સોલંકી વંશ અથવા ગુજરાતના ચાલુક્ય એક રાજપૂત વંશ હતો, જેણે ઉત્તર-પશ્ચિમી ભારતમાં ઈ.સ. ૯૪૦ થી ૧૨૪૪ દરમિયાન વર્તમાન ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગો પર શાસન કર્યું હતું.[૨] તેમની રાજધાની અણહિલવાડ (આધુનિક પાટણ) ખાતે આવેલી હતી. એક સમયે તેમનું શાસન હાલના મધ્ય પ્રદેશના માલવા વિસ્તાર સુધી વિસ્તરતું હતું. આ રાજવંશને પ્રાંતીય ભાષામાં સોલંકી વંશ તરીકે ઓળખવામાં આવે છે. ૧૨મી સદીમાં ઘોરી આક્રમણોની આસપાસ રાજપૂત તરીકેની તેમની ઓળખ વધુ સ્પષ્ટ થઈ હતી.[૩]

સોલંકી વંશ
૯૪૦–૧૨૪૪
રાજધાની અણહિલપુર પાટણ
ધર્મ શૈવ, જૈન
સત્તા રાજાશાહી
પ્રમુખ
 •  ૯૪૦-૯૯૭ મૂળરાજ
 •  ૧૦૨૨-૧૦૬૪ ભીમદેવ પ્રથમ
 •  ૧૦૬૪-૧૦૯૪ કર્ણદેવ પ્રથમ
 •  ૧૦૯૪-૧૧૪૦ સિદ્ધરાજ જયસિંહ
 •  ૧૧૪૩-૧૧૭૨ કુમારપાળ
 •  ૧૧૭૨-૧૨૪૪ બાળ મૂળરાજ
 •  ૧૧૭૮-૧૨૪૨ ભીમદેવ દ્વિતીય
 •  ૧૨૪૨-૧૨૪૪ ત્રિભુવનપાળ
ઇતિહાસ
 •  સ્થાપના ૯૪૦
 •  અંત ૧૨૪૪
પહેલાનું શાસન
પછીની સત્તા
ચાવડા વંશ
વાઘેલા વંશ
કચ્છ રાજ્ય
નકશો
સોલંકી શાસન દરમિયાન કોતરવામાં આવેલા શિલલેખો.[૧]

સોલંકી વંશના સંસ્થાપક મૂળરાજે ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહ ચાવડાને હરાવીને ઈ.સ. ૯૪૦-૯૪૧માં અણહિલવાડ પાટણમાં તેમનું સ્વતંત્ર સામ્રાજ્ય સ્થાપ્યું હતું. તેમના ઉત્તરાધિકારીઓ ચુડાસમા, પરમાર અને શાકમ્ભરીના ચાહમન જેવા પડોશી શાસકો સાથે અનેક લડાઈઓ લડ્યા હતા. ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન ગઝનીના શાસક મહમૂદે રાજ્ય પર આક્રમણ કર્યું હતું અને ઈ.સ. ૧૦૨૪-૧૦૨૫ દરમિયાન સોમનાથ મંદિર પર હુમલો કર્યો હતો. મહમદ ગઝનીની વિદાય પછી સોલંકી શાસકોએ પોતાની સત્તા પાછી મેળવી. ૧૨મી સદીમાં સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના શાસન હેઠળ રાજ્ય તેની ચરમસીમાએ પહોંચ્યું. કેટલાક નાના રાજવંશો જેવા કે જાલોરના ચાહમન અને નદુલાના ચાહમન આ સમયગાળા દરમિયાન સોલંકી શાસકોના જાગીરદાર રૂપે શાસન કરતા હતા. કુમારપાળના મૃત્યુ પછી સામંતોના વિદ્રોહ; પરમાર, ઘોરી, દેવગિરિના યાદવો વગેરેના બાહ્ય આક્રમણો તેમજ આંતરિક બળવાને કારણે સોલંકી રાજ્ય ધીમે ધીમે નબળું પડ્યું. તેનો લાભ લઈને, વાઘેલા વંશ, જેમણે અગાઉ ચાલુક્ય સેનાપતિ તરીકે સેવા આપી હતી, તેમણે સત્તા હસ્તગત કરી અને ૧૨૪૦ના દાયકામાં એક નવા વંશની સ્થાપના કરી હતી.

