈનો અભિપ્રાય એવો હતો કે સંખ્યાબંધ જૂથોને બદલે એક જ જૂથ હોવું જોઈએ, તેનો ખ્યાલ પીએલઓ પરથી આવ્યો હતો. પ્રારંભમાં એલટીટીઈએ 1984ના કેન્ટ અને ડૉલર ફાર્મ્સ ખાતે નાગરિકોના હત્યાકાંડ અને 1985ના અનુરાધાપુરા ખાતે 146 નાગરિકોની હત્યા જેવા વિનાશક હુમલાઓને લીધે વર્ચસ્વ હાંસલ કર્યું હતું. કુમુદિની બોટ હત્યાકાંડ કે જેમાં 23 તમિલ નાગરિકો માર્યા ગયા હતા તે ઘટનાનો સરકારી દળો સામે દેખીતો બદલો લેવા માટે અનુરાધાપુરા હત્યાકાંડ કરવામાં આવ્યો હતો. સમય સાથે એલટીટીઈએ અન્ય લગભગ તમામ આક્રમણવાદી તમિલ જૂથોને પોતાની સાથે ભેળવી દીધા અથવા તો તેઓ મહદઅંશે નાશ પામ્યાં. આના પરિણામસ્વરૂપે, ઘણાં તમિલ જૂથો-નાના પક્ષોએ શ્રીલંકાની સરકાર સાથે અર્ધલશ્કરી દળો તરીકે કામ કરવાનું બંધ કર્યું અથવા તો હિંસાનો અસ્વીકાર કરીને રાજકારણની મુખ્ય ધારામાં ભળી ગયા, અને એવાં કેટલીક તમિલ-કેન્દ્રી રાજકીય પક્ષો પણ રહ્યાં કે જેમણે સ્વતંત્ર રાજ્યની એલટીટીઈની કલ્પનાનો વિરોધ કર્યો. એલટીટીઈ અને સરકાર વચ્ચેની શાંતિ મંત્રણાનો 1985માં થિમ્પુમાં પ્રારંભ થયો, પરંતુ તે ટૂંક સમયમાં જ નિષ્ફળ નીવડી, અને વિગ્રહ યથાવત રહ્યો. 1986માં આ વિગ્રહના ભાગરૂપે ઘણાં નાગરિકોની હત્યા કરવામાં આવી. 1987માં, સરકારના દળોએ એલટીટીઈના લડવૈયાઓને ઉત્તરીય શહેર જાફના સુધી ધકેલી દીધા. એપ્રિલ 1987માં, સરકારી દળો અને એલટીટીઈના લડવૈયાઓ વચ્ચેનાં સંઘર્ષે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને બન્ને પક્ષો શ્રેણીબદ્ધ વખત લોહિયાળ સંઘર્ષમાં ઉતર્યાં.

એલટીટીઈના આધિપત્ય હેઠળ રહેલા જાફના દ્વીપકલ્પના પ્રદેશને પુનઃ પ્રાપ્ત કરવા માટે મે-જૂન 1987માં શ્રીલંકાના સૈન્યએ "ઓપરેશન લિબરેશન" અથવા "વદામરાચ્ચી ઓપરેશન" તરીકે ઓળખાતા આક્રમણનો પ્રારંભ કર્યો. આ આક્રમણ એ સ્વતંત્રતા મેળવ્યા બાદ શ્રીલંકાની ધરતી ઉપર શ્રીલંકાના સૈન્યએ લડેલી સર્વપ્રથમ પરંપરાગત યુદ્ધ હતું. આ સૈન્ય આક્રમણ સફળ રહ્યું હતું અને વલ્વેટ્ટીથુરાઈ ખાતે એલટીટીઈના નેતા પ્રભાકરન તેમજ સી ટાઈગરના નેતા સૂસાઈ આગળ વધતા દળોના હાથમાંથી માંડ માંડ બચ્યાં હતા. આ ઓપરેશનમાં સામેલ થયેલા મુખ્ય લશ્કરી અધિકારીઓમાં લેફ્ટનન્ટ કર્નલ વિપુલ બોતેજુ, લેફ્ટનન્ટ કર્નલ સરથ જયવર્ધને, કર્નલ વિજયા વિમલરત્ને, બ્રિગેડિયર ડેન્ઝિલ કોબેકદુવા અને મેજર ગોતબ્ય રાજપક્ષાનો સમાવેશ થાય છે.

જુલાઈ 1987માં, એલટીટીઈએ સૌપ્રથમવાર આત્મઘાતી હુમલો કર્યોઃ બ્લેક ટાઈગર્સના "કેપ્ટન મિલરે" વિસ્ફોટકો ભરેલી એક નાની ટ્રક હંકારીને કિલ્લેબંધી ધરાવતા શ્રીલંકાન સૈન્યના કેમ્પની દિવાલમાં ઘુસાડી દીધી, આ ઘટનામાં ચાલીસ સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ હતા. ત્યારપછી તેમણે આશરે 170 આત્મઘાતી હુમલા કર્યાં, જે વિશ્વભરમાં અન્ય કોઈ પણ સંગઠને કરેલા આત્મઘાતી હુમલાની તુલનાએ વધારે છે, તેમજ આત્મઘાતી હુમલાઓ એલટીટીઈનો ટ્રેડમાર્ક અને આંતરવિગ્રહનું લક્ષણ બની ગયા.[૩૩] માનવ અધિકાર કાર્યકર્તા ફાધર મેરી બેસ્ટિયન અને જ્યોર્જ જયરાજાસિંઘમની હત્યા સરકારી દળોને કારણે થઈ હતી. આ સમયગાળા દરમિયાન થયેલી સેંકડો હત્યાઓના નમૂનારૂપ આ હત્યાઓ હતી.[૩૪]

ભારતની સંડોવણી ફેરફાર કરો

ભારતના નેતાઓ ભારતને આ પ્રદેશમાં પ્રાદેશિક તાકાત તરીકે રજૂ કરવાની આકાંક્ષા ધરાવતા હતા, તથા તેમને એ ડર પણ હતો કે ક્યાંક ભારતના તમિલો પણ સ્વતંત્રતાની માગ ન ઉઠાવે, આ કારણોસર 1980ના દશકમાં ભારતે આ વિગ્રહમાં ઝૂકાવ્યું. ભારતના રાજ્ય તમિલનાડુમાં ખાસ કરીને આ પ્રકારની માગ મજબૂત હતી, જ્યાં જાતિય સમાનતાને કારણે શ્રીલંકાના તમિલોને સ્વતંત્રતા માટે મજબૂત આધાર મળ્યો હતો. આ સંઘર્ષ દરમિયાન, ભારતની કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ બન્ને પક્ષે ભિન્ન રીતે ટેકો આપ્યો. 1980ના દશકના પ્રારંભમાં, ભારતે પોતાની ગુપ્તચર સંસ્થા રૉ મારફત એલટીટીઈ અને તેની પ્રતિસ્પર્ધી તમિલ ઈલમ લિબરેશન ઓર્ગેનાઈઝેશન (ટીઈએલઓ) સહિતના શ્રીલંકાના સંખ્યાબંધ આતંકવાદી જૂથોને હથિયારો, તાલીમ અને નાણાકીય ટેકો આપ્યો.[સંદર્ભ આપો] એલટીટીઈનો વિકાસ રૉ પાસેથી તેને મળેલી પ્રારંભિક સહાયને લીધે થયો. એવું માનવામાં આવે છે કે વિવિધ આતંકવાદી જૂથોને ટેકો આપીને, ભારતની સરકાર, તમિલ સ્વતંત્રતા ચળવળ વિભાજિત રહેશે તથા તેમના ઉપર પોતે સીધો કાબુ રાખી શકશે, એવી આશા સેવતી હતી.[૩૫]

1980ના દશકના આખરી ભાગમાં ભારતે આ વિગ્રહમાં વધુ સક્રિય ભાગ લીધો, અને 5 જુલાઈ, 1987ના રોજ, ભારતીય વાયુ દળે જાફનામાં હવામાંથી ખોરાકના પાર્સલ ફેંક્યાં, તે સમયે આ વિસ્તાર શ્રીલંકાના દળોના કબ્જા હેઠળ હતો. શ્રીલંકાની સરકારે એવું જણાવ્યું કે તેઓ એલટીટીઈને મ્હાત આપવાની નજીક છે તે સમયે, ભારતે એલટીટીઈના આધિપત્ય હેઠળના વિસ્તારોમાં પેરાશુટ દ્વારા 25 ટન ખોરાક અને દવા ઉતારી અને બળવાખોરોને પ્રત્યક્ષપણે ટેકો આપ્યો.[૩૬] વાટાઘાટો યોજાઈ, અને 29 જુલાઈ, 1987ના રોજ ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી તથા શ્રીલંકાના પ્રમુખ જયવર્ધને દ્વારા ભારત-શ્રીલંકા શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ સમજૂતી હેઠળ, શ્રીલંકાની સરકારે પ્રાંતોને સત્તા સોંપણી, બાદમાં જનમત લેવાની શરતે ઉત્તરીય અને પૂર્વીય પ્રાંતોનો એક જ પ્રાંતમાં સમન્વય અને તમિલ ભાષાને આધિકારિક દરજ્જા (શ્રીલંકાના બંધારણમાં 13મા સુધારા દ્વારા આ જોગવાઈને કાયદાનું સ્વરૂપ અપાયું હતું)સહિતની તમિલોની વિવિધ માંગણીઓ સામે સંખ્યાબંધ છૂટછાટ આપી હતી. ભારત શ્રીલંકાના ઉત્તર તથા પૂર્વ વિસ્તારમાં ભારતીય શાંતિ રક્ષક દળ (આઈપીકેએફ) તરીકે ઓળખાતા દળ દ્વારા વ્યવસ્થા સ્થાપિત કરવા તથા તમિલ બળવાખોરોને સહાય કરવાનું બંધ કરવા સંમત થયું. એલટીટીઈ સહિતના આતંકવાદી જૂથો, અલબત્ત પ્રારંભમાં અનિચ્છા હોવા છતાં, આઈપીકેએફ (IPKF) સામે પોતાના હથિયારો મૂકવા સંમત થયા, જેને કારણે પ્રારંભમાં યુદ્ધવિરામ થયો અને આતંકવાદી જૂથોમાં સામાન્ય નિઃશસ્ત્રીકરણ જોવા મળ્યું.

ભારત-શ્રીલંકા સમજૂતિ પર હસ્તાક્ષર થયા પછી તરત જ જે. આર. જયવર્ધનેએ એવી ઘોષણા કરી કે તેઓ છેલ્લી બુલેટ સુધી ભારતીયો સામે લડશે. આના લીધે દક્ષિણમાં અશાંતિ ઊભી થઈ. શ્રીલંકાના ઉત્તરના મોટાભાગના વિસ્તારોમાં નિયંત્રણ હાથમાં લેવા માટે આઈપીકેએફનું આગમન થતાં શ્રીલંકાની સરકારે વિરોધને કચડી નાખવા માટે પોતાના દળો દક્ષિણમાં (ભારતના વિમાનોમાં) ખસેડ્યાં. આને લીધે દક્ષિણમાં જનાથા વિમુક્થિ પેરામુના દ્વારા બળવો થયો, જેને આગામી બે વર્ષમાં લોહિયાળ ઢબે દાબી દેવામાં આવ્યો હતો.

મોટાભાગના તમિલ આતંકવાદી જૂથો પોતાના હથિયારો હેઠા મૂકી દેવા તથા સંઘર્ષનો શાંતિજનક ઉકેલ શોધવા સંમત થયા, તે સમયે એલટીટીઈએ પોતાના લડવૈયાઓને શસ્ત્રવિહીન કરવાની ના પાડી દીધી.[૩૭] સમજૂતીની સફળતા સુનિશ્ચિત કરવા માટે આતુર બનેલી, આઈપીકેએફે (IPKF) બળ દ્વારા એલટીટીઈ (LTTE) ને વિખેરી નાખવાનો પ્રયાસ કર્યો અને આખરે તેમની સાથે પૂર્ણ-સ્વરૂપના સંઘર્ષમાં ઉતરી. આ ત્રણ વર્ષના સંઘર્ષ દરમિયાન ઘણાં માનવ અધિકાર જૂથો તેમજ કેટલાક ભારતીય માધ્યમોએ આઈપીકેએફ પર માનવ અધિકારોનો વિવિધ પ્રકારે ભંગ કરાતો હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો. ટૂંક સમયમાં જ તમિલોએ પણ આઈપીકેએફ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો.[૩૮][૩૯] તેની સાથે સાથે જ, રાષ્ટ્રવાદી લાગણીએ ઘણાં સિંહાલીઓને શ્રીલંકામાં ભારતની ઉપસ્થિતિ ચાલુ રહેવાની સામે વિરોધ નોંધાવવા પ્રેર્યા. આના પરિણામે શ્રીલંકાની સરકારે ભારતને આ દ્વીપમાંથી ચાલ્યા જવા જણાવ્યું, અને તેણે કથિતરૂપે એલટીટીઈ સાથે એક ગુપ્ત સંધિ કરી જેના લીધે યુદ્ધવિરામ થયો. એલટીટીઈ અને આઈપીકેએફની વચ્ચેનો વારંવારનો સંઘર્ષ ચાલુ રહ્યો, અને કેટલાક અહેવાલો અનુસાર, ભારતના દળો પાછા ચાલ્યા જાય તે માટે ખુદ શ્રીલંકાની સરકારે જ બળવાખોરોને શસ્ત્રો પૂરા પાડ્યાં.[૪૦] આઈપીકેએફમાં જાનહાનિનો આંક ઊંચો હોવા છતાં અને બન્ને પક્ષે આઇપીકેએફને પાછી ખેંચવાના પોકારો ઉઠવા છતાં, ગાંધીએ શ્રીલંકામાંથી આઇપીકેએફને હટાવવાનો ઇનકાર કરી દીધો. જો કે, ડિસેમ્બર 1989માં ભારતીય સંસદની ચુંટણીમાં તેમની હારને પગલે, નવા વડા પ્રધાન વી. પી. સિંહે આઇપીકેએફને પાછી ખેંચવાના આદેશ આપ્યા, 24 માર્ચ, 1990ના રોજ શ્રીલંકાથી આઇપીકેએફનું છેલ્લું જહાજ રવાના થયું. શ્રીલંકામાં 32 મહિના સુધી આઇપીકેએફની ઉપસ્થિતિ દરમિયાન 1,100 ભારતીય સૈનિકો અને આશરે 5,000 શ્રીલંકાવાસીઓ માર્યા ગયા. ભારત સરકારને આશરે રૂ. 20 અબજનો ખર્ચ થયો હોવાનો અંદાજ છે.[સંદર્ભ આપો]

રાજીવ ગાંધીની હત્યા ફેરફાર કરો

1991માં ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની આત્મઘાતી બૉમ્બર થેનમુલી રાજારત્નમે હત્યા કરતાં, ભારત દ્વારા એલટીટીઈને અપાતા ટેકાના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો. ત્યારપછીના ભારતીય માધ્યમોના અહેવાલોમાં જણાવવામાં આવ્યા અનુસાર પ્રભાકરને રાજીવ ગાંધીનો ખેલ ખતમ કરવાનો નિર્ણય કર્યો હતો કારણ કે તે ગાંધીને તમિલ સ્વાતંત્ર્ય સંઘર્ષનો વિરોધી માનતો હતો અને તેને એવો ડર હતો કે જો રાજીવ ગાંધી 1991ની ચૂંટણી જીતી જશે તો તે આઇપીકેએફને ફરી મોકલી શકે છે. પ્રભાકરને આઇપીકેએફને "શેતાની દળ" ગણાવ્યું હતું.[૪૧] 1998માં, ખાસ જજ વી. નવનીથમની અદાલતે એવું તારણ કાઢ્યું કે એલટીટીઇ અને તેનો નેતા વેલુપિલ્લઈ પ્રભાકરન આ હત્યા માટે જવાબદાર છે.[૪૨] 2006માં એક મુલાકાતમાં, એલટીટીઈનાં વિચારક એન્ટન બાલાસિંઘમે આ હત્યા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો, અલબત્ત તેમણે આ માટે કોઈ સીધી જવાબદારી સ્વીકારી નહોતી.[૪૩][૪૪] શ્રીલંકામાં ચાલી રહેલી શાંતિ પ્રક્રિયાનું ભારત બાહ્ય નિરીક્ષક બની રહ્યું છે. ઘણા જૂથોએ વારંવાર વેલુપિલ્લઈ પ્રભાકરનનાં પ્રત્યાર્પણની માગ પણ ઉઠાવી. પ્રભાકરન હવે મૃત્યુ પામ્યો છે.[૪૫]

તમિલોનો ટેકો ફેરફાર કરો

2008માં, ભારતની મિશ્ર કેન્દ્ર સરકાર તમિલ રાષ્ટ્રવાદ પર આધારિત પડકારો, રાજીનામાઓ અને ધરપકડો વડે હચમચી ઉઠી, અને તેથી શ્રીલંકાના તમિલોને ટેકો આપ્યો. તમિલ-તરફી ડીએમકે પાર્ટી રાજ્ય અને કેન્દ્રમાં સત્તામાં આવતા, એવું માનવામાં આવતું હતું કે ભારત તરફથી તમિલોને વધુ રાજકીય ટેકો મળશે. 2008માં, આ પક્ષનાં વડા અને તમિલનાડુના મુખ્યપ્રધાન કરુણાનિધિએ શ્રીલંકાના સંઘર્ષમાં તમિલ નાગરિકોની જાનહાનિનાં વધતા જતા આંક સામે પોતાનાં પક્ષના વિરોધસ્વરૂપે પોતાના ઘણાં સાંસદોના રાજીનામાંનો સ્વીકાર કર્યો હતો. ત્યારપછી, એમડીએમકેના સ્થાપક અને મહાસચિવ વેઈકોની રાષ્ટ્રદ્રોહના આરોપસર ધરપકડ કરવામાં આવી કેમ કે તેમણે એવું કહ્યું હતું કે તમિલોના પક્ષે રહીને લડવા માટે પોતે હથિયારો ઉઠાવશે. તેમણે શ્રીલંકાના તમિલોની હત્યા કરવામાં શ્રીલંકાની સરકારને મદદગારી કરવાનો ભારત સરકાર ઉપર આરોપ મૂક્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો ભારત શ્રીલંકા સામે આર્થિક પ્રતિબંધો લાદે તો શ્રીલંકાએ યુદ્ધવિરામની વિનંતી ધ્યાનમાં લેવી પડે.[૪૬]એક જવલ્લે જ જોવા મળતી એકતાના પ્રદર્શનમાં, તમિલનાડુ વિધાનસભાના તમામ પક્ષોએ સર્વસંમતિથી આ સંઘર્ષનો યુદ્ધવિરામ કરાવવાની માગ કરી, જ્યારે કેન્દ્ર સરકારને એવી અપીલ કરી કે તે શ્રીલંકાના સૈન્ય આક્રમણને રોકવાનો પ્રયાસ કરે.

એક દશક કરતા પણ વધુ સમય સુધી આ મુદ્દે દૂરી જાળવી રાખનારા કૉંગ્રેસ પક્ષે જણાવ્યું કે યુદ્ધવિરામની આવશ્યક્તાના મુદ્દે બે મત હોઈ શકે નહિ. પક્ષનાં સ્થાનિક નેતા ડી સુદર્શનમે જણાવ્યું કે આ યુદ્ધને અટકાવવા માટે કેન્દ્ર પ્રયાસ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં જ પરિણામો જાણવા મળશે. કૉંગ્રેસના વ્હિપ પીટર આલ્ફોન્સે પોતાનો પક્ષ શ્રીલંકાના તમિલોના હિતોની વિરુદ્ધમાં કામગીરી કરી રહ્યો હોવાનો ઈનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ શ્રીલંકાના તમિલોના કલ્યાણ માટે કૉંગ્રેસ પક્ષે કરેલા પ્રયાસોનું વર્ણન કરવા તૈયાર છે. વિરોધપક્ષનાં ઉપ-નેતા અને એઆઈએડીએમકેનાં વરિષ્ઠ નેતા, ઓ. પનીરસેલ્વમે એવો આક્ષેપ મૂક્યો હતો કે શ્રીલંકાની સરકારનો "હઠીલો અભિગમ" આ યુદ્ધ ચાલુ રહેવા પાછળનું કારણ હતું. તેમણે ઉમેર્યું હતું કે શ્રીલંકાનું સૈન્ય શાળાઓ અને જાહેર સ્થળોએ બોમ્બ વરસાવી રહી છે જેના કારણે બાળકો સહિત નિર્દોષ લોકોના મોત નીપજ્યાં છે. આ ટાપુના એક નાના ભાગમાં ધકેલાઈ ગયેલી એલટીટીઈએ પોતાની નેતાગીરીને નેસ્તનાબૂદ થવામાંથી બચાવી લેવા માટે ભારતના તમિલ પક્ષોને ગંભીર આજીજી કરી, જેના પરિણામે ભારતના ઘણાં તમિલ રાજકારણીઓએ શ્રીલંકાની સરકારને તાત્કાલિક યુદ્ધવિરામ જાહેર કરવા માટે વિનંતી કરી.[૪૭]

એલમ યુદ્ધ-2 ફેરફાર કરો

તમિલ સમુદાયને મનાવીને શાંત કરવા માટે 1980 અને 1990ના દશક દરમિયાન શ્રીલંકાની એક પછી એક સરકારે સંખ્યાબંધ સત્તાવાર કાયદાઓ ઘડ્યાં જેમાં તમિલને અધિકારીક ભાષા તરીકે માન્યતા આપવાનો અને દેશના ઉત્તરીય અને પૂર્વીય પ્રાંતનો વિલય કરવા જેવા પગલાઓનો સમાવેશ થતો હતો. તેમ છતાં, હિંસાનો દોર ચાલુ રહ્યો, કેમકે એલટીટીઈએ પૂર્વીય અને ઉત્તર-પૂર્વીય વિસ્તારોના આંતરિયાળ ગ્રામીણ પ્રદેશોમાં રહેતા નિર્દોષ ગામવાસીઓની હત્યા કરવાનું યથાવત રાખ્યું હતું. ડૉલર અને કેન્ટ ફાર્મનાં હત્યાકાંડ કે જેમાં રાત્રિના સમયે નિંદ્રા માણી રહેલા સેંકડો પુરુષો, સ્ત્રીઓ અને બાળકોની મસ્તક ઉપર કુહાડાઓનાં જીવલેણ ઘા મારીને હત્યા કરવામાં આવી હતી, તે બન્ને હત્યાકાંડ એલટીટીઈનાં આતંકવાદના દયાવિહીન કારસ્તાન હતા. એલટીટીઈનો પ્રતિકાર કરનાર કેટલાક પુરુષોનાં હાથ પાછળથી બાંધી દઇને કતલ કરવામાં આવી. આતંકવાદની આ રીતરસમોનો ઉપયોગ એલટીટીઈએ સિંહાલી તથા મુસ્લિમ ખેડૂતોને ડરાવીને ભગાડી દેવા માટે કર્યો અને ટૂંક સમયમાં જ ઉત્તરના વિસ્તારો પર નિયંત્રણ મેળવી લીધું. આ દેખતી રીતે જ શ્રીલંકામાં જાતિય નાબૂદીકરણની દિશામાં કરાયેલું કામ હતું. ભારતીય શાંતિ રક્ષક દળને જ્યારે પાછું ખેંચવામાં આવ્યું, તે સમયે એલટીટીઈએ પોતાના આધિપત્ય હેઠળના આ વિસ્તારોમાં સરકાર-જેવી ઘણી કામગીરીઓ શરૂ કરી. જે સમયે સરકારે જેવીપી પર આક્રમણ કર્યું, તે સમયે એલટીટીઇ એ હરીફ તમિલ જૂથોનો નાશ કરવાની કામગીરી ઉપાડી, જેથી 1990માં હંગામી યુદ્ધવિરામ થયો. યુદ્ધના બન્ને પક્ષો પોતપોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી ચૂક્યાં હતા, તે સમયે બન્ને એકબીજાનો સામનો કરવા ઉત્સાહિત હતા અને યુદ્ધવિરામનો ભંગ થયો. જાફનાનો કબ્જો પુનઃ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવા માટે સરકારે આક્રમણ શરૂ કર્યું.

ટૂંક સમયમાં જ યુદ્ધના આ તબક્કાને એલમ યુદ્ધ-2 નામ મળ્યું. તેને આ નામ યુદ્ધની અભૂતપૂર્વ પાશવતાને કારણે આપવામાં આવ્યું. એલટીટીઈએ સારી વર્તણૂંકનું વચન આપીને આત્મસમર્પણ કરનારા 113 સિંહાલી અને મુસ્લિમ પોલીસ જવાનોની હત્યા કરી. જાફના દ્વીપકલ્પમાં ખોરાક અને દવાના પ્રવેશ સામે સરકારે પ્રતિબંધ લાદી દીધો તથા વાયુસેનાએ આ વિસ્તારમાં એલટીટીઈના લક્ષ્યાંકો ઉપર એકધારી બોમ્બ વરસાવ્યા હતા. એલટીટીઈએ સિંહાલી અને મુસ્લિમ ગામો પર હુમલો કરી નાગરિકોની હત્યા કરીને તેનો પ્રતિસાદ આપ્યો. આ યુદ્ધનો સૌથી મોટો નાગરિક હત્યાકાંડ ત્યારે થયો કે જ્યારે એલટીટીઈએ પલ્લિયાગોડેલ્લા ખાતે 166 મુસ્લિમ નાગરિકોની હત્યા કરી. સરકારે હોમ ગાર્ડ મુસ્લિમ એકમોને તાલીમ અને હથિયારો વડે સજ્જ કર્યાં અને તમિલ ગામો પર બદલો લીધો. ખાસ કરીને પૂર્વીય પ્રાંતમાં સરકારના દળોને કારણે તમિલ નાગરિકોની નોંધપાત્ર પ્રમાણમાં હત્યા થઈ હતી. નામાંકિત આંતરરાષ્ટ્રીય કાયદાવિદ નીલમ થિરુસેલ્વમે, આઈસીઇએસ-કોલમ્બો ખાતે એક સંબોધનમાં, એવો સંકેત આપ્યો હતો કે કટોકટીના કાયદાઓ લાગુ થવાને કારણે દંડમુક્તિનું વાતાવરણ સર્જાયું હોવાથી હત્યાકાંડો તથા નાગરિકો ગુમ થઈ જવા અંગેના બનાવોની યોગ્ય તપાસને અસર થઈ છે. આ બનાવોમાં સથુરુકો્દન, પૂર્વીય યુનિવર્સિટી, માયલાન્થનઈ ખાતે બાળકો સહિત કેટલાય નાગરિકોની હત્યા અને સૂરિયાકન્દામાં શાળાના બાળકોની સામુહિક હત્યા તથા તેમને દફનાવી દેવાના બનાવોનો સમાવેશ થાય છે.[૪૮] ઉત્તર અને પૂર્વમાં રસ્તાની બાજુમાં સળગી રહેલા શરીરોના દૃશ્યો સામાન્ય બની ગયા હતા. દેશભરમાં, સરકારની ડેથ સ્ક્વૉડ જે સિંહાલી અથવા તમિલ યુવાન પર અનુક્રમે જેવીપીનો સદસ્ય અથવા એલટીટીઈનો શુભચિંતક હોવાની શંકા જાય તેનું અપહરણ કરી લેતી અથવા તેને મોતને ઘાટ ઉતારી દેતી.[૪૯] ઓક્ટોબર 1990માં, એલટીટીઈએ જાફનામાં રહેતા તમામ મુસ્લિમોને બહાર કાઢી મૂક્યાં. કુલ 28,000 મુસ્લિમોને કશું પણ લીધા વિના ફક્ત પોતાના વસ્ત્રો સાથે ઘર ત્યજી દેવાની ફરજ પડી હતી.

આ યુદ્ધની સૌથી મોટી લડાઈ જુલાઈ 1991માં થઈ, તે વખતે યપાનયા (જાફના) દ્વીપકલ્પમાં પ્રવેશવાના માર્ગ પર નિયંત્રણ ધરાવતી સૈન્યની એલિફન્ટ પાસ (અલીમંકડા) બેઝને એલટીટીઈના 5,000 માણસોએ ઘેરી લીધો હતો. એક મહિના સુધી ચાલેલી ઘેરાબંધી દરમિયાન બન્ને પક્ષે 2,000 કરતા વધુ લોકોના મોત થયા, ત્યારબાદ સરકારના 10,000 સૈનિકો આ બેઝને છોડાવવા માટે આવી પહોંચ્યા.[૫૦] ફેબ્રુઆરી 1992માં, ભારતના હસ્તક્ષેપને લીધે જાફનાને હાંસલ કરવા માટેના શ્રીલંકા સરકારનું બીજું શ્રેણીબદ્ધ આક્રમણ નિષ્ફળ નીવડ્યું. આ વખતે ભારતે શ્રીલંકા પર હુમલો કરવાની ધમકી આપતાં શ્રીલંકન સૈન્ય થોડા સમય માટે થંભી ગયું હતું. શ્રીલંકાની સરકારે પાછીપાની કરી અને પોતાના દળોને પરત બોલાવવાના આદેશ છોડ્યાં, તે વખતે શ્રીલંકાના સૈન્યને એલટીટીઈના સુપ્રિમો વેલુપિલ્લઈ પ્રભાકરન, કે જે પોતાના શહેર વેલ્વેટિથુરાઈમાં ચારે બાજુથી ઘેરાઈ ગયો હતો, તેને ઝડપી પાડવામાં થોડા દિવસની જ વાર હતી. 8 ઓગસ્ટ, 1992ના રોજ જાફનાનાં એરાલિ (એરાઇલા) પોઇન્ટ ખાતે ભૂમિ સુરંગનો વિસ્ફોટ થતાં લેફ્ટનન્ટ જનરલ ડેન્ઝિલ કોબ્બેકદુવા, મેજર જનરલ વિજયા વિમલરત્ને અને રિયર એડમિરલ મોહન જયમહા મૃત્યુ પામ્યા, જેને લીધે સૈન્યનાં નૈતિક જુસ્સા ઉપર ખરાબ અસર પડી. એલટીટીઈના પક્ષે, મોટી સફળતા ત્યારે મળી કે જ્યારે તેનાં આત્મઘાતી બૉમ્બરે મે 1993માં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનાસિંઘે પ્રેમદાસાની હત્યા કરી. નવેમ્બર 1993માં એલટીટીઈને પૂનેર્યનની લડાઈમાં જીત મળી હતી.

એલમ યુદ્ધ 3 ફેરફાર કરો

1994ની સંસદીય ચૂંટણી દરમિયાન, યુએનપીની હાર થઈ અને, ઊંચા આશાવાદ વચ્ચે ચંદ્રિકા કુમારતુંગાનાં વડપણ હેઠળની પીપલ'સ અલાયન્સની સરકાર સત્તામાં આવી, જેના શિરે શાંતિ પ્રક્રિયાની જવાબદારી હતી. વિરોધ પક્ષના નેતા જેમિની ડિસ્સાનાયકેની એલટીટીઈએ હત્યા કરી હોવા છતાં, ચંદ્રિકા કુમારતુંગા પ્રમુખપદની ચૂંટણી પણ જીતી ગયા. જાન્યુઆરી 1995માં યુદ્ધવિરામ પર સહમતિ સધાઈ, પરંતુ ત્યારપછીની વાટાઘાટો નિષ્ફળ સાબિત થઈ. 19 એપ્રિલના રોજ એલટીટીઈએ યુદ્ધવિરામનો ભંગ કર્યો અને તેથી યુદ્ધનો ત્યારપછીનો તબક્કો શરૂ થયો, જેને એલમ યુદ્ધ 3 તરીકે ઓળખવામાં આવે છે.[૫૧] ત્યારબાદ નવી સરકારે "શાંતિ માટે યુદ્ધ"ની નીતિને અપનાવી. બળવાખોરોના મુખ્ય ગઢ સમાન જાફના, જે 2,000 બળવાખોરોના નિયંત્રણમાં હતું,[૫૨] તેને પુનઃ પ્રાપ્ત કરવાના નિર્ધાર સાથે સરાકરે આ દ્વીપકલ્પમાં પોતાના સૈનિકો દાખલ કર્યાં. ઓગસ્ટ 1995માં બનેલા એક ખાસ બનાવમાં, નેવાલી (નાવેલ્લા) ખાતે સેન્ટ પીટર'સ ચર્ચ પર વાયુસેનાના જેટે બોમ્બ વરસાવ્યા, જેના લીધે લગભગ 65 શરણાર્થીઓના મોત નીપજ્યાં અને અન્ય 150 ઘાયલ થયા.[૫૩] સૌપ્રથમ તો સરકારી દળોએ બાકીના ટાપુથી આ દ્વીકલ્પનો સંપર્ક કાપી નાખ્યો,[૫૨][95] અને ત્યારબાદ સાત સપ્તાહ સુધી ચાલેલી ભીષણ લડાઈ બાદ પાછલા લગભગ એક દશકના ગાળામાં સૌપ્રથમવાર જાફનાને સરકારના અંકુશ હેઠળ લાવવામાં સફળતા મળી. 5 ડિસેમ્બર, 1995ના રોજ શ્રીલંકાના સંરક્ષણ પ્રધાન અનુરુદ્ધા રેતવત્તેએ એક ઝાકમઝોળભર્યાં સમારંભમાં, જાફનાના કિલ્લાની અંદર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. સરકારના અંદાજ અનુસાર આ આક્રમણમાં લગભગ 2,500 સૈનિકો અને બળવાખોરો માર્યા ગયા હતા, અને અંદાજે 7,000 ઘાયલ થયા હતા.[૫૪] આ સંઘર્ષ દરમિયાન ઘણાં નાગરિકો પણ માર્યા ગયા હતા, જેમકે નેવાલી ચર્ચ પર બોમ્બવર્ષાનો બનાવ કે જેમાં આશરે 125 નાગરિકોના મોત થયા હતા. એલટીટીઈના દબાણને કારણે 3,50,000 કરતા પણ વધુ નાગરિકોને જાફના[૫૫] છોડીને દેશના આંતરિક ભાગમાં આવેલા વન્ની વિસ્તારમાં જતા રહેવું પડ્યું હતું. ત્યારપછીના વર્ષના આખરી ભાગમાં મોટાભાગના શરણાર્થીઓ પરત ફર્યા હતા.

