વ્રજવાણી (તા.રાપર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

વ્રજવાણી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલુ ઐતિહાસિક ગામ છે. વ્રજવાણી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમજ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

વ્રજવાણી (તા.રાપર)
—  ગામ  —
વ્રજવાણી (તા.રાપર)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°48′59″N 70°47′45″E / 23.816266°N 70.795705°E / 23.816266; 70.795705
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

ઇતિહાસ ફેરફાર કરો

આ ગામમાં શહીદ થયેલી ૧૪૦ આહીર મહિલાઓના પાળીયા આવેલા છે.[૧]

દંતકથા ફેરફાર કરો

દસેક જેટલા વહીવંચા બારોટના અભિપ્રાય મુજબ સંવત ૧૫૧૧ વૈશાખ સુદ ચોથના આ ગામે આહિરાણીઓ સતી થઇ હોવાનો ઉલ્લેખ છે. તેમાં જણાવાયા મુજબ અમરાભાઇ આહિર અને રવાભાઇ આહિરના બે કબીલા હતા અને બન્ને કબીલાઓ વચ્ચે વધારે કુસંપ હતો. જેમાં અમરા આહિરના કબીલાવાળાઓએ રવા આહિરના કબીલાઓની મહિલાઓ જે ઢોલીના તાલે રાસ રમી રહી હતી તે ઢોલી સામેના કબીલાનો હોવાથી તલવારના ઘાએ ઢોલી ઢળી પડતાં તેના પાછળ આઘાતમાં આવી જઇને ૧૪૦ આહિરાણીઓ સતી થઇ ગઇ હોવાનું વહીવંટીચા બારોટ મોઘા વાઘા પાસે ઉલ્લેખ છે.[૨]

રાપર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

  1. "કચ્છના વ્રજવાણી (ઢોલીળા) ધામે ૧૯મીએ આહિર સમાજનો ધાર્મિક - સાંસ્કૃતિક કાર્યક્રમ". www.akilanews.com. મેળવેલ 2019-10-17.
  2. Ahirteacher (2010-11-10). "A: વ્રજવાણીના ઇતિહાસ". A. મેળવેલ 2019-10-17.