સત્ય એટલે સાચી હકીકત.

સત્યમેવ જયતે ફેરફાર કરો

ભારત દેશની ન્યાય આપવાનું કાર્ય કરતી બધી જ અદાલતો પર સત્યમેવ જયતેનું સુત્ર લખાયેલું જોવા મળે છે. આ મૂળ સંસ્કૃત ભાષામાં લખાયેલ વાક્યનો અર્થ એવો થાય છે કે, સત્યનો હંમેશાં વિજય થાય છે. આ ઉક્તિ મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવી છે.[૧] આથી પ્રાચીન કાળથી જ ભારતીય ઉપખંડમાં સત્યનો મોટો મહિમા છે તેવું જણાઇ આવે છે. હિંદુ ધર્મના મહત્વના પ્રાચીન ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા પણ સત્યનો મહિમા ગવાયો છે.

सत्यमेव जयते नानृतं सत्येन पन्था विततो देवयानः ।
येनाक्रमन्त्यृषयो ह्याप्तकामा यत्र तत् सत्यस्य परमं निधानम् ॥

મહાત્મા ગાંધીએ અંગ્રેજો સામે સત્યાગ્રહ અને અહિંસાના માર્ગ પર ચાલીને આઝાદી મેળવી હતી. ગાંધીજીએ સત્યના પ્રયોગો નામનું આત્મકથાત્મક પુસ્તક પણ લખ્યું હતું.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Mundaka Upanishad". IIT Kanpur. મૂળ માંથી 2020-06-04 પર સંગ્રહિત. મેળવેલ 2020-06-04.