આનો જવાબ એલટીટીઈએ ઓપરેશન અનસિઝીંગ વેવ્ઝ શરૂ કરીને આપ્યો હતો અને જુલાઈ 1996માં મલાઈત્તિવુનું યુદ્ધ જીતી લીધું હતું. સરકારે પોતાનું ત્યાર પછીનું આક્રમણ ઓગસ્ટ 1996માં શરૂ કર્યું. વધુ 2,00,000 નાગરિકોને હિંસાથી બચવા ભાગી જવું પડ્યું.[૫૫] કિલિનોચ્ચી (ગિરાનિક્કે) નગરનો 29 સપ્ટેમ્બરના રોજ કબ્જો લેવામાં આવ્યો. 13 મે, 1997ના રોજ, સરકારના દળોએ એલટીટીઈના અંકુશ હેઠળના વન્ની વિસ્તારમાં પૂરવઠા લાઈન શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં નિષ્ફળતા મળી. બન્ને પક્ષ દ્વારા નિયમિતપણે નાગરિકોની હત્યા થતી રહી અને લોકો ઈજાગ્રસ્ત થતા રહ્યાં. ઉત્તરમાં હિંસાનો દોર યથાવત રહ્યો હતો, તેવા સમયે દેશના દક્ષિણ ભાગમાં આવેલા ગીચ શહેરી વિસ્તારો તથા જાહેર પરિવહનના સાધનો એલટીટીઈના આત્મઘાતી અને ટાઈમ બોમ્બ્સથી અસંખ્ય વખત ધણધણી ઉઠયાં, જેમાં હજારો નાગરિકો માર્યા ગયા. જાન્યુઆરી 1996માં, એલટીટીઈએ કોલમ્બોની સેન્ટ્રલ બેન્ક ખાતે આત્મઘાતી બોમ્બ દ્વારા તેનો સૌથી ઘાતક હુમલો કર્યો, આ હુમલામાં 90 લોકો માર્યા ગયા અને 1,400 લોકો ઈજાગ્રસ્ત થયા. ઓક્ટોબર 1997માં, એલટીટીઈએ શ્રીલંકાનું વર્લ્ડ ટ્રેડ સેન્ટરને બોમ્બથી ઉડાવી દીધું અને, જાન્યુઆરી 1998માં, આ સંગઠને કેન્ડી (મહાનુવારા)માં એક ટ્રક બૉમ્બનો વિ્ફોટ કરીને ટેમ્પલ ઓફ ધ ટૂથ કે જે વિશ્વભરમાં બૌદ્ધધર્મનું સૌથી પવિત્ર યાત્રાધામ હતું, તેને નુકશાન પહોંચાડ્યું. આ બૉમ્બ હુમલાના જવાબમાં, શ્રીલંકાની સરકારે એલટીટીઈને કાયદારક્ષણમાંથી બહિષ્કૃત કરી અને વિશ્વની અન્ય સરકારો પર પણ આવું કરવા માટે સફળતાપૂર્વક દબાણ લાવી, જેને લીધે એલટીટીઈની ભંડોળ એકત્રીકરણની કામગીરી ઉપર નોંધપાત્ર અસર પડી.

27 સપ્ટેમ્બર, 1998ના રોજ, એલટીટીઈએ ઓપરેશન અનસિઝીંગ વેવ્ઝનો બીજો ભાગ શરૂ કર્યો અને ભીષણ યુદ્ધ બાદ તેણે કિલિનોચ્ચીને પુનઃ પ્રાપ્ત કર્યું, આમ તેણે કિલિનોચ્ચીના યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. માર્ચ 1999માં, ઓપરેશન રણ ગોસા અંતર્ગત, સરકારે દક્ષિણ દિશામાંથી વન્ની ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ઓદુસુદન (ઓથાથન-થુડુવા) અને મધુ જેવા વિસ્તારો પર અંકુશ મેળવીને સૈન્યએ થોડીઘણી જીત મેળવી, પરંતુ તે આ પ્રદેશમાંથી એલટીટીઈને હટાવી શક્યું નહીં. સપ્ટેમ્બર 1999માં, એલટીટીઈએ ગોનાગલા ગામમાં 50 સિંહાલી નાગરિકોની હત્યા કરી. 2 નવેમ્બર, 1999ના રોજ એલટીટીઈ ઓપરેશન અનસિઝીંગ વેવ્ઝનાં ત્રીજા તબક્કા સાથે પરત ફરી. ઝડપભેર લગભગ આખો વન્ની વિસ્તાર ફરી એલટીટીઈના કબ્જામાં આવી ગયો. આ વિસ્તારમાં એલટીટીઈએ 17 સફળ હુમલાઓ કર્યા હતા, તેની પરાકાષ્ઠા તો ત્યારે આવી કે જ્યારે એલટીટીઈ પરાન્થન (પુરનથાયન્ના) કેમિકલ્સ ફેક્ટરી બેઝ અને કુરાક્કન કદુકુલમ (કુરાક્કન-કાયેલા વાયેવા) બેઝથી પણ આગળ વધી ગઈ.[૫૬] આ લડાઈમાં સેંકડો લોકો માર્યા ગયા. બળવાખોરો ઉત્તરમાં એલિફન્ટ પાસ (અલિમાનકડા) અને જાફના (યપાનયા) તરફ પણ આગળ વધ્યાં. એલટીટીઈએ કિલિનોચ્ચી શહેરની દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશાએથી શ્રીલંકાના સશસ્ત્ર દળોની જમીન અને દરિયાઈ માર્ગની તમામ પૂરવઠા રેખાઓ સફળતાપૂર્વક કાપી નાખી હતી. ડિસેમ્બર 1999માં, એલટીટીઈએ ચૂંટણી પૂર્વેની એક રેલીમાં આત્મઘાતી હુમલા દ્વારા શ્રીલંકાના પ્રમુખ ચંદ્રિકા કુમારતુંગાની હત્યા કરવાનો પ્રયાસ કર્યો. શ્રીલંકન પ્રમુખે એક આંખ ગુમાવી તથા તેમને અન્ય ઈજાઓ પણ થઈ, પરંતુ પ્રમુખપદની ચૂંટણીમાં તેઓ વિરોધપક્ષના નેતા રાનિલ વિક્રમસિંગેને હાર આપી શક્યાં અને પ્રમુખપદે બીજી મુદત માટે ફરી ચૂંટાઈ આવ્યા.[૫૭]

જાફના દ્વીપકલ્પને વન્નીની મુખ્યભૂમિથી 17 વર્ષ સુધી અલગ રાખનાર એલિફન્ટ પાસનું સૈન્ય સંકુલ 22 એપ્રિલ, 2000ના રોજ સંપૂર્ણપણે એલટીટીઈના અંકુશ હેઠળ આવ્યું.[૫૮][૫૯] ત્યારબાદ સૈન્યએ દક્ષિણ જાફના દ્વીપકલ્પને પરત મેળવવા માટે ઓપરેશન અગ્નિ ખેલા શરૂ કર્યું, પરંતુ તેમાં નુકશાન સહન કરવું પડ્યું. એલટીટીઈએ જાના તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું, ઘણાંને એવી દહેશત હતી કે આ વિસ્તાર એલટીટીઈના અંકુશમાં આવી જશે, પરંતુ સૈન્યએ એલટીટીઈને હાર આપી અને તેણે આ શહેર પરનો અંકુશ જાળવી રાખ્યો.

અગાઉના શાંતિ પ્રયાસો ફેરફાર કરો

યુદ્ધને કારણે જાનહાનિનો આંક વધતો જતો હતો અને યુદ્ધનો કોઈ અંત દેખાતો ન હોવાથી સૈન્યમાં થાકનું પ્રમાણ વધ્યું હતું. માનવ અધિકાર જૂથોના અંદાજ પ્રમાણે 2000ના મધ્યભાગ સુધીમાં, શ્રીલંકામા વસતા આશરે 10 લાખ કરતા પણ વધુ લોકો એ આંતરિકપણે વિસ્થાપિત થયેલા, શિબિરમાં રહેતા, ઘરવિહીન અને જીવન ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહેલા લોકો હતા. પરિણામસ્વરૂપે, 1990ના દશકના આખરી ભાગમાં શાંતિ પ્રક્રિયાની ગતિવિધિનો નોંધપાત્ર વિકાસ થયો, ઘણાં સંગઠનોએ શાંતિ શિબિરો, સભા-પરિષદો, તાલીમ અને શાંતિ ચિંતનનું આયોજન કર્યું, અન્ય ઘણાં સંગઠનોએ બન્ને પક્ષો વચ્ચેનું અંતર પૂરી દેવા માટે તમામ સ્તરે પ્રયાસો કર્યાં. ફેબ્રુઆરી 2000ના પ્રારંભમાં, બન્ને પક્ષોએ નોર્વેને મધ્યસ્થી કરવા જણાવ્યું, અને આ સંઘર્ષનો વાતચીતના આધારે ઉકેલ શોધી કાઢવા માટે આંતરરાષ્ટ્રીય રાજદ્વારીઓ દ્વારા પ્રારંભિક પ્રક્રિયા શરૂ કરાઈ.[૬૦]

ડિસેમ્બર 2000માં એલટીટીઈએ એકપક્ષીય યુદ્ધવિરામની જાહેરાત કરતા શાંતિ માટેનો આશાવાદ પ્રબળ બન્યો, પરંતુ 24 એપ્રિલ 2001ના રોજ તેણે આ યુદ્ધવિરામ રદ કર્યો, અને સરકાર વિરુદ્ધ વધુ એક આક્રમણ શરૂ કર્યું. સૈન્યના અંકુશ હેઠળ રહેલા વિશાળ વિસ્તાર પર કબ્જો જમાવ્યા બાદ, એલટીટીઈએ ઉત્તરતરફ વધુ આગેકૂચ કરી. એલટીટીઈની આગેકૂચને લીધે એલિફન્ટ પાસ (અલિમાનકદા) સૈન્ય સંકુલ સમક્ષ ગંભીર ખતરો ઉભો થયો, આ સંકુલમાં શ્રીલંકન સૈન્યનાં 17,000 સૈનિકો રહેતા હતા.[૬૧] જુલાઈ 2001માં, એલટીટીઈએ ભંડારનાયકે આંતરરાષ્ટ્રીય વિમાનીમથક ઉપર વિનાશક આત્મઘાતી હુમલો કર્યો અને વાયુસેનાનાં 8 વિમાનો (2 આઈએઆઈ કેએફઆઈઆર, 1 મિલ-17, 1 મિલ-24, 3 કે-8 ટ્રેનર્સ, 1 મિગ-27) અને શ્રીલંકન એરલાઈન્સનાં ચાર વિમાનોને (2 એરબસ એ-330, 1 એ-340 અને 1 એ-320) ફૂંકી મારીને અર્થતંત્ર પર આકરો પ્રહાર કર્યો તથા સરકારને મળતા વિદેશી હુંડિયામણના મહત્વના સ્રોતસમાન પ્રવાસન ઉપર વિપરીત અસર પડી.

2002ની શાંતિ પ્રક્રિયા ફેરફાર કરો

યુદ્ધ વિરામનો પ્રારંભ ફેરફાર કરો

2001ના અંતભાગમાં, જો કે, ૯/11ના હુમલા બાદ, એલટીટીઈએ આ સંઘર્ષનો શાંતિપ્રિય ઉકેલના પગલા શોધવા માટે પોતે તૈયાર હોવાની જાહેરાત કરવાનું શરૂ કર્યું. એવું માનવામાં આવે છે કે એલટીટીઈએ આ પગલું આંતરરાષ્ટ્રીય દબાણ સર્જાવાની અને આતંકવાદ વિરુદ્ધની લડાઈના ભાગરૂપે શ્રીલંકાની સરકારને અમેરિકાની સીધી મદદ મળવાની દહેશતને લીધે લીધું હતું.[૬૨] દક્ષિણમાં, પોતાની "શાંતિ માટે યુદ્ધ"ની વ્યૂહરચના બદલ સરકાર સામેની આકરી ટીકાઓ વધતી જતી હતી, કારણ કે શાંતિનું ક્યાંય નામોનિશાન નહોતું, અને અર્થવ્યવસ્થા ચીંથરેહાલ બની હતી. અવિશ્વાસનાં પ્રસ્તાવમાં હાર પામ્યા બાદ, પ્રમુખ કુમારતુંગાને સંસદને બર્ખાસ્ત કરી નવી ચૂંટણીઓની જાહેરાત કરવાની ફરજ પડી. 5 ડિસેમ્બર, 2001ના રોજ યોજાયેલી ચૂંટણીઓમાં, રાનિલ વિક્રમસિંઘેની આગેવાની હેઠળના યુનાઈટેડ નેશનલ ફ્રન્ટનો જ્વલંત વિજય થયો, તેમણે શાંતિતરફી વિચારાધારા સાથે પ્રચાર ઝુંબેશ કરી હતી તથા આ સંઘર્ષનો વાતચીતના આધારે ઉકેલ શોધી કાઢવાનું વચન આપ્યું હતું.

સરકાર અને તમિલ ટાઈગર્સને મંત્રણાના ટેબલ પર લાવવાના નોર્વેના પ્રયાસો ચાલુ હતા તે દરમિયાન, 19 ડિસેમ્બરના રોજ, એલટીટીઈએ શ્રીલંકાની સરકાર સાથેના યુદ્ધમાં 30 દિવસના વિરામની જાહેરાત કરી અને સરકારી દળો વિરુદ્ધના તમામ હુમલાઓ અટકાવી દેવાનું વચન આપ્યું.[૬૩] નવી સરકારે આ પગલાને આવકાર આપ્યો, અને બદલા સ્વરૂપે સરકારે પણ 2 દિવસ બાદ, એક મહિનાના યુદ્ધવિરામની જાહેરાત કરી તથા બળવાખોરોના અંકુશ હેઠળના વિસ્તારો સામે લાંબા સમયથી લદાયેલા આર્થિક પ્રતિબંધોને ઉઠાવવા સંમતિ આપી.[૬૪]

સમજૂતી કરાર પર હસ્તાક્ષર ફેરફાર કરો

 
શાંતિ દરમિયાન એલટીટીઇ સી ટાઈગર બોટનું પેટ્રોલિંગ

22 ફેબ્રુઆરી, 2002ના રોજ બન્ને પક્ષોએ સમજૂતી કરાર (એમઓયુ)ને ઔપચારિક સ્વરૂપ આપ્યું, અને સ્થાયી યુદ્ધવિરામ કરાર (સીએફએ) પર હસ્તાક્ષર કર્યાં. નોર્વે આ પ્રક્રિયામાં લવાદ હતું, અને તેણે અન્ય નોર્ડિક રાષ્ટ્રો સાથે રહીને, શ્રીલંકા મોનિટરિંગ મિશન તરીકે ઓળખાતી નિષ્ણાતોની સમિતિ દ્વારા યુદ્ધવિરામ પર દેખરેખ રાખવાનો નિર્ધાર કર્યો.[૬૫] ઓગસ્ટમાં, સરકારે એલટીટીઈ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવા સંમતિ આપી અને એલટીટીઈ સાથે સીધી મંત્રણાના પ્રારંભનો માર્ગ મોકળો કર્યો.[૬૬] યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર થયા બાદ, જાફનામાં વાણિજ્યિક વિમાની સેવાનો પ્રારંભ થયો અને એલટીટીઈએ ધોરીનસ જેવો એ9 હાઈવે ખુલ્લો મક્યો, જે એલટીટીઈના આધિપત્ય હેઠળના વિસ્તારમાંથી પસાર થઈને દક્ષિણના સરકાર દ્વારા અંકુશિત પ્રદેશને જાફના સાથે જોડતો હતો. એલટીટીઈને વેરો ચૂકવવાની શરતે ઘણાં વર્ષોમાં સૌપ્રથમવાર વન્ની પ્રદેશમાં નાગરિક પરિવહનને છૂટ આપવામાં આવી. ઘણાં વિદેશી રાષ્ટ્રોએ જો શાંતિ પ્રક્રિયા પાર પડે તો જંગી નાણાકીય ટેકો આપવાની ઓફર મૂકી. આમ દશકોથી ચાલ્યા આવતા આ સંઘર્ષનો અંત નજીક હોવાનો આશાવાદ પ્રબળ બન્યો. 16 સપ્ટેમ્બરના રોજ થાઈલેન્ડના ફુકેત ખાતે અતિ અપેક્ષિત શાંતિ મંત્રણા શરૂ થઈ, ત્યારપછી ફકેત, નોર્વે, બર્લિન અને જર્મનીમાં મંત્રણાનાં પાંચ તબક્કા યોજાયા.[૬૭] આ મંત્રણા દરમિયાન, બન્ને પક્ષો એક સમવાય ઉકેલ માટે સંમત થયા અને ટાઈગર્સે તેમની અલગ રાજ્યની લાંબા સમયથી પડતર માગ પડતી મૂકી. એલટીટીઈના પક્ષે આ એક મહત્વનું સમાધાન હતું, કેમકે તે હંમેશાથી સ્વતંત્ર તમિલ રાજ્યનો આગ્રહ સેવતું આવ્યું હતું અને તેણે સરકાર સમક્ષ સમાધાનની રજૂઆત પણ કરી હતી. અગાઉ તે સત્તાસોંપણી કરતા ઓછી કિંમત માટે ભાગ્યે જ સંમત થઈ હતી. બન્ને પક્ષોએ સૌપ્રથમવાર યુદ્ધકેદીઓની અદલબદલ પણ કરી હતી.[૬૨]

દક્ષિણમાં રાજકીય પરિવર્તનો ફેરફાર કરો

2001ની ચૂંટણીઓ બાદસ, શ્રીલંકાના ઇતિહાસમાં સૌપ્રથમવાર બે જુદા જુદા પક્ષોના માણસો પ્રમુખ અને વડાપ્રધાન બન્યાં. આ સહવાસ કપરો હતો, ખાસ કરીને એટલા માટે કે વડાપ્રધાન વિક્રમસિંઘે અને યુએનપી આ સંઘર્ષના સમવાય ઉકેલની તરફેણમાં હતા, જ્યારે પ્રમુખ કુમારતુંગાના પક્ષમાં રહેલા કટ્ટરવાદી તત્વો અને અન્ય સિંહાલી રાષ્ટ્રવાદી ઘટક જૂથોએ આનો વિરોધ કર્યો હતો કારણ કે તેમને એલટીટીઈ ઉપર વિશ્વાસ નહોતો. એલટીટીઈએ કરવેરા વસૂલવાની, હથિયારો અને દારૂગોળાની દાણચોરી કરીને પોતાને મજબૂત બનાવવાની, બાળ સૈનિકોને કામે રાકવાની, અને પ્રતિસ્પર્ધી તમિલ જૂથો તથા સરકારના ઇન્ટેલિજન્સ એજન્ટોની હત્યા કરવાની કામગીરી યથાવત રાખી હતી. આ સમયગાળા દરમિયાન, એલટીટીઈ ત્રિંકોમાલી (ગોકન્ના) બંદર (જુઓ એલમ યુદ્ધ-5) અને પૂર્વીય પ્રદેશમાં શ્રેણીબદ્ધ મહત્વના બેઝ સ્થાપવામાં સફળ પણ થઈ ગઈ હતી.

21 એપ્રિલ, 2003ના રોજ તમિલ ટાઈગર્સે એવી જાહેરાત કરી કે તેઓ કેટલાક "ગંભીર મુદ્દાઓ"ના ઉકેલથી "નાખુશ" હોવાથી તેઓ આગળની વાટાઘાટો સ્થગિત કરી રહ્યાં છે. આ સાથે વાટાઘાટો પડી ભાંગી હતી. ટાઈગર્સે આ પાછળના કારણોમાં વૉશિંગ્ટન ડીસીમાં 14 એપ્રિલે યોજાયેલી પુર્નરચના માટેની વાટાઘાટોમાં તેમને અળગા રખાયા હતા અને તેમને શાંતિનો સંપૂર્ણ આર્થિક બદલો મળી રહ્યો ન હોવાના કારણ આપ્યા હતા.

એલટીટીઈના દૃષ્ટિકોણ અનુસાર, યુદ્ધના વિરામને લીધે સર્જાયેલી શાંતિના તેમને જોઇએ તેવા લાભદાયી પરિણામ મળી રહ્યાં નહોતા અને સરકાર નિયંત્રિત ઉત્તરપૂર્વીય વિસ્તારમાં શાંતિ અને એલટીટીઈના તાબા હેઠળના પ્રદેશમાં હિંસાચાર યથાવત રહ્યો હોવાથી અસમાન પરિસ્થિતિ ઉભી થઈ હતી.  જો કે, એલટીટીઈએ જણાવ્યું હતું કે તે બે દશકથી ચાલ્યા આવતા આ સંઘર્ષના સમાધાન માટે પ્રતિબદ્ધ છે, પરંતુ સમાધાનની દિશામાં આગળ પ્રગતિ કરતા પૂર્વે ભૂમિ ઉપર પ્રગતિ સાધવી પડે.[૬૮]

31 ઓક્ટોબરના રોજ, એલટીટીઈએ તેનો પોતાનો શાંતિ પ્રસ્તાવ જારી કર્યો, અને ઈન્ટરિમ સેલ્ફ ગવર્નિંગ ઓથોરિટી (આઈએસજીએ) માટે સૂચના આપી. એલટીટીઈના પ્રસ્તાવ પ્રમાણે આઈએસજીએનું સંપૂર્ણ નિયંત્રણ એલટીટીઈના હાથમાં રહે અને ઉત્તર તથા પૂર્વમાં (જુઓ પ્રસ્તાવોનું સંપૂર્ણ લખાણ) તે વ્યાપક સત્તાઓ ભોગવે તેમ હતી. આને લીધે દક્ષિણમાંના કટ્ટરવાદી તત્વોની નકારાત્મક પ્રતિક્રિયાને જન્મ આપ્યો, આ લોકોએ વિક્રમસિંઘે પર ઉત્તર તથા પૂર્વ પ્રદેશ એલટીટીઈને ધરી દેવાનો આરોપ મૂક્યો. પોતાના પક્ષમાં જ પગલા લેવા માટે સર્જાયેલા દબાણને કારણે, કુમારતુંગાએ કટોકટીની જાહેરાત કરી અને સરકારનાં ત્રણ મુખ્ય મંત્રાલયો - સમૂહ માધ્યમોનું મંત્રાલય, ગૃહ મંત્રાલય અને મહત્વનું ગણાતું સંરક્ષણ મંત્રાલય પોતાને હસ્તક લીધાં.[૬૯] બાદમાં, તેમણે જેવીપી સાથે ગઠબંધનની રચના કરી, જે યુનાઈટેડ પિપલ'સ ફ્રીડમ અલાયન્સ તરીકે ઓળખાતું હતું. આ અલાયન્સે આઇએસજીએનો વિરોધ કર્યો અને એલટીટીઈ વિરુદ્ધમાં અમુક નીતિઓને વળગી રહેવાની તરફેણ કરી, તેમજ નવેસરથી ચૂંટણીઓ યોજવાનું આહવાન આપ્યું. 8 એપ્રિલ, 2004ના રોજ યોજાયેલી ચૂંટણીઓમાં, યુપીએફએનો વિજય થયો અને મહિન્દા રાજાપક્ષેની વડાપ્રધાન તરીકે નિમણૂંક થઈ. નવી સરકારે શાંતિ પ્રક્રિયાને યથાવત રાખવાની તેમજ વાતચીતના આધારે સંઘર્ષનો ઉકેલ લાવવાની પોતાની મહેચ્છા વ્યક્ત કરતા ફરી સંઘર્ષના મંડાણ થવાની દહેશતો ખોટી સાબિત થઈ.

એલટીટીઈનું વિભાજન ફેરફાર કરો

દરમિયાન, માર્ચ 2004માં એલટીટીઈની ઉત્તરીય અને પૂર્વીય શાખાઓમાં ગંભીર તડાં પડ્યાં. એલટીટીઈના પૂર્વના કમાન્ડર અને પ્રભાકરનનાં વિશ્વાસું અધિકારી કર્નલ કરુણાએ એવો દાવો કર્યો કે શ્રીલંકાના પૂર્વ ભાગના તમિલોને અપૂરતા સાધનો અને સત્તા આપવામાં આવી રહ્યાં છે તથા એલટીટીઈના પૂર્વ વિભાગમાંથી 5,000 સૈનિકો પોતાની સાથે લઈ લીધા. એલટીટીઈના ઇતિહાસમાં કોઈના દ્વારા વ્યક્ત કરાયેલો આ સૌથી મોટો મતભેદ હતો અને એલટીટીઈની અંદર જ આંતરવિગ્રહ તોળાઈ રહેલો જણાતો હતો. સંસદીય ચૂંટણી બાદ, ત્રિન્કોમાલીની (જે પહેલા ગોકન્ના તરીકે ઓળખાતું હતું) દક્ષિણે થયેલી ટૂંકી લડાઈને કારણે કરુણાના જૂથમાં ઝડપથી પીછેહટ અને આત્મસમર્પણ થયું, આખરે ખુદ કરુણા સહિત આ જૂથના નેતાઓ અજ્ઞાતવાસમાં જતા રહ્યાં, તેણે શાસક પક્ષના શક્તિશાળી રાજકારણી સૈયદ અલી ઝહીર મૌલાનાને છટકી જવામાં મદદ કરી. જો કે, "કરુણા જૂથે" પૂર્વમાં નોઁધપાત્ર ઉપસ્થિતિ જાળવી રાખી હતી અને એલટીટીઈની સામે હુમલાઓ કરવાનું ચાલુ રાખ્યું.[૭૦] એલટીટીઈએ સૈન્ય ઉપર અલગ થયેલા જૂથને છૂપો ટેકો આપવાનો આક્ષેપ કર્યો. ત્યારબાદ આ જૂથે તમિલઈલા મક્કલ વિદુથલાઈ પુલિકલ (ટીએમવીપી) નામનો એક રાજકીય પક્ષ સ્થાપ્યો અને ભવિષ્યમાં ચૂંટણી લડવાનો આશાવાદ વ્યક્ત કર્યો.

આ ધમાચકડીના મોટાભાગના સમયગાળા દરમિયાન યુદ્ધવિરામ રહ્યો, શ્રીલંકા મોનિટરિંગ મિશન (એસએલએમએમ) દ્વારા કરાયેલી નોંધણી અનુસાર આ દરમિયાન એલટીટીઈ દ્વારા આશરે 3,000 વખત અને શ્રીલંકાના સૈન્ય દ્વારા લગભગ 300 વખત યુદ્ધવિરામનો ભંગ કરાયો હતો.[૭૧] બન્ને પક્ષો એકબીજાની વિરુદ્ધમાં છૂપી ગતિવિધિ હાથ ધરી રહ્યાં છે તેવા બન્ને પક્ષના સામસામાં આક્ષેપોને લીધે પરિસ્થિતિ વધુ વણસી. સરકારે એવો દાવો કર્યો કે એલટીટીઈ રાજકીય વિરોધીઓને ખતમ કરી રહી છે, બાળકોને કામે રાખી રહી છે, હથિયારો આયાત કરી રહી છે, અને સરકારના સુરક્ષા અને ગુપ્તચર અધિકારીઓની હત્યા કરી રહી હતી. બળવાખોરોએ સરકાર ઉપર એવો આક્ષેપ મૂક્યો કે તે તેમની વિરુદ્ધમાં અર્ધસૈનિક જૂથો, ખાસ કરીને કરુણા જૂથને મદદ કરી રહી છે.

સુનામી અને તેના પછીનો ઘટનાક્રમ ફેરફાર કરો

26 ડિસેમ્બર, 2004ના રોજ, ભારતીય સમુદ્રનું સુનામી શ્રીલંકા પર ત્રાટક્યું, અને 30,000 કરતા પણ વધુ લોકો માર્યા ગયા, અને અન્ય ઘણાંબધા ઘરવિહોણાં બન્યા. દાતા રાષ્ટ્રોએ મદદ મોકલી, પરંતુ તરત જ એલટીટીઇના અંકુશ હેઠળના પ્રદેશોમાં તેનું વિતરણ કેવી રીતે થવું જોઈએ તે અંગે મતભેદો ઊભર્યા. 24 જૂન સુધીમાં, સરકાર અને એલટીટીઇ પોસ્ટ-સુનામી ઓપરેસનલ મેનેજમેન્ટ સ્ટ્રક્ચર (પી-ટીઓએમએસ) અંગે સંમત થયા, પરંતુ જેવીપીએ તેની તીખી આલોચના કરી, જેણે સરકારનો વિરોધ કર્યો. પી-ટીઓએમએસની કાયદેસરતાને અદાલતોમાં પણ પડકારવામાં આવી હતી. ત્યારબાદ પ્રમુખ કુમારતુંગાને પી-ટીઓએમએસનું વિસર્જન કરવું પડ્યું, જેના કારણે વ્યાપકપણે એવી આલોચના થઈ કે દેશની ઉત્તર અને પૂર્વમાં પૂરતી મદદ પહોંચી રહી નહોતી. જો કે, સુનામીની તુરંત બાદ ઉત્તરમાં હિંસાના દરમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

12 ઓગસ્ટ, 2005ના રોજ શ્રીલંકાના તમિલ વિદેશ પ્રધાન લક્ષ્મણ કાદિરગામાર, કે જેઓ વિદેશી મુત્સદ્દીઓમાં ઉચ્ચ માનપાન ધરાવતા હતા અને એલટીટીઈના તીવ્ર આલોચક હતા, તેમને પોતાના જ ઘરમાં કથિતપણે એલટીટીઇના હુમલાખોર દ્વારા મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા.[૭૨] તેમની હત્યાને પગલે વિદેશી સમાજમાં એલટીટીઈની પ્રતિષ્ઠામાં ઘટાડો થયો, અને આ બનાવ એવા સમયે બન્યો કે જ્યારે એલટીટીઈ વિદેશી રાષ્ટ્રોની મોટાભાગની સહાનૂભુતિ ગુમાવી ચૂકી હતી. તેથી જ, 2006માં જ્યારે એલટીટીઇએ મવિલ ઓયા (મવિલ આરુ)ના પાણીના દરવાજા બંધ કરી દેવાતા શ્રીંલંકાની સરકારે એલટીટીઇની વિરુદ્ધમાં સૈન્ય ગતિવિધિ હાથ ધરી, તે સમયે આંતરરાષ્ટ્રીય સમાજ ચૂપ રહ્યો હતો.

શ્રીલંકાની સર્વોચ્ચ અદાલતે પ્રમુખ કુમારતુંગાની બીજી અને આખરી મુદત પૂરી થયેલી જાહેર કરીને તેમને નવેસરની ચૂંટણી યોજવાનો આદેશ આપતા વધુ રાજકીય પરિવર્તનો સર્જાયા. નવેમ્બરમાં યોજાયેલી ચૂંટણીના મુખ્ય ઉમેદવારોમાં યુએનએફના ઉમેદવાર હતા એલટીટીઈ સાથે ફરી વાતચીત શરૂ કરવાની તરફેણ કરનાર ભૂતપૂર્વ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે, અને યુપીએફએના ઉમેદવાર હતા એલટીટીઇ વિરુદ્ધ કડક વલણ અપનાવનાર અને યુદ્ધવિરામ અંગે ફરી ચર્ચાની માગ કરનાર વડાપ્રધાન રાજાપક્ષાનો સમાવેશ થતો હતો. એલટીટીઇએ તમિલો દ્વારા ચૂંટણીઓના બહિષ્કાર કરવાનું ખુલ્લું એલાન આપ્યું. આ પૈકીના ઘણા લોકો વિક્રમસિંઘેને મત આપે તેવી સંભાવના હતી, તેમના મત નહીં પડવાની ઘટના વિક્રમસિંઘેની વડાપ્રધાન બનવાની તક માટે નકારાત્મક સાબિત થઈ અને રાજાપક્ષે પાતળી સરસાઇથી જીતી ગયા. ચૂંટણી બાદ, એલટીટીઇના નેતા વેલુપિલ્લઈ પ્રભાકરને પોતાના વાર્ષિક સંબોધનમાં જણાવ્યું હતું કે જો સરકાર શાંતિની દિશામાં ગંભીરતાપૂર્વક પગલા લેશે નહિ તો ટાઈગર્સ 2006માં તેમના સંઘર્ષને પુનર્જીવિત કરશે.

