શ્રી નિષ્કલંક મહાદેવ કોળિયાક

નિષ્કલંક મહાદેવ મંદિર ભાવનગર જિલ્લાના કોળિયાક ખાતે આવેલું શિવ મંદિર છે.[૧]

હિંદુ ધર્મની માન્યતા અનુસાર મહાભારતના યુધ્ધ પછી પાંડવો અહીં આવ્યા હતા અને કોળિયાક ગામના સમુદ્ર કિનારે દેવાધિદેવ મહાદેવની સ્થાપના કરી હતી તેમજ વેદોક્ત વિધિથી ભગવાન શિવની પૂજા-અર્ચના કરી જેનાથી યુધ્ધમાં કરેલ હિંસાના પરિણામે લાગેલા કલંકથી તેમને મુક્તી મળતાં તેઓ નિષ્કલંક થયા અને તેથી આ મહાદેવને નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે. આ શિવલીંગ સમુદ્રમાં આવેલ હોવાથી માત્ર ઓટના સમયે જ તેના દર્શન થઇ શકે છે.

આ સ્થળ ભાવનગર શહેરથી આશરે ૨૦ કિલોમીટર અંતરે આવેલું છે.[૧]

કોળિયાકનો મેળો ફેરફાર કરો

દર વર્ષે શ્રાવણ વદ ચૌદશે તથા ભાદરવી અમાસને દિવસે અહીં પરંપરાગત રીતે લોકમેળો યોજાય છે. આ દિવસે મંદિરને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે અને મંદિરના મુહૂર્ત પ્રમાણે ભાવિકો અને શ્રધ્ધાળુઓ સમુદ્રમાં સ્નાન કરે છે અને ત્યારબાદ ભગવાનના દર્શન તથા પૂજા - અર્ચના કરે છે.[૧]

૨૦૨૦માં ૧૮ અને ૧૯ ઓગષ્ટના થનારી વદ ચૌદસ અને અમાસનો મેળો કોવિડ-૧૯ મહામારીને કારણે રદ કરવામાં આવ્યો હતો.[૨] ફક્ત ભાવનગરના રાજવી પરિવારની ધજા ચડાવવાની પરંપરાગત વિધિ કરવામાં આવી હતી.[૨]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "દરિયા વચ્ચે અલૌકિક જયોતિર્લિંગ નિષ્કલંક મહાદેવ". દિવ્ય ભાસ્કર. 2009-08-19. મૂળ સંગ્રહિત માંથી 2009-08-22 પર સંગ્રહિત. મેળવેલ 2020-05-28.
  2. ૨.૦ ૨.૧ "પરંપરા તૂટી:કોળીયાકમાં ભરાતા ભાદરવીના મેળાને લાગ્યું કોરોનાનું ગ્રહણ, કોળિયાક નીષ્કલંક મહાદેવનાં સાનિધ્યામાં ભકતો વિના સુનું રહયું" (ભાવનગર આવૃત્તિ). દિવ્ય ભાસ્કર. ૨૦ ઓગસ્ટ ૨૦૨૦.

બાહ્ય કડીઓ ફેરફાર કરો