સોલંકી શાસન ફેરફાર કરો

મૂળરાજ સોલંકી ફેરફાર કરો

મૂળરાજે ગુજરાતના ચાવડા વંશના છેલ્લા રાજાને ઉથલાવીને ઇસ ૯૪૦-૯૪૧માં અણહિલવાડ પાટણમાં પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું.[૨] તે શૈવ પંથી રાજા હતો અને રાજાની વૈદિક પરંપરામાં માનતો હતો. તેણે દિગંબરો માટે મૂળવસ્તિકા (મૂળનું નિવાસ) મંદિર અને શ્વેતાંબરો માટે મૂળનાથ-જિનદેવ (જે જિન મૂળના ભગવાન છે) મંદિર બંધાવ્યું હતું.[૪]

ભીમદેવ પહેલો ફેરફાર કરો

 
ભીમદેવ પ્રથમ દ્વારા બંધાયેલ મોઢેરાનું સૂર્યમંદિર

મૂળરાજ પછી ભીમદેવ પ્રથમ ગાદીએ આવ્યો. તેણે મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર બંધાવ્યું. તેની રાણી ઉદયમતી એ રાણકી વાવ તેની યાદમાં બંધાવી હતી. સોલંકી વંશના કુળ દેવી પ્રભાસ ખાતે સોમનાથમાં હતા. ભીમદેવના શાસન દરમિયાન મહમદ ગઝનીએ પવિત્ર સોમનાથ મંદિરનો નાશ કર્યો હતો. ભીમદેવ સોલંકીએ પાલોદરનું મલાઇમાતાનાનું મંદિર બંધાવ્યુ હતું.[સંદર્ભ આપો]

કર્ણદેવ પહેલો ફેરફાર કરો

ભીમદેવના વંશજ કર્ણદેવ પહેલાએ ભીલ સરદારને હરાવીને કર્ણાવતીની સ્થાપના કરી, જે હાલના અમદાવાદ પાસે આવેલું હતું. કર્ણદેવે મીનળદેવી સાથે લગ્ન કર્યા હતા અને તેમનું સંતાન સિદ્ધરાજ જયસિંહ હતા.

સિદ્ધરાજ જયસિંહ ફેરફાર કરો

સિદ્દરાજ જયસિંહે ઇસ ૧૦૯૪થી શરૂ કરીને લગભગ અડધી સદી સુધી રાજ કર્યું અને રાજ્યને સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું. સિદ્ધપુરમાં આવેલો રુદ્ર મહાલય તે સમયના શાસનના સ્થાપત્યનું પ્રતિબિંબ છે.[૨]

હેમચંદ્રાચાર્ય, જૈન સાધુ આ સમયમાં ખ્યાતિ પામ્યા અને તેમના રાજા સાથે સારા સંબંધો હતા. સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય જયસિંહે માળવા પર પણ કબ્જો કર્યો. તેની પ્રખ્યાત દંતકથા જુનાગઢ સાથે જોડાયેલી છે. જુનાગઢનો કબ્જો તેણે ચુડાસમા વંશના રા ખેંગારની પત્નિ રાણકદેવી સાથે મેળવ્યો. રાણકદેવીએ જયસિંહ સાથે લગ્ન કરવા કરતાં સતી થવાનું પસંદ કર્યું અને તેણે પોતાની જાતને વઢવાણ ખાતે અગ્નિમાં હોમી દીધી. રાણકદેવીનું મંદિર વઢવાણમાં તે જગ્યાએ આવેલું છે.[સંદર્ભ આપો]

કુમારપાળ ફેરફાર કરો

સિદ્ધરાજના અનુગામી કુમારપાળનું શાસન ૩૧ વર્ષો સુધી ઇસ ૧૧૪૩થી ૧૧૭૪ સુધી રહ્યું. તેના પણ હેમચંદ્રાચાર્ય સાથે સારા સંબંધો રાખ્યા અને તેના શાસન દરમિયાન ગુજરાતમાં જૈનધર્મનો ફેલાવો થયો. તેણે સોમનાથ મંદિરનું ફરીથી નિર્માણ કરાવ્યું. કુમારપાળના શાસન દરમિયાન ગુજરાતની સમૃદ્ધિ ટોચ પર હતી.

બાળ મૂળરાજ ફેરફાર કરો

બાળ મૂળરાજે (૧૧૭૩-૧૧૭૬) મહમદ ઘોરીના આક્રમણો સફળતાપૂર્વક ખાળી કાઢ્યા, જે મહમદ ગઝનીના આક્રમણોનું પુનરાવર્તન કરવા માંગતો હતો.

