હરિપ્રસાદ શાસ્ત્રી

ભારતીય વિદ્વાન, ઇતિહાસકાર, પુરાતનલેખશાસ્ત્રી

હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી (૧૭ ઓક્ટોબર ૧૯૧૯ – ૯ ઓગસ્ટ ૨૦૧૪) એક ભારતીય વિદ્વાન, ઇતિહાસકાર, પુરાતનલેખશાસ્ત્રી (એપિગ્રાફિસ્ટ), ભારતવિદ્યાશાસ્ત્રી[lower-alpha ૧] (ઇન્ડોલોજિસ્ટ) અને સંપાદક હતા જે મુખ્યત્વે ગુજરાત રાજ્યના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ પર તેમના કાર્ય માટે જાણીતા હતા. તેમણે બી. જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ લર્નિંગ એન્ડ રિસર્ચ, અમદાવાદમાં લેક્ચરર, પ્રાધ્યપક, નાયબ નિયામક અને નિયામક તરીકે પોતાની કારકિર્દીનો મોટા ભાગનો સમય વિતાવ્યો હતો.

હરિપ્રસાદ શાસ્ત્રી
જન્મ(1938-08-10)10 August 1938
માલતજ, પેટલાદ, બ્રિટીશ ભારત
મૃત્યુ9 August 2014(2014-08-09) (ઉંમર 94)
અમદાવાદ, ગુજરાત, ભારત
વ્યવસાયઇતિહાસકાર, પુરાતનલેખશાસ્ત્રી, ભારતવિદ્યાશાસ્ત્રી
ભાષાગુજરાતી, અંગ્રેજી
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારો
જીવનસાથી
શ્રીદેવી ભટ્ટ (લ. 1947)
સંતાનોનંદન (પુત્ર)
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શોધ નિબંધGujarat Under the Maitrakas of Valabhī: History and Culture of Gujarat During the Maitraka Period, Circa 470-788 A.D. (૧૯૪૭)
માર્ગદર્શકરસિકલાલ પરીખ

પ્રારંભિક જીવન ફેરફાર કરો

 
હરિપ્રસાદ શાસ્ત્રીના પિતા ગંગાશંકર શાસ્ત્રી

હરિપ્રસાદ શાસ્ત્રીનો જન્મ ૧૭ ઓક્ટોબર, ૧૯૧૯ના રોજ પેટલાદ નજીકના ગામ માલતજમાં થયો હતો.[૧][૨] તેઓ વૈદ્ય અને વિધિશાસ્ત્રી ગંગાશંકર શાસ્ત્રીના સૌથી નાના પુત્ર હતા. તેમના મોટા ભાઈ શંકરલાલ શાસ્ત્રી જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર અને ગુજરાતી ભાષાસાહિત્યના વિવેચક હતા.[૩] તેમના દાદા, વ્રજલાલ શાસ્ત્રી (૧૮૨૫-૧૮૯૨) સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના વિદ્વાન તેમજ ગુજરાતી ભાષાના અગ્રણી ભાષાવિજ્ઞાની અને સંત-કવિ છોટમના સૌથી નાના ભાઈ હતા.[૪]

જ્યારે તેઓ ઉચ્ચ અભ્યાસ કરતા હતા ત્યારે તેમના પીએચડી ગાઇડ રસિકલાલ પરીખે પ્રેરણાના મુખ્ય સ્ત્રોત તરીકે કામ કર્યું હતું. શાસ્ત્રી મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ અને બાલ ગંગાધર તિલકના વિચારોથી પણ પ્રભાવિત થયા હતા.

તેમણે ૧૯૪૭માં શિક્ષણશાસ્ત્રી કરુણાશંકર કુબેરજી ભટ્ટની પુત્રી શ્રીદેવી ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર હતો.[૪]

શિક્ષણ ફેરફાર કરો

હરિપ્રસાદ શાસ્ત્રીનું શિક્ષણ તેમના ગામની માલતજ પ્રાથમિક શાળામાં (૧૯૨૪–૧૯૩૦) અને એ.વી. હાઇસ્કૂલ, માલતજ (૧૯૩૦–૧૯૩૨)માં થયું હતું. ૧૯૩૨માં તેઓ જૂનાગઢ ગયા અને બહાદુર ખાનજી હાઈસ્કૂલમાં જોડાયા, જ્યાંથી તેમણે ૧૯૩૬માં મેટ્રિક કર્યું.[૧] ૧૯૪૦માં તેઓ સ્નાતક થયા. સંસ્કૃત અને અર્ધમાગધી ભાષાવિષયો સાથે તેમણે ૧૯૪૨માં બોમ્બે વિશ્વવિદ્યાલયમાંથી અનુસ્નાતકની પદવી મેળવી હતી.[૫]

બાદમાં તેઓ લેક્ચરર તરીકે અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં જોડાયા અને રસિકલાલ પરીખના માર્ગદર્શન હેઠળ પોતાનું સંશોધન શરૂ કર્યું. તેમણે મૈત્રક વંશના શિલાલેખોના આધારે 'મૈત્રક રાજ્યનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ' પર પોતાનો શોધનિબંધ લખ્યો હતો અને ૧૯૪૭માં તેમને આ સંશોધન બદલ પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી.[૫][૨]

શૈક્ષણિક કારકિર્દી ફેરફાર કરો

૧૯૪૫માં શાસ્ત્રી બી. જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ લર્નિંગ એન્ડ રિસર્ચ, અમદાવાદમાં લેક્ચરર તરીકે જોડાયા, જ્યાં તેમણે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત શીખવ્યું. ૧૯૫૨માં ભારતીય સંસ્કૃતિમાં પી.જી. શિક્ષક તરીકે અને ૧૯૫૬માં સંસ્કૃત વિષયના શિક્ષક તરીકે ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેમને માન્યતા આપવામાં આવી હતી. ૧૯૫૮માં તેમને બી. જે. ