સાંગણપુર

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

સાંગણપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં આવેલું એક ગામ છે. જે મહેસાણા થી ૧૨ કી.મી. દૂર આવેલ છે.

સાંગણપુર
—  ગામ  —
સાંગણપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°35′17″N 72°22′10″E / 23.587961°N 72.369325°E / 23.587961; 72.369325
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
તાલુકો મહેસાણા
વસ્તી ૩,૦૫૪[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં, શાકભાજી

આ ગામ લગભગ ૩૦૫૪ વ્યક્તિઓની વસ્તી ધરાવે છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત ઘણા લોકો સરકારી, અર્ધસરકારી અથવા ખાનગી સંસ્થાઓમાં નોકરી પણ કરે છે. ગામના થોડા લોકો નાનામોટા વેપાર-ધંધા સાથે પણ જોડાયેલા છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, એરંડા, રાયડો, રાઇ, જુવાર, તમાકુ, તલ, ક્ઠોળ તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.

આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, સહકરી મંડળી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

તહેવારો ફેરફાર કરો

દર વર્ષે ગામમાં પરંપરાગત રીતે મેળો ભરાય છે અને શ્રાવણ માસની ચૌદશે ગામમાં ઉજાણી થાય છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "Sanganpur Village Population - Mahesana - Mahesana, Gujarat". www.census2011.co.in. મેળવેલ ૨૪ માર્ચ ૨૦૧૭.