શકરપુર (તા.ખંભાત)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

શકરપુર (તા. ખંભાત) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા ખંભાત તાલુકામાં આવેલું એક ગામ છે. શકરપુર ગામ તાલુકા મથક ખંભાતથી ફક્ત ૧.૫ કિ.મી.ના અંતરે આવેલું છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, બાજરી, તમાકુ, રાયડો, રાજગરો તેમ જ શાકભાજી ના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, ઉર્દુ શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

શકરપુર
—  ગામ  —
શકરપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°18′47″N 72°37′10″E / 22.313114°N 72.619408°E / 22.313114; 72.619408
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો આણંદ
તાલુકો ખંભાત
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર, બાજરી, તમાકુ, શાકભાજી,રાયડો,રાજગરો

સંદર્ભ ફેરફાર કરો