વિગ્રહનો પુનઃ પ્રારંભ ફેરફાર કરો

પ્રભાકરનના સંબોધનનાં થોડા દિવસો બાદ જ, હિંસાનો નવેસરથી દોર શરૂ થયો. ડિસેમ્બર 2005ના પ્રારંભમાં, ઉત્તરપૂર્વમાં ગોરિલા ગતિવિધિનું પ્રમાણ વધ્યું, જેમાં બેધારી સુરંગ દ્વારા કરાયેલા હુમલાઓનો સમાવેશ થતો હતો જેમાં સરકારના 150 સૈનિકો માર્યા ગયા હતા. આ સિવાય આ ગતિવિધિઓમાં સી ટાઈગર્સ અને શ્રીલંકાનાં જળસેના વચ્ચેની અથડામણો, એલટીટીઇ-તરફી પત્રકાર તરાકી શિવરામ અને એલટીટીઇ-તરફી સાંસદ જોસેફ પેરારાજાસિંઘમની કથિતપણે શ્રીલંકા સરકાર દ્વારા હત્યાનો સમાવેશ થતો હતો.[૭૩] 2008ના પ્રારંભમાં, આંતરવિગ્રહનું લક્ષ્ય નાગરિક લક્ષ્યાંકો ભણી ફેરવાયું, અને દેશના મોટાભાગના હિસ્સાઓમાં નિત્ય આવજા કરતી બસો અને ટ્રેઈનોમાં બોમ્બ ધડાકા કરવામાં આવ્યા.[૭૪] કોલમ્બોની અંદર અને બહાર આવજા કરતી બસોમાં શ્રેણીબદ્ધ હુમલા કરવામાં આવ્યા હતા.[૭૫]

વાટાઘાટો અને વધુ હિંસા ફેરફાર કરો

આ હિંસાચારને નજર સમક્ષ રાખીને, ટોકિયો ડોનર કોન્ફરન્સનાં ઉપ-પ્રમુખે બન્ને પક્ષોને મંત્રણાના ટેબલ ઉપર પરત આવવા આહવાન આપ્યું. ખાસ કરીને કો-ચૈર યુનાઈટેડ સ્ટેટસે એલટીટીઈ દ્વારા આચરવામાં આવી રહેલી હિંસાની ભારે ટીકા કરી હતી. યુએસ સ્ટેટ વિભાગના અધિકારીઓ તેમજ શ્રીલંકા ખાતેના યુએસનાં રાજદૂતે ટાઈગર્સને ચેતવણી આપતા જણાવ્યું હતું કે વિગ્રહના માર્ગે પરત ફરવાને કારણે શ્રીલંકાનું સૈન્ય વધુ સક્ષમ અને વધુ કૃતનીશ્ચયી બનશે.[૭૬] વાટાઘાટ ચાલી રહી હતી તેવા સમયે નાગરિકોને લક્ષ્ય બનાવીને હિંસાચાર કરવામાં આવ્યો હતો. 2 જાન્યુઆરી, 2006ના રોજ ત્રિકોમાંલી ખાતે સમુદ્રકિનારે હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ રમી રહ્યા હતા ત્યારે ટૂંક સમય માટે અટકાયત કર્યા બાદ પાંચ તમિલ વિદ્યાર્થીઓની ગોળી મારીને હત્યા કરી દેવાના બનાવનો પણ આમાં સમાવેશ થતો હતો.[૭૭][૭૮]


બંને પક્ષો વચ્ચેના કરારને બચાવવાના છેલ્લા પ્રયાસ તરીકે, નોર્વેના ખાસ દૂત એરિક સોલ્હેઈમ અને એલટીટીઈનાં વિચારક એન્ટન બાલાસીન્ઘમ શ્રીલંકા આવી પહોંચ્યા. મંત્રણાનાં સ્થળ વિષે બંને પક્ષો વચ્ચે વ્યાપક મતભેદો હતા; જોકે, સતત પ્રયાસોને લીધેને સફળતા ત્યારે મળી કે જ્યારે બન્ને પક્ષો 7 ફેબ્રુઆરી, 2006ના રોજ નવી વાટાઘાટો 22 ફેબ્રુઆરી તથા 23 ફેબ્રુઆરીએ સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં યોજી શકાય તે અંગે સંમત થયા. આ વાટાઘાટોમાં સરકાર અને એલટીટીઈ, બન્ને હિંસા ખતમ કરવા તથા 19-21 એપ્રિલના રોજ વધુ વાટાઘાટો યોજવા માટે સંમત થઈ જતા આ વાટાઘાટો "અપેક્ષાથી પણ ઊંચી" સાબિત થઈ.[૭૯] આ વાટાઘાટો યોજાયા પછીના એક સપ્તાહ દરમિયાન, હિંસામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. જો કે, એલટીટીઈએ એપ્રિલમાં જ સૈન્ય વિરુદ્ધના હુમલાઓ ફરી શરૂ કરી દીધા અને તેન પ્રારંભ 11 એપ્રિલના રોજ સૈન્યના વાહનો ઉપર માનવ-વિરોધી ભૂમિગત સુરંગો દ્વારા કરાયેલા હુમલાથી થયો, જેમાં નૌકાદળના 10 ખલાસીઓ માર્યા ગયા. ત્યારપછીના દિવસે, બળવાખોરો દ્વારા કરાયેલા બૉમ્બ હુમલાઓ અને દેશના ઉત્તર-પૂર્વ હિસ્સામાં તોફાનોને લીધે 16 લોકો માર્યા ગયા. સૌપ્રથમ તો, ત્રિંકોમાલી ખાતે એક ભૂમિગત માનવ-વિરોધી સુરંગનો વિસ્ફોટ થયો, જેમાં બે પોલીસ જવાનો તેમના વાહનમાં જ માર્યા ગયા. બીજો ધડાકો, ભીડભર્યાં શાકભાજીના બજારમાં થયો, જેમાં એક સૈનિક અને થોડાં નાગરિકોનાં જીવ ગયા. આગામી સમયમાં થયેલા તોફાનોમાં એક ડઝન કરતા પણ વધુ લોકો માર્યા ગયા.[૮૦] આ હુમલાઓની જવાબદારી અપસર્જીંગ પિપલ'સ ફૉર્સ નામના એક સંગઠને લીધી, જે એલટીટીઈ માટે કામ કરતું હોવાનો સૈન્યએ આક્ષેપ કર્યો હતો.

આ હિંસાચાર ચાલુ હતો તેવા સમયે, એલટીટીઈએ જીનેવાની વાટાઘાટોને 24-25 એપ્રિલ સુધી મુલતવી રાખવા જણાવ્યું, અને પ્રારંભમાં તો સરકાર આ અંગે સંમત થઈ ગઇ હતી. મંત્રણાઓ બાદ, સરકાર અને બળવાખોરો- બન્ને પક્ષો આંતરરાષ્ટ્રીય યુદ્ધવિરામ નિરીક્ષકો સાથે એલટીટીઈના નેતાઓને 16 એપ્રિલના રોજ એક નાગરિક જહાજમાં લઈ જવામાં આવે તે અંગે સંમત થયા, આ જહાજ દ્વારા આ લોકોને સરકાર અંકુશિત હદ-વિસ્તારમાંથી બહાર લઈ જવાના હતા. જો કે, તમિલ ટાઈગર્સે આ બેઠક રદ કરતા પરિસ્થિતિએ જોરદાર વળાંક લીધો, તેમણે એવો દાવો કર્યો કે તેઓ વળાવિયા તરીકે સાથે આવનારી નૌકાદળની ટૂકડી માટે સંમત થયા નહોતા. એસએલએમએમએ જણાવ્યા અનુસાર, તમિલ બળવાખોરો અગાઉ વળાવિયા તરીકે સાથે આવનારી ટૂકડી માટે સંમત થઈ ગયા હતા. આને લીધે એસએલએમએમનાં પ્રવક્તા હેલન ઓલાફ્સડોટિરે જણાવ્યું કે, "આ સમજૂતીનો એક ભાગ જ હતો. બળવાખોરોએ કલમો કાળજીપૂર્વક વાંચવી જોઈતી હતી. અમે હતાશ થયા છીએ."[૮૧] 20 એપ્રિલ, 2006ના રોજ, એલટીટીઈએ સત્તાવારરીતે અનિશ્ચિત ગાળા માટે પોતાને શાંતિ પ્રક્રિયાથી અળગી કરી દીધી. તેમણે એવું જણાવ્યું કે પરિવહનનાં પ્રશ્નોને લીધે તેઓ તેમના પ્રાદેશિક નેતાઓને મળી શક્યા નહોતા. આને લીધે કેટલાક વિશ્લેષકો તથા આંતરરાષ્ટ્રીય સમાજના મનમાં ઊંડો સંશય જાગ્યો, તેમને લાગ્યું કે એલટીટીઇનો પરિવહનનો મુદ્દો એ જીનીવાની શાંતિ વાટાઘાટોમાં ઉપસ્થિતિ ટાળવા માટે વિલંબ કરવાનો કિમીયો હતો.[૮૨]

હિંસાચાર વધતો ગયો અને 23 એપ્રિલ, 2006ના રોજ, શંકાસ્પદ એલટીટીઈ સૈનિકોએ ત્રિંકોમાલી જિલ્લામાં ડાંગર/ચોખાના ખેતરમાં કામ કરી રહેલા છ સિંહાલી ખેડૂતોની હત્યા કરી નાખી.[૮૩] ત્યારપછીના દિવસે, બટ્ટીકલોઆમાં બે શંકાસ્પદ તમિલ ટાઈગર્સ બળવાખોરો, એક યુવાન માતાની હત્યા કરીને તેના બાળકનું અપહરણ કર્યા બાદ, સુરંગો બિછાવતા ઝડપાતા તેમને ઠાર મારવામાં આવ્યા.[૮૪] એલટીટીઈએ નૌકાદળના કાફલા ઉપર આત્મઘાતી હુમલો કર્યો જેમાં 18 ખલાસીઓ માર્યા ગયા. ત્યારબાદ ઉત્તરીય શ્રીલંકાના નાનકડાં ટાપુ કેટ્સ (ઉરૂથોટા)ના ત્રણ ગામોમાં અલ્લાઈપિડ્ડી હત્યાકાંડ સર્જાયો જેમાં 13 મે, 2006ના રોજ બનેલા જુદા જુદા બનાવોમાં 13 લઘુમતી તમિલ નાગરિકોની હત્યા કરવામાં આવી.[૮૫] એલટીટીઈ બ્લેક ટાઈગરની ગર્ભવતી આત્મઘાતી બૉમ્બર અનોજા કુગેન્થિરાસાહે શ્રીલંકાના સૈન્યના કમાન્ડર, લેફ્ટનન્ટ જનરલ સરથ ફોન્સેકાની હત્યા કરવાની કોશિશ કરતાં એલટીટીઈની વિરુદ્ધમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકાઓનું પ્રમાણ ઘણું વધી ગયું. આ બનાવમાં બૉમ્બરે દેશની રાજધાની કોલમ્બોમાં શ્રીલંકાન સૈન્યનાં મુખ્ય મથક ખાતે પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ હુમલામાં લેફ્ટ. જનરલ ફોન્સેકા અને 27 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા, જ્યારે 10 લોકો માર્યા ગયા. આ હુમલાની પ્રતિક્રિયા સ્વરૂપે, 2001ના યુદ્ધવિરામ બાદ સૌપ્રથમવાર, શ્રીલંકાની વાયુસેનાએ દેશના ઉત્તર-પૂર્વીય હિસ્સામાં બળવાખોરોના સ્થાન ઉપર હવાઈ હુમલા કર્યાં.[૮૬]

એક વર્ષ અગાઉ થયેલી લક્ષ્મણ કાદિરગામારની હત્યા અને રજા મનાવવા માટે જઈ રહેલા સુરક્ષા દળનાં 710 નિઃશસ્ત્ર જવાનોને લઇ જઇ રહેલા જહાજ પરના નિષ્ફળ હુમલા ઉપરાંત થયેલો આ હુમલો એક અસરકારક બનાવ સાબિત થયો કેમકે 19 મે, 2006ના રોજ યુરોપીય સંઘે એલટીટીઇને એક ત્રાસવાદી સંગઠન ગણીને તેને ગેરકાયદેસર ઠરાવવાનો નિર્ણય કર્યો. આને પરિણામે યુરોપીય સંઘના સદસ્ય રાષ્ટ્રોમાં એલટીટીઈની મિલ્કતો ટાંચમાં લેવાઈ અને શ્રીલંકામાં પોતાના ત્રાસવાદી અભિયાન માટે ભંડોળ એકત્ર કરવાના એલટીટીઇના પ્રયાસો પર પૂર્ણવિરામ લાગી ગયું. યુરોપની સંસદે એક નિવેદનમાં એલટીટીઇ તમામ તમિલોનું પ્રતિનિધિત્વ કરતી ન હોવાનું જણાવ્યું અને તેને શ્રીલંકાના ઉત્તરીય તથા પૂર્વીય હિસ્સામાં લોકશાહીનો વિકલ્પ બનવાનું સૂચન કર્યું.[૮૭]

દેશનાં ઉત્તર અને પૂર્વ ભાગમાં હુમલાઓ યથાવત રહ્યાં હતા, તેવા સમયે નોર્વેના ઓસ્લોમાં 8-9 જૂનનાં રોજ નવી વાટાઘાટો યોજવાનું નક્કી થયું. બન્ને પક્ષોનાં પ્રતિનિધિ મંડળો ઓસ્લો આવી પહોંચ્યા, પરંતુ એલટીટીઇએ પોતાના ટાઈગર્સને વાટાઘાટોના સ્થળ સુધીની મુસાફરી માટે સુરક્ષિત માર્ગની છૂટ આપવામાં ન આવી હોવાનો આક્ષેપ કરીને સરકારના પ્રતિનિધિ મંડળ સાથે પ્રત્યક્ષ બેઠક યોજવાનો ઇનકાર કરી દેતા વાટાઘાટો રદ કરાઈ. નોર્વેના મધ્યસ્થી એરિક સોલ્હેઇમે પત્રકારોને જણાવ્યું કે એલટીટીઇએ આ વાટાઘાટો પડી ભાંગવા અંગેની સીધી જવાબદારી સ્વીકારવી જોઈએ.[૮૮]

ત્યારબાદ જે હિંસાનો દોર ચાલ્યો, તે પૈકી વનકલાઈ હત્યાકાંડમાં 8 જૂન, 2006ના રોજ શ્રીલંકાના મન્નાર જિલ્લાના વનકલાઈ ગામના ચાર લોકોના લઘુમતી શ્રીલંકન તમિલોના કુટુંબ પર સિતમ ગુજારીને તેમની હત્યા કરાઈ. માતા અને તેની નવ વર્ષની બાળકીની હત્યા કરતા પૂર્વે બન્નેની પર કથિતપણે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બળવાખોરો તરફી ન્યૂઝ સાઈટ તમિલનેટ દ્વારા પ્રદર્શિત કરાયેલી આ લોકોની લોહીથી ખરડાયેલી લાશોની તસવીરોએ શ્રીલંકા અને વિદેશમાં વિવાદ સર્જ્યો હતો. શ્રીલંકાના સૈન્ય અને તમિલ ટાઈગર બળવાખોરોએ આ હત્યા માટે એકબીજા ઉપર આક્ષેપો કર્યા હતા.[૮૯][૯૦][૯૧][૯૨][૯૩][૯૪] 15 જૂન, 2006ના રોજ કબિથિગોલ્લેવા હત્યાકાંડ પણ થયો જેમાં એલટીટીઇએ એક બસ પર હુમલો કરીને ઓછામાં ઓછાં 64 સિંહાલી નાગરિકોને મારી નાખ્યા હતા અને તેને કારણે શ્રીલંકાની વાયુસેના[૯૫]એ વધુ હવાઈ હુમલા કરવા પડ્યાં હતા. આ સિવાય, 26 જૂનનાં રોજ એલટીટીઈની આત્મઘાતી બૉમ્બરે શ્રીલંકાના ત્રીજા ક્રમનાં સર્વોચ્ચ સૈન્ય અધિકારી અને ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ જનરલ પરામી કલુટુંગાને મોતને ઘાટ ઉતારી દીધા.[૯૬] આ બનાવોને લીધે એસએલએમએમને પ્રશ્ન થયો કે હજુ પણ યુદ્ધવિરામ ચાલુ રાખી શકાય કે કેમ.[૯૭] જો કે, મોટાભાગના વિશ્લેષકો સતત એવું માનતા હતા કે ફરી પૂર્ણ-ફલકનું યુદ્ધ થવાની શક્યતા નથી અને "નીચી-તીવ્રતા ધરાવતો વિગ્રહ" ચાલુ રહેશે.[૯૬]

માવિલ ઓયા (મવિલ અરુ) જળ તકરાર ફેરફાર કરો

21 જુલાઈના રોજ એલટીટીઇએ માવિલ ઓયા (મવિલ અરુ) જળાશયના સ્લુઈસ ગેટ બંધ કરીને સરકારના અંકુશ હેઠળના 15,000 ગામોમાં પાણીનો પૂરવઠો કાપી નાખ્યો, આ નવી કટોકટીને કારણે યુદ્ધવિરામની સમજૂતી પર હસ્તાક્ષર કરાયા બાદ સૌપ્રથમવાર વિશાળ-ફલકનો સંઘર્ષ થયો.[૯૮] આ ગેટ્સ ખોલાવવા માટે એસએલએમએમ દ્વારા હાથ ધરાયેલી પ્રારંભિક મંત્રણા અને પ્રયાસો નિષ્ફળ નીવડ્યા બાદ, વાયુસેનાએ 26 જુલાઈના રોજ એલટીટીઈના સ્થાનો પર હુમલો કર્યો અને ભૂમિદળોએ આ ગેટ ખોલાવવા માટે અભિયાન શરૂ કર્યું.[૯૯]

ત્યારબાદ 8 ઓગસ્ટના રોજ આ સ્લુઈસ ગેટ ખોલવામાં આવ્યા, આ ગેટ ખરેખર કોણે ખોલ્યા તે અંગેના અહેવાલો વિરોધાભાસી છે. શરૂઆતમાં, એસએલએમએમએ એવો દાવો કર્યો કે જળાશયના બંધ ગેટ ખોલાવા માટે તેણે એલટીટીઈની સાથે શરતી સમજૂતી સાધી હતી.[૧૦૦] જો કે, સરકારના પ્રવક્તાએ એવું જણાવ્યું કે બળવાખોરો[૯૮] દ્વારા "સૌદાબાજીના સાધન તરીકે વ્યવહારિક ઉપયોગિતાની વસ્તુઓનો ઉપયોગ કરી શકાય નહિ" અને સરકારના દળોએ જળાશયની આસપાસના એલટીટીઈના સ્થાનો ઉપર નવેસરથી હુમલા કર્યાં હતા. આ હુમલાને કારણે એસએલએમએમનાં ચીફ ઓફ સ્ટાફે તેની નિંદા કરી અને જણાવ્યું કે "એલટીટીઈએ આ ઓફર કરી હોવાની સરકાર પાસે માહિતી છે." "એ વાત અત્યંત સ્પષ્ટ છે કે તેઓ પાણીમાં રસ ધરાવતા નહોતા. તેઓને અન્ય કશાંકમાં જ રસ હતો."[૯૮] એલટીટીઇએ ત્યારપછી એવો દાવો કર્યો હતો કે તેણે "માનવતાના ધોરણે" આ સ્લુઈસ ગેટ ખોલી નાખ્યાં હતા, અલબત્ત તેની સામે સૈન્યના સંવાદદાતાઓએ વાંધો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ માવિલ અરુ અનિકટના ચોક્કસ સ્થળે બૉમ્બિંગ કર્યા બાદ તરત જ પાણી વહેવું શરૂ થઈ ગયું હતું.[૧૦૧] આખરે, બળવાખોરો સાથેના ભીષણ યુદ્ધ બાદ, સરકારના દળોએ મવિલ અરુ જળાશય પર 15 ઓગસ્ટના રોજ સંપૂર્ણપણે કબ્જો સ્થાપી દીધો.[૧૦૨]

મુત્તુર અને જાફનામાં એલટીટીઇના આક્રમણો ફેરફાર કરો

માવિલ અરુ (માવિલ ઓયા)ની નજીકમાં ઉગ્ર લડાઈ ચાલી રહી હતી, તેવા સમયે ગોકન્ના (ત્રિંકોમાલી) સુધી પણ હિંસા ફેલાઈ, ત્યાં એલટીટીઇએ શ્રીલંકાના નૌકાદળના મહત્વના મથક ઉપર,[૧૦૦] અને ઓગસ્ટના પ્રારંભમાં સરકારના અંકુશ હેઠળના સમુદ્રતટે વસેલાં વ્યૂહાત્મક મુત્તુર નગર પર હુમલો કર્યો, જેના પરિણામે લગભગ 30 નાગરિકોના મોત નિપજ્યાં તથા આશરે 25,000 લોકો આ વિસ્તારમાંથી વિસ્થાપિત થયા.[૧૦૩] 2 ઓગસ્ટ, 2006ના રોજ એલટીટીઇએ મુત્તુર[૧૦૪] પર તોપખાનાં સાથે ભારે હુમલો કર્યો અને ત્યારબાદ તેમાં ઘૂસી જઈને નગરના કેટલાક ભાગો ઉપર નિયંત્રણ મેળવી લીધું, જેને લીધે અથડામણો ફાટી નીકળી.[૧૦૫] સૈન્યએ આનો પ્રતિક્રિયા આપી અને ભારે યુદ્ધમાં એલટીટીઇના આશરે 150 બળવાખોરોને મારી નાખીને 5 ઓગસ્ટના રોજ નગર ઉપર ફરી પોતાનું નિયંત્રણ સ્થાપી દીધું.[૧૦૪]

તેના ટૂંક સમય બાદ જ, મૂદુથારા (મુથુર)માં ફ્રાન્સની આંતરરાષ્ટ્રીય સદભાવના સંસ્થા એક્સન અગેઈન્સ્ટ હંગર (એસીએફ)માં કામ કરતા 17 લોકો મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા. આ લોકો તેમની ઓફિસમાં જમીન તરફ મોઢું રાખીને સુતેલી હાલતમાં મળી આવ્યા હતા, તેમણે પહેરેલી ટી-શર્ટ કે જેના પર બુલેટના ઘાનાં નિશાન હતા તેના પરથી એવો સંકેત મળ્યો કે તેઓ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાર્યકરો હતા. આ હત્યાઓની વિશ્વભરમાંથી વ્યાપક નિદા થઈ.[૧૦૬] એસએલએમએમએ એવો દાવો કર્યો કે આ હુમલા પાછળ સરકારનો હાથ હતો,[૧૦૭] પરંતુ સરકારે આ આક્ષેપોને "ખિન્નતા ઉપજાવનારા અને પક્ષપાતી" ગણાવીને તેને રદિયો આપ્યો હતો, અને જણાવ્યું હતું કે એસએલએમએમને "આ પ્રકારના નિવેદનો આપવાનો કોઈ અધિકાર નથી કારણ કે તેઓ ઓટોપ્સી અથવા પોસ્ટ-મોર્ટમ સાથે સંકળાયેલા નથી."[૧૦૮] આંતરરાષ્ટ્રીય ફૉરેન્સિક નિષ્ણાતોની મદદથી સરકારે શરૂ કરેલી સત્તાવાર તપાસ હાલમાં ચાલી રહી છે.[૧૦૯]

દરમિયાન, દેશની ઉત્તરમાં, 11 ઓગસ્ટના રોજ એલટીટીઈએ શ્રીલંકાના સૈન્યની સુરક્ષા હરોળ પર ભીષણ હુમલો કર્યો, ત્યાર બાદ 2001 પછીની સૌથી લોહિયાળ લડાઈઓ પૈકીની લડાઇ થઈ. આ હુમલાઓમાં એલટીટીઇએ 400થી 500 ફાઈટર્સના જૂથનો ઉપયોગ કર્યો અને તેમાં જમીન તથા અન્ય જગ્યાએથી કરાયેલા હુમલાઓનો સમાવેશ થતો હતો, આ હુમલામાં પલુયાલા (પલય) ખાતેના લશ્કરના મુખ્ય ઍરબેઝ સહિતના સરકારના સ્થાનો ઉપર ભારે તોપમારો પણ કરવામાં આવ્યો હતો.[૧૧૦] શરૂઆતમાં, ટાઈગર્સે મુહામલાઈ (મહાકન્દા)ની આસપાસની સૈન્યની સુરક્ષા હરોળને તોડી પાડી, અને ઉત્તર તરફ વધુ આગળ વધ્યાં,[૧૧૧] પરંતુ 10 કલાકની ભીષણ લડાઈ બાદ તેઓ થંભી ગયા. આગામી થોડા દિવસો સુધી આ લડાઈઓ ચાલતી રહી, પરંતુ ભારે જાનહાનિને કારણે એલટીટીઇએ પોતાનું આક્રમણ છોડી દેવું પડ્યું.[૧૧૨] આ અભિયાનમાં એલટીટીઇએ આશરે 250[૧૧૨] સૈનિકો ગુમાવ્યા હોવાનો અંદાજ છે, જ્યારે શ્રીલંકાના 90 સૈનિકો અને ખલાસીઓ પણ માર્યા ગયા હતા.[૧૧૩]

ચેન્કોલાઈ હવાઈ હુમલો ફેરફાર કરો

શ્રીલંકાની ઉત્તર અને પૂર્વમાં જમીન પર લડાઈ ચાલી રહી હતી, તેવા સમયે શ્રીલંકાની વાયુસેનાએ બળવાખોરોના કબ્જામાં રહેલા મલ્લાઈતિવુ વિસ્તારમાં આવેલી સુવિધાઓ ઉપર હવાઈ હુમલો હાથ ધર્યો, જેમાં સંખ્યાબંધ તમિલ છોકરીઓ મૃત્યુ પામી. એલટીટીઈએ 61 છોકરીઓના મોત થયા હોવાનો દાવો કર્યો હતો, તેમછતાં એસએલએમએમએ જણાવ્યું કે તેમણે ફક્ત 19 મૃતદેહો જ ગણ્યાં હતા. સરકારે જણાવ્યું કે તે એલટીટીઇની તાલીમ સુવિધા હતી અને આ બાળકો એ એલટીટીઇના બાળ સૈનિકો હતા,[૧૧૪] અલબત્ત એલટીટીઇએ એવો દાવો કર્યો કે ભોગ બનનાર છોકરીઓ શાળાની વિદ્યાર્થિનીો હતી જે એક અનાથાલયમાં પ્રાથમિક સારવારના કોર્સમાં ભાગ લઇ રહી હતી.[૧૧૪]

પાકિસ્તાનનાં હાઈ કમિશ્નર પર હુમલો ફેરફાર કરો

તે જ દિવસે, શ્રીલંકા ખાતેના પાકિસ્તાનના હાઈ કમિશ્નર બશીર વલી મોહમદને લઇ જઈ રહેલા પર એક ઓટો રીક્ષામાં છુપાવવામાં આવેલી ભૂમિગત માનવ-વિરોધી સુરંગ દ્વારા હુમલો કરવામાં આવ્યો. આ ધડાકામાં હાઈ કમિશ્નર એક પણ ઈજા વગર બચી ગયા, પણ સાત લોકો માર્યા ગયા અને 17 લોકો ઈજાગ્રસ્ત થયા.[૧૧૫] આ હુમલાની જવાબદારી એક પણ જુથે સ્વીકારી નહોતી, પણ શ્રીલંકાની સરકારે એલટીટીઈ પર આક્ષેપ કર્યો હતો. પાકિસ્તાનના હાઈ કમિશ્નર, બશીર વલી મોહમદએ એવો દાવો કર્યો કે પાકિસ્તાનને ડરાવવા માટે,[૧૧૬] ભારતે આ હુમલો કરાવ્યો હોય તેવી મજબુત ધારણા છે. પાકિસ્તાન શ્રીલંકાની સરકારને સૈન્ય સાધન-સરંજામ પુરા પડતા મુખ્ય સપ્લાયરો પૈકીનું એક છે.[૧૧૬] પાકિસ્તાને આવનારા મહિનાઓમાં દર 10 દિવસે એક વાર જરૂરી સહાયનું વચન આપ્યું, પાકિસ્તાને મજબુત ટેકાની ખાતરી આપતા શ્રીલંકાનાં સંરક્ષણ સચિવ ગોતાભ્ય રાજપક્ષેએ જાહેરમાં એવું જણાવ્યું કે એલટીટીઈનાં મુખ્ય મથક કિલીનોચ્ચીને ડીસેમ્બરના અંત સુધીમાં મુક્ત કરવામાં આવશે.

સંપુરનું પતન ફેરફાર કરો

હિંસાનો દોર ફરી શરુ થયો ત્યારથી, ત્રીન્કોમાંલી ખાતેના શ્રીલંકાના નૌકાદળનાં વ્યુહાત્મક રીતે અગત્યના[૧૧૭] મથકને સંપૂર અને તેની આસપાસનાં એલટીટીઈનાં સ્થાનોથી ખતરો હોવા અંગે સૈન્યના ઘટકોમાં ચિંતા વધતી જતી હતી. સમ્પુરનું સ્થાન ત્રિકોમાંલીથી કોદ્દીયારનાં અખાત પર છે.[૧૧૮][૧૧૯] આ વિસ્તારમાંથી એલટીટીઈનાં થાણાઓમાંથી થતો તોપમારો નૌકાદળના મથકને છિન્નભિન્ન કરીને જાફનાને સૈન્ય પુરવઠો પૂરો પડી શકે એવી એકમાત્ર સૈન્ય કડીને કાપી નાખે અને સૈન્યને સંપૂર્ણપણે અસહાય બનાવી શકે તેવી સંભાવના હતી. નૌકાદળના જહાજોની તમામ હિલચાલ પર પણ એલટીટીઈની ચાંપતી નજર રહેતી હતી.[૧૧૮] 2005માં શ્રીલંકાની મુલાકાતે આવેલી યુનાઈટેડ સ્ટેટ્સના સૈન્યની સલાહકારી ટૂકડીએ પણ આ દહેશતને ટેકો આપ્યો હતો. માવિલ અરુ (માવિલ ઓયા) અને મુત્તુર (મૂદુથારા)માં અથડામણોને પગલે, એલટીટીઇએ ત્રિંકોમાલી (ગોકન્ના)માં આવેલા નૌકાદળના મથકને લક્ષ્યાંક બનાવીને તીવ્ર હુમલાઓ કર્યાં,[૧૧૯] અને 21 ઓગસ્ટના રોજ, શ્રીલંકાના પ્રમુખ મહિન્દા રાજાપક્ષેએ સ્પષ્ટ કર્યું હતું કે સરકારનો આશય સમ્પૂરમાં એલટીટીઇનો ડર નિકાળવાનો હતો.[૧૧૯] 28 ઓગસ્ટના રોજ, શ્રીલંકાનાં સૈન્યએ સમ્પૂર તથા તેની નજીકના કદ્દાઈપરિકચન (ગાયેતા-બારા-હેના) અને થોપ્પુર (થુપાપુરા) વિસ્તારોમાં એલટીટીઇના કૅમ્પ ફરી હાંસલ કરવા માટે આક્રમણ કર્યું. આને કારણે એલટીટીઇએ એવી જાહેરાત કરી કે જો આ આક્રમણ ચાલુ રહેશે, તો યુદ્ધવિરામ સત્તાવાર રીતે પૂરો થશે.

એકધારી પ્રગતિ બાદ, 4 સપ્ટેમ્બરના રોજ બ્રિગેડ કમાન્ડર સરથ વિજેસિંઘે[૧૨૦]ની આગેવાની હેઠળનાં શ્રીલંકાના સુરક્ષા દળોએ એલટીટીઇના કબ્જામાંથી સમ્પૂર (સોમાપુરા)ને પુનઃ હાંસલ કર્યું, અને ત્યાં સૈન્યના મથકો સ્થાપવાનું શરૂ કર્યું.[૧૨૧] એલટીટીઇએ હારનો સ્વીકાર કર્યો અને પોતે આ વ્યૂહાત્મકરીતે મહત્વના નગરમાંથી પોતાના સૈનિકો "પરત ખેંચ્યાં" હોવાનું જણાવ્યું.[૧૨૨] 2002માં યુદ્ધવિરામના કરાર પર હસ્તાક્ષર થયા બાદ પ્રાદેશિક કબ્જામાં થયેલો આ સૌપ્રથમ મહત્વનો ફેરફાર હતો.[૧૨૩] શ્રીલંકાના સૈન્યના અંદાજ પ્રમાણે આ હુમલામાં તેના 33 અધિકારીઓ અને એલટીટીઇના આશરે 200 લડવૈયાઓ માર્યા ગયા હતા.[૧૨૦]

એલટીટીઇની પ્રતિક્રિયા અને આગળની શાંતિ મંત્રણા ફેરફાર કરો

ઓક્ટોબરમાં એલટીટીઇ પુનઃ ત્રાટકી. સૌપ્રથમ તો દેશની ઉત્તરે આવેલા સરકાર તથા એલટીટીઇના અંકુશ હેઠળના વિસ્તારો વચ્ચેનાં ક્રોસિંગ પોઇન્ટરૂપ મુહામલાઈ (મહાકન્દા) ખાતે થયેલા ઉગ્ર યુદ્ધમાં એલટીટીઇએ લગભગ 130 સૈનિકોને મારી નાખ્યા.[૧૨૪] થોડા દિવસ બાદ જ, એલટીટીઇના એક આત્મઘાતી બૉમ્બરે દેશની મધ્યમાં આવેલા હાબાર્બા ખાતે ઘરે રજા વિતાવવા માટે પરત ફરી રહેલા નૌકાદળના ખલાસીઓના કાફલા ઉપર હુમલો કરીને આશરે 100 ખલાસીઓનાં મોત નિપજાવ્યાં.[૧૨૫][૧૨૬] તમિલ વિગ્રહના ઇતિહાસનો આ સૌથી ઘાતક આત્મઘાતી હુમલો હતો.[૧૨૭]

બે દિવસ બાદ, એલટીટીઇ સી ટાઈગરના લડવૈયાઓએ દેશની દક્ષિણે આવેલા તટીય શહેર ગાલેમાં આવેલા દક્ષિણ નૅવલ બૅઝ પર હુમલો કર્યો. દક્ષિણના દૂરના પ્રદેશમાં થયેલો આ સૌથી મોટો એલટીટીઈ હુમલો હતો, અને તેમાં એલટીટીઇના 15 લડાયકો સામેલ હતા જેઓ પાંચ સ્યુસાઈડ બૉટ્સમાં આવ્યા હતા. સરકારે આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો, અને નૌકાદળના મથકને ઓછું નુકશાન થયું હતું. શ્રીલંકાના નૌકાદળના એક નાવિક ઉપરાંત, આ હુમલામાં સામેલ એલટીટીઇના તમામ 15 આત્મઘાતી લડવૈયાઓ પણ માર્યા ગયા હોવાનું માનવામાં આવે છે.[૧૨૮]

આ બનાવો બનવા છતાં, બન્ને પક્ષો 28-29 ઓક્ટોબરના રોજ જીનેવામાં યોજાનારી શાંતિ મંત્રણામાં બિનશરતી ઉપિસ્થિતિ માટે સંમત થયા.[૧૨૯] જો કે, મહત્વનો એ-9 હાઇ-વે ફરી ખુલ્લો મૂકવા અંગે થયેલા મતભેદોને કારણે આ શાંતિ મંત્રણા પડી ભાંગી, આ હાઇ-વે દક્ષિણમાં જાફના અને સરકાર અંકુશિત વિસ્તારોને સાંકળી કડીરૂપ હતો. ઓગસ્ટમાં થયેલી ભીષણ લડાઈ બાદ બંધ કરી દેવાયેલા આ આ હાઇ-વેને એલટીટીઇ પુનઃ શરૂ કરવા ઇચ્છતી હતી, પરંતુ સરકારે ઇનકાર કર્યો, અને જણાવ્યું કે એલટીટીઇ તેનો ઉપયોગ ત્યાંથી પસાર થતા લોકો પાસેથી વેરો વસૂલવા માટે કરશે, વસૂલાયેલા નાણાંનો ઉપયોગ તે સરકારના દળોની વિરુદ્ધ વધુ હુમલાઓ કરવા માટે કરશે.[૧૩૦] નવા વર્ષના પ્રારંભ બાદ, એલટીટીઇના શંકાસ્પદ લડવૈયાઓએ દેશની દક્ષિણે બે બસમાં બૉમ્બ ધડાકા કરીને 21 નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યાં. સમાચાર અહેવાલોમાં જણાવવામાં આવ્યા પ્રમાણે આ હુમલાઓ એલટીટીઈના હુમલાની તમામ હદોને ઓળંગી ગયા હતા.[૧૩૧] શ્રીલકાના પ્રમુખે આ હુમલાઓની નિંદા કરી અને આ હુમલો એલટીટીઇએ કરાવ્યો હોવાનો આક્ષેપ કર્યો,[૧૩૨] અલબત્ત એલટીટીઇએ આમાં પોતાની સામેલગીરી હોવાનો ઇનકાર કર્યો હતો. જેન'સ ડિફૅન્સ વિકલીનાં વિશ્લેષક ઇકબાલ અથાસે એવી ટિપ્પણી કરી કે નાગરિકોને લક્ષ્ય બનાવવાની એલટીટીઇની નીતિ એક ચિંતાજનક પરિબળ છે, અને નાગરિકો વિરુદ્ધના વધુ હુમલાઓની શક્યતા નકારી શકાય નહિ.[૧૩૩] અન્ય વિશ્લેષકોએ પણ એલટીટીઇના હુમલાની દહેશત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિગ્રહના અપેક્ષિત તબક્કામાં બનતું હોય છે તે રીતે નાગરિકોને લક્ષ્યાંક બનાવતા એલટીટીઇના હુમલાઓ વધી શકે છે. યુદ્ધવિરામના સમયગાળા દરમિયાન એલટીટીઇના હુમલાઓનું લક્ષ્ય મોટેભાગે સૈન્ય અને રાજકીય રહ્યું હતું.