ઉત્તરાધિકારી ફેરફાર કરો

સોલંકી વંશના પતન પછી વાઘેલા વંશની સત્તા આવી. વાઘેલાઓ સોલંકીઓના શાસન નીચે રહેલા. તેમણે ટૂંકા સમયનું (૭૬ વર્ષ) પણ મજબૂત શાસન કર્યું. સોલંકી વંશના પતન પછી ગુજરાતમાં સ્થિરતા લાવવા માટે વાઘેલા વંશ જવાબદાર હતો. તેમ છતાં, તેના છેલ્લાં શાસક કર્ણદેવ વાઘેલાને ઇસ ૧૨૯૭માં અલાદ્દિન ખિલજીએ હરાવીને દિલ્હી સલ્તનતની સત્તા ગુજરાતમાં સ્થાપી.[સંદર્ભ આપો]

સ્થાપત્ય ફેરફાર કરો

 
ચલુક્ય મંત્રીઓ દ્વારા નિર્મિત દેલવારા મંદિર

મરુ-ગુર્જર સ્થાપત્ય અથવા "સોલંકી શૈલી" [૫] એ ઉત્તર ભારતીય મંદિર સ્થાપત્યની શૈલી છે, જે ૧૧મીથી ૧૩મી સદી દરમિયાન ચાલુક્ય વંશ (અથવા સોલંકી રાજવંશ) હેઠળ ગુજરાત અને રાજસ્થાનમાં શરૂ થઈ હતી.[૬] હિંદુ મંદિર વાસ્તુકલામાં એક પ્રાદેશિક શૈલી તરીકે ઉદભવેલી આ સ્થાપત્યશૈલી જૈન સંરક્ષણમાં ખાસ કરીને જૈન મંદિરોમાં લોકપ્રિય બની હતી. જે બાદમાં સમગ્ર ભારત અને દુનિયાભરના પ્રવાસી સમુદાયોમાં ફેલાઈ ગઈ હતી.

ધર્મ ફેરફાર કરો

રાજવંશના મોટા ભાગના શાસકો શૈવ મત ધરાવતા હતા, જોકે તેમણે જૈન ધર્મનું પણ રક્ષણ કર્યું હતું.[૭] સોલંકી વંશના સ્થાપક મુળરાજ સોલંકીએ દિગંબર જૈનો માટે મુળવસ્તિકા મંદિર અને શ્વેતામ્બર જૈનો માટે મુળનાથ-જીનદેવ મંદિરનું નિર્માણ કર્યું હતું.[૮] દેલવાડા મંદિરો અને સૂર્યમંદિર, મોઢેરાનું નિર્માણ ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું. લોકપ્રિય પરંપરા અનુસાર તેમની રાણી ઉદયામતીએ પણ રાણકી વાવનું નિર્માણક કરાવ્યું હતું.[૯] કુમારપાળે પોતાના જીવનના કોઈ તબક્કે જૈન ધર્મનું રક્ષણ કરવાનું શરૂ કર્યું હતું અને ત્યાર પછીના જૈન વર્ણનોમાં તેમને જૈન ધર્મના છેલ્લા મહાન સંરક્ષક રાજવી તરીકે દર્શાવવામાં આવ્યા હતા.[૧૦]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. Asoke Kumar Majumdar 1956, pp. 498-502.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Sen, Sailendra (૨૦૧૩). A Textbook of Medieval Indian History. Primus Books. પૃષ્ઠ ૨૮-૨૯. ISBN 978-9-38060-734-4.
  3. Jadunath Sarkar 1960, pp. 32.
  4. Cort 1988, p. 87.
  5. Hegewald, નોંધ ૧. મિશેલ (૧૯૭૭) "સોલંકી શૈલી"નો ઉપયોગ કરે છે, જ્યારે હાર્લે શૈલીને ચોક્કસ નામ સાથે બાંધવામાં ખચકાટ અનુભવે છે.
  6. Mitchell (1977), 123; Hegewald
  7. Kantilal F. Sompura (1968). The Structural Temples of Gujarat, Upto 1600 A.D. Gujarat University. પૃષ્ઠ 97.
  8. John E. Cort 1998, p. 87.
  9. Vinod Chandra Srivastava 2008, p. 857.
  10. Asoke Kumar Majumdar 1956, p. 119.

ગ્રંથસૂચિ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો