સૂર્યવર્મન દ્વિતીય(សូរ្យវរ្ម័នទី២) એ ખ્મેર સામ્રાજ્યનો રાજા હતો, જેણે ખ્મેર સામ્રાજ્ય પર વર્ષ ૧૧૧૩ થી ૧૧૪૫/૫૦ સુધી રાજ કર્યુ હતું. વિશ્વ વિખ્યાત અંગકોર વાટ વિષ્ણુ મંદિરનું નિર્માણ પણ તેણે જ કરાવ્યું હતું. તેમના શાસનની સમયના સ્મારકો, અસંખ્ય સૈન્ય ઝુંબેશો અને મજબૂત રાજ્યની પુનઃસ્થાપનાના કારણે ઇતિહાસકારોએ સૂર્યવર્મન દ્વિતીયને ખ્મેર સામ્રાજ્યના મહાનોત્તમ રાજા તરીકે સ્થાન આપ્યું છે.[૧]:159[૨][૩]

સૂર્યવર્મન દ્વિતીય
ખ્મેર સામ્રાજ્યનો રાજા
અંગકોર વાટમાં ચિત્રિત સુર્યવર્મન દ્વિતીય
શાસન૧૧૧૩ - ૧૧૪૫/૫૦
પુરોગામીધરણીન્દ્રવર્મન પ્રથમ
અનુગામીધરણીન્દ્રવર્મન દ્વિતીય
જન્મ૧૧મી સદી
યશોધરાપુર(અંગકોર)
મૃત્યુ૧૧૪૫/૫૦
યશોધરાપુર(અંગકોર)
વંશજધરણીન્દ્રવર્મન
નામો
સુર્યવર્મન
મરણોત્તર નામ
પરમવિષ્ણુલોક
રાજવંશખ્મેર
પિતાક્ષિતિન્દ્રાદિત્ય
માતાનરેન્દ્રલક્ષ્મી
ધર્મહિંદુ વૈષ્ણવ

મૃત્યુ અને ઉતરાધ ફેરફાર કરો

શિલાલેખોના પુરાવા સૂચવે છે કે સૂર્યવર્મન દ્વિતીયનું મૃત્યુ શક્યતઃ વર્ષ ૧૧૪૫/૫૦ વચ્ચે થયું હતું, સંભવતઃ ચાંપા રાજ્ય સામેના યુદ્ધ દરમિયાન.[૪] ત્યારબાદ તેના પિતરાઈ ભાઈ ધરણીન્દ્રવર્મન દ્વિતીયે તેમનું પદ સંભાળ્યું. સુર્યવર્મન દ્વિતીયના મૃત્યુ બાદ ખ્મેર સામ્રાજ્યના નબળા શાસન અને સંઘર્ષનો સમય શરૂ થયો.

સંદર્ભ ફેરફાર કરો

  1. Coedès, George (1968). Walter F. Vella (સંપાદક). The Indianized States of Southeast Asia. trans.Susan Brown Cowing. University of Hawaii Press. ISBN 978-0-8248-0368-1. CS1 maint: discouraged parameter (link)
  2. Reynolds, Frank. "Angkor". Encyclopædia Britannica. Encyclopædia Britannica, Inc. મેળવેલ 17 August 2018.
  3. Plubins, Rodrigo. "Khmer Empire". Ancient History Encyclopedia. Ancient History Encyclopedia. મેળવેલ 17 August 2018.
  4. infopleace