પૂર્વમાં સરકારનું આક્રમણ ફેરફાર કરો

ડિસેમ્બર 2006માં, સૈન્યના કમાન્ડર અને અન્ય વરિષ્ઠ સરકારી અધિકારીઓએ તેમની એવી યોજના રજૂ કરી કે પહેલા તો એલટીટીઇને શ્રીલંકાના પૂર્વીય પ્રદેશમાંથી બહાર કાઢવી, અને ત્યારબાદ દેશની ઉત્તરમાં રહેલી એલટીટીઇને પછાડવા માટે સૈન્યની પૂરી તાકાતનો ઉપયોગ કરવો.[૯૯] ઉત્તરમાં આક્રમણ માટે સૈન્ય દ્વારા આપવામાં આવેલા કારણોમાં "આ વિસ્તારના નાગરિકોને એલટીટીઇથી મુક્ત કરાવવાની" આવશ્યક્તાનું એક કારણ મુખ્ય હતું, સૈન્યએ જણાવ્યા પ્રમાણે એલટીટીઇ નાગરિક મિલ્કતો પર તોપમારો કરી રહી હતી અને 35,000 લોકોનો માનવ કવચ તરીકે ઉપયોગ કરી રહી હતી.[૧૩૪] સૈન્યના આ દાવાને બાદમાં નાગરિકો દ્વારા સમર્થન મળ્યું જેમણે પત્રકારોને એવું જણાવ્યું હતં કે તેમને તમિલ ટાઈગર્સે બળજબરીથી પોતાના કબ્જામાં રાખ્યાં હતા. [૧૩૫] આ સંઘર્ષ ચાલી રહ્યો હતો તે દરમિયાન, 7 નવેમ્બર, 2006ના રોજ વહારાઇ બૉમ્બિંગ તરીકે ઓળખાતા હત્યાકાંડમાં આશરે 45 તમિલ નાગરિકોના મોત નિપજ્યાં હોવાનો દાવો કરવામાં આવ્યો.

ત્યારબાદ, 8 ડિસેમ્બર, 2006ના રોજ સૈન્યએ વકારાઇને પ્રાપ્ત કરવાના લક્ષ્યાંક સાથે બટ્ટીકોલોઆ જિલ્લામાં એલટીટીઇની સામે આક્રમણની શરૂઆત કરી, જે પૂર્વ પ્રદેશમાં એલટીટીઇનો ગઢ હતો, [૧૩૬] પરંતુ આ વિસ્તારમાં નાગરિકોની વિશાળ સંખ્યા તથા વરસતાં વરસાદને લીધે લડાઇના ઓપરેશન હાથ ધરવામાં પડતી મુશ્કેલીને લીધે લડાઈના એક સપ્તાહ બાદ થોડા વખત માટે આ આક્રમણ છોડી દેવામાં આવ્યું. [૧૩૭] આગામી થોડા સપ્તાહો દરમિયાન, તોળાઇ રહેલા આક્રમણની દહેશતને કારણે એક અંદાજ મુજબ આશરે 20,000 નાગરિકોએ વકારાઇમાંથી સરકારના અંકુશ હેઠળના વિસ્તારોમાં પલાયન કર્યું. જાન્યુઆરીના મધ્યભાગમાં સૈન્યએ નવેસરથી આક્રમણ કર્યું, અને 19 જાન્યુઆરી, 2007ના રોજ વકારાઇ આગળ ધપતાં સૈન્યનાં અંકુશ હેઠળ આવી ગયું. પૂર્વમાં આક્રમણ ચાલી રહ્યું હતું, તેવા સમયે એલટીટીઇ અને અન્ય લોકોએ સરકાર ઉપર 2 જાન્યુઆરી, 2007ના રોજ પેદાહુથુરાઇ બૉમ્બ હુમલામાં 15 નાગરિકોની હત્યા કરવાનો આક્ષેપ મૂક્યો, આ બનાવમાં શ્રીલંકાની વાયુસેનાએ ઉત્તરીય શ્રીલંકાના ઈલ્લુપ્પાઇકડવઇ, કે જેને તે બળવાખોર એલટીટીઇનું નૌકા મથક હોવાનો દાવો કરતી હતી, તેના ઉપર બૉમ્બવર્ષા કરી હતી.[૧૩૮][૧૩૯] સૈન્યએ ત્રણ અલગ અલગ દિશામાંથી હુમલા કર્યાં, અને સંરક્ષણ પ્રવક્તા કેહૈલ્યા રામબુકવેલ્લાએ જાહેરાત કરી કે, "વકારાઇના લોકોને આતંકવાદીઓના સકંજામાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે". વાકરી (વકારાઇ) ગુમાવવાને લીધે, ઉત્તરમાં રહેલા ટાઈગર્સ અને પૂર્વના તેના લડવૈયા વચ્ચેનો પૂરવઠાનો માર્ગ કપાઈ ગયો હતો તેવુ અનુમાન છે, જેનાથી નબળાં પડેલા ટાઈગર્સની પૂર્વ પરની પકડ ઢીલી પડવા લાગી હતી.[૧૪૦][૧૪૧]

સૈન્ય આક્રમણ ચાલી રહ્યું હતું, તેવા સમયે એલટીટીઇએ સરકારના અંકુશ હેઠળના વિસ્તારોમાં નાગરિકો વિરુદ્ધ હુમલાઓ કરવાનું ચાલુ રાખ્યું હતું. 1 એપ્રિલ, 2007ના રોજ, શ્રીલંકાનાં સૈન્યએ એલટીટીઇ ઉપર પૂર્વનાં બટ્ટીકલોઆ જિલ્લામાં છ સિંહાલી સુનામી સહાયનાં કર્મચારીઓની હત્યાનો આરોપ મૂક્યો.[૧૪૨][૧૪૩] ત્યારપછીના દિવસે, એલટીટીઇના શંકાસ્પદ લડવૈયાઓએ અમ્પારામાં નાગરિકોને લઇ જતી એક બસમાં બૉમ્બ ધડાકો કરીને 17 લોકોના મોત નિપજાવ્યાં, જેમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થતો હતો.[૧૪૪][૧૪૫]

મુખ્યત્વે ખાસ દળોના બનેલા નાના જૂથોમાં કામ કરતા સૈનિકો અને કમાન્ડો યુનિટ્સે પૂર્વીય પ્રાંતમાં બાકી બચેલા એલટીટીઇના લડવૈયાઓને સાફ કરવા માટે ફેબ્રુઆરી[૧૪૬]માં નવું ઓપરેશન શરૂ કર્યું. આ ઓપરેશનનાં ભાગરૂપે, સરકારના દળોએ 28 માર્ચ[૧૪૭]ના રોજ એલટીટીઇના મહત્વના મથક ગોકાટગોલ્લા (કોક્કાડિચોલઇ)ને હાંસલ કર્યું અને 12 એપ્રિલના રોજ વ્યૂહાત્મક એ-5 હાઇવે પર કાબુ મેળવ્યો, જેને લીધે 15 વર્ષમાં સૌપ્રથમવાર સંપૂર્ણ હાઇ-વે સરકારના અંકુશ હેઠળ આવી ગયો.[૧૪૮] આને કારણે પૂર્વમાં એલટીટીઇની ઉપસ્થિતિ ઘટીને માદકલપુવા (બટટ્ટીકલોઆ)ની ઉત્તર-પશ્ચિમે થોપ્પીગલ વિસ્તારના જંગલના 140 ચોરસ કિલોમીટરના એક હિસ્સા પૂરતી સીમિત થઈ ગઇ. સૈન્યના અંદાજ પ્રમાણે, આ આક્રમણમાં 9 સૈનિકો અને 184 ટાઈગર લડવૈયાઓ માર્યા ગયા, જ્યારે એક પણ નાગરિક જાનહાનિ થઇ નહોતી.[૧૪૬]

ઉત્તરમાં સરકારનું આક્રમણ. એલટીટીઇની નેતાગીરીને લક્ષ્યાંક બનાવાઈ ફેરફાર કરો

ઉત્તરમાં મહિનાઓ સુધી છૂટીછવાઇ લડાઇ ચાલી આવતી હતી, પરંતુ સપ્ટેમ્બર 2007 બાદ તેની તીવ્રતામાં વધારો થયો. આગલી સુરક્ષા હરોળમાં થયેલી અથડામણો દરમિયાન, બન્ને પક્ષોએ તેમના દળોને અલગ અલગ કરીને, એકબીજા ઉપર ભારે તોપમારો કર્યો, ત્યારબાદ લશ્કરી ચડાઇ કરવામાં આવી.[૧૪૯] 22 ડિસેમ્બર, 2007 સુધીમાં, શ્રીલંકાનાં સૈન્યની આગળ વધતી કૂમકો સામે એલટીટીઇ ઉયિલન્કુલામા અને થામ્પાનાઇ હારી ગયું.[૧૫૦] 29 ડિસેમ્બર, 2007ના રોજ, સૈન્યએ મન્નાર જિલ્લામાં આવેલા એલટીટીઇના ગઢ પેરાપ્પાકંદલ પર વિજય મેળવી લીધો.[૧૫૧][૧૫૨]

સન્ડે ઓબ્ઝર્વરને આપેલી એક મુલાકાતમાં સૈન્યના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ સરથ ફોન્સેકાએ જણાવ્યું હતું કે સૈન્યએ એલટીટીઇની અગ્રિમ સુરક્ષા હરોળ પર કાબુ મેળવી લીધો હતો અને એલટીટીઇના વન્ની મથકને તમામ દિશાએથી ઘેરી લીધું હતું. તેમણે એવું પણ જણાવ્યું હતું કે આશરે 3,000 ટાઈગર્સ બચ્યાં છે અને આગામી વર્ષના પ્રથમ છ મહિનાની અંદર સૈન્ય તેમનો જડમૂળથી નાશ કરવાનો આશય ધરાવે છે.[૧૫૩] એક દિવસ બાદ ભૂમિદળ, વાયુસેના અને નૌકાદળના કમાન્ડરોએ ઓછાં આશાવાદી નિવેદનો આપ્યા હતા. સૈન્યએ વન્નીમાં અંદાજિતપણે 5,000 ટાઈગર્સનો મુકાબલો કરવાનો હતો. સૈન્યના કમાન્ડર હાલની લડાઇને અગ્રિમ સુરક્ષા હરોળોમાં લઇ જઇને ઓગસ્ટ 2008માં લડાઇને નિર્ણાયક તબક્કામાં લાવવા માગતા હતા. કમાન્ડરના દૃષ્ટિકોણ અનુસાર, 2008માં એલટીટીઇને હરાવવું અત્યંત આસાન હતું.[૧૫૪]

શ્રીલંકાના સૈન્યએ એવો દાવો કર્યો હતો કે શ્રીલંકાની વાયુસેના દ્વારા 26 નવેમ્બર, 2007ના રોજ જયંથિનગરમાં આવેલા એક બંકર કૉમ્પલૅક્સ પર કરાયેલા હવાઈ હુમલા દરમિયાન એલટીટીઇના નેતા વેલુપિલ્લઈ પ્રભાકરનને ગંભીર ઈજા થઈ હતી.[૧૫૫] અગાઉ, 2 નવેમ્બર, 2007ના રોજ, બળવાખોરોની રાજકીય પાંખના વડા એસ. પી. થમિલસેલ્વન સરકારના બીજા એક હવાઇ હુમલામાં માર્યા ગયા હતા.[૧૫૬] શ્રીલંકાની વાયુસેના એલટીટીઇની સંપૂર્ણ નેતાગીરીનો નાશ કરવા માટે પ્રતિબદ્ધ હતી.[૧૫૪] એક એલટીટીઇ-તરફી વૅબસાઇટે જણાવ્યા અનુસાર, 5 જાન્યુઆરી, 2008ના રોજ, શ્રીલકાના સૈન્યનાં શંકાસ્પદ ડીપ પેનિટ્રેશન યુનિટ દ્વારા કરાયેલા એક ભૂમિગત સુરંગ હુમલામાં એલટીટીઇની મિલિટરી ઇન્ટેલિજન્સનાં વડા કર્નલ ચાર્લ્સનું મોત થયું હતું.[૧૫૭][૧૫૮]

યુદ્ધવિરામમાંથી સરકારના ખસી ગયા બાદની સમયરેખા ફેરફાર કરો

2 જાન્યુઆરી, 2008ના રોજ, શ્રીલંકાની સરકારે સત્તાવારરીતે પોતે યુદ્ધવિરામમાંથી ખસી ગયા હોવાની જાહેરાત કરી.[૧૫૯] સંરક્ષણ સચિવ ગોતભ્ય રાજાપક્ષાએ 29 ડિસેમ્બર, 2007ના રોજ આની માગ કરી હતી, તેના બાદ સરકારે આ પગલું લીધું.[૧૬૦] યુનાઇટેડ સ્ટેટ્સ,[૧૬૧] કેનેડા [૧૬૨] અને નોર્વે[૧૬૩] જેવા દાતા રાષ્ટ્રોએ શ્રીલંકાની સરકારના આ નિર્ણય અંગે ઊંડી દિલગીરી દર્શાવી. શ્રીલંકાએ યુદ્ધવિરામ રદ કરતા પડોશી રાષ્ટ્ર ભારતે પણ પોતાનો ખેદ વ્યક્ત કર્યો.[૧૬૪]

10 જાન્યુઆરી, 2008ના રોજ, ટાઈગર્સની રાજકીય પાંખના નવા વડા બી. નાદેશન તરફથી એલટીટીઇએ ઔપચારિક પ્રતિસાદ આપ્યો. તેમણે જણાવ્યા અનુસાર, એલટીટીઇને આને કારણે આઘાત લાગ્યો છે અને હતાશા સાંપડી છે, કારણ કે શ્રીલંકાની સરકારે કોઇ ન્યાયિક તર્ક વિના જ યુદ્ધવિરામના કરારમાંથી એકપક્ષીય રીતે ખસી ગઇ હતી. આ પ્રતિસાદમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, એલટીટીઇ ત્યારપછી પણ યુદ્ધવિરામ કરારની પ્રત્યેક કલમોનો અમલ કરવા તૈયાર હતી અને તેનું 100 ટકા પાલન કરતી હતી. એલટીટીઇએ એવો દાવો કર્યો હતો કે, સરકારના આ પગલાને લક્ષ્યમાં રાખીને, એલટીટીઇ પર લગાવવામાં આવેલા પ્રતિબંધો તાત્કાલિકપણે હટાવી લેવા એ આંતરરાષ્ટ્રીય સમાજનું કર્તવ્ય છે.[૧૬૫][૧૬૬]

23 એપ્રિલ, 2008ના રોજ શ્રીલંકાના 185 સૈનિકો માર્યા ગયા હોવાનું અહેવાલોમાં નોંધવામાં આવ્યું હતું, તે સમયે મહામલાઇ અગ્રિમ સુરક્ષા હરોળ પર રહેલા દળોએ ત્રીજો મોરચો ખોલવાનો પ્રયાસ કર્યો હતો અને જાફના પ્રાંતથી કિલિનોચ્ચી તરફ આગળ વધ્યાં હતા. બળવાખોરોને નાબૂદ કરવાના સૈન્યના પ્રયાસો માટે આ બનાવ આંચકારૂપ હતો.[૧૬૭]

9 મે, 2008ના રોજ, શ્રીલંકાના સૈન્યએ એદમ્પન નગર જીતી લીધું હતું.[૧૬૮] 30 જૂન, 2008ના રોજ, શ્રીલંકાના સૈન્યના દળોએ પેરિયામાધુની દક્ષિણપશ્ચિમે આવેલા વાવુનિયા યુદ્ધભૂમિ સાથે મન્નાર યુદ્ધભૂમિને જોડી દીઘી.[૧૬૯] 16 જુલાઈ, 2008ના રોજ, શ્રીલંકાના સૈન્યના દળોએ ટાપુનાં ઉત્તર-પશ્ચિમ કિનારે આવેલા સૌથી મોટા શહેર વિદાત્તલતિવુને જીતી લીધું, જે સી ટાઇગરનું મુખ્ય મથક હતું.[૧૭૦] 20 જુલાઈ, 2008ના રોજ, શ્રીલંકાના સૈન્યએ લુપ્પઇક્કાદાવઇ નગર જીતી લીધું.[૧૭૧]

21 જુલાઈ, 2008ના રોજ, એલટીટીઇએ જાહેરાત કરી કે, તે 28 જુલાઈથી 4 ઓગસ્ટ સુધીનો એકપક્ષીય યુદ્ધવિરામ જાહેર કરી રહી છે, આ સમયે કોલમ્બોમાં સાર્ક દેશોના વડાઓની 15મી શિખર મંત્રણા યોજાવાની હતી.[૧૭૨] જો કે, શ્રીલંકાની સરકારે એલટીટીઇના આ પ્રસ્તાવને જરૂર વિનાનો અને છેતરપિંડીયુક્ત ગણાવીને ફગાવી દીધો.[૧૭૩]

સરકાર દ્વારા નોંધપાત્ર સૈન્ય વિજય ફેરફાર કરો

2 ઓગસ્ટ, 2008ના રોજ, મન્નાર જિલ્લામાં એલટીટીઇનો છેલ્લો બચેલો ગઢ વેલ્લાનકુલમ નગર શ્રીલંકાના સૈન્યના આગેકૂચ કરતા દળોએ જીતી લીધો.[૧૭૪] આ સાથે સંપૂર્ણ મન્નાર જિલ્લાને સૈન્યએ મુક્ત કરાવ્યો, જેમાં તેને આઠ મહિનાનો સમય લાગ્યો.[૧૭૫] બે દિવસ અગાઉ મન્નાર-કિલિનોચ્ચી સીમાને ઓળંગીને સૈન્ય કિલિનોચ્ચી જિલ્લામાં પ્રવેશ્યું.[૧૭૬] સંરક્ષણ સચિવ ગૌતભ્ય રાજાપક્ષાએ એવી ટિપ્પણી કરી કે સૈન્ય આ વર્ષના અંત પૂર્વે બળવાખોરોના ગઢસમાન કિલિનોચ્ચીને હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.[૧૭૭] ત્યારપછીના સપ્તાહો ભારે સૈન્ય જમાવટના હતા, 2 સપ્ટેમ્બર, 2008ના રોજ, સૈન્યએ મલ્લાવી નગર પર સંપૂર્ણપણે કબ્જો મેળવી લીધો.[૧૭૮]

9 સપ્ટેમ્બર, 2008ના રોજ, એલટીટીઇએ વવુનિયા હવાઇમથક પર ઓચિંતો હુમલો કર્યો. સૈન્યએ એવો દાવો કર્યો કે આ હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો, બન્ને પક્ષે ભારે જાનહાનિ થઈ હતી, જ્યારે બળવાખોરોએ એવો દાવો કર્યો કે આ હુમલો સફળ રહ્યો હતો.[૧૭૯][૧૮૦][૧૮૧]

15 સપ્ટેમ્બર, 2008ના રોજ, કિલિનોચ્ચીની નજીક આવેલા અક્કારાયનકુલમ વિસ્તારમાં ભીષણ લડાઇ શરૂ થઈ.[૧૮૨] 3 ઓક્ટોબર, 2008ના રોજ, આશરે 650 ટન ખાદ્ય સામગ્રી ભરેલી 51 ટ્રકોનો યુનાઇટેડ નેશન્સનો મદદનો કાફલો કિલિનોચ્ચી જિલ્લામાં ઉતર્યો, જ્યારે કિલિનોચ્ચી નગરને "લગભગ દરેકજણે" છોડી દીધું હતું એવા અહેવાલ હતા.[૧૮૩]

6 ઓક્ટોબર, 2008ના રોજ નિવૃત્ત મેજર જનરલ જનકા પરેરા એક આત્મઘાતી વિસ્ફોટમાં અન્ય 26 હતભાગીઓ સાથે માર્યા ગયા. સરકારે આ હુમલા બદલ એલટીટીઇ પર આક્ષેપ કર્યો. દરમિયાન, સૈન્યના વડાએ એવું જણાવ્યું કે તેમના દળો કિલિનોચ્ચીમાં ટાઈગર્સના વહીવટી વડામથકની અંદર2 km (1.2 mi) છે.[૧૮૪]

શ્રીલંકાના સૈન્યના દળોએ નચ્ચિકુદાની ઉત્તરે મન્નાર-પૂનારયન (એ-32) માર્ગને કાપી નાખીને, નચ્ચિકુદાને અસરકારક રીતે ઘેરી લીધું, શ્રીલંકાના ઉત્તરપૂર્વીય તટે સી ટાઈગરનો બાકી બચેલો આ છેલ્લો ગઢ હતો.[૧૮૫] આ સમયે લડાઇના છેલ્લા દૌરમાં વિસ્થાપિત થયેલા આશરે 2,00,00 કરતા પણ વધુ નાગરિકોની પરિસ્થિતિ માનવીય સંકટમાં પરિવર્તિત થઈ રહી હતી; જોકે, એલટીટીઇની વાટાઘાટોની વિશ્વસનીયતાને લગતી શંકાઓ સહિતના સંખ્યાબંધ કારણોને લીધે, યુદ્ધવિરામ કરાવવા માટે પશ્ચિમી સરકારો કે ભારતે હસ્તક્ષેપ કર્યો નહીં.[૧૮૬]

પશ્ચિમ કિલિનોચ્ચી યુદ્ધભૂમિ પર રહેલા શ્રીલંકાના દળોએ 28 ઓક્ટોબર, 2008ના રોજ, એલટીટીઇના પશ્ચિમી તટીય ગઢ જેવા નચ્ચિકુદા પર આખરી હુમલો શરૂ કર્યો, પછીના જ દિવસે નચ્ચિકુદ્દાનું પતન થયું.[૧૮૭][૧૮૮] ત્યારબાદ આર્મી ટાસ્ક ફોર્સ વનએ પૂનીર્યન તરફ પોતાની આગેકૂચ જારી રાખી અને કિરાન્ચ્ચી, પલાવી, વેરાવિલ, વલઈપાદુ અને ડેવિલ'સ પોઇન્ટને કબ્જે કર્યાં.[૧૮૯][૧૯૦] 15 નવેમ્બર 2008ના રોજ, આર્મી ટાસ્ક ફોર્સ વનનાં સૈનિકો તમિલ ટાઈગરના વ્યૂહાત્મક રીતે મહત્વના ગઢ એવા પૂનીર્યનમાં પ્રવેશ્યાં.[૧૯૧][૧૯૨]

3 નવેમ્બર 2008ના રોજ, નવરચિત આર્મી ટાસ્ક ફૉર્સ થ્રીને માનકુલમ વિસ્તારમાં ઉતારવામાં આવી, જેનું લક્ષ્ય હતું એલટીટીઇના લડવૈયાઓને જાફના-કેન્ડી (એ-9) માર્ગની પૂર્વ તરફની નવી યુદ્ધભૂમિમાં રોકી રાખવા.[૧૯૩] શ્રીલંકાના સૈન્યના સૈનિકોએ 17 નવેમ્બર, 2008ના રોજ માનકુલમ અને તેની આસપાસનો વિસ્તાર જીતી લીધો.[૧૯૪]

પૂર્વીય મલ્લાઈતિવુ યુદ્ધભુમિમાં શ્રીલંકાના સૈન્યના સૈનિકો 4 ડિસેમ્બર, 2008ના રોજ, મલ્લાઈતિવુની દક્ષિણે આવેલા,10 km (6.2 mi) અલામ્પિલમાં પ્રવેશ્યાં.[૧૯૫][૧૯૬]

કિલિનોચ્ચીનું પતન અને ત્યારપછીની ઘટનાઓ ફેરફાર કરો

શ્રીલંકાના સૈન્યએ જણાવ્યા અનુસાર, કિલિનોચ્ચી પર 23 નવેમ્બર, 2008નાં રોજ હુમલો શરૂ કરવામાં આવ્યો. સૈનિકો બળવાખોરો દ્વારા ત્રણ દિશાએથી કરાતા પ્રતિકારનો સામનો કરતા કરતા હુમલો કરી રહ્યાં હતા.[૧૯૭] જોકે, એલટીટીઇએ ઉગ્ર પ્રતિકાર કર્યો, અને હુમલો લાંબો સમય ચાલવાથી બન્ને પક્ષે ભારે જાનહાનિ થઈ.[૧૯૮]

1 જાન્યુઆરી, 2009 સુધી, શ્રીલંકાના સૈન્યના સૈનિકો એ-9 માર્ગ પર કિલિનોચ્ચીની ઉત્તરે આવેલા પરાન્થનને હાંસલ કરી શક્યા નહોતા. નામવિહોણાં સુરક્ષા નિરીક્ષકોએ જણાવ્યા અનુસાર, પરાન્થનના પતનને લીધે એલટીટીઇના ગઢસમાન એલિફન્ટ પાસનો દક્ષિણ ઘેરાવો જૂદો /એકલો પડી ગયો અને કિલિનોચ્ચી ખાતે એલટીટીઇની મુખ્ય કિલ્લેબંધી પણ ખુલ્લી પડી ગઈ.[૧૯૯]

2 જાન્યુઆરી, 2009ના રોજ, શ્રીલંકાના પ્રમુખ મહિન્દા રાજાપક્ષાએ સૈનિકોએ કિલિનોચ્ચી પર વિજય મેળવ્યો હોવાની જાહેરાત કરી, જેનો એક દશક કરતા વધુ સમયથી બળવાખોરો પોતાની વાસ્તવિક વહીવટી રાજધાની તરીકે ઉપયોગ કરતા આવ્યા હતા.[૨૦૦] એક નોઁધ પ્રમાણે, કિલિનોચ્ચીના પતનને કારણે એક સક્ષમ, નિર્દયી આતંકવાદી જૂથ તરીકેની એલટીટીઇની છબિને જોરદાર ફટકો પડ્યો હતો.[૨૦૧] શ્રીલંકાના સૈન્યના સૈનિકોના હાથે કિલિનોચ્ચીના પતનની દેશભરમાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. એવું જણાવવામાં આવ્યું કે કિલિનોચ્ચીના પતન બાદ અનેક મોરચે સૈન્યના દબાણ હેઠળ એલટીટીઇ પડી ભાંગે એવી શક્યતા હતી.[૨૦૨]

8 જાન્યુઆરી, 2009 સુધીમાં, ટાઈગર્સે જાફના પ્રાંતમાં તેમનું સ્થાન ત્યજી દઇને મલ્લાઈતિવુ, કે જે તેમનો છેલ્લો મહત્વનું બૅઝ હતો, તેના જંગલોમાં તેમનો છેલ્લો મુકામ કર્યો.[૨૦૩] 14 જાન્યુઆરી, 2009 સુધીમાં સંપૂર્ણ જાફના પ્રાંત પર શ્રીલંકાના સૈન્યએ કબ્જો કરી લીધો.[૨૦૪]

25 જાન્યુઆરી, 2009ના રોજ, શ્રીલંકાના સૈન્યના સૈનિકોએ તમિલ ટાઈગર બળવાખોરોનો છેલ્લો ગઢ મલ્લાઈતિવુ નગરને કબ્જે કર્યું.[૨૦૫][૨૦૬]

3 ફેબ્રુઆરી, 2009ના રોજ, યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપીયન યુનિયન, જાપાન અને નોર્વેએ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને તમિલ ટાઈગર્સને તેમના હથિયારો હેઠા મૂકી દેવાં તથા વિગ્રહનો અંત લાવવા વિનંતી કરી, કારણ કે ટાઈગર્સ હજુ થોડા સમય પૂર્વે તેમના નિયંત્રણ હેઠળ રહેલો સમગ્ર પ્રદેશ ગુમાવી ચૂક્યાં હતા.[૨૦૭]

5 ફેબ્રુઆરી, 2009ના રોજ, સૈન્યએ ચેલાઈમાં આવેલું સી ટાઇગરનું છેલ્લું મથક કબ્જે કર્યું, જેના લીધે બળવાખોરોના કાબુ હેઠળનો પ્રદેશ ઘટીને 200 કિ.મી.2 કરતા પણ ઓછો રહી ગયો.[૨૦૮]

20 ફેબ્રુઆરી, 2009ના રોજ, એક આત્મઘાતી યોજના હેઠળ એલટીટીઇના બે પ્લેને શ્રીલંકાની રાજધાની કોલમ્બો પર હુમલો કર્યો, જેમાં 2 લોકોના મોત થયા અને 45 ઘાયલ થયા. બન્ને પ્લેન તેમનાં અપેક્ષિત લક્ષ્યાંકો - સૈન્યનું વડુમથક તથા વાયુસેનાનાં મુખ્ય બૅઝને નુકશાન કરે તે પૂર્વે જ શ્રીલંકાની વાયુસેનાએ તેમને તોડી પાડ્યાં.[૨૦૯][૨૧૦]

લડાઇના આ તબક્કામાં નાગરિકોની વિરુદ્ધની ક્રૂરતામાં વધરો થયો અને નાગરિકોની જાનહાનિ ઝડપથી વધતી જતી હતી. 19 ફેબ્રુઆરી, 2009ના રોજ, હ્યુમન રાઈટ્સ વૉચે એક અહેવાલ બહાર પાડ્યો, જેમાં શ્રીલંકાના સૈન્ય પર અવિવેકભર્યાં તોપમારાના હુમલાઓ (હોસ્પિટલો પરના વારંવારના તોપમારા સહિત) દરમિયાન નાગરિકોનો 'સંહાર' કરવાનો આરોપ મૂક્યો અને શ્રીલંકાની સરકારને સૈન્ય-સંચાલિત કેદ શિબિરોમાં "વિસ્થાપિત લોકોને અટકાયતમાં રાખવા"ની નીતિનો અંત લાવવાનું સૂચન કર્યું. હ્યુમન રાઈટ્સ વૉચે તમિલ ટાઈગર્સને પણ એવી વિનંતી કરી કે ફસાઇ ગયેલા નાગરિકોને યુદ્ધભુમિમાંથી નીકળી જવાની છૂટ આપવામાં આવે અને "છટકી જવાનો પ્રયત્ન કરનારા લોકોને ઠાર મારવાનું બંધ" કરવામાં આવે.[૨૧૧] યુનાઇટેડ નેશન્સે પણ આંતરિકપણે વિસ્થાપિત થયેલા લોકોની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને વન્નીમાં તટ પરની જમીનનાં 14 ચોરસ કિલોમીટરના નાના ટુકડામાં આશરે 2,00,000 લોકો પેસી ગયા હોવાનો અંદાજ આપ્યો હતો, જેને સરકારે 'નો-ફાયર ઝોન' તરીકે ઘોષિત કર્યો હતો.[૨૧૨]

26 માર્ચ, 2009ના રોજ, સૈન્યએ એવો દાવો કર્યો કે નો-ફાયર ઝોનની બહાર તમિલ ટાઈગર્સના અંકુશ હેઠળ ફક્ત એક ચોરસ કિલોમીટરનો વિસ્તાર જ રહી ગયો છે. ત્રણ વર્ષ કરતા પણ ઓછાં સમય પૂર્વે, એલટીટીઇનો 15,000 કિ.મી.2 વિસ્તાર પર અંકુશ હતો. મહિન્દા રાજાપક્ષા પર આ સંઘર્ષનો રાજકીય ઉકેલ શોધી કાઢવા માટે દબાણ કરવામાં આવ્યું અને તેમણે ટાઈગર્સ સાથે જોડાયેલા સાંસદો સાથેની એક બેઠક બોલાવી, પરંતુ સરકાર લડાઇમાં ફસાયેલા નાગરિકો દ્વારા ભોગવવા પડતાં માનવીય સંકટનો ઉકેલ કાઢે નહીં ત્યાં સુધી તેમણે આનો ઈનકાર કરી દીધો.[૨૧૩]

નો-ફાયર ઝોનમાં લડાઈ ફેરફાર કરો

5 એપ્રિલ, 2009ના રોજ, શ્રીલંકાના સૈન્યના સૈનિકોએ સંપૂર્ણ પુથુક્કુદિયિરીપ્પુ વિસ્તારને પોતાનાં કબ્જામાં લઈ લીધો, જેના કારણે તમિલ ટાઈગર્સ નાગરિકો માટે ઉભા કરાયેલા નો-ફાયર ઝોનમાં પેસી ગયા.[૨૧૪][૨૧૫]


20 એપ્રિલ, 2009ના રોજ, નો-ફાયર ઝોનની પશ્ચિમી હદે એલટીટીઇ દ્વારા બાંધવામાં આવેલા3-kilometre (2 mi) લાંબા અર્થ બન્ડને શ્રીલંકાના સૈન્યના સૈનિકોએ કબ્જે કરીને પુથુમથાલન તથા આમ્પલાલાવનપોક્કાની વિસ્તારમાં ફસાયેલા આશરે 30,000 નાગરિકોને છોડાવ્યાં.[૨૧૬][૨૧૭] દરમિયાન, એલટીટીઇએ શ્રીલંકાની સરકાર પર તેના છેલ્લાં લશ્કરી આક્રમણ દરમિયાન આશરે 1,000 નાગરિકોની હત્યા કરવાનો અને અન્ય ઘણાંને ઘાયલ કરવાનો આરોપ લગાવ્યો.[૨૧૮] જો કે, એલટીટીઇએ ભાગી રહેલા નાગરિકો પર એક આત્મઘાતી બૉમ્બરનો ઉપયોગ કરીને આશરે 15 નાગરિકોને મારી નાખ્યા હતા.


