સરખેજ રોઝા
ગુજરાત, ભારત સ્થિત એક મસ્જિદ અને મઝાર સહિતની ઐતિહાસિક ઇમારત
સરખેજ રોઝા મકરબા ગામ, અમદાવાદ, ગુજરાત નજીકમાં આવેલી એક સુંદર અને પૌરાણિક મસ્જિદ અને મઝાર સહિતની ઐતિહાસિક ઇમારત છે. આ સંકુલ એની વિશેષ રચનાને કારણે વીસમી સદીના આર્કિટેક્ટ લે કોરબુસિયરની રચના "એથેન્સના એક્રોપોલિસ"ની સાથે સરખાવવાથી "અમદાવાદનો એક્રોપોલિસ" તરીકે પણ ઓળખવામાં આવે છે.[૧]
સરખેજ રોઝા | |
---|---|
સંકુલમાં આવેલી ગંજ બક્ષની કબર | |
ધર્મ | |
જોડાણ | ઇસ્લામ |
સ્થિતિ | સક્રિય |
સ્થાન | |
સ્થાન | અમદાવાદ |
નગરપાલિકા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
રાજ્ય | ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 22°59′32″N 72°30′16″E / 22.992136°N 72.504573°E |
સ્થાપત્ય | |
સ્થપતિ(ઓ) | આઝમ અને મુઝ્ઝમ ખાન |
સ્થાપત્ય પ્રકાર | કબર |
સ્થાપત્ય શૈલી | ભારતીય-સારસેનિક |
આર્થિક સહાય | ગુજરાત સલ્તનત શાસકો |
ખાતમૂર્હત | ૧૪૪૫ |
પૂર્ણ તારીખ | ૧૪૫૧ |
સમગ્ર ગુજરાતમાં ઘણા બધા "રોઝા"[૨] આવેલા છે એમાં સરખેજ રોઝા વિશિષ્ટ મહત્વ ધરાવે છે. સરખેજમાં એક સમયે પ્રભાવશાળી સૂફી સંત શેખ અહમદ ગંજબક્ષ રહેતા હતા, એ સમયે સરખેજ દેશમાં સૂફી સંસ્કૃતિ એક અગ્રણી કેન્દ્ર હતું. અમદાવાદનાં સુલતાન અહેમદ શાહે આ સૂફી સંતના સુચનથી જ સરખેજથી થોડાંક અંતરે સાબરમતી નદીને કિનારે પાટનગરનું નિર્માણ કરાવ્યું હતું.
સંદર્ભ ફેરફાર કરો
- ↑ Vashi, Ashish (૨૧ નવેમ્બર ૨૦૦૯). "When Corbu compared Ahmedabad to Acropolis". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. અમદાવાદ. મૂળ માંથી 2013-07-01 પર સંગ્રહિત. મેળવેલ ૬ જૂન ૨૦૧૩. સંગ્રહિત ૨૦૧૩-૦૭-૦૧ ના રોજ archive.today
- ↑ Narhari K. 1909- Bhatt, Gujarat, 1972
બાહ્ય કડીઓ ફેરફાર કરો
વિકિમીડિયા કોમન્સ પર Sarkhej સંબંધિત માધ્યમો છે.
- સરખેજ રોઝાની અધિકૃત વેબસાઇટ
- મુઘલ સ્થાપત્યમાં જાળી કામ સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૧ ના રોજ વેબેક મશિન
આ લેખ અમદાવાદ અંગેનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |