શિવ મંદિર, બાવકા

ગુજરાતના બાવકા ગામે આવેલું હિંદુ મંદિર

બાવકા શિવ મંદિર ગુજરાતના દાહોદ જિલ્લાના બાવકા ગામે આવેલું છે. આ મંદિર દાહોદથી ૧૪ કિમીના અંતરે આવેલા ચાંદાવાડા ગામની પાસેના હિરલાવ તળાવ નજીકની એક નાની ટેકરી પર આવેલું છે.[૧]

બાવકા શિવ મંદિર
બાવકા શિવ મંદિર
ધર્મ
જોડાણહિંદુ
સ્થાન
સ્થાનબાવકા, દાહોદ જિલ્લો, ગુજરાત
દેશભારત
શિવ મંદિર, બાવકા is located in ગુજરાત
શિવ મંદિર, બાવકા
ગુજરાતમાં બાવકા મંદિરનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ22°45′08″N 74°12′05″E / 22.75221°N 74.20147°E / 22.75221; 74.20147
સ્થાપત્ય
સ્થાપત્ય શૈલીમારુ ગુર્જર હિંદુ મંદિર સ્થાપત્ય
NHL તરીકે સમાવેશASI રાષ્ટ્રીય મહત્વનું સ્મારક (N-GJ-77)

ઇતિહાસ ફેરફાર કરો

તેનું બાંધકામ સોલંકી વંશના છેલ્લા શાસક ભીમદેવ (બીજા)ના શાસનકાળ (૧૧૭૮-૧૨૪૦) દરમિયાન કરવામાં આવ્યું હતું. પુરાતત્વવિદ્ મધુસૂદન ઢાંકી તેને મિયાણીના નીલકંઠ મંદિર (સંવત ૧૨૬૦, ઇ.સ. ૧૨૦૪) પછીના સમયનું ગણાવે છે. પરંતુ અહીંથી મળી આવેલો એક શિલાલેખ સંવત ૧૨૯૦ (ઇ.સ. ૧૨૩૪)નો છે.[૨] સ્થાનિક દંતકથા અનુસાર આ મંદિર એક દેવદાસીએ એક જ રાતમાં બાંધ્યું હતું. મહમદ ગઝનીએ મંદિરને નુકસાન પહોંચાડ્યું હતું. કેટલાય વર્ષો સુધી આ મંદિર ઉપેક્ષિત રહ્યું હતું અને તેની ઘણી કલાકૃતિઓની ચોરી થઈ ગઈ હતી. આ મંદિર રાષ્ટ્રીય મહત્વના સ્મારક (N-GJ-77) તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને પુરાતત્વ વિભાગ વડે ૨૦૦૯માં તેનું સમારકામ કરાયું હતું.[૩]

સ્થાપત્ય ફેરફાર કરો

પૂર્વાભિમુખ એવું આ મંદિર પંચાયતન પ્રકારનું છે, જેમાં એક મુખ્ય મંદિર અને ચાર પેટામંદિરો તેની ચાર ઉપદિશામાં આવેલા હોય છે.

આ મંદિર તેના સમયગાળાનું શ્રેષ્ઠ મંદિર ગણાય છે. રેતીયા પથ્થરો દ્વારા બનાવાયેલું મંદિર હવે ખંડિત અવસ્થામાં છે. સુણાકમાં આવેલા મંદિર જેવો જ પાયો તે ધરાવે છે પરંતુ તે મોટું કદ ધરાવે છે. મંદિરનો રંગમંડપ પણ ખંડિત અવસ્થામાં છે. શિખર પરની કોતરણી મિયાણીના મંદિર જેવી જ છે, જેથી તેનો સમય નક્કી કરવામાં મદદ થઇ હતી. તેની મૂર્તિઓ અને કોતરણીઓ પરથી પણ તેનો સમય નક્કી થયો છે. મંડપના નાના સ્થંભોની રચના સરળ છે. મંદિરની છત નાશ પામી છે.[૪][૨][૫] તૂટેલી છત અને મંડપના અવશેષો નજીકમાં વિખરાયેલા પડેલા છે.[૧][૬][૭]

મંદિરની બાહ્ય દિવાલો અને ગર્ભગૃહનું દ્વાર દેવી-દેવતાઓ અને અપ્સરાઓની કોતરણીઓ ધરાવે છે. તે મૂર્તિઓ મોટાભાગે ૬૪ x ૯૫ x ૩૬ સે.મી.નું માપ ધરાવે છે. તેમાં અનેક મૈથુન મૂર્તિઓ છે, જેથી તેને ગુજરાતનાં ખજૂરાહોનું ઉપનામ મળ્યું છે.[૧][૮][૯]

છબીઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Anjali H. Desai (૨૦૦૭). India Guide Gujarat. India Guide Publications. પૃષ્ઠ ૧૮૪. ISBN 978-0-9789517-0-2.
  2. ૨.૦ ૨.૧ Puratan. ૬-૭. Department of Archaeology and Museums, Madhya Pradesh. ૧૯૮૯. પૃષ્ઠ ૬૬–૭૧.
  3. Pandya, Hitarth (૭ જૂન ૨૦૦૯). "After years of neglect, Shiva temple in Dahod to get a facelift". The Indian Express (અંગ્રેજીમાં). મેળવેલ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૭.
  4. Dhaky, Madhusudan A. (૧૯૬૧). Deva, Krishna (સંપાદક). "The Chronology of the Solanki Temples of Gujarat". Journal of the Madhya Pradesh Itihas Parishad. ભોપાલ: Madhya Pradesh Itihas Parishad. : ૬૫.
  5. Gujarat (India) (૧૯૭૨). Gujarat State Gazetteers: Panchmahals. Directorate of Government Print., Stationery and Publications, Gujarat State. પૃષ્ઠ ૯૧, ૭૫૮.
  6. Sompura, Kantilal F. (૧૯૬૮). The Structural Temples of Gujarat, Upto 1600 A.D. Gujarat University. પૃષ્ઠ ૧૭૩.
  7. "ઊગતા સૂર્યના પ્રદેશ દાહોદના તેજસ્વી તાલુકાઓની વિશેષતા". Sadhana Weekly. ૧૧ માર્ચ ૨૦૧૬. મૂળ માંથી 2017-06-03 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૭.
  8. "દાહોદ પાસે આવેલ બાવકાનું શિવ પંચાયત મંદિર એટલે 'ગુજરાતનું ખજૂરાહોનું મંદિર'". દિવ્ય ભાસ્કર. ૮ જૂન ૨૦૧૫. મૂળ માંથી ૭ જૂન ૨૦૧૫ પર સંગ્રહિત. મેળવેલ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૭.
  9. Sharma, Preeti (2015). "Gendering of Art through Religious Symbolism: Mapping Depictions of Feminine Sexuality in Hindu Temple Architecture". Studies in Humanities and Social Sciences. 18.1 & 2.[હંમેશ માટે મૃત કડી]