21 એપ્રિલ, 2009ના રોજ, શ્રીલંકાના સૈનિકોએ એલટીટીઇ વિરુદ્ધ "આખરી આક્રમણ" કર્યું, ખાસ કરીને તેના નેતા, વેલુપિલ્લઈ પ્રભાકરનને નિશાન બનાવ્યો. તે જ સમયે, 'નો-ફાયર ઝોન'માંથી મોટાપાયે તમિલોની હિજરત ચાલુ હતી.[૨૧૯][૨૨૦]


22 એપ્રિલ, 2009ના રોજ, એલટીટીઇના બે વરિષ્ઠ સભ્યોએ (એલટીટીઇના મિડીયા કો-ઓર્ડિનેટર વેલાયુથન થેયાનિથિ, ઉર્ફે દયા માસ્ટર, અને ટોચના ઇન્ટરપ્રિટર કુમાર પંચરત્થનમ, ઉર્ફે જ્યોર્જ)[૨૨૧] આગળ ધપી રહેલાં શ્રીલંકાના સૈન્ય સમક્ષ આત્મસમર્પણ કર્યું. બળવાખોરોની નેતાગીરી માટે આ એક 'આકરા આઘાતરૂપ' બનાવ હતો અને મોટો આંચકો હતો.[૨૨૨]


25 એપ્રિલ, 2009 સુધીમાં, એલટીટીઇનાં અંકુશ હેઠળનો વિસ્તાર ઘટીને 10 કિલોમીટર2 થઈ ગયો. 'નો-ફાયર ઝોન'માંથી તમિલોની હિજરત યથાવત હતી, તે વખતે યુનાઇટેડ નેશન્સે જાન્યુઆરી 2009 અને એપ્રિલ 2009ની વચ્ચેના ગાળામાં આશરે 6,500 નાગરિકો માર્યા ગયા હોવાનો અને અન્ય 14,000 ઘાયલ થયા હોવાનો અંદાજ કાઢ્યો હતો.[૨૨૩][૨૨૪] બીબીસીએ જણાવ્યા અનુસાર, સૈન્ય દ્વારા બળવાખોરો પાસેથી પાછલા થોડા મહિનાઓમાં પુનઃ કબ્જે લેવાયેલી જમીન સંપૂર્ણપણે ખાલીખમ હતી અને તમામ જગ્યાએ વિનાશ જોવા મળતો હતો.[૨૨૫]


29 એપ્રિલ, 2009ના રોજ, સંરક્ષણ મંત્રાલયે 'હિડન રિયાલિટી સંગ્રહિત ૨૦૦૯-૦૫-૦૨ ના રોજ વેબેક મશિન' તરીકે ઓળખાતી મુલાકાતનું પ્રસારણ કર્યું, જેમાં દયા માસ્ટર તથા જ્યોર્જે 'નો-ફાયર ઝોન'માં તેમનો અનુભવ અને તેમણે વિતાવેલા સમયગાળાનું વર્ણન કર્યું. તમે શા માટે આત્મસમર્પણ કર્યુ હતું તેવું પૂછવામાં આવતા, બન્નેએ એ વાત પર ભાર મૂક્યો કે બળવાખોરો નાગરિકોને ઠાર કરી રહ્યાં હતા અને તેમને 'નો-ફાયર ઝોન'માંથી છટકીને સરકાર-અંકુશિત વિસ્તારોમાં સુરક્ષા મેળવવા માટે જતા અટકાવી રહ્યાં હતા. તેમણે એ વાતને સમર્થન આપ્યું કે એલટીટીઇ હજુ પણ 14 વર્ષ જેટલા નાનાં બાળકોનું અપહરણ કરીને તેમને ફરજિયાતપણે લશ્કરમાં ભરતી કરતી હતી, અને પ્રતિકાર કરનાર કોઇ પણ બાળકને ઠાર કરી દેતી હતી. બીબીસી ન્યૂઝે પણ એવા અહેવાલ આપ્યા હતા કે ટાઈગર્સ બળજબરીથી નાના બાળકોને ભરતી કરતી હતી અને લોકોને સરકાર-અંકુશિત વિસ્તારોમાં જતા અટકાવી રહી હતી.[૨૨૬]


8 મે, 2009ના રોજ, યુનાઇટેડ નેશન્સના સ્વતંત્ર નિષ્ણાતોનાં એક જૂથે હ્યુમન રાઇટ્સ કાઉન્સિલને શ્રીલંકામાં સૈન્ય અને તમિલ બળવાખોરોની લડાઈ વચ્ચે ઉભી થયેલી 'ગંભીર' પરિસ્થિતિના ઉકેલ માટે તાત્કાલિકપણે આંતરરાષ્ટ્રીય તપાસ કરવા જણાવ્યું. યુએન ઓફિસ ફોર કોઓર્ડિનેશન ઓફ હ્યુમેનિટેરિયન અફેર્સ (ઓસીએચએ)એ જણાવ્યા અનુસાર, આશરે 1,96,000 લોકો ઉત્તર-પૂર્વીય તટ પ્રદેશનાં એક નાનકડાં હિસ્સામાં આવેલા સંઘર્ષગ્રસ્ત વિસ્તારમાંથી વિસ્થાપિત થયા હતા. આ વિસ્તારમાં સરકારના દળો એ એલટીટીઇ વચ્ચે અથડામણો ચાલુ હતી. જ્યારે લગભગ 50,000 લોકો હજુ પણ ત્યાં ફસાયા હતા.[૨૨૭]


વિગ્રહગ્રસ્ત વિસ્તારમાં કામચલાઉ ધોરણે ઉભી કરાયેલી હોસ્પિટલમાં કામ કરતા ડૉ. વી. શનમુગરાજાહે એવો દાવો (જેની બીબીસીએ "ખાતરી કરવી અશક્ય" હોવાનું જણાવ્યું હતું.)કર્યો હતો કે 9 મે, 2009ની રાતભર ભારે અને લાંબા ચાલેલા તોપમારા દરમિયાન આશરે 378 નાગરિકો માર્યા ગયા હતા, જ્યારે અન્ય 1,122 ઈજાગ્રસ્ત થયા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે શ્રીલંકાના સૈન્ય દ્વારા અંકુશિત વિસ્તારમાંથી તોપમારો થઈ રહ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયે વિગ્રહગ્રસ્ત વિસ્તારમાં બીબીસીનો સ્રોત એક સરકારી અધિકારી હોય તે વાતનો ઇનકાર કર્યો હતો. શ્રીલંકાના સૈન્યએ 'નો-ફાયર ઝોન' પર તોપમારો કર્યો હોવાનો ઇનકાર કર્યો હતો, અને તે એલટીટીઇને આભારી હોવાનું જણાવ્યું હતું. માધ્યમોને આપવામાં આવેલો આ સ્થળનો વિડીયો અને આ સ્થળ પર યુદ્ધની અસર સ્પષ્ટપણે જણાતી હતી.[૨૨૮][૨૨૯] કોલમ્બોમાં રહેલા યુએનના ંપ્રવક્તા, ગોર્ડન વૅઇસે જણાવ્યું હતું કે 'નાગરિકોની મોટેપાયે હત્યા' દરમિયાન 100 કરતા વધુ બાળકો માર્યા ગયા હતા અને ઉત્તરીય શ્રીલંકામાં પ્રવર્તતી સ્થિતિને "ખુનામરકી" તરીકે વર્ણવી હતી.[૨૩૦]યુએનનાં મહાસચિવ બાન કી-મૂને જણાવ્યું હતું કે, પાછલા એક સપ્તાહથી સૈન્ય અને અલગાવવાદી તમિલ બળવાખોરો વચ્ચે ચાલી રહેલા વિગ્રહમાં સપડાયેલાં સેંકડો શ્રીલંકન નાગરિકોની હત્યાથી તેઓને આઘાત લાગ્યો છે. તેમણે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ભારે હથિયારોનો ઉપયોગ ચાલુ રહેવા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ તે વાત પર ભાર મૂક્યો હતો કે "નાગરિકોની સુરક્ષા પ્રત્યે એલટીટીઇએ દર્શાવેલા અવિચારી અનાદરને કારણે સેંકડો લોકો આ વિસ્તારમાં ફસાયેલાં છે."[૨૩૧]


13 મે, 2009ના રોજ, મલ્લીવૈકલમાં ડૉ. ટી. વરથરાજાહે બીબીસીને જણાવ્યું હતું કે આ ઝોનની મુખ્ય હોસ્પિટલના પ્રાંગણમાં બે તોપગોળાં આવી પડતાં 50થી વધુ લોકોના મોત થયા હતા. યુએનમાં રહેલા સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ આ આંકડા સાથે સહમત છે અને તેમણે 100 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ જણાવ્યું હતું. તોપમારા દરમિયાન ઇન્ટરનેશનલ કમિટિ ઓફ ધ રેડ ક્રોસ માટે કામ કરતો એક શ્રીલંકન ટેક્નીશિયન તેની માતા સમેત મૃત્યુ પામ્યો હતો, એવું આ સંસ્થાએ જણાવ્યું હતું. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ શ્રીલંકાને નાગરિકો પર "અવિવેકી તોપમારો" બંધ કરવા વિનંતી કરી હતી અને તમિલ ટાઈગર બળવાખોરોને તેમના હથિયારો હેઠાં મૂકી દેવા માટે વિનંતી કરી હતી.[૨૩૨][૨૩૩] સર્વસંમતિથી બહાર પાડેલા એક નિવેદનમાં, યુએન સિક્યોરિટી કાઉન્સિલે "નાગરિકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરવા બદલ એલટીટીઇની કડક આલોચના કરી હતી અને આતંકવાદનો મુકાબલો કરવાનો શ્રીલંકાની સરકારને કાયદેસરનો અધિકાર હોવાનો સ્વીકાર કર્યો હતો." તેની સાથે સાથે, કાઉન્સિલનાં સદસ્યોએ "નાગરિકોની ગીચ વસતી ધરાવતા વિસ્તારોમાં ભારે ક્ષમતા ધરાવતા હથિયારોનો ઉપયોગ ચાલુ રહેવા અંગેના અહેવાલો પ્રત્યે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી, અને આ સંદર્ભમાં શ્રીલંકાની સરકાર પોતાની પ્રતિબદ્ધતાનું પાલન કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી."[૨૩૪]


16 મે, 2009ના રોજ, શ્રીલંકાના સૈનિકોએ એલટીટીઇની કિલ્લેબંધી તોડી પાડી અને તમિલ ટાઈગર બળવાખોરોના કબ્જામાં રહેલું સમુદ્રતટનું છેલ્લું મથક નિયંત્રણમાં લીધું. સૈન્યએ એક હેવાલમાં જણાવ્યું હતું કે તે થોડા દિવસોમાં જ બળવાખોરોના અંકુશમાં રહેલી બાકીની જમીનને "સાફ" કરવા માટે સજ્જ છે.[૨૩૫][૨૩૬] સૈન્યએ દાવો કર્યા બાદ, એલટીટીઇના આંતરવામાં આવેલા સંદેશાવ્યવહારમાં જાણવા મળ્યું કે, બચી નીકળવાના તમામ રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ જવાથી બળવાખોરો સામુહિક આત્મહત્યા કરવા માટે તૈયારી કરી રહ્યાં હતા.[૨૩૭] કેટલાક બળવાખોરોએ પોતાની જાતને ધડાકામાં ઉડાવી દીધી હોવાના અહેવાલ પણ હતા.[૨૩૮]


ધ ટાઈમ્સ અખબારે યુનાઇટેડ નેશન્સમાં રહેલા એક સ્રોતના હવાલાથી એવો અહેવાલ આપ્યો હતો કે, સુરક્ષિત વિસ્તારમાં લગભગ 20,000 નાગરિકોના જાન ગયા હતા.[૨૩૯] આ અખબારે વધુમાં એવું ભારપૂર્વક જણાવ્યું હતું કે કેટલાંક મોત પાછળ તમિલ ટાઈગર્સ જવાબદાર હતા, પરંતુ મોટાભાગનાં મોત શ્રીલંકાના સૈન્ય દ્વારા કરાયેલા તોપમારાના પરિણામે થયા હતા. યુએને એવો અંદાજ આપ્યો હતો કે એપ્રિલના મધ્યભાગ સુધીના ત્રણ મહિનાઓમાં 6,500 નાગરિકોના મોત નિપજ્યાં હતા, આ તારીખ પછીનો કોઈ સત્તાવાર આંકડો તેની પાસે નહોતો. ધ ટાઇમ્સે એવું ભારપૂર્વક જણાવ્યું હતું કે લડાઇના આખરી બે સપ્તાહ દરમિયાન મૃત્યુનો આંક વધીને પ્રતિદિન 1,000 સુધી પહોંચ્યો હતો.[૨૪૦] યુનાઇટેડ નેશન્સે જણાવ્યું કે તેની પાસે નાગરિક જાનહાનિનો કોઇ જ ખાતરીપૂર્વકનો અંદાજ નથી અને શ્રીલંકાની સરકારે પણ ટાઈમ્સ ના આક્ષેપોને રદિયો આપ્યો હતો.[૨૪૧] ધ ગાર્ડિયન અખબારે, યુનાઇટેડ નેશન્સના અન્ય એક અધિકારીને ટાંકીને, ટાઈમ્સના આંકડાને "અજાણપણે ગંભીર અનુમાન કરનારાં આંકડા" ગણાવ્યા હતા. ધ ગાર્ડિયને, ધ ટાઇમ્સના આંકડાઓમાં વ્યક્ત કરાયેલા ઘણાં અનુમાનો સામે પ્રશ્નાર્થ ઉઠાવ્યો હતો.[૨૪૨]


અહેવાલમાં નાગરિક વિગ્રહના આખરી તબક્કામાં સામુહિક નાગરિક જાનહાનિનું વર્ણન કરનારા પાંચ ડોક્ટરો (શિવપાલન, વી. શનમુગારાજા, થુરઇરાજા વરથરાજા, સત્યમૂર્થિ અને ઈલાંચેલિયાન)એ 8 જુલાઈ, 2009ના રોજ નિવેદનો જારી કરીને પોતાના અહેવાલોનું જ ખંડન કર્યું હતું.[૨૪૩] તેમણે જણાવ્યું હતું કે તેમણે જારી કરેલા જાનહાનિના આંકડા અતિશયોક્તિપૂર્ણ હતા અને તેમને તે તમિલ ટાઈગર્સ દ્વારા આપવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યા પ્રમાણે જાન્યુઆરી 2009 અને મે 2009માં યુદ્ધનો અંત આવ્યો તે વચ્ચેના ગાળા દરમિયાન આશરે 600-700 નાગરિકોના મોત થયા હતા અને તેનાથી બમણી સંખ્યામાં રહેલા લોકોને ઇજા થઈ હતી. આ આંકડા અને આંતરરાષ્ટ્રીય રાહત સંસ્થાઓ દ્વારા જારી કરાયેલા આંકડા વિરોધાભાસી હતાઃ યુનાઈટેડ નેશન્સે જણાવ્યું કે જાન્યુઆરીના અંતભાગ અને એપ્રિલના પ્રારંભની વચ્ચેના ગાળામાં 6,500 લોકોના મોત થયા હતા; અને રેડ ક્રોસે ફેબ્રુઆરીના મધ્યભાગ અને મેનાં મધ્યભાગની વચ્ચેના ગાળામાં 14,000 માંદા તથા ઇજાગ્રસ્ત લોકોને બહાર કાઢ્યાં હતા. ડૉક્ટરોએ પણ જણાવ્યું હતું કે 2 ફેબ્રુઆરીના રોજ કોઇ હોસ્પિટલ પર તોપમારો કરવામાં આવ્યો હતો તે વાત સાચી નથી. જો કે, યુનાઇટેડ નેશન્સ અને રેડ ક્રોસે, કે જેમના કર્મચારીઓ સુરક્ષિત વિસ્તારમાં તૈનાત હતા, જણાવ્યું કે હોસ્પિટલ પર તોપમારો કરવામાં આવ્યો હતો અને નાગરિકો માર્યા ગયા હતા.[૨૪૩]


યુનાઇટેડ નેશન્સે જણાવ્યું કે તે જાનહાનિના પોતાના આંકડાઓ પર મક્કમ છે.[૨૪૩] એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે જણાવ્યું કે ડોક્ટરો દ્વારા અહેવાલોનું કરાયેલું ખંડન ભરોસાને પાત્ર નથી કેમ કે તેમને શ્રીલંકાના સૈન્યએ બે મહિના સુધી અટકાયતમાં રાખ્યા હતા અને તેમને વકીલોને મળવા દીધા નહોતા; તેમના પર સિતમ ગુજારવામાં આવ્યો, ગેરવર્તણૂંક કરવામાં આવી અને જોર-જબરદસ્તીના અન્ય વિકલ્પો પણ અજમાવવામાં આવ્યા; વરિષ્ઠ સરકારી અધિકારીઓએ ડૉક્ટરોને રાજદ્રોહ સહિતના ગંભીર ગુનામાં સંડોવવાની ધમકી આપી; અને ડોક્ટરોના તાજેતરના વિરોધાભાસી નિવેદનો પોતે જ સત્ય પ્રમાણિત કરે છે.[૨૪૪] એમ્નેસ્ટીએ જણાવ્યું કે તેને ડોક્ટરોની સુરક્ષાની ચિંતા સતાવે છે. આ સંસ્થાએ બન્ને પક્ષો દ્વારા આચરવામાં આવેલા કથિતયુદ્ધ ગુનાંઓની સ્વતંત્ર તપાસ યોજવાની વારંવાર માગ કરી હતી. એમ્નેસ્ટીએ યુએન અને રેડ ક્રોસ સહિતની તમામ સ્વતંત્ર સંસ્થાઓ, કે જેમણે યુદ્ધના આખરી તબક્કા અંગેની માહિતી એકત્ર કરી હતી, તેમને આ માહિતી જારી કરવાની વિનંતી કરી જેથી વિશ્વ જાનહાનિના આંકડા તથા યુદ્ધ ગુન્હાઓ અંગેનું સત્ય જાણી શકે.

યુદ્ધનો અંત ફેરફાર કરો

16 મેઃ પ્રમુખે વિજયની ઘોષણા કરી ફેરફાર કરો

શ્રીલંકાના પ્રમુખ મહિન્દા રાજાપક્ષાએ 16 મે, 2009ના રોજ વિજયની ઘોષણા કરી. જો કે, ત્યારપછીના દિવસ સુધી યુદ્ધનો અંત આવ્યો નહોતો. શ્રીલંકાનાં સૈનિકો એલટીટીઇના છેલ્લાં પ્રતિકાર સ્થાનોની સાફસૂફી કરવા માટે આગળ ધપી રહ્યાં હતા. એલટીટીઇનાં છેલ્લા ગઢસમાન સ્થળોનો નાશ થયો, બોટ દ્વારા ભાગી જવાનો પ્રયાસ કરી રહેલા 70 બળવાખોરોને શ્રીલંકાના સૈનિકોએ મારી નાખ્યા. એલટીટીઇનો નેતા વેલુપિલ્લઈ પ્રભાકરન અને અન્ય મહત્વના બળવાખોર નેતાઓનાં સ્થાન અંગે ખાતરી કરી શકાઇ નહોતી, જો કે, શ્રીલંકાની સરકારે 17 મે, 2009ના રોજ પ્રભાકરનને મૃત ઘોષિત કર્યો.[૨૪૫] એલટીટીઇના વિવિધ અન્ય મહત્વના કમાન્ડરોએ આત્મહત્યા કરી.[સંદર્ભ આપો] શ્રીલંકાના વિજયના સમાચાર સાંભળીને, લોકોએ કોલમ્બોમાં ઉજવણી કરી.[૨૪૬]

17 મેઃ ટાઈગર્સે પરાજય સ્વીકાર્યો ફેરફાર કરો

આખરે 17 મે, 2009ના રોજ એલટીટીઇએ પરાજયનો સ્વીકાર કર્યો, તે સાથે જ બળવાખોરોના આંતરરાષ્ટ્રીય રિલેશન્સ વિભાગના વડા સેલ્વરાસા પથ્મનાથને વેબસાઇટ પર જણાવ્યું કે "આ યુદ્ધ તેના કડવા અંત સુધી પહોંચી ગયું છે... અમે અમારી બંદૂકોને શાંત કરી દેવાનો નિર્ણય કર્યો છે. અમને એકમાત્રપણે જેમના જીવ ગયા છે તેમના માટે દિલગીરી છે તથા અમે લાંબો સમય પ્રતિકાર ચાલુ રાખી શકીએ તેમ નથી".[૨૫][૨૪૭]

18 મેઃ પ્રભાકરનનું મોત ફેરફાર કરો

શ્રીલંકાના સૈન્ય દળોએ એલટીટીઇના નેતા વેલુપિલ્લઈ પ્રભાકરનનું 18 મે, 2009ની સવારે મોત નિપજ્યું હોવાની વાતને સમર્થન આપ્યું. સૈન્યએ જણાવ્યું કે તેણે ઉત્તર-પૂર્વીય પ્રદેશના જંગલોનાં એક નાનકડાં હિસ્સામાં પ્રભાકરનને ઘેરી લીધો હતો, સૈન્યના આ નિવેદનના ટૂંક સમય બાદ સરકારના ટેલિવિઝન પર ઘોષણા કરવામાં આવી. ધ ડેઇલી ટેલિગ્રાફ ના અહેવાલ પ્રમાણે, શ્રીલંકન ટીવીએ જણાવ્યા અનુસાર પ્રભાકરન જ્યારે પોતાના નજીકના સાથીઓ સાથે એક એમ્બ્યુલન્સમાં બેસીને યુદ્ધભુમિમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે એક રોકેટ-સંચાલિત ગ્રેનેડ હુમલામાં તેનું મોત થયું. તેના "સી ટાઈગર્સ" નૌકાદળના વડા કર્નલ સૂસાઈ, અને તેનો ઇન્ટેલિજન્સ ચીફ પોટ્ટુ અમ્માન પણ આ હુમલામાં માર્યા ગયા હતા.[૨૪૮] શ્રીલકાના સૈન્યના વડા જનરલ સરથ ફોન્સેકાએ જણાવ્યું કે સૈન્યએ બળવાખોરોને હાર આપી છે અને "સમગ્ર દેશને મુક્તિ" અપાવી છે. સૈન્યના પ્રવક્તા બ્રિગેડિયર ઉદયા નનાયાક્કારાએ પ્રભાકરનનાં મોતને સમર્થન આપતા, જણાવ્યું કે રાત દરમિયાન 250 તમિલ ટાઈગર્સ પણ માર્યા ગયા હતા.[૨૪૯] માત્ર નાગરિકો માટે જ ઉભા કરાયેલા ઝોનમાં તેઓ છૂપાયા હતા તથા લડત આપી રહ્યાં હતા.[૨૫૦] જનરલ સરથ ફોન્સેકાએ 19 મે, 2009ના રોજ પ્રભાકરનનું શબ મળી આવ્યું હોવાને સમર્થન આપ્યું હતું. એલટીટીઇના વડાનું શબ મેજર જનરલ કમલ ગૂણરત્નેની આગેવાની હેઠળના 53 ડિવિઝન ટ્રૂપ્સને મળી આવ્યું હતું.[૨૫૧]

પ્રત્યાઘાત: ફેરફાર કરો

શ્રીલંકા ફેરફાર કરો

18 મે 2009ના રોજ, યુનાઈટેડ નેશનલ પાર્ટીના નેતા રાનિલ વિક્રમસિંઘેએ, એક ટેલિફોન કૉલ દ્વારા પ્રમુખ મહિન્દા રાજાપક્ષાને તથા દેશના સુરક્ષા દળોને તેમણે મેળવેલા વિજય બદલ અભિનંદન આપ્યા.[૨૫૨] એ જ દિવસે જારી કરાયેલી એક અખબારી યાદીમાં, રોમન કેથોલિક આર્કબિશપ ઓસ્વાલ્ડ ગોમિસે પણ અભિનંદન પાઠવ્યા હતા.

I congratulate His Excellency President Mahinda Rajapakse, President of the Democratic Socialist Republic of Sri Lanka, for his very courageous leadership and thank the Chiefs of the Defense outfit who supported him with deep commitment and self-sacrifice. I also offer my deepest sympathies to those who laid down their lives in battle and those innocent civilians killed, trapped in war.

In a sense we could say that we have won the battle but the war is not ended. The war would end only on the day that we grow in nationhood realizing that we are all one people in one country with equal right. We have to realize the fact that we are a multi-ethnic, multi-religious and multi-cultural community. As such we are now left with the great task of nation- building forgetting our ethnic, political and religious differences.

It is imperative that there be a political formula that will inspire confidence and promote a sense of belonging among the minority groups in the country. We have to leave the sad and bitter memories of the past three decades and look positively and optimistically towards the future in hope. All of us have to share the blame for our division and forgive each other. We should have the humility and wisdom to learn from the sad experiences of that past.

It is then, and only then, that we could build nationhood that will bring true peace and prosperity to our beloved country - Sri Lanka. Let us always remember that united we will flourish but divided we will perish.[૨૫૩]

યુદ્ધના અંતની જાહેરાત થતાની સાથે, શ્રીલંકાના શેરબજારમાં કોઇ પણ સમયનો ટકાવારીની દૃષ્ટિએ સૌથી મોટો ઉછાળો નોંધાયો.[૨૫૪]

આંતરરાષ્ટ્રિય સંસ્થાઓ ફેરફાર કરો

  United Nations- જીનેવા ખાતે 19 મે, 2009ના રોજ યોજાયેલી એક પત્રકાર પરિષદમાં, યુનાઇટેડ નેશન્સના મહાસચિવ બાન કી-મૂને જણાવ્યું હતું કે, "સૈન્ય ઓપરેશનની પૂર્ણાહુતિને લીધે મે નિરાંતનો શ્વાસ લીધો છે, પરંતુ અસંખ્ય નાગરિકોની જાનહાનિને લીધે હું ભારે વ્યથિત છું. હવે શ્રીલંકાના લોકોની સામે જે કાર્ય આવી પડ્યું છે તે વિરાટ છે અને તેમાં તમામ લોકોની મદદની જરૂર છે. દેશમાં સુધારણા અને રાષ્ટ્રમાં મતભેદોની પતાવટની પ્રક્રિયા શરૂ કરવા માટે તમામ પ્રયાસ કરવામાં આવે એ સૌથી મહત્વપૂર્ણ છે. આજે પ્રમુખ રાજાપક્ષાએ સંસદમાં જે સંબોધન કર્યું હતું તે મેં અત્યંત કાળજીપૂર્વક સાંભળ્યું હતું. તમિલ લોકો અને અન્ય લઘુમતીઓની કાયદેસરની ચિંતાઓ તથા આકાંક્ષાઓ સંપૂર્ણપણે સંતોષાવી જ જોઈએ." ત્યારપછી મહાસચિવે યુદ્ધગ્રસ્ત પ્રદેશની તેમની આગામી મુલાકાતની જાહેરાત કરી હતી.[૨૫૫]

બ્રુસેલ્સમાં 18 મે, 2009ના રોજ યુરોપીય સમિતિની બેઠક યોજાઇ હતી, જેમાં "ધ ગવર્મેન્ટ ઓફ શ્રીલંકા અરજન્ટલી ટુ પ્રોસીડ ટુવર્ડસ અ કોમ્પ્રિહેન્સિવ પોલિટિકલ પ્રોસેસ" અને "ધ પ્રેસિડેન્ટ ઓફ શ્રીલંકા ટુ આઉટલાઇન અ ક્લીઅર પ્રોસેસ લિડીંગ ટુ અ ફુલ્લી ઇન્ક્લુઝિવ પોલિટિકલ સોલ્યુશન, બેઝ્ડ ઓન કન્સેન્ટ, ઇક્વાલિટી એન્ડ ધ રૂલ ઓફ લૉ" તરીકે ઓળખાતા નિવેદનોનો સ્વીકાર કરવામાં આવ્યો. આ સમિતિએ જણાવ્યા પ્રમાણે આ પ્રકારના પગલાં એ શ્રીલંકામાં લાંબા ગાળાની સુરક્ષા, વિગ્રહ પછીની પુનઃરચના અને સમૃદ્ધિ તરફ દોરી જતો એકમાત્ર રસ્તો છે. આ નિવેદનનાં નિષ્કર્ષ અનુસારઃ "યુરોપીયન યુનિયન યુનાઇટેડ નેશન્સની હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ દ્વારા યોગ્ય પગલાની માગ યથાવત રાખે છે."[૨૫૬] ધ ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, યુરોપીયન યુનિયનનાં સદસ્ય રાષ્ટ્રોએ માનવ અધિકારોના ઉલ્લંઘનની દહેશત હોવા છતાં પણ શ્રીલંકાની સરકારને હથિયારોનું વેચાણ કર્યું હતું.[૨૫૭]

અન્ય દેશો ફેરફાર કરો

વિદેશ પ્રધાન લૉરેન્સ કેનને જણાવ્યું હતું કે, "શ્રીલંકામાં સૈન્યના પગલાને લીધે નાગરિકો પર પડેલી આઘાતજનક અસર અને પગલાં બાદનાં ખરાબ પ્રત્યાઘાતથી કેનેડાના લોકો અત્યંત ચિંતિત છે." આ ભયાવહ, દશકો-લાંબા યુદ્ધે શ્રીલંકાના લોકો ઉપર કહી ન શકાય તેવો વિનાશ અને અતિશય દુઃખ લાદ્યું છે. કેનેડાની સરકાર નાગરિકોની જાનહાનિ માટે ચિંતા વ્યક્ત કરવા ઇચ્છે છે અને આ જુગુપ્સાપ્રેરક સંઘર્ષમાં પોતાના મિત્રો તથા કૌટુંબિક સદસ્યોને ગુમાવનારા શ્રીલંકાના લોકો તથા વિશ્વભરના લોકોને પોતાની દિલસોજી પાઠવવા ઇચ્છે છે. શ્રીલંકાના તમામ લોકોની કાયદેસરની અપેક્ષાઓ સંતોષે તેવો લાંબા ગાળાનો રાજકીય ઉકેલ શોધી કાઢવાની ક્વાયત શરૂ કરવા માટે કેનેડાની સરકાર શ્રીલંકાની સરકારને વિનંતી કરે છે. રાજકીય સમજૂતી અને લાંબો સમય ટકી રહે તેવી શાંતિનો રસ્તો શોધવા માટેના શ્રીલંકાના પ્રયાસોમાં મદદરૂપ થવા કેનેડા તૈયાર છે."[૨૫૮]

ભારતના વિદેશ મંત્રાલયે 18 મે, 2009ના રોજ એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે "આજે દિવસના પ્રારંભમાં વિદેશી બાબતોના પ્રધાન શ્રી પ્રણવ મુખર્જી સાથેની ટેલિફોન પર થયેલી વાતચીતમાં, શ્રીલંકાના પ્રમુખે શ્રીલંકામાં સશસ્ત્ર વિગ્રહનો અંત આવ્યો હોવાને અને એલટીટીઇનો નેતા વેલુપિલ્લઈ પ્રભાકરન મૃત્યુ પામ્યો હોવાની વાતને પુષ્ટિ આપી હતી. આ દુઃખદ સંઘર્ષને લીધે અસર પામેલા લોકોને રાહત પૂરી પાડવા તથા વિસ્થાપિત થયેલા તમામ લોકોનું ઝડપી પુનઃવસન કરાવીને તેમનું જીવન શક્ય તેટલી જલ્દી પુનઃ સામાન્ય કરવા માટે ભારત શ્રીલંકાના લોકો અને સરકારની સાથે મળીને કામ કરશે.

અમારા દૃષ્ટિકોણ પ્રમાણે શ્રીલંકામાં પરંપરાગત સંઘર્ષનો અંત આવ્યો છે, આ એક એવી ઘડી છે કે જ્યારે શ્રીલંકામાં સંઘર્ષના મૂળ કારણોનો ઉકેલ લાવી શકાશે. આ ઉકેલમાં શ્રીલંકાના બંધારણની સીમામાં રહીને સત્તાનાં અસરકારક વિકેન્દ્રીકરણ તરફના રાજકીય પગલાઓનો સમાવેશ થાય છે જેથી તમિલ સહિતની તમામ જાતિના શ્રીલંકાવાસીઓને પોતાની ખુદની માતૃભૂમિની લાગણી થાય અને તેઓ તેમની સ્વૈચ્છા મુજબ જીવન જીવી શકે.[૨૫૯]

  Iran- ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાનનાં વિદેશ પ્રધાન મનોશેહર મોટ્ટેકીએ 19 મે, 2009ના રોજ શ્રીલંકાનાવિદેશ પ્રધાન રોહિતા બોગોલાગામા સાથે ટેલિફોન પર થયેલી વાતચીત દરમિયાન એલટીટીઇના આતંકવાદને પરાસ્ત કરવામાં શ્રીલંકાએ મેળવેલી સફળતા બદલ પ્રમુખ, વિદેશ પ્રધાન અને શ્રીલંકાની સરકારને ઉમળકાભેર અભિનંદન પાઠવ્યા હતા.

