શોભાયડા (જાગીરી)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

શોભાયડા (જાગીરી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા ભિલોડા તાલુકામાં આવેલું એક ગામ છે. શોભાયડા (જાગીરી) ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. શોભાયડા જાગીરી મુખ્યત્વે આદીવાસી વસ્તી ધરાવતું ગામ છે.લોકવાયકા અનુસાર પ્રાચીન સમયમાં આ સ્થળે શોભાવંતી નગરી હતી.નગરીમાં નાગર બ્રામણો વસતા હતા,જે શિવ ઉપાસક હતા.હાલમાં ગામના છેવાડે આ વાતની સાક્ષી પૂરતું પ્રાચીન શિવ મંદિર આવેલું છે,જે પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત છે. ખિલોડા ગૃપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ આ ગામના સરપંચ તરીકે હાલમાં શોભાયડા ગામના યુવાનશ્રી કાંતિભાઈ કે.કટારા છે. શોભાયડા ગામમાં ધોરણ 1 થી 8 ની પ્રાથમિક શાળા આવેલી છે.

શોભાયડા
—  ગામ  —
શોભાયડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°46′09″N 73°14′39″E / 23.769116°N 73.2441°E / 23.769116; 73.2441
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અરવલ્લી
તાલુકો ભિલોડા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, બાજરી, કપાસ,
દિવેલી, શાકભાજી