સાત પગલાં આકાશમાં

કુન્દનિકા કાપડિયાની નવલકથા

સાત પગલાં આકાશમાં એ ગુજરાતી સાહિત્યકાર કુન્દનિકા કાપડિયાની સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધોની નાજુક સમસ્યાઓના સંદર્ભે નારીજીવનની વ્યથાઓને નિરુપતી નવલકથા છે. સ્ત્રીનું અસ્તિત્વ અને તેની અસ્મિતા વચ્ચેના સંઘર્ષની કથા અહીં આલેખાયેલી છે. આ નવલકથા વાંચકોમાં લોકપ્રિય નીવડેલ છે.

અનુવાદ ફેરફાર કરો

આ નવલકથાનો દીવારોં કે પાર આકાશ નામે હિંદીમાં અનુવાદ થયો છે. તેના અનુવાદક નંદિની મહેતા હતા. [૧]

નાટ્ય રૂપાંતરણ ફેરફાર કરો

આ વાર્તા પરથી એક ગુજરાતી ટી.વી. ધારાવાહિક શ્રેણી પણ પ્રસારીત થઇ ચુકી છે. ત્યાર બાદ એક હિંદી ધારાવાહિક ઉમ્મીદ નયી સુબહ કી પણ બની હતે જે દૂરદર્શનના દૂરદર્શન દોપહર પર પ્રસારિત થઈ હતી. [૧]

પુરસ્કાર ફેરફાર કરો

આ પુસ્તકને ૧૯૮૫નો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે.[૨]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ Ravi, S. (૨ ઓક્ટોબર ૨૦૧૫). "The ray of hope". The Hindu (અંગ્રેજીમાં). ISSN 0971-751X. મેળવેલ ૨ જુલાઇ ૨૦૧૮.
  2. "..:: SAHITYA : Akademi Awards ::." sahitya-akademi.gov.in. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૨ જુલાઇ ૨૦૧૮.

બાહ્ય કડીઓ ફેરફાર કરો