"ઇરાન શ્રીલંકા સાથે નજીકના સંબંધો ધરાવે છે અને તેણે હંમેશા આતંકવાદની આલોચના કરી છે અને, સતતપણે શ્રીલંકાના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડતાનો પક્ષ લીધો છે." તેમણે જણાવ્યું હતું કે તેઓ ઇરાનના રાષ્ટ્રપતિ વતી વાત કરી રહ્યાં છે જેમણે શ્રીલંકાને તેમની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે તથા તેઓ પરસ્પર અનુકૂળ સમયે શ્રીલંકાના પ્રમુખ સાથે અંગતપણે વાત કરશે. ઉત્તરીય શ્રીલંકામાં આઇડીપીની માટે તાત્કાલિક રાહત અભિયાન હાથ ધરવા માટે, ઇરાને રેડ ક્રેસન્ટ મારફત સહાયનો પ્રસ્તાવ પણ મૂક્યો છે.[૨૬૦]

  Japan- જપાનનાં વડાપ્રધાનના કાર્યાલયે, શ્રીલંકાના પ્રમુખ મહિન્દા રાજાપક્ષે સાથે જાપાનનાં વડાપ્રધાન તારો આસોએ ટેલિફોન પર કરેલી વાતચીતની યાદી બહાર પાડી હતી. આ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે વડાપ્રધાને શ્રીલંકા સરકાર અને લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલમ વચ્ચેના આંતરવિગ્રહનાં અંતને આવકાર આપ્યો હતો. આ નિવેદનમાં જણાવવામાં આવ્યા અનુસાર "હવે, આંતરિકપણે વિસ્થાપિત લોકોને મદદરૂપ થવાનું તથા તેમનું પુનઃસ્થાપન કરવાનું તેમજ શાંતિના નિર્માણની દિશામાં રાજકીય પ્રક્રિયામાં આગેકૂચ દર્શાવવાનો પ્રારંભ કરવો એ મહત્વની બાબતો છે."

તેમણે એ વાત ઉપર પણ વિશેષ ભાર આપ્યો હતો કે ગરીબી એ આતંકવાદની પૃષ્ઠભૂમિ તૈયાર કરી આપનારા પૈકીનું એક પરિબળ છે. આ યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે શ્રીલંકાના વડાપ્રધાનને શ્રીલંકામાં બુનિયાદી સુવિધાઓનું નિર્માણ જોવું ગમશે, અને ઉમેર્યું હતું કે જાપાન શ્રીલંકાના પ્રયાસોમાં શક્ય તેટલી મદદ કરશે.[૨૬૧]

ઢાંચો:MDV- માલદીવના પ્રમુખ મોહમદ નાશીદ અને ઉપ-પ્રમુખ મોહમ્મદ વાહીદ હસને શ્રીલંકાની સરકાર અને લોકોને તેમના દેશમાં દશકોથી ચાલતા સંઘર્ષનો અંત લાવવામાં સફળ થવા બદલ અભિનંદન પાઠવ્યાં હતા.

શ્રીલંકાની સરકાર અને લોકો પ્રત્યે તેમના ટેકા અને સહાનુભૂતિ ચાલુ રહેવાનો પ્રમુખે પુનરોચ્ચાર કર્યો હતો, કેમકે શ્રીલંકા પણ એકસમાન રાષ્ટ્ર જ છે. "આ અવસરે હું માલદીવની સરકાર તથા લોકોની વતી આપના રાષ્ટ્રપતિ તથા શ્રીલંકાના લોકોને અમારી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું."[૨૬૨]

"શ્રીલંકાના ઇતિહાસનો આ સૌથી મહત્વનો પ્રસંગ શ્રીલંકાના લોકોને વધુ સમાનતા અને ન્યાયિતાની અનુભૂતિની દિશામાં દોરી જતો માર્ગ મોકળો કરશે."[૨૬૩]

ઢાંચો:NOR- નોર્વેના વિદેશ પ્રધાન જોનાસ ગેહર સ્ટોરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે "આ યુદ્ધમાં પોતાના સંબંધીઓ અને પ્રિયજનોને ગુમાવનારા તમામ લોકોની સાથે અમારી સહાનુભૂતિ છે. આપણે ભોગ બનનારા લોકોને મદદ કરવા માટે સહકાર આપવો જ જોઈએ. શરણાર્થી શિબિરમાં રહેલા લોકોને ઘરે પરત ફરવાની તાત્કાલિકપણે છૂટ અવશ્ય મળવી જોઈએ."

સ્ટોરે એમ પણ જણાવ્યું હતું કે, આંતરિકપણે વિસ્થાપિત લોકો માટેની શરણાર્થી શિબિરોમાં યુનાઇટેડ નેશન્સ દ્વારા કરાયેલી માગ અનુસાર પરિસ્થિતિમાં સુધારો અવશ્ય થવો જોઇએ.[૨૬૪]

  Pakistan-પાકિસ્તાનનાં વિદેશ રાજ્ય પ્રધાન નવાબઝાદા મલિક આમદ ખાને શ્રીલંકાના ઉપ વિદેશ પ્રધાન હુસૈન એ. ભાઈલાની સાથે ટેલિફોન કરીને શ્રીલંકાને "આતંકવાદ પર મેળવેલા ભવ્ય વિજય" બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પાકિસ્તાનના વિદેશ રાજ્ય પ્રધાને જણાવ્યું કે પાકિસ્તાન હંમેશાથી શ્રીલંકાનું અડગ મિત્ર રહ્યું છે અને તે આ દેશની એકતા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું મજબૂત ટેકેદાર રહ્યું છે. આતંકવાદનો સામનો કરવામાં શ્રીલંકાને તેમની સરકારનો સતત સહકાર મળતો રહેશે તે બાબતનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે પોતાની શુભેચ્છાઓ તથા અભિનંદનને પ્રમુખ મહિન્દા રાજાપક્ષે અને વિદેશ પ્રધાન રોહિતા બોગોલાગામા સુધી પહોંચાડવા ઉપ પ્રધાનને વિનંતી કરી હતી.[૨૬૫]

  Philippines- ફિલિપાઈન્સના વિદેશી બાબતોના વિભાગે 22 મે, 2009ના રોજની અખબારી યાદીમાઃ "ઉત્તરીય શ્રીલંકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની વાપસીનું સ્વાગત કર્યું હતું અને ત્યાના તમિલ લઘુમતીઓ દ્વારા ભોગવવી પડતી સમસ્યાઓનો સર્વગ્રાહી, ન્યાયિક અને ટકી રહે એવો રાજકીય ઉકેલ શોધવા માટેના શ્રીલંકાના પ્રયાસોને ટેકો જાહેર કર્યો હતો.

ફિલિપાઇન્સે તમિલ લઘુમતીઓ તેમના દેશમાં શાંતિના ફળ ચાખી શકે એવો લાંબા સમયનો રાજકીય ઉકેલ શોધવામાં આવશે એવી આશા વ્યક્ત કરી હતી."[૨૬૬]

  Russia- "રશિયાની સરકાર એલટીટીઇ (લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલમ)ના આતંકવાદને પરાજય આપવામાં આ દેશને મળેલી સફળતા બદલ શ્રીલંકાના પ્રમુખ અને લોકોને ઉષ્માસભર અભિનંદન પાઠવે છે," એવું રશિયાની સરકારના માહિતી વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું.

શ્રીલંકાના વિદેશ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે રશિયાએ આતંકવાદ અને અલગાવવાદ વિરુદ્ધની શ્રીલંકાની સરકારની લડાઇને ટેકો આપતું હોવાનું જણાવ્યું હતું.

રશિયાએ એવી આશા વ્યક્ત કરી હતી કે શ્રીલંકામાં અડધી સદી કરતા પણ વધુ સમયથી ચાલનારા આ લોહિયાળ સશસ્ત્ર સંઘર્ષનો અંત દેશમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતાની સ્થાપનાની ગેરેન્ટી બની રહેશે.[૨૬૭]

ઢાંચો:ZAF- દક્ષિણ આફ્રિકાની સરકારે ડેપ્યુટી ઇન્ટરનેશનલ રિલેશન્સ એન્ડ કોઓપરેશન પ્રધાન એહરેઈમ ઇબ્રાહિમની મારફત શ્રીલંકામાં સૈન્ય કામગીરીના અંત આવવા અંગેનું એક નિવેદન બહાર પાડ્યું હતું.

"દક્ષિણ આફ્રિકાની સરકાર જે રીતે સૈન્ય આક્રમણ હાથ ધરવામાં આવ્યું હતું તે રીત પ્રત્યે દિલગીરી વ્યક્ત કરે છે અને યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કમિશનને તાત્કાલિકપણે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાયદાઓ અને જીનેવા સંમેલનન નિયમોના સંભવિત ભંગ અંગે તાત્કાલિકપણે તપાસ હાથ ધરવાની વિનંતી કરે છે," એવું ઇબ્રાહિમે જણાવ્યું હતું. આ નિવેદનમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિકપણે માનવીય મદદ તથા આંતરરાષ્ટ્રીય માધ્યમોને પ્રવેશવાની છૂટ આપવાની પણ માગ કરવામાં આવી હતી.

"દક્ષિણ આફ્રિકાની સરકારે 19 મે, 2009ના રોજની પ્રમુખ મહિન્દા રાજાપક્ષાના વ્યક્તવ્યમાં મન પ્રસન્ન કરનારા સ્વરની નોંધ લીધી છે અને અમે એવી આશા વ્યક્ત કરીએ છીએ કે લશ્કરી અભિયાનનો અંતે તમામ લઘુમતીઓ સાથે તેમના લાંબા સમયથી પડત પ્રશ્નોના ઉકેલ માટે શાંતિપ્રિય વાટાઘાટો હાથ ધરાશે. પક્ષો વચ્ચે શાંતિ અને સુલેહ સ્થાપવાનો હેતુ ધરાવતા કોઇ પણ પ્રયાસને અમે ટેકો આપતા રહીશું."[૨૬૮]

  Singapore- સિંગાપોરમાં યોજાયેલી શાંગરી-લા મંત્રણા દરમિયાન શ્રીલંકાના વિદેશ પ્રધાન રોહિતા બોગોલાગામાની સાથે સિંગાપોરના વિદેશ પ્રધાન જ્યોર્જ યેઓની મુલાકાત બાદ, 29 મે 2009ના રોજ સિંગાપોરના વિદેશી બાબતોના મંત્રાલયે એવું નિવેદન બહાર પાડ્યું હતું કે "શ્રીલંકામાં લાંબા સમયથી ચાવતા સંઘર્ષનો અંત આવેલો જોઇને સિંગાપોરે રાહત અનુભવી છે. આ સંઘર્ષને કારણે શ્રીલંકામાં મોટી જાનહાનિ થઇ હતી. માત્ર હજારો-સેંકડોની સંખ્યામાં રહેલા લોકોનાં જીવ જ નથી ગયા, પણ સેંકડો-હજારો શ્રીલંકન નાગરિકોને તેમના ઘરમાંથી વિસ્થાપિત થવું પડ્યું છે. શ્રીલંકાની સરકાર દ્વારા આખરે સૈન્ય અભિયાનની સમાપ્તિ કરવામાં આવતા ઇતિહાસનું એક દુઃખદ પ્રકરણ પૂરું કરવાની અને રાષ્ટ્રીયસ્તરે પ્રશ્નો ઉકેલવા તથા સમજૂતી સાધવાની પ્રક્રિયા શરૂ કરવાની તક મળી છે. શ્રીલંકામાં રહેલા તમામ સમાજના હિતોની સંપૂર્ણ વિચારણા કર્યા બાદ જ શાંતિ ટકી રહે તે માટેની લાંબા ગાળાની સમજૂતી ઘડવી જોઇએ અને તેનો અમલ કરવો જોઇએ."[૨૬૯]

એલટીટીઇના આતંકવાદીઓ ઉપર વિજય મેળવવા બદલ જ્યોર્જ યેઓએ રોહિતા બોગોલાગામા અને શ્રીલંકાની સરકારને અભિનંદન પાઠવ્યા હતા.[૨૭૦]

ઢાંચો:SUI- 19 મે, 2009ના રોજની એક અખબારી યાદીમાં, સ્વિટ્ઝરલેન્ડની સરકારે સશસ્ત્ર સંઘર્ષની સમાપ્તિને આવકાર આપ્યો હતો. જો કે, સ્વિટ્ઝરલેન્ડે "આંતરરાષ્ટ્રીય માનવતાલક્ષી કાયદાઓના ભંગ બદલ ખેદ વ્યક્ત કર્યો હતો અને તમામ પક્ષોને તેનું પાલન કરવા તથા કોઇ પણ સંજોગોમાં આંતરરાષ્ટ્રીય નિયમોનો આદર કરવા તથા અનુસરણ કરવાની અપીલ કરી હતી."

"સ્વિટ્ઝરલેન્ડ તમામ પક્ષો પાસે વેરભાવ પ્રેરતી ઉશ્કેરણીથી દૂર રહેવા તથા એકપક્ષીય અથવા સંયુક્ત સંમતિ વાળા પગલાઓ દ્વારા સુલેહની દિશામાં કામ કરવાની માગ કરે છે. તમામ પક્ષો તથા જૂથો તેમજ આ પ્રદેશના સદસ્યોએ સુલેહ પ્રક્રિયા શરૂ કરવા માટે અને રાજકીય મંત્રણાના સ્વરૂપમાં ટકી રહે તેવા ઉકેલ માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે મળીને મુક્તમને કામ કરવું જોઇએ."[૨૭૧]

  Turkey- શ્રીલંકાના પ્રમુખ મહિન્દા રાજાપક્ષાએ ટર્કીના પ્રમુખ અબ્દુલ્લાહ ગુલને ટેલિફોન કર્યો હતો. ટર્કીના પ્રમુખના મિ઼ડીયા સેન્ટર દ્વારા આ વાતચીતને બહાર પાડવામાં આવી હતી. શ્રીલંકાના પ્રમુખે ગુલને આતંકવાદ વિરુદ્ધની લડાઇમાં તાજેતરમાં મળેલી સિદ્ધિઓ અંગે જાણ કરી હતી. પ્રમુખ ગુલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ તાજેતરની ઘટનાઓથી અત્યંત ખુશ થયા છે અને તેઓ માનવતાવાદી મદદ પૂરી પાડવા તૈયાર છે.[૨૭૨]

  United Kingdom- વિદેશ સચિવ ડેવિડ મિલિબૅન્ડે 19 મે, 2009ના રોજ હાઉસ ઓફ કોમન્સમાં નીચેનું લેખિત નિવેદન કર્યું હતું કે - "19 મેના રોજ, શ્રીલંકાના પ્રમુખે સત્તાવારપણે એવી જાહેરાત કરી છે કે 18 મેના રોજ સૈન્યનાં સૈનિકોએ અગાઉ એલટીટીઇના કબ્જામાં રહેલો તમામ પ્રદેશ પુનઃ પ્રાપ્ત કર્યો છે અને તેમણે આ સંગઠનના વરિષ્ઠ નેતાઓની ધરપકડ કરી છે અથવા તો તેઓ માર્યા ગયા છે. લાંબા સમયથી ચાલતો અને અત્યંત ક્રૂર સંઘર્ષ આખરે પૂરો થતાં સિંહાલી, તમિલ અને મુસ્લિમ સહિતની શ્રીલંકાની તમામ જાતિઓએ રાહતનો શ્વાસ લીધો છે. શ્રીલંકાની સરકારને આ સંઘર્ષ માટે જવાબદાર કારણોનો ઉકેલ કાઢવા તથા લાંબા સમય સુધી ટકી રહે તેવી શાંતિ સાધવાની તક મળી છે. આ તકનો બખૂબી ઉપયોગ થાય અને તેને પગલે સંઘર્ષનો ટકાઉ અંત આવે તે માટે આપણે શ્રીલંકાની સરકાર તથા તેની તમામ જાતિઓની સાથે મળીને કામ કરવું જ પડશે. શ્રીલંકાની સરકારે યુદ્ઘ જીતવામાં જે ઉર્જાથી કામ કર્યું હતું તેવી જ રીતે શાંતિ સ્થાપિત કરવામાં પણ કામ કરે તે માટે આંતરરાષ્ટ્રીય સહભાગીઓની સાથે મળીને શ્રીલંકાની સરકારને પ્રોત્સાહિત કરવાની દિશામાં આ સરકાર આગામી સપ્તાહો અને દિવસો દરમિયાન સતતપણે પોતાનું લક્ષ્ય કેન્દ્રિત કરશે."[૨૭૩]

યુકેમાં વિદેશ અને કોમનવેલ્થ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન લોર્ડ મેલોક બ્રાઉને હાઉસ ઓફ લોર્ડસમાં આ મુદ્દે પ્રશ્ન ઉઠાવનાર લોર્ડ નેઝબીને પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે, "વાસ્તવમાં, પ્રમુખ સાથેનાં પ્રારંભિક સંપર્ક દરમિયાન અમે, તમિલ ટાઈગર્સ - એક આતંકવાદી જૂથ દ્વારા પ્રેરિત અને 26 વર્ષ ચાલનારા આ ક્રૂર યુદ્ધની સમાપ્તિ બદલ તેમને અભિનંદન આપ્યા હતા." લોર્ડ નેઝબી સાથે સંમત થતા, લોર્ડ મેલોક બ્રાઉને જણાવ્યું હતું કે, "આ અંગેનો રાજકીય ઉકેલ શ્રીલંકાની અંદરથી પ્રમુખ રાજાપક્ષા દ્વારા સ્થપાયેલી અને તેમની આગેવાની હેઠળની પ્રક્રિયા દ્વારા જ આવવો જોઇએ."

વધુ સંબોધનમાં, બ્રાઉને જણાવ્યું હતું કે, ""પરંતુ અમે તેઓને અત્યંત સ્પષ્ટ કહ્યું છે કે, યુદ્ધમાં મળેલા વિજયને શ્રીલંકાના ઇતિહાસના એક નવા અને આનંદપ્રદ પ્રકરણ તરીકે જોવું કે નહી એ બાબત શ્રીલંકાના પ્રમુખના હવે પછીના કદમ અને આ જાતિના પ્રશ્નોનો રાજકીય અથવા માનવતાવાદી ઉકેલ શોધવામાં તેઓ મુત્સદ્દીગીરી દર્શાવી શકે છે કે નહિ તેના પર નિર્ભર છે."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "17 મેના રોજ, વડાપ્રધાને શ્રીલંકાને વધુ પાંચ મિલિયન પાઉન્ડની સહાયની જાહેરાત કરી હતી, તેના સાથે સપ્ટેમ્બર 2008થી અત્યાર સુધીમાં આપવામાં આવેલી સહાયનો કુલ આંકડો 12.5 મિલિયન થઈ ગયો છે." તેમની સમક્ષ રજૂઆત કરતા લોર્ડ નેસબીએ જણાવ્યું હતું કે, "માય લોર્ડસ, શું રાણી સાહેબાની સરકારે શ્રીલંકાની સરકારને તમિલ ટાઈગર્સને પરાસ્ત કરીને દેશમાં શાંતિ લાવવા બદલ અભિનંદન પાઠવ્યા છે? આંતરાષ્ટ્રીય સ્તરે, રાણી સાહેબાની સરકારની નીતિ મુખ્યત્વે 2,50,000 તમિલ લોકો અને 1,00,000 મુસ્લિમો, કે જેમને જાફનામાંથી સામુદાયિક સાફસૂફી કરવામાં આવી છે, તેમના પુર્નસ્થાપનનો પક્ષ લેવાની છે, અથવા તો શું આ સરકાર શ્રીલંકામાં બંધારણીય ઉકેલ લાવવો જોઇએ એવું ભાષણ આપવાનું ચાલુ રાખશે, જે આખરે તો શ્રીલંકાની સંસદના તાબાનો વિષય છે?"[૨૭૪]

  United States- 18 મે, 2009ના રોજ વૉશિંગ્ટન ડી.સી.માં યોજાયેલી એક પત્રકાર પરિષદ દરમિયાન, યુનાઇટેડ સ્ટેટ્સના સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા આયન કેલીએ જણાવ્યું હતું કે, "ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ આ સંઘર્ષની સમાપ્તિને આવકાર આપે છે, અને અમે અત્યંત ઊંચી જાનહાનિ અને નિર્દોષ નાગરિકોના મોતનો સિલસિલો હવે પૂરો થઇ ગયેલો જણાતો હોવાથી અમે રાહત અનુભવીએ છીએ. શ્રીલંકાની સરકાર સમક્ષ પોતાના ભૂતકાળને દફનાવી દઇને લોકશાહી, સહનશીલતા તથા માનવ અધિકારો પ્રત્યે આદરના મૂળ ધરાવતા શ્રીલંકાની સ્થાપના કરવાની આ તક આવી છે. સરકાર માટે હવેનો સમય તમિલો, સિંહાલી અને અન્ય શ્રીલંકન નાગરિકોને, તમામ શ્રીલંકાવાસીઓના અધિકારોને પ્રોત્સાહન આપે અને રક્ષણ કરે એવી રાજકીય વ્યવસ્થાનું સર્જન કરવાની પ્રક્રિયામાં જોતરી દેવાનો છે.

રાહત શિબિરોમાં રહેતા 2,80,000 નાગરિકોની આવશ્યક્તાઓ સંતોષવાનું કામ પણ સરકાર માટે મહત્વનું છે. આ લોકોની ખોરાક, પાણી, છત, મૂળભૂત આરોગ્ય સુવિધા અને સ્વચ્છતા જેવી જરૂરિયાતો સંતોષવી તેમજ આ લોકોની પોતપોતાના ઘરે વાપસી કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવવી એ સરકાર માટે ટોચની પ્રાથમિક્તા હોવી જોઇએ."[૨૭૫]

શ્રીલંકાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે 18 મે 2009ના રોજ શ્રીલંકા ખાતેના અમેરિકાના રાજદૂત રોબર્ટ ઓ. બ્લેક, જુનિયરે વિસ્થાપિત લોકોને માનવીય મદદ અને તમિલ લોકો સાથે સુલેહના સંદર્ભે દેશના વિદેશ પ્રધાન રોહિતા બોગોલાગામાને બોલાવ્યા હતા.[૨૭૬]

  Vietnam- 21 મે, 2009ના રોજ વિદેશી બાબતોના મંત્રાલયના પ્રવક્તા લી દુન્ગે પત્રકારોની પૂછપરછના પ્રતિસાદરૂપે નીચેનું નિવેદન જારી કર્યું હતુઃ

"શ્રીલંકાની સરકાર અને લોકોએ તાજેતરમાં મેળવેલા વિજયને વિયેતનામ આવકાર આપે છે. આ વિજય રાષ્ટ્રીય નિર્માણ અને વિકાસ, શાંતિ અને સ્થિરતા તથા આ પ્રદેશમાં વિકાસ પ્રત્યે શ્રીલંકાની સરકાર ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટેની ઇચ્છનીય પરિસ્થિતિનું સર્જન કરશે."[૨૭૭][૨૭૮]

18 મે, 2009 બાદની લડાઇ ફેરફાર કરો

  • 19 મે 1951

કાચિકુદીચ્ચૈરુ, અમ્પારા ખાતે શ્રીલંકાના સૈન્ય દ્વારા એલટીટીઇના 3 લડવૈયાઓના મોત થયા.[૨૭૯]

  • (15 મે 2006).

પેરિયાપિલ્લુમલાઇ વિસ્તાર નજીક શ્રીલંકાના સૈન્યએ એલટીટીઇના પાંચ લડવૈયાઓને મારી નાખ્યા.[૨૭૯]

  • (15 મે 2006).

કદાવાના જંગલ વિસ્તારમાં શ્રીલંકાના સૈન્યએ એલટીટીઇના 10 લડવૈયાઓને મારી નાખ્યા.[૨૮૦]

  • (15 મે 2006).

બેટ્ટીકલોઆ વિસ્તારમાં કાલાવનચ્ચિકુડી ખાતે શ્રીલંકાના સૈન્યએ એલટીટીઇના 11 લડવૈયાઓને મારી નાખ્યા.


સૈન્યના સાધનો દ્વારા પાંચ ટી-56 એસોલ્ટ રાઇફલ, 20 ભૂમિગત સુરંગ (15 કિ.ગ્રા.ની એક), બે હાથગોળા, ત્રણ માનવ-વિરોધી સુરંગો અને સારવારની ચીજવસ્તુઓ મળી આવી હોવાના અહેવાલો આવ્યા હતા.[૨૮૧]

  • 5 જુન 2004

અમ્પારામાં ધરમપાલવા વિસ્તારમાં સર્ચ એન્ડ ક્લીઅર ઓપરેશન હાથ ધરી રહેલા સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ના અધિકારીઓને એલટીટીઇના લડવૈયાઓના એક જૂથનો સામનો થયો હતો અને બે શબ ઉપરાંત અસંખ્ય સૈન્ય સરંજામ મળી આવ્યો હતો.[૨૮૨]

  • 23 ઓગસ્ટ 1953

દક્ષિણ પૂર્વ એશિયાના એક દેશમાં એલટીટીઇના નવા નેતા સેલ્વરાસા પથ્મનાથનની ધરપકડ કરાઇ અને તેને કોલમ્બો લાવવામાં આવ્યો.

પરિણામો ફેરફાર કરો

પ્રમુખ રાજાપક્ષાએ જણાવ્યું કે સરકાર એક રાજકીય ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ છે, અને આ હેતુસર બંધારણમાં 13મો સુધારો કરીને પગલા લેવામાં આવશે.[૨૮૩]

એલટીટીઇના એકધારા પરાજયને કારણે તેના લડવૈયાઓ મોટી સંખ્યામાં આ સંગઠનને છોડી ગયા હતા. સૈન્ય સમક્ષ આત્મસમર્પણ કરનારા આશરે 7,237 બળવાખોરોને હાલમાં વિવિધ પુનઃસ્થાપન કેન્દ્રોમાં પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યાં છે, આ પૈકી 1,601 સ્ત્રીઓ છે.

અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે, આશરે એલટીટીઇના આશરે 2,379 લડવૈયાઓને સૈન્ય દ્વારા ઓળખી કાઢવામાં આવ્યા છે. આ પૈકીના લડવૈયાઓએ સૈન્ય સમક્ષ સ્વૈચ્છાએ આત્મસમર્પણ કર્યું હતું.

આશરે 2,065 પુરુષોએ જણાવ્યું કે તેમનાં આગેવાનો વિશેનો ભ્રમ તૂટી જતા તેમણે અગ્રિમ સુરક્ષા હરોળ ખાતે સૈનિકો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તેમને આ ઐતિહાસિક પરાજયનો અણસાર આવી ગયો હતો અને તેમને ભાન થયું કે એલટીટીઇના લડવૈયાઓને તમિલ પ્રદેશ માટે નહી પણ એલટીટીઇના નેતાના જીવનનું રક્ષણ કરવા માટે લડવું પડતું હતું. આત્મસમર્પણ કરનારા લડવૈયાઓને સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે અને એ પૈકીના મોટાભાગના લોકોને પુનઃસ્થાપન શિબિરોમાં મોકલી આપવામાં આવ્યા છે.

યુદ્ધનો અંત આવ્યા બાદ, સરકારે ઇનટરવ્યુ માટે બોલાવતા 5,000 કરતા પણ વધુ તમિલ યુવાનો પોલીસ દળમાં જોડાવા માટે પૂર્વીય પ્રાંતમાં આવેલા પસંદગીના પોલીસ સ્ટેશનોએ ઇન્ટરવ્યુ માટે ઉમટી પડ્યાં.

શ્રીલંકાની સરકાર આ વિભાગમાં, ખાસ કરીને દેશના ઉત્તરીય પ્રદેશમાં પોલીસ સેવા માટે 2,000 નવા પોલીસ અધિકારી નિમવાનું આયોજન કરી રહી છે.[૨૮૪]

માનવતાવાદી અસર ફેરફાર કરો

યુદ્ધના અંતિમ ચરણમાં, શ્રીલંકાની સરકારના દળો તમિલ ટાઈગર અંકુશિત વિસ્તારોમાં ઊંડે સુધી આગળ વધતાં, ત્યાં ફસાયેલા 3,50,000 નાગરિકોના ભવિષ્યને લઇને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતામાં વધારો થયો.[૨૮૫] 21 જાન્યુઆરી 2009ના રોજ, શ્રીલંકાના સૈન્યએ એ35 હાઇ-વે અને ચેલાઇ લગૂન વચ્ચે પુથુક્કુદિવિરુપ્પુની ઉત્તરપશ્ચિમે આવેલા 32 ચોરસ કિલોમીટર (12.4 માઇલ)ના વિસ્તારને સુરક્ષિત વિસ્તાર જાહેર કર્યો. શ્રીલંકાની વાયુસેનાનાં વિમાને ચોપાનિયા ફેંકીને નાગરિકોને આ સુરક્ષિત વિસ્તારમાં ખસી જવા અને જ્યાં સુધી સૈન્ય તેમને સુરક્ષિત સ્થળોએ ખસેડે નહી ત્યાં સુધી પ્રતિક્ષા કરવાની વિનંતી કરી. શ્રીલંકાના સૈન્યએ આ વિસ્તારમાં ગોળીબાર નહી કરવાનું વચન આપ્યું.[૨૮૬] જો કે, બહુ થોડા લોકો જ વાસ્તવમાં આ સુરક્ષિત વિસ્તારમાં ગયા, અને શ્રીલંકાની સરકાર, યુનાઇટેડ નેશન્સ, અને માનવ અધિકાર સંગઠનોએ એલટીટીઇ પર નાગરિકોને સુરક્ષિત ઝોનમાં જતા અટકાવવાનો આરોપ મૂક્યો. આખરે લડાઇને કારણે નાગરિકો સુરક્ષિત વિસ્તારમાંથી નાન્થી કદાલ અને ભારતીય સમુદ્ર વચ્ચેની જમીનની સાંકડી પટ્ટી પર જતા રહ્યાં. 12 ફેબ્રુઆરીના રોજ શ્રીલંકાના સૈન્યએ મલ્લાતિવુની ઉત્તરપશ્ચિમે 10 ચોરસ કિલોમીટર (3.9 ચોરસ માઇલ)ના નવા સુરક્ષિત વિસ્તારની ઘોષણા કરી. આગામી ત્રણ મહિનાઓ દરમિયાન, શ્રીલંકાના સૈન્યએ સુરક્ષિત વિસ્તારોમાં ફસાયેલા બાકી બચેલા તમિલ ટાઈગર્સનો નાશ કરવા માટે વિમાનો અને તોપો દ્વારા વારંવાર તેના પર હુમલા કર્યા. શ્રીલંકાની સરકારે એવો દાવો કર્યો કે તે તમિલ ટાઈગરના સ્થાનો પર હુમલો કરવાનો પ્રયત્ન કરી રહી હતી, અને એવો દાવો કર્યો કે આ હુમલાઓ 15 ફેબ્રુઆરીએ શરૂ થયા હતા અને સૈન્ય દ્વારા તમિલ ટાઈગર્સની સુરક્ષા તોડી પડાઇ તથા નાગરિકો બહાર આવવા શરૂ થયા તેના એક દિવસ પૂર્વે 19 એપ્રિલે સમાપ્ત થયા હતા.[૨૮૭] જો કે, આ હુમલાઓને લીધે જંગી નુકશાન થયું.[૨૮૮]. સેંકડો નાગરિકો માર્યા ગયા અથવા તો ઇજાગ્રસ્ત થયા, અને તમિલ ટાઈગર્સે ઘણાંને માનવ કવચ તરીકે રાખ્યા હોવાના અહેવાલ હતા.[૨૮૯] યુદ્ધના આખરી ચરણમાં 3,00,000 ઇન્ટરનલી ડિસપ્લેસ્ડ પર્સન્સ (આઇડીપી)નું સર્જન થયું જેમને વાવુનિયા જિલ્લાની શિબિરોમાં ખસેડવામાં આવ્યા અને તેમને તેમની મરજીની વિરુદ્ધ અટકાયતમાં રખાયા.[૨૯૦] આ સિવાય, શિબિરોની અંદરની પરિસ્થિતિની શ્રીલંકાની અંદર અને બહારથી ભારે આલોચના કરાઇ. આ શિબિરો ચોતરફ કાંટાળાં તારની વાડ ધરાવતી હતી, અને આ વાડને ઓળંગવાનો પ્રયાસ કરનારને ઠાર કરી દેવાતો હતો. સરકારે એવું જણાવ્યું હતું કે એકવાર આ શિબિરોમાં નાગરિકો વચ્ચે છૂપાયેલા તમિલ ટાઈગર્સને વીણી વીણીને બહાર કાઢવા માટેની ચકાસણી પ્રક્રિયા પૂરી થઇ જાય તેમજ અધુરી સૈન્ય કાર્યવાહી પૂરી થઇ જાય એટલે તે આ શિબિરોમાંથી નાગરિકોને મુક્ત કરી દેશે.[૨૯૧] 7 મે 2009ના રોજ શ્રીલંકાની સરકારે 2009ના અંત સુધીમાં 80 ટકા આઇડીપીને પુનઃ સ્થાપિત કરવાની યોજનાની જાહેરાત કરી.[૨૯૨] આ નાગરિક યુદ્ધના અંત બાદ, પ્રમુખ રાજાપક્ષાએ વિદેશી રાજદ્વારીઓને ખાતરી આપી કે 180 દિવસની યોજના અનુસાર આઇડીપીનું પુનઃસ્થાપન કરાશે.[૨૯૩][૨૯૪] 9 ઓક્ટોબર, 2009 સુધીમાં, 150 દિવસથી પણ વધુ દિવસો બાદ, 10 ટકા (27,000) કરતા પણ ઓછાં આઇડીપી મુક્ત કરવામાં આવ્યા અથવા તો તેમના મૂળ સ્થાને પાછા ગયા, અને 2,50,000 આઇડીપી હજુ પણ આ શિબિરોમાં છે.[૨૯૫]

વિરોધો ફેરફાર કરો

વિશ્વભરમાં રહેલાં તમિલ જાતિના લોકોએ તાજેતરમાં જ શ્રીલંકાના ઉત્તરીય પ્રાંતમાં તમિલ નાગરિકોની થયેલી જાનહાનિ તથા આ એકંદર યુદ્ધના વિરોધમાં સક્રિયપણે દેખાવો કર્યાં હતા. ભારત,[૨૯૬] બ્રિટન,[૨૯૭] કેનેડા,[૨૯૮] ઓસ્ટ્રેલિયા, નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ, ડેન્માર્ક, જર્મની અને યુનાઇટેડ સ્ટેટ્સના મુખ્ય શહેરો તથા પાટનગરમાં સક્રિયપણે વિરોધ થયો છે. આ વિરોધોનો એકમાત્ર હેતુ વિશ્વભરના રાષ્ટ્રોના નેતાઓને આંતરવિગ્રહને અટકાવવા તથા આંતરરાષ્ટ્રીય સ્તરે સંયોજન સાધીને કુનેહભરી વ્યૂહરચના સાથે સ્થાયી યુદ્ધવિરામ કરાવવા માટે સમજાવવાનો હતો.

મૃત્યુ-ઈજાઓ ફેરફાર કરો

શ્રીલંકાનો આંતરવિગ્રહ અત્યંત ખર્ચાળ, હતો, જેમાં એક અંદાજ પ્રમાણે 80,000-1,00,000 લોકો મા્યા ગયા હતા.[૧૫] મૃતકોમાં 27,639 તમિલ લડવૈયાઓ, 23,327 કરતા પણ વધુ શ્રીલંકન સૈનિકો અને પોલીસકર્મીઓ, 1,155 ભારતીય સૈનિકો, અને હજારો નાગરિકોનો સમાવેશ થાય છે.

સંરક્ષણ મંત્રાલયના સચિવ ગોતભ્ય રાજાપક્ષાએ સરકારના ટેલિવિઝન સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે 1981થી અત્યાર સુધીમાં શ્રીલંકાના સૈન્યના 23,790 (આ આંકડામાં પોલીસ અથવા અન્ય બિન-હથિયારધારી દળોના સૈનિકોનો સમાવેશ થાય છે કે નહીં તે સ્પષ્ટ નથી) સૈનિકોના મોત થયા હતા.

ઓગસ્ટ, 2006માં માવિલ આરુને પુનઃ હાંસલ કરવામાં આવ્યું ત્યારથી લઈ આક્રમણના અંતની ઔપચારિક જાહેરાત (18 મેના રોજ) કરવામાં આવી, ત્યા સુધીના ગાળામાં શ્રીલંકાના 6,261 સૈનિકો માર્યા ગયા હતા અને 29,551 ઇજાગ્રસ્ત થયા હતા.[૨૯૯]

શ્રીલંકાના સૈન્યના અંદાજ પ્રમાણે, વિગ્રહના આખરી ત્રણ વર્ષ દરમિયાન 22,000 સુધીની સંખ્યામાં એલટીટીઇના લડવૈયાઓ માર્યા ગયા હતા.[૩૦૦]

ઢાંચો:POV-section આંતરવિગ્રહના આખરી પાંચ મહિનામાં, નાગરિકોની સૌથી ભારે જાનહાનિ જોવા મળી. સુરક્ષિત વિસ્તાર માંથી સમુદ્ર માર્ગે બહાર કાઢવામાં આવેલા નાગરિકો તથા સહાયકારી સંસ્થાઓના વિશ્વસનીય સાક્ષી પૂરાવાઓના આધારે, યુનાઇટેડ નેશન્સે એવો અંદાજ વ્યક્ત કર્યો હતો કે જાન્યુઆરી, 2009નો મધ્યગાળો કે જ્યારે સુરક્ષિત વિસ્તાર ની સૌપ્રથમવાર જાહેરાત કરવામાં આવી હતી, અને એપ્રિલ, 2009નો મધ્ય ગાળાની વચ્ચેના સમય દરમિયાન 6,500 નાગરિકોના મોત થયા હતા અને અન્ય 14,000 ઇજાગ્રસ્ત થયા હતા.[૩૦૧][૩૦૨] આ સમયગાળા પછીના ગાળાનો કોઇ સત્તાવાર ઇજા-મૃત્યુનો આંકડો ઉપલબ્ધ નથી પરંતુ આંતરવિગ્રહના આખરી ચાર મહિના (મધ્ય જાન્યુઆરીથી મધ્ય મે) સુધીમાં 15,000થી 20,000 લોકોના મોત થયા હોય તેવો અંદાજ છે.[૩૦૩][૩૦૪]યુએસ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટના એક અહેવાલમાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે ઈજા-મૃત્યુનો વાસ્તવિક આંકડો યુએનનાં અંદાજો કરતા કદાચ ઘણો જ વધારે હતો અને ઇજા-મૃત્યુની મોટી સંખ્યાની નોંધણી જ થઇ નહોતી.[૧૬૧] યુનાઇટેડ નેશન્સના એક ભૂતપૂર્વ અધિકારીએ એવો દાવો કર્યો હતો કે આંતરવિગ્રહના આખરી તબક્કામાં 40,000 સુધીના નાગરિકોના મોત થયા હોઇ શકે છે.[૩૦૫]

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "LTTE defeated; Sri Lanka liberated from terror". Ministry of Defence. 2009-05-18. મૂળ માંથી 2009-05-21 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-18. સંગ્રહિત ૨૦૦૯-૦૫-૨૧ ના રોજ વેબેક મશિન
  2. ૨.૦ ૨.૧ International Institute for Strategic Studies, Armed Conflicts Database.
  3. Opposition leader rebutts [sic] Sri Lankan government claims.
  4. "Psychological Management of Combat Stress—A Study Based on Sri Lankan Combatants" (PDF). મૂળ (PDF) માંથી 2009-02-05 પર સંગ્રહિત. મેળવેલ 2008-04-20. Cite journal requires |journal= (મદદ) સંગ્રહિત ૨૦૦૯-૦૨-૦૫ ના રોજ વેબેક મશિન
  5. "Sri Lanka Assessment 2007". Satp.org. મૂળ માંથી 2016-12-28 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-17. સંગ્રહિત ૨૦૧૬-૧૨-૨૮ ના રોજ વેબેક મશિન
  6. "Sri Lankan army deaths revealed". BBC News. May 22, 2009. મેળવેલ April 9, 2010.
  7. http://www.bollywhat-forum.com/index.php?topic=25614.0
  8. Finally, Sri Lanka to build memorial for Indian soldiers - Yahoo! India News.
  9. [૧][મૃત કડી]
  10. "Sri Lanka Database - Casualties of Terrorist violence in Sri Lanka". Satp.org. મૂળ માંથી 2009-06-03 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-30. સંગ્રહિત ૨૦૦૯-૦૬-૦૬ ના રોજ વેબેક મશિન
  11. Eelam War IV: Imminent End સંગ્રહિત ૨૦૧૭-૧૦-૧૨ ના રોજ વેબેક મશિન.
  12. Tamils mark 25-years of Tiger sacrifice Tamilnet .
  13. 4073 LTTE cadres killed in ongoing battle.
  14. http://www.wjla.com/news/stories/0509/624578.html[હંમેશ માટે મૃત કડી]
  15. ૧૫.૦ ૧૫.૧ ૧૫.૨ "Up to 100,000 killed in Sri Lanka's civil war: UN". ABC Australia. 20 May 2009.
  16. "Homepage - 680News - ALL NEWS RADIO". 680News. 2009-05-17. મેળવેલ 2009-05-30.[હંમેશ માટે મૃત કડી]
  17. "Rebels admit defeat in Sri Lankan civil war | detnews.com | The Detroit News". detnews.com. મેળવેલ 2009-05-30.
  18. "Ceasefire raises Sri Lankan peace hopes". London: Guardian. February 22, 2002. મેળવેલ April 9, 2010.
  19. "Monitors Say 4,000 Dead in Sri Lanka". Dillip Ganguly. Fox News. February 23, 2007.
  20. "Sri Lanka's war seen far from over". Amal Jayasinghe. AGENCE FRANCE-PRESSE. July 14, 2007.
  21. "Sri Lankan Government Finds Support From Buddhist Monks". Somini Sengupta. The New York Times. February 25, 2007.
  22. "Government takes policy decision to abrogate failed CFA". Ministry of Defence. 2008-01-02. મૂળ માંથી 2008-01-05 પર સંગ્રહિત. મેળવેલ 2008-01-02. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)
  23. "Sri Lanka Navy destroys the 10th LTTE arms ship 1700 km off Dondra". Sri Lanka Navy. 2007-10-08. મૂળ માંથી 2007-10-26 પર સંગ્રહિત. મેળવેલ 2007-11-19. Cite has empty unknown parameter: |coauthors= (મદદ) સંગ્રહિત ૨૦૦૭-૧૦-૨૬ ના રોજ વેબેક મશિન
  24. શ્રીલંકાના દળોએ ઉત્તરપૂર્વમાં બળવાખોરોનો છેલ્લો મહત્વનો બૅઝ કબ્જે કર્યો, બ્લૂમબર્ગ .
  25. ૨૫.૦ ૨૫.૧ From correspondents in Colombo. "Tamil Tigers admit defeat in civil war after 37-year battle". News.com.au. મૂળ માંથી 2009-05-19 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-17.
  26. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07. સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૪ ના રોજ વેબેક મશિન
  27. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-01-13 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07. સંગ્રહિત ૨૦૧૦-૦૧-૧૩ ના રોજ વેબેક મશિન
  28. "Mr.J.R.Jayawardene on 'Sinhala Only and Tamil Also' in the Ceylon State Council".
  29. ch. 38.
  30. નારાયણ સ્વામી, "ઈનસાઇડ અન ઇલ્યૂઝિવ માઇન્ડ-પ્રભાકરન" કોણાર્ક પબ્લિશર્સ, નવી દિલ્હી, 2003.
  31. "Timeline - Conflict in Sri Lanka". Radio Australia.
  32. "Twenty years on - riots that led to war". BBC News. 23 July 2003. મેળવેલ January 4, 2010.
  33. જેન'સ ઇન્ફર્મેશન ગ્રૂપ , સ્યુસાઇડ ટેરેરિઝમઃ અ ગ્લોબલ થ્રેટ.
  34. "Speaking truth to power:the human rights situation in Sri Lanka" (PDF). Paxchristi. મેળવેલ 2006-03-26.
  35. એશિયા ટાઈમ્સ વ્હૂ'સ બિહાઈન્ડ ધ એલટીટીઇ સ્પ્લિટ? સંગ્રહિત ૨૦૧૬-૦૮-૨૧ ના રોજ વેબેક મશિન.
  36. Weisman, Steven R. (5 June 1987). "India airlifts aid to tamil rebels". STEVEN R. WEISMAN. New York Times. મેળવેલ April 9, 2010.
  37. "Tamil rebels abduct 2 rivals, Sri Lankan military says". Associated Press. 12 December 2006. મૂળ માંથી 17 ઑક્ટોબર 2015 પર સંગ્રહિત. મેળવેલ 7 સપ્ટેમ્બર 2010. Check date values in: |archive-date= (મદદ)
  38. બાલાસિંઘમ, એડલ. (2003) ધ વિલ ટુ ફ્રીડમ- અન ઇનસાઇડ વ્યૂ ઓફ તમિલ રેઝિસ્ટન્સ . ફૅરમેક્સ પબ્લિશિંગ લિ., બીજી આવૃત્તિ. આઈએસબીએન 1-929145-01-2
  39. નોર્થઇસ્ટ સેક્રેટેરિયટ રિપોર્ટ ઓન હ્યુમન રાઇટ્સ 1974-2004 (જુઓ વધુ વાંચન વિભાગ)
  40. દિસ્સાનાયકા, ટી. ડી. એસ. એ. - "વૉર ઓર પીસ ઇન શ્રીલંકા, વોલ્યુમ ટુ" પેજ 332. સ્વસ્તિક (પ્રા.) લિ., 1998.
  41. "Prabhakaran had Rajiv killed for being 'anti-Tamil'". Rediff. 31 August 2006.
  42. "26 sentenced to death for Rajiv Gandhi's assassination". Rediff. 31 August 2006.
  43. "LTTE regrets Rajiv assassination: Anton". NDTV.com. 28 June 2006.
  44. "Tiger Apologizes for Rajiv Gandhi's Death". Associated Press via WTOP. 27 June 2006.
  45. "Tamil Nadu demands Tiger extradition". BBC. 16 April 2006. મેળવેલ January 4, 2010.
  46. ઇમ્પોઝ ઇકોનોમિક સેંક્શન્સ ઓન લંકા[હંમેશ માટે મૃત કડી].
  47. [૨]. સંગ્રહિત ૨૦૦૫-૦૪-૨૮ ના રોજ વેબેક મશિન
  48. કટોકટી વિશેની ચર્ચામાં નીલમ તિરુશેલ્વમનું વ્યક્તવ્ય સંગ્રહિત ૨૦૧૨-૦૨-૦૮ ના રોજ વેબેક મશિન.
  49. "Sri Lanka". Human Rights Watch. 1990. મેળવેલ 2006-08-07.
  50. "Sri Lanka". Human Rights Watch. 1992. મેળવેલ 2006-08-07.
  51. હ્યુમન રાઇટ્સ વૉચ , શ્રીલંકા હ્યુમન રાઇટ્સ ડેવલપમેન્ટ્સ.
  52. ૫૨.૦ ૫૨.૧ "Sri Lanka Says It Has Sealed Rebel Stronghold". New York Times. November 24, 1995. મેળવેલ 2007-03-09.
  53. "Sri Lanka: displaced civilians killed in air strike". International Committee of the Red Cross. 11 July 1995. મેળવેલ 2006-08-07.
  54. "Sri Lankan army hails capture of Jaffna". CNN. December 5, 1995. મૂળ માંથી 2005-02-06 પર સંગ્રહિત. મેળવેલ 2007-03-09.
  55. ૫૫.૦ ૫૫.૧ "Sri Lanka". Human Rights Watch. 1997. મેળવેલ 2006-08-07.
  56. "Sixth anniversary of Unceasing Waves-III commemorated". Tamilnet. November 3, 2005. મેળવેલ 2009-02-09.
  57. "Chandrikare-elected President". The Tribune. December 23, 1999. મેળવેલ 2006-08-07.
  58. "Military debacle at Elephant Pass set to trigger political crisis in Sri Lanka". World Socialist Web Site. 25 April 2000. મેળવેલ 2006-08-07.
  59. "Tigers seize Elephant Pass". Sri Lanka Monitor. મૂળ માંથી 2009-01-19 પર સંગ્રહિત. મેળવેલ 2006-08-07. સંગ્રહિત ૨૦૦૯-૦૧-૧૯ ના રોજ વેબેક મશિન
  60. "Norway role in Sri Lanka peace plan". Susannah Price. BBC News. February 1, 2000. મેળવેલ January 4, 2010.
  61. "Another LTTE offensive". Frontline. April 15–28, 2000. મૂળ માંથી 2006-05-26 પર સંગ્રહિત. મેળવેલ 2006-08-07.
  62. ૬૨.૦ ૬૨.૧ બીબીસી ન્યૂઝ , ટાઇમલાઇનઃ શ્રીલંકા.
  63. "Sri Lanka rebels announce truce". BBC News. December 19, 2001. મેળવેલ January 4, 2010.
  64. "Sri Lanka enters truce with rebels". BBC News. December 21, 2001. મેળવેલ January 4, 2010.
  65. "Sri Lanka seals truce deal". BBC News. February 22, 2002]. મેળવેલ January 4, 2010. Check date values in: |date= (મદદ)
  66. "Colombo lifts ban on Tamil Tigers". BBC News. August 26, 2002. મેળવેલ January 4, 2010.
  67. "Upbeat opening for Sri Lanka talks". BBC News. September 16, 2002. મેળવેલ January 4, 2010.
  68. "Tamil Tigers call off peace talks". BBC News. April 21, 2003. મેળવેલ January 4, 2010.
  69. "Sri Lanka thrown into political crisis". BBC News. November 4, 2003. મેળવેલ January 4, 2010.
  70. "Sri Lanka Says Rebels Took Losses in Raids". New York Times. December 31, 2006.
  71. શ્રીલંકા પીસ સેક્રેટેરિયટ રિપોર્ટ, 2005
  72. "Senior Sri Lanka minister killed". BBC News. August 13, 2005. મેળવેલ 2005-08-13.
  73. "How President decided on retaliation". The Sunday Times. April 30, 2006.
  74. "Sri Lanka's war turns on civilians". BBC News. 6 June 2008. મેળવેલ January 4, 2010.
  75. શ્રીલકામાં સર્જાયેલા ઘાતક બસ ધડાકા.
  76. Huggler, Justin (January 13, 2006). "Sri Lanka bomb attack fuels fear of return to civil war". Justin Huggle. London: The Independent. મૂળ માંથી જાન્યુઆરી 10, 2008 પર સંગ્રહિત. મેળવેલ April 9, 2010. સંગ્રહિત ૨૦૦૮-૦૧-૧૦ ના રોજ વેબેક મશિન
  77. "Is the State complacent?". The Nation. મૂળ માંથી 2007-09-30 પર સંગ્રહિત. મેળવેલ 2007-01-30.
  78. "'Murder of five Tamil youths highlights need to end impunity' – Govt must protect witnesses to Trinco killings – HRW". Human Rights Watch. મૂળ માંથી 2009-01-08 પર સંગ્રહિત. મેળવેલ 2007-01-30.
  79. "Sri Lanka foes to 'curb violence'". BBC News. February 24, 2006. મેળવેલ January 4, 2010.
  80. "Sri Lanka violence leaves 16 dead". BBC News. April 12, 2006. મેળવેલ January 4, 2010.
  81. "Tamil Tigers harden talks stance". BBC News. April 17, 2006. મેળવેલ January 4, 2010.
  82. "EU ban on LTTE urged". BBC News. April 23, 2006.
  83. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2006-05-14 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07. સંગ્રહિત ૨૦૦૬-૦૫-૧૪ ના રોજ વેબેક મશિન
  84. "'Eight die' in Sri Lanka violence". BBC News. April 24, 2006. મેળવેલ January 4, 2010.
  85. Luthra, Dumeetha (May 20, 2006). "Sri Lanka villagers flee massacre". BBC. મેળવેલ 2007-08-16.
  86. "Bomb targets Sri Lanka army chief". BBC News. April 25, 2006. મેળવેલ January 4, 2010.
  87. "European Union bans LTTE". Amit Baruah. The Hindu. May 31, 2006. મૂળ માંથી જૂન 1, 2006 પર સંગ્રહિત. મેળવેલ સપ્ટેમ્બર 7, 2010. સંગ્રહિત ૨૦૦૬-૦૬-૦૧ ના રોજ વેબેક મશિન
  88. "Collapse of talks". Saroj Pathirana. BBC News. June 9, 2006.
  89. "Another family wiped out in Vankalai". મૂળ માંથી 2009-02-20 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07. સંગ્રહિત ૨૦૦૯-૦૨-૨૦ ના રોજ વેબેક મશિન
  90. "Details of few extra judicial claims" (PDF). મૂળ (PDF) માંથી 2007-11-27 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07. સંગ્રહિત ૨૦૦૭-૧૧-૨૭ ના રોજ વેબેક મશિન
  91. "People terrorized after massacre of Tamil family".
  92. "Statement by women for democracy and human rights". મૂળ માંથી 2008-05-16 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07. સંગ્રહિત ૨૦૦૮-૦૫-૧૬ ના રોજ વેબેક મશિન
  93. "Country of origin information report– Sri Lanka". મૂળ માંથી 2009-03-25 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07. સંગ્રહિત ૨૦૦૯-૦૩-૨૫ ના રોજ વેબેક મશિન
  94. "Sri Lankan Combatants Rape Women to Terrorize". મૂળ માંથી 2008-05-16 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07. સંગ્રહિત ૨૦૦૮-૦૫-૧૬ ના રોજ વેબેક મશિન
  95. યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ટરનેશનલ ઇન્ફર્મેશન પ્રોગ્રામ્સ ", યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા શ્રીલંકામાં બસ પરના આતંકવાદી હુમલાઓની આલોચના સંગ્રહિત ૨૦૦૭-૧૨-૧૯ ના રોજ વેબેક મશિન.
  96. ૯૬.૦ ૯૬.૧ "Sri Lanka general killed in blast". BBC News. June 26, 2006. મેળવેલ January 4, 2010.
  97. "Press releases". Sri Lanka Monitoring Mission. મૂળ માંથી 2007-03-12 પર સંગ્રહિત. મેળવેલ 2006-08-07. સંગ્રહિત ૨૦૦૭-૦૩-૧૨ ના રોજ વેબેક મશિન
  98. ૯૮.૦ ૯૮.૧ ૯૮.૨ "Sri Lanka forces attack reservoir". BBC News. August 6, 2006. મેળવેલ January 4, 2010.
  99. ૯૯.૦ ૯૯.૧ "Air Force jets hit LTTE targets". Sunil Jayasiri. The Daily Mirror. July 27, 2006.
  100. ૧૦૦.૦ ૧૦૦.૧ "Water war". B. Muralidhar Reddy. The Hindu. August 12, 2006. મૂળ માંથી ફેબ્રુઆરી 1, 2008 પર સંગ્રહિત. મેળવેલ સપ્ટેમ્બર 7, 2010. સંગ્રહિત ૨૦૦૮-૦૨-૦૧ ના રોજ વેબેક મશિન
  101. ધ સન્ડે ટાઇમ્સ સિચ્યુએશન રિપોર્ટ , ઇલમ વૉર 4માં વિવિધ મોરચે ભડકો.
  102. ઇકબાલ અથાસ, જેન'સ ડિફેન્સ વિકલી, શ્રીલંકામાં ભડકી ઉઠેલું પૂર્ણ ફલકનું યુદ્ધ.
  103. "Civilians die in Sri Lanka clash". BBC News. August 3, 2006. મેળવેલ January 4, 2010.
  104. ૧૦૪.૦ ૧૦૪.૧ "152 LTTE rebels killed in Sri Lanka". The Times of India. August 4, 2006.
  105. "34 killed as LTTE `overruns' Muttur town". B. Muralidhar Reddy. The Hindu. August 4, 2006. મૂળ માંથી સપ્ટેમ્બર 30, 2007 પર સંગ્રહિત. મેળવેલ સપ્ટેમ્બર 7, 2010. સંગ્રહિત ૨૦૦૭-૦૯-૩૦ ના રોજ વેબેક મશિન
  106. "15 NGO workers killed". The Hindu. મેળવેલ 2007-01-30.
  107. "Military 'killed Lanka aid staff'". BBC. August 30, 2006. મેળવેલ January 4, 2010.
  108. "Sri Lanka forces attack reservoir". BBC News. August 6, 2006. મેળવેલ January 4, 2010.
  109. ઓસ્ટ્રેલિયાના સુવિખ્યાત ધારાશાસ્ત્રી શ્રીલંકામાં માનવ અધિકારની તપાસમાં મદદરૂપ થશે.
  110. "At least 127 combatants killed in Lanka fighting: military". The Hindu. August 12, 2006. મૂળ માંથી સપ્ટેમ્બર 30, 2007 પર સંગ્રહિત. મેળવેલ સપ્ટેમ્બર 7, 2010.
  111. "Lanka rebels destroy northern defenses, advance". One India. August 12, 2006. મૂળ માંથી મે 10, 2011 પર સંગ્રહિત. મેળવેલ સપ્ટેમ્બર 7, 2010.
  112. ૧૧૨.૦ ૧૧૨.૧ "Lanka's chilling 2006 timeline". PK Balachandran. Hindustan Times. December 30, 2006. મૂળ માંથી સપ્ટેમ્બર 30, 2007 પર સંગ્રહિત. મેળવેલ સપ્ટેમ્બર 7, 2010. સંગ્રહિત ૨૦૦૭-૦૯-૩૦ ના રોજ વેબેક મશિન
  113. "Fighting rages in northern Sri Lanka in fourth week of hostilities". USA Today. August 15, 2006.
  114. ૧૧૪.૦ ૧૧૪.૧ "Unicef: Bombed orphans were not Tamil Tigers". Mail and Guardian Online. August 15, 2006.
  115. Rica Roy & Anisa Khan (August 14, 2006). "Lanka blast: Pak envoy safe, 7 killed". NDTV.
  116. ૧૧૬.૦ ૧૧૬.૧ Sudha Ramachandran (September 22, 2006). "The Pakistani muscle behind Colombo". Asia Times. મૂળ માંથી જુલાઈ 25, 2011 પર સંગ્રહિત. મેળવેલ સપ્ટેમ્બર 7, 2010. Check date values in: |archive-date= (મદદ) સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૫ ના રોજ વેબેક મશિન
  117. "Sri Lanka army battles rebels in northeast". Peter Apps. Reuters. September 12, 2006. મૂળ માંથી સપ્ટેમ્બર 3, 2006 પર સંગ્રહિત. મેળવેલ સપ્ટેમ્બર 7, 2010. સંગ્રહિત ૨૦૦૬-૦૯-૦૩ ના રોજ વેબેક મશિન
  118. ૧૧૮.૦ ૧૧૮.૧ "Sri Lanka: LTTE's moment of truth at Sampur - Update 101". Col R Hariharan (retd.). South Asai Analysis Group. September 8, 2006. મૂળ માંથી જુલાઈ 6, 2007 પર સંગ્રહિત. મેળવેલ સપ્ટેમ્બર 7, 2010. Check date values in: |archive-date= (મદદ)
  119. ૧૧૯.૦ ૧૧૯.૧ ૧૧૯.૨ "Sri Lankan army captures Sampur". B. Muralidhar Reddy. The Hindu. September 5, 2006. મૂળ માંથી ઑક્ટોબર 1, 2007 પર સંગ્રહિત. મેળવેલ સપ્ટેમ્બર 7, 2010. Check date values in: |archive-date= (મદદ) સંગ્રહિત ૨૦૦૭-૧૦-૦૧ ના રોજ વેબેક મશિન
  120. ૧૨૦.૦ ૧૨૦.૧ "Fierce battles continue in Jaffna". B. Muralidhar Reddy. The Hindu. September 12, 2006. મૂળ માંથી માર્ચ 12, 2007 પર સંગ્રહિત. મેળવેલ સપ્ટેમ્બર 7, 2010. સંગ્રહિત ૨૦૦૭-૦૩-૧૨ ના રોજ વેબેક મશિન
  121. "Sri Lanka Army captures Sampur". Bloomberg.com. September 4, 2006.
  122. "LTTE admits defeat in Sampoor". BBC. September 4, 2006.
  123. "Sri Lankan military captures key rebel territory, Tigers vow to keep fighting". International Herald Tribune. September 3, 2006. મૂળ સંગ્રહિત માંથી ફેબ્રુઆરી 5, 2008 પર સંગ્રહિત. મેળવેલ સપ્ટેમ્બર 7, 2010.
  124. "No repeat of Muhamalai, President warns; orders full probe into debacle". Poorna Rodrigo and Sunil Jayasiri. The Daily Mirror. October 18, 2006.
  125. "Bloodbath in Sri Lanka: At Least 100 Unarmed Sailors Dead". Playfuls.com. October 16, 2006. મૂળ માંથી જાન્યુઆરી 13, 2009 પર સંગ્રહિત. મેળવેલ સપ્ટેમ્બર 7, 2010. સંગ્રહિત ૨૦૦૯-૦૧-૧૩ ના રોજ વેબેક મશિન
  126. "Analysis: Sri Lanka military setbacks". BBC. October 16, 2006. મેળવેલ January 4, 2010.
  127. "Bloody Day in Sri Lanka: 103 Dead". Zaman Daily. October 17, 2006. મૂળ માંથી મે 11, 2011 પર સંગ્રહિત. મેળવેલ સપ્ટેમ્બર 7, 2010. સંગ્રહિત ૨૦૧૧-૦૫-૧૧ ના રોજ વેબેક મશિન
  128. "LTTE attack on Galle repulsed". B. Muralidhar Reddy. The Hindu. October 19, 2006. મૂળ માંથી નવેમ્બર 5, 2006 પર સંગ્રહિત. મેળવેલ સપ્ટેમ્બર 7, 2010. સંગ્રહિત ૨૦૦૬-૧૧-૦૫ ના રોજ વેબેક મશિન
  129. "Sri Lanka - Tamil Tigers OK Talks With Sri Lanka: Tamil Tigers Agree to Unconditional Talks With Sri Lankan Government". BHARATHA MALLAWARACHI. Conflict and Religion. October 3, 2006. મૂળ માંથી માર્ચ 25, 2009 પર સંગ્રહિત. મેળવેલ સપ્ટેમ્બર 7, 2010. સંગ્રહિત ૨૦૦૯-૦૩-૨૫ ના રોજ વેબેક મશિન
  130. "Sri Lankan peace talks end in deadlock over road blockade". International Herald tribune. October 28, 2006. મૂળ માંથી નવેમ્બર 4, 2006 પર સંગ્રહિત. મેળવેલ સપ્ટેમ્બર 7, 2010.
  131. "Fear and loathing in south Sri Lanka after bus bombs". Buddhika Weerasinghe. Reuters. January 8, 2007.
  132. મિડીયા સેન્ટર ફોર નેશનલ સિક્યોરિટી , નાગરિકો પર એલટીટીઇના આતંકવાદી હુમલાની સરકાર દ્વારા આલોચના સંગ્રહિત ૨૦૦૭-૦૨-૨૩ ના રોજ વેબેક મશિન.
  133. "Suspected suicide bomber attacks S. Lanka bus". Simon Gardner. Reuters. January 6, 2007.[હંમેશ માટે મૃત કડી]
  134. "Sri Lanka military vows to drive Tigers from east coast". Reuters. December 14, 2006.
  135. "Fleeing Tamil refugees describe being held by separatists as Sri Lanka shelled camps". International Herald Tribune. December 18, 2006. મૂળ માંથી ફેબ્રુઆરી 5, 2008 પર સંગ્રહિત. મેળવેલ સપ્ટેમ્બર 7, 2010.
  136. "Heavy fighting in Sri Lanka's restive east, 13 injured". The Hindu. December 9, 2006. મૂળ માંથી ફેબ્રુઆરી 22, 2008 પર સંગ્રહિત. મેળવેલ સપ્ટેમ્બર 7, 2010. સંગ્રહિત ૨૦૦૮-૦૨-૨૨ ના રોજ વેબેક મશિન
  137. "3,000 Tamils Flee to Escape Fighting". GEMUNU AMARASINGHE. The Hindu. December 16, 2006. મૂળ સંગ્રહિત માંથી સપ્ટેમ્બર 29, 2007 પર સંગ્રહિત. મેળવેલ સપ્ટેમ્બર 7, 2010.
  138. "Rebel base hit, says government". Boston.com. મૂળ માંથી 2007-03-10 પર સંગ્રહિત. મેળવેલ 2006-01-07.
  139. "Press release on 29 April 2006 SUBJECT: Air strikes violate the Ceasefire Agreement" (PDF). SLMM. મૂળ (PDF) માંથી 2007-06-25 પર સંગ્રહિત. મેળવેલ 2007-03-02. સંગ્રહિત ૨૦૦૭-૦૬-૨૫ ના રોજ વેબેક મશિન
  140. "Tigers admit fall of Vakarai". Asian Tribune. January 20, 2007. મૂળ માંથી જુલાઈ 26, 2018 પર સંગ્રહિત. મેળવેલ જુલાઈ 10, 2021. Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  141. "Sri Lanka Security forces captured LTTE controlled Vaharai". Asian Tribune. January 19, 2007. મૂળ માંથી જુલાઈ 26, 2018 પર સંગ્રહિત. મેળવેલ જુલાઈ 10, 2021. Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  142. "Sri Lanka says rebels killed aid workers". Sydney Morning Herald. April 2, 2007. મેળવેલ 2007-04-22.
  143. "Tamil Tigers kill 6 civilian workers in Lanka". Times of India. 2007-04-02. મેળવેલ 2007-04-22.
  144. "Sri Lanka blast 'kills civilians'". BBC. 2007-04-02. મેળવેલ 2007-04-22.
  145. "Seventeen persons killed, over two dozens injured- Ampara [4th Lead]". Ministry of Defence. 2007-04-02. મૂળ માંથી 2007-04-07 પર સંગ્રહિત. મેળવેલ 2007-04-22. સંગ્રહિત ૨૦૦૭-૦૪-૦૭ ના રોજ વેબેક મશિન
  146. ૧૪૬.૦ ૧૪૬.૧ "Sri Lanka captures key highway in rebel territory". Radio Australia. 2007-04-12. મેળવેલ 2007-04-22.
  147. "Kokkadicholai LTTE base falls to SL Army". Ministry of Defence. 2007-03-28. મૂળ માંથી 2007-04-03 પર સંગ્રહિત. મેળવેલ 2007-04-22. સંગ્રહિત ૨૦૦૭-૦૪-૦૩ ના રોજ વેબેક મશિન
  148. "SL Army Troops gain complete control over the A-5 Main Road". Ministry of Defence. 2007-04-12. મૂળ માંથી 2007-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2007-04-22. સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૭ ના રોજ વેબેક મશિન
  149. "Sri Lanka on brink of all-out war". BBC News. October 16, 2007. મેળવેલ 2007-12-31.
  150. "LTTE defences in Mannar and Vavuniya fall to army; terrorists on the run with soaring casualties". Ministry of Defence. December 22, 2007. મૂળ માંથી 2007-12-25 પર સંગ્રહિત. મેળવેલ 2007-12-31. સંગ્રહિત ૨૦૦૭-૧૨-૨૫ ના રોજ વેબેક મશિન
  151. "SLA overruns LTTE stronghold: several LTTE leaders injured- Mannar". Ministry of Defence. 2007-12-29. મૂળ માંથી 2007-12-30 પર સંગ્રહિત. મેળવેલ 2007-12-31. સંગ્રહિત ૨૦૦૭-૧૨-૩૦ ના રોજ વેબેક મશિન
  152. "33 terrorists killed, 38 wounded: SLA overruns LTTE stronghold- Mannar". Ministry of Defence. 2007-12-30. મૂળ માંથી 2007-12-30 પર સંગ્રહિત. મેળવેલ 2007-12-31. સંગ્રહિત ૨૦૦૭-૧૨-૩૦ ના રોજ વેબેક મશિન
  153. "Wanni is surrounded on all prongs". Ministry of Defence. December 30, 2007. મૂળ માંથી 2008-01-01 પર સંગ્રહિત. મેળવેલ 2007-12-31. સંગ્રહિત ૨૦૦૮-૦૧-૦૧ ના રોજ વેબેક મશિન
  154. ૧૫૪.૦ ૧૫૪.૧ "Forces' Chiefs predict Tiger extinction in 2008". Ministry of Defence. 2007-12-31. મૂળ માંથી 2008-01-01 પર સંગ્રહિત. મેળવેલ 2007-12-31. Cite has empty unknown parameter: |coauthors= (મદદ) સંગ્રહિત ૨૦૦૮-૦૧-૦૧ ના રોજ વેબેક મશિન
  155. "Prabhakaran injured in air attack". Ministry of Defence. December 19, 2007. મૂળ માંથી 2007-12-21 પર સંગ્રહિત. મેળવેલ 2007-12-26. સંગ્રહિત ૨૦૦૭-૧૨-૨૧ ના રોજ વેબેક મશિન
  156. "Senior Tamil Tiger leader killed". BBC News. November 2, 2007. મેળવેલ 2007-12-31.
  157. "Tamil intelligence chief killed". BBC News. January 6, 2008. મેળવેલ 2008-01-06.
  158. "LTTE's Head of Military Intelligence killed in Claymore ambush". TamilNet. January 6, 2008. મેળવેલ 2008-01-06.
  159. "Government ends ceasefire with Tamil Tigers". Agence France Presse. January 2, 2008. મૂળ સંગ્રહિત માંથી ડિસેમ્બર 5, 2008 પર સંગ્રહિત. મેળવેલ સપ્ટેમ્બર 7, 2010.
  160. "Ban LTTE, end truce". Daily News. December 29, 2007. મૂળ માંથી ડિસેમ્બર 31, 2007 પર સંગ્રહિત. મેળવેલ સપ્ટેમ્બર 7, 2010. સંગ્રહિત ૨૦૦૭-૧૨-૩૧ ના રોજ વેબેક મશિન
  161. ૧૬૧.૦ ૧૬૧.૧ "Government of Sri Lanka's Withdrawal from Ceasefire Agreement". U.S. Department of State. January 3, 2008. મૂળ સંગ્રહિત માંથી જાન્યુઆરી 4, 2008 પર સંગ્રહિત. મેળવેલ સપ્ટેમ્બર 7, 2010.
  162. "Statement on the possible escalation of violence in sri lanka". Foreign Affairs and International Trade Canada. January 3, 2008. મૂળ માંથી જાન્યુઆરી 7, 2008 પર સંગ્રહિત. મેળવેલ સપ્ટેમ્બર 7, 2010. સંગ્રહિત ૨૦૦૮-૦૧-૦૭ ના રોજ વેબેક મશિન
  163. "Norway regrets the Government of Sri Lanka's decision to terminate the 2002 ceasefire agreement". Ministry of Foreign Affairs. January 2, 2008.
  164. "In response to questions about Sri Lankan Government's abrogation of Ceasefire Agreement of 2002, Official Spokesperson said:". Ministry of External Affairs, India. January 4, 2008.
  165. "Tamil Tigers in ceasefire appeal". BBC. January 10, 2008. મેળવેલ January 4, 2010.
  166. "LTTE requests Norway to continue facilitation, urges IC's support for Tamil rights". TamilNet. January 10, 2008.
  167. "Sources: Tigers' feint kills 100 Sri Lanka troops". CNN. April 23, 2008.
  168. "Army captures Adampan Town - Mannar front". Ministry of Defence. May 19, 2008. મૂળ માંથી 2008-05-12 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-11.
  169. "Wanni liberation enters decisive phase; Two warfronts linked up". Ministry of Defence. July 1, 2008. મૂળ માંથી 2008-07-04 પર સંગ્રહિત. મેળવેલ 2008-07-01. સંગ્રહિત ૨૦૦૮-૦૭-૦૪ ના રોજ વેબેક મશિન
  170. "Vidattaltivu Liberated; terrorists suffer fatal blow". Ministry of Defence. July 16, 2008. મૂળ માંથી 2008-07-18 પર સંગ્રહિત. મેળવેલ 2008-07-16. સંગ્રહિત ૨૦૦૮-૦૭-૧૮ ના રોજ વેબેક મશિન
  171. "Troops Liberate Illuppaikkadavai". Ministry of Defence. July 20, 2008. મૂળ માંથી 2008-07-22 પર સંગ્રહિત. મેળવેલ 2008-07-20. સંગ્રહિત ૨૦૦૮-૦૭-૨૨ ના રોજ વેબેક મશિન
  172. Najmuddin, Jamila (July 22, 2008). "LTTE set to declare unilateral ceasefire". Daily Mirror. મૂળ માંથી 2008-07-22 પર સંગ્રહિત. મેળવેલ 2008-07-22. Cite has empty unknown parameter: |coauthors= (મદદ) સંગ્રહિત ૨૦૦૮-૦૭-૨૨ ના રોજ વેબેક મશિન
  173. "LTTE's ceasefire: Public relations or more?". Rediff News. July 25, 2008. મેળવેલ 2008-08-04.
  174. "Troops capture LTTE's last stronghold in Mannar District". Ministry of Defence. August 2, 2008. મૂળ માંથી 2008-08-05 પર સંગ્રહિત. મેળવેલ 2008-08-02. સંગ્રહિત ૨૦૦૮-૦૮-૦૫ ના રોજ વેબેક મશિન
  175. "Sri Lanka Army captured Vellankulam – last bastion of Tigers in Mannar district". Asian Tribune. August 3, 2008. મૂળ માંથી 2018-03-23 પર સંગ્રહિત. મેળવેલ 2008-08-04.
  176. Gamini Gunaratna, Sri Lanka News Paper by LankaPage.com (LLC)- Latest Hot News from Sri Lanka (2008-08-01). "Sri Lankan troops enter Tigers' final frontier". Colombopage.com. મૂળ માંથી 2008-10-12 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-17. સંગ્રહિત ૨૦૦૮-૧૦-૧૨ ના રોજ વેબેક મશિન
  177. "Sri Lanka Breaking News-Daily Mirror Online". Dailymirror.lk. મૂળ માંથી 2008-09-09 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-17. સંગ્રહિત ૨૦૦૮-૦૯-૦૯ ના રોજ વેબેક મશિન
  178. "LTTE's strategic bastion Mallavi falls to security forces". Ministry of Defence. September 2, 2008. મૂળ માંથી 2008-09-06 પર સંગ્રહિત. મેળવેલ 2008-09-02. સંગ્રહિત ૨૦૦૮-૦૯-૦૬ ના રોજ વેબેક મશિન
  179. "Security Forces crush major terror attack at Vavuniya". Ministry of Defence. September 9, 2008. મૂળ માંથી 2008-09-11 પર સંગ્રહિત. મેળવેલ 2008-09-09. સંગ્રહિત ૨૦૦૮-૦૯-૧૧ ના રોજ વેબેક મશિન
  180. "Mission on Vanni SF HQ successful, Tiger aircrafts safe - LTTE". TamilNet. September 9, 2008. મેળવેલ 2008-09-10.
  181. "Sri Lanka jets attack rebel base". BBC News. September 10, 2008. મેળવેલ 2008-09-10.
  182. "Fierce gun battle in Akkarayankulam, 18 terrorists killed, many injured". Ministry of Defence. September 15, 2008. મૂળ માંથી 2008-09-16 પર સંગ્રહિત. મેળવેલ 2008-09-15. સંગ્રહિત ૨૦૦૮-૦૯-૧૬ ના રોજ વેબેક મશિન
  183. "Civilians flee Tamil Tiger centre". BBC News. October 10, 2008. મેળવેલ 2008-10-03.
  184. "Suicide blast hits Sri Lanka town". BBC News. October 6, 2008. મેળવેલ 2008-10-06.
  185. "Troops encircle Nachchikudha; LTTE on the verge of losing Sea Tiger stronghold". Ministry of Defence. October 17, 2008. મૂળ માંથી 2008-10-20 પર સંગ્રહિત. મેળવેલ 2008-10-17. સંગ્રહિત ૨૦૦૮-૧૦-૨૦ ના રોજ વેબેક મશિન
  186. "West urged not to ignore Sri Lanka". BBC News. October 17, 2008. મેળવેલ 2008-10-18.
  187. "SLA crush LTTE defences: fall of Nachchikuda imminent". Ministry of Defence. October 28, 2008. મૂળ માંથી 2008-10-31 પર સંગ્રહિત. મેળવેલ 2008-10-28. સંગ્રહિત ૨૦૦૮-૧૦-૩૧ ના રોજ વેબેક મશિન
  188. "Nachchikuda falls to troops - Kilinochchi". Ministry of Defence. October 29, 2008. મૂળ માંથી 2008-11-01 પર સંગ્રહિત. મેળવેલ 2008-10-29. સંગ્રહિત ૨૦૦૮-૧૧-૦૧ ના રોજ વેબેક મશિન
  189. "Heavy fighting at Wanni fronts; Troops recover 9 LTTE bodies". Ministry of Defence. November 11, 2008. મૂળ માંથી 2011-05-10 પર સંગ્રહિત. મેળવેલ 2008-11-11. સંગ્રહિત ૨૦૧૧-૦૫-૧૦ ના રોજ વેબેક મશિન
  190. "Tamil Tiger 'strong point taken'". BBC News. November 11, 2008. મેળવેલ 2008-11-12.
  191. "Sri Lanka army 'takes Tiger base'". BBC News. 2008-11-15. મેળવેલ 2008-11-15.
  192. "Mop up operations in progress in Pooneryn salient; Air Force comes to troops assistance". Ministry of Defence. November 15, 2008. મૂળ માંથી 2008-12-01 પર સંગ્રહિત. મેળવેલ 2008-11-16. સંગ્રહિત ૨૦૦૮-૧૨-૦૧ ના રોજ વેબેક મશિન
  193. "Army Task Force 3 comes into action; pounds LTTE positions in Mankulam". Ministry of Defence. November 3, 2008. મૂળ માંથી 2008-11-06 પર સંગ્રહિત. મેળવેલ 2008-11-03. સંગ્રહિત ૨૦૦૮-૧૧-૦૬ ના રોજ વેબેક મશિન
  194. "Troops overrun Mankulama: LTTE flee amidst heavy casualties- Mullaittivu". Ministry of Defence. November 17, 2008. મૂળ માંથી 2011-05-10 પર સંગ્રહિત. મેળવેલ 2008-11-22. સંગ્રહિત ૨૦૧૧-૦૫-૧૦ ના રોજ વેબેક મશિન
  195. "S Lanka army 'enters rebel town'". BBC News. December 5, 2008. મેળવેલ 2008-12-06.
  196. "59 Div troops enter Alampil sea tiger bastion". Ministry of Defence. December 4, 2008. મૂળ માંથી 2008-12-05 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-06. સંગ્રહિત ૨૦૦૮-૧૨-૦૫ ના રોજ વેબેક મશિન
  197. "S Lanka attack on rebel 'capital'". BBC News. November 24, 2008. મેળવેલ 2008-11-24.
  198. "'Many dead' in Sri Lanka battles". BBC News. December 17, 2008. મેળવેલ 2008-12-26.
  199. "Paranthan LTTE garrison captured: Troops make headway at Wanni battles". Ministry of Defence. January 1, 2009. મૂળ માંથી 2011-05-10 પર સંગ્રહિત. મેળવેલ 2009-01-06. સંગ્રહિત ૨૦૧૧-૦૫-૧૦ ના રોજ વેબેક મશિન
  200. "Kilinochchi captured in devastating blow to LTTE". Hindu.com. મેળવેલ 2009-05-17.
  201. "The fall of rebel headquarters: what does it hold for Sri Lanka?". News.xinhuanet.com. 2009-01-03. મેળવેલ 2009-05-17.
  202. વૈશ્વિક આતંકવાદને ફટકો સંગ્રહિત ૨૦૦૯-૦૬-૨૪ ના રોજ વેબેક મશિન.
  203. "Army 'takes more Tiger territory'". BBC News. January 8, 2009. મેળવેલ 2009-01-08.
  204. "Sri Lankan Military Seizes Last Rebel Base on Jaffna Peninsula". Bloomberg.com. 2009-01-14. મેળવેલ 2009-05-17.
  205. "Last Tamil Tiger bastion 'taken'". BBC News. January 25, 2009. મેળવેલ 2009-01-25.
  206. Somini Sepgupta (January 26, 2009). "Sri Lankan Troops Take Last Rebel Stronghold". New York Times. મેળવેલ 2009-01-26.
  207. શ્રીલંકા ટાઈગર્સે યુદ્ધના અંત માટે વિનંતી કરી, બીબીસી ન્યૂઝ .
  208. "Army captures last sea tiger base & clears entire Visuamadu area". Ministry of Defence. February 5, 2009. મૂળ માંથી 2009-02-27 પર સંગ્રહિત. મેળવેલ 2009-02-05. સંગ્રહિત ૨૦૦૯-૦૨-૨૭ ના રોજ વેબેક મશિન
  209. "LTTE air power has collapsed: officials". Hindustantimes.com. 2009-02-23. મેળવેલ 2009-05-17.[હંમેશ માટે મૃત કડી]
  210. "Tamil Tiger planes raid Colombo". BBC. February 20, 2009. મેળવેલ 2009-02-20.
  211. વૉર ઓન ડિસપ્લેસ્ડઃ વન્નીમાં નાગરિકો પર શ્રીલંકાના સૈન્ય અને એલટીટીઇનો સિતમ, હ્યુમન રાઇટ્સ વૉચ . ફેબ્રુઆરી 19, 2006.
  212. અથડામણો વચ્ચે ઘેરાયેલા શ્રીલંકાના નાગરિકોની શારીરિક સ્થિતિ અંગે યુનાઇટેડ નેશન્સના વૉર રિલીફ ચીફની ચિંતા, યુનાઇટેડ નેશન્સ . ફેબ્રુઆરી 12, 2003.
  213. શ્રીલંકાએ જણાવ્યા પ્રમાણે ટાઈગર્સથી આખરી મુક્તિ નજીકમાં[હંમેશ માટે મૃત કડી].
  214. "Troops unshackle LTTE grip on Puthukkudiyirippu: Over 250 terrorists killed". Ministry of Defence. April 5, 2009. મૂળ માંથી 2009-04-08 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-05. સંગ્રહિત ૨૦૦૯-૦૪-૦૮ ના રોજ વેબેક મશિન
  215. "Army 'routs Tigers in north-east'". BBC. April 5, 2009. મેળવેલ 2009-04-05.
  216. "World's largest hostage rescue mission becomes success; over 30,000 rescued". Ministry of Defence. April 20, 2009. મૂળ માંથી 2012-09-23 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-20. સંગ્રહિત ૨૦૧૨-૦૯-૨૩ ના રોજ વેબેક મશિન
  217. "Thousands flee Sri Lanka combat". BBC. April 20, 2009. મેળવેલ 2009-04-20.
  218. "Sri Lanka army 'killed civilians'". BBC. April 21, 2009. મેળવેલ 2009-04-21.
  219. "Final assault begins as LTTE vows to fight on". The Times of India. April 22, 2009. મેળવેલ 2009-04-22.
  220. "Mass Tamil exodus from rebel area". BBC. April 21, 2009. મેળવેલ 2009-04-22.
  221. દયા માસ્ટર અને જ્યોર્જે સૈન્યનું શરણ માગ્યું સંગ્રહિત ૨૦૦૯-૦૪-૨૬ ના રોજ વેબેક મશિન.
  222. "Two key Tamil Tigers 'surrender'". BBC news. April 22, 2009. મેળવેલ 2009-04-24.
  223. "Prabhakaran trapped in 10sqkm area:Lanka army". Times Of India. April 24, 2009. મેળવેલ 2009-04-24.
  224. "Sri Lanka rejects rebel ceasefire". BBC news. April 27, 2009. મેળવેલ 2009-05-12.
  225. "Journey to Sri Lanka's frontline". BBC news. April 25, 2009. મેળવેલ 2009-05-11.
  226. Natarajan, Swaminathan (2009-04-06). "World | South Asia | Sri Lanka civilians tell of war ordeal". BBC News. મેળવેલ 2009-05-17.
  227. "Urgent international scrutiny needed in Sri Lanka, say UN rights experts". UN. May 8, 2009. મેળવેલ 2009-05-11.
  228. "'Steep rise' in Sri Lanka deaths". BBC news. May 10, 2009. મેળવેલ 2009-05-10.
  229. "BBC - What they do not wish to see". Ministry of Defence. May 12, 2009. મૂળ માંથી 2009-05-15 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-12. સંગ્રહિત ૨૦૦૯-૦૫-૧૫ ના રોજ વેબેક મશિન
  230. "UN mourns Sri Lanka 'bloodbath'". BBC news. May 11, 2009. મેળવેલ 2009-05-11.
  231. "UN chief 'appalled' by weekend death toll in Sri Lankan conflict". UN. May 11, 2009. મેળવેલ 2009-05-12.
  232. "Tamil war zone hospital hit again". BBC news. May 13, 2009. મેળવેલ 2009-05-13.
  233. "SLA shells hospital again, several killed including doctor, ICRC worker". Lankasrinews.com. મેળવેલ 2009-05-17.
  234. "Security Council voices 'grave' concern over Sri Lanka humanitarian crisis". UN. May 13, 2009. મેળવેલ 2009-05-14.
  235. "Sri Lanka army 'controls coast'". BBC news. May 16, 2009. મેળવેલ 2009-05-16.
  236. "Sri Lanka's coast free of terror; Army 58 Div links up with the 59 Div". Ministry of Defence. May 16, 2009. મૂળ માંથી 2009-05-19 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-16. સંગ્રહિત ૨૦૦૯-૦૫-૧૯ ના રોજ વેબેક મશિન
  237. "LTTE prepares for mass suicide; key terror leaders trapped". Ministry of Defence. May 16, 2009. મૂળ માંથી 2009-05-19 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-16. સંગ્રહિત ૨૦૦૯-૦૫-૧૯ ના રોજ વેબેક મશિન
  238. Chamberlain, Gethin (17 May 2009). "Tamil Tigers announce plan to surrender". The Observer. London. મેળવેલ 2009-05-17. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
  239. "Slaughter in Sri Lanka". London: The Times. 29 May 2009. મેળવેલ 29 May 2009.
  240. "Sri Lanka fighting 'killed 20,000'". Al Jazeera. 29 May 2009. મેળવેલ 29 May 2009.
  241. "Sri Lanka rejects deaths report". BBC News. 29 May 2009. મેળવેલ 29 May 2009.
  242. "Sri Lanka death toll 'unacceptably high', says UN | World news | guardian.co.uk". London: Guardian. May 29, 2009. મેળવેલ 2009-05-30.
  243. ૨૪૩.૦ ૨૪૩.૧ ૨૪૩.૨ Charles Haviland (8 July 2009). "S Lanka medics recant on deaths". BBC News. મેળવેલ 12 July 2009.
  244. "ASA 37/015/2009 Sri Lanka: Statements by detained doctors underline need for independent inquiry". Amnesty International. 9 July 2009. મૂળ માંથી 1 ઑગસ્ટ 2012 પર સંગ્રહિત. મેળવેલ 12 July 2009. Check date values in: |archive-date= (મદદ)
  245. "Is LTTE chief Prabhakaran dead? Yes, says Lanka govt". મૂળ માંથી 2009-05-20 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-17. સંગ્રહિત ૨૦૦૯-૦૫-૨૦ ના રોજ વેબેક મશિન
  246. "Sri Lanka rebels concede defeat in civil war". News.yahoo.com. મૂળ સંગ્રહિત માંથી 2009-05-21 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-17.
  247. શ્રીલંકન સે રેબેલ્સ ક્રશ્ડ એન્ડ લીડર કિલ્ડ ન્યૂ યોર્ક ટાઇમ્સ, મે 18, 2009.
  248. Nelson, Dean (2009-05-18). "Sri Lanka: Tamil Tiger leader Velupillai Prabhakaran and his lieutenants 'eliminated'". London: Telegraph. મેળવેલ 2009-05-30.
  249. "South Asia | Sri Lanka's rebel leader 'killed'". BBC News. 2009-05-19. મેળવેલ 2009-05-30.
  250. "Security News | Sundayobserver.lk - Sri Lanka". Sundayobserver.lk. 2009-05-17. મૂળ માંથી 2009-05-21 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-30. સંગ્રહિત ૨૦૦૯-૦૫-૨૧ ના રોજ વેબેક મશિન
  251. "Prabhakaran's body found". Defence.lk. મૂળ માંથી 2009-05-22 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-30. સંગ્રહિત ૨૦૦૯-૦૫-૨૨ ના રોજ વેબેક મશિન
  252. Gamini Gunaratna, Sri Lanka News Paper by LankaPage.com (LLC)- Latest Hot News from Sri Lanka (2009-05-18). "Sri Lanka: Opposition Leader congratulates Sri Lanka President". Colombopage.com. મૂળ માંથી 2009-05-21 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-30. સંગ્રહિત ૨૦૦૯-૦૫-૨૧ ના રોજ વેબેક મશિન
  253. "Archbishop congratulates Armed forces on the conclusion of war". Defence.lk. 2009-05-18. મૂળ માંથી 2011-05-10 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-30.
  254. "Sri Lankan stocks shoot up on war victory". Times Online. 2009-05-18. મૂળ માંથી 2011-05-10 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-18. સંગ્રહિત ૨૦૧૧-૦૫-૧૦ ના રોજ વેબેક મશિન
  255. "Geneva, 19 May 2009 - Joint Press Conference held by UN Secretary-General and World Health Organization Director-General, Margaret Chan". United Nations. 19 May 2009. મેળવેલ 19 May 2009.
  256. "Summary: 18 May 2009, Brussels - Council of the European Union, 2942nd GENERAL AFFAIRS Council meeting, Conclusions on Sri Lanka". European Union. 18 May 2009. મેળવેલ 19 May 2009.
  257. "નાગરિક વિગ્રહ ભડકેલો હોવા છતાં બ્રિટન દ્વારા શ્રીલંકાને શસ્ત્રોનું વેચાણ". મૂળ માંથી 2009-06-14 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07.
  258. "Department of Foreign Affairs and International Trade - Media Room - News Releases". W01.international.gc.ca. 2009-03-25. મૂળ માંથી 2009-10-01 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-30. સંગ્રહિત ૨૦૦૯-૧૦-૦૧ ના રોજ વેબેક મશિન
  259. "Statement by the Official Spokesperson on Sri Lanka". Ministry of External Affairs (India). 18 May 2009. મેળવેલ 19 May 2009.
  260. "Iran congratulates Sri Lanka on defeating terrorism". Defence.lk. 2009-05-19. મૂળ માંથી 2009-05-23 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-30. સંગ્રહિત ૨૦૦૯-૦૫-૨૩ ના રોજ વેબેક મશિન
  261. "Japan PM welcomes end of Sri Lanka war". Lanka Business Online. 2009-05-19. મૂળ માંથી 2011-05-11 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-30. સંગ્રહિત ૨૦૧૧-૦૫-૧૧ ના રોજ વેબેક મશિન
  262. Miadhu News (2009-05-19). "President congratulates Sri Lankan President on ending civil war". Miadhu.com.mv. મેળવેલ 2009-05-30.[હંમેશ માટે મૃત કડી]
  263. "Maldives News". Minivan News. 2009-05-19. મેળવેલ 2009-05-30.[હંમેશ માટે મૃત કડી]
  264. James Wray and Ulf Stabe (2009-05-19). "Norway urges Sri Lanka to aid refugees". Monsters and Critics. મૂળ માંથી 2012-09-06 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-30. સંગ્રહિત ૨૦૧૨-૦૯-૦૬ ના રોજ archive.today
  265. "Pakistan felicitates Sri Lanka on 'great victory over terrorism'". Defence.lk. મૂળ માંથી 2009-05-29 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-30. સંગ્રહિત ૨૦૦૯-૦૫-૨૯ ના રોજ વેબેક મશિન
  266. "On the End of Sri Lankan Civil War: Department of Foreign Affairs". Dfa.gov.ph. 2009-05-22. મૂળ માંથી 2015-09-12 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-30.
  267. "Russia, Iran congratulate Sri Lanka on ending civil war_English_Xinhua". News.xinhuanet.com. 2009-05-21. મેળવેલ 2009-05-30.
  268. http://www.dfa.gov.za/docs/2009/sri0521.html
  269. "MFA Press Statement: The Situation in Sri Lanka - Sri Lankan Minister of Foreign Affairs Rohitha Bogollagama calls on Minister for Foreign Affairs George Yeo". Ministry of Foreign Affairs, Singapore. 29 May 2009. મેળવેલ 5 June 2009.
  270. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-09-30 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07. સંગ્રહિત ૨૦૧૧-૦૯-૩૦ ના રોજ વેબેક મશિન
  271. "Media Release". Eda.admin.ch. મેળવેલ 2009-05-30.
  272. "Sri Lanka'dan Gül'e Son Durum Bilgisi". TRT World. 19 May 2009. મેળવેલ 7 September 2009.
  273. "Written ministerial statement on Sri Lanka (19/05/2009)". Foreign and Commonwealth Office. 19 May 2009. મૂળ સંગ્રહિત માંથી 28 ડિસેમ્બર 2012 પર સંગ્રહિત. મેળવેલ 22 May 2009.
  274. ""British government congratulated President Rajapaksa for finishing off terrorists" - Lord Malloch Brown". Defence.lk. 2009-05-22. મૂળ માંથી 2009-05-25 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-30. સંગ્રહિત ૨૦૦૯-૦૫-૨૫ ના રોજ વેબેક મશિન
  275. "Daily Press Briefing May 18, 2009". United States Department of State. 18 May 2009. મેળવેલ 19 May 2009.
  276. "'US will continue to support Sri Lanka's humanitarian relief efforts' says US Ambassador". Defence.lk. મૂળ માંથી 2009-05-22 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-30. સંગ્રહિત ૨૦૦૯-૦૫-૨૨ ના રોજ વેબેક મશિન
  277. http://www.mofa.gov.vn/en/tt_baochi/pbnfn/ns090522095256
  278. "Vietnam welcomes the victory of the Government and people of Sri Lanka". Defence.lk. મૂળ માંથી 2011-05-11 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-30. સંગ્રહિત ૨૦૧૧-૦૫-૧૧ ના રોજ વેબેક મશિન
  279. ૨૭૯.૦ ૨૭૯.૧ "Sri Lanka Army - Defenders of the Nation". Army.lk. 2009-05-20. મૂળ માંથી 2009-05-23 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-30.
  280. "Sri Lanka Army - Defenders of the Nation". Army.lk. 2009-05-21. મૂળ માંથી 2009-05-26 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-30.
  281. "Commandos kill 11 LTTE infiltrators - Kalavanchchikudi". Defence.lk. મૂળ માંથી 2009-05-31 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-30. સંગ્રહિત ૨૦૦૯-૦૫-૩૧ ના રોજ વેબેક મશિન
  282. "Troops recover more military equipments in search and clear operations". defence.lk. 2009-06-08. મૂળ માંથી 2009-06-09 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-13. સંગ્રહિત ૨૦૦૯-૦૬-૦૯ ના રોજ વેબેક મશિન
  283. "IDPs: Govt. already acting on agreed areas of priority - President to Ban Ki-moon". Defence.lk. 2009-05-23. મૂળ માંથી 2009-05-27 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-30. સંગ્રહિત ૨૦૦૯-૦૫-૨૭ ના રોજ વેબેક મશિન
  284. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-05-13 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07. સંગ્રહિત ૨૦૧૧-૦૫-૧૩ ના રોજ વેબેક મશિન
  285. Gentleman, Amelia (January 18, 2009). "Fears grow for trapped civilians as army advances on Tamil Tigers". The Guardian. London. મેળવેલ May 23, 2010.
  286. "Military declares civilian safety zone in rebel area". The Guardian. London. January 22, 2009. મેળવેલ May 23, 2010.
  287. http://english.aljazeera.net/news/asia/2009/05/20095141557222873.html
  288. Page, Jeremy (May 1, 2009). "Leaked UN satellite images show haven for Sri Lanka refugees was bombed". The Times. London. મેળવેલ May 23, 2010.
  289. Pallister, David (April 24, 2009). "Sri Lanka war toll near 6,500, UN report says". The Guardian. London. મેળવેલ May 23, 2010.
  290. "ASA 37/016/2009 Unlock the Camps in Sri Lanka: Safety and Dignity for the Displaced Now". Amnesty International. 10 August 2009. મૂળ માંથી 18 જુલાઈ 2012 પર સંગ્રહિત. મેળવેલ 22 October 2009. Check date values in: |archive-date= (મદદ)
  291. http://www.crisisgroup.org/home/index.cfm?id=6335&I=3[હંમેશ માટે મૃત કડી]
  292. "Sri Lanka: Government Breaks Promises That Displaced Can Go Home". Human Rights Watch. 19 October 2009. મેળવેલ 22 October 2009.
  293. "Sri Lanka vows to resettle Tamils". BBC News. 21 May 2009. મેળવેલ 22 October 2009.
  294. "India and Sri Lanka agree on IDP timetable, political solution". The Official Government News Portal of Sri Lanka. 22 May 2009. મેળવેલ 22 October 2009.
  295. "Report # 10: 26 September – 9 October 2009" (PDF). Joint Humanitarian Update: North East Sri Lanka. UN Office for the Coordination of Humanitarian Affairs. 9 October 2009. મેળવેલ 22 October 2009.
  296. લંકાને "ભારતીય મદદ" વિરુદ્ધ મલેશિયાના તમિલોનો વિરોધ સંગ્રહિત ૨૦૦૯-૦૮-૨૫ ના રોજ વેબેક મશિન ઈન્ડોપિયા, 21 એપ્રિલ 2009.
  297. તમિલ વિરોધ પ્રદર્શન ગલીઓમાં ઉતરી આવ્યું બીબીસી 11 મે 2009.
  298. "Misguided Tamil protesters". Martin Collacott. The National Post. 2009-05-13. મેળવેલ 2009-05-13.[હંમેશ માટે મૃત કડી]
  299. "Victory's price: 6,200 Sri Lankan troops". News.smh.com.au. 2009-05-22. મેળવેલ 2009-05-30.
  300. "/ UK - Sri Lankan army and Tamil Tiger death tolls reveal grim cost of years of civil war". Ft.com. 2009-05-23. મેળવેલ 2009-05-30.
  301. David Pallister & Gethin Chamberlain (24 April 2009). "Sri Lanka war toll near 6,500, UN report says". London: The Guardian, UK.
  302. "Sri Lanka rejects rebel ceasefire". BBC News. 27 April 2009.
  303. Chamberlain, Gethin (29 May 2009). "Sri Lanka death toll 'unacceptably high', says UN". London: The Guardian, UK. મેળવેલ 26 October 2009.
  304. "Slaughter in Sri Lanka". London: The Times, UK. 29 May 2009. મેળવેલ 26 October 2009.
  305. Buncombe, Andrew (12 February 2010). "Up to 40,000 civilians 'died in Sri Lanka offensive'". The Independent. London. મેળવેલ 23 May 2010.

ગ્રંથસૂચિ ફેરફાર કરો

  • બાલાસિંઘમ, એડલઃ ધ વિલ ટુ ફ્રીડમ - અન ઈનસાઇડ વ્યૂ ઓફ તમિલ રેઝિસ્ટન્સ . ફૅરમેક્સ પબ્લિશિંગ લિ., બીજી આવૃત્તિ 2003, ISBN 1-903679-03-6.
  • દિસ્સાનાયકા, ટી. ડી. એસ. એ.: વૉર ઓર પીસ ઇન શ્રીલંકા, વોલ્યૂમ ટુ . સ્વસ્તિકા (પ્રા.) લિ., કોલમ્બો 1998.
  • દિક્ષીત, જે. એન.: એસાઇન્મેન્ટ કોલમ્બો , ISBN 81-220-0499-7.
(આઇપીકેએફની ઉપસ્થિતિ તરફ દોરી જનારી 1980ની વાટાઘાટો દરમિયાન દિક્ષીત ભારતના હાઇ કમિશ્નર હતા.) 
  • ગેમેજ, એસ. અને વોટસન, આઈ.બી.: કોન્ફ્લિક્ટ એન્ડ કમ્યૂનિટી ઇન કન્ટેમ્પરરી શ્રીલંકા .
સેજ, નવી દિલ્હી 1999.
  • ગેમેજ, એસ: એથનિક કોન્ફ્લિક્ટ, સ્ટેટ રિફોર્મ એન્ડ નેશન બિલ્ડીંગ ઇન શ્રીલંકા: એનાલિસિસ ઓફ કોન્ટેક્સ્ટ એન્ડ સજેશન્સ ફોર અ સેટલમેન્ટ , નીલસેન, જ્હોન પી. અને મલિક, દિપકઃ "ક્રાઈસિસ ઓફ સ્ટેટ એન્ડ નેશનઃ સાઉથ એશિયન સ્ટેટ્સ બીટવીન નેશન બિલ્ડીંગ એન્ડ ફ્રેગમેન્ટેશન", મનોહર, નવી દિલ્હી (આવી રહી છે).
  • હૂલે, આર., સોમસુંદરમ, ડી., શ્રીથારન કે., અને થિરાંગમા, આર., ધ બ્રોકન પાલ્મિરા - ધ તમિલ ક્રાઇસિસ ઇન શ્રીલંકાઃ અન ઇનસાઇડ એકાઉન્ટ .
ધ શ્રીલંકા સ્ટડીઝ ઇન્સ્ટિટ્યૂટ, ક્લૅરમોન્ટ 1990. (ઓનલાઇન પણ ઉપલબ્ધ.)ધ બ્રોકન પાલ્મિરા - ધ તમિલ ક્રાઇસિસ ઇન શ્રીલંકાઃ અન ઇનસાઇડ એકાઉન્ટ.


  • જોનસન, રોબર્ટઃ અ રિજીયન ઇન ટર્મોઇલ . રિએક્શન, ન્યૂ યોર્ક અને લંડન 2005. (શ્રીલંકા અને તેના પ્રાદેશિક સંદર્ભને આવરી લે છે.)
  • નારાયણ સ્વામી, એમ. આર.: ટાઇગર્સ ઓફ લંકાઃ ફ્રોમ બોય્ઝ ટુ ગુરિલ્લાઝ .
કોણાર્ક પબ્લિશર્સ; ત્રીજી આવૃત્તિ. 2002, ISBN 81-220-0631-0.

બાહ્ય લિંક્સ ફેરફાર કરો

સત્તાવાર વેબસાઇટો

નકશા

સ્વતંત્ર અહેવાલો અને લખાણ

વિશ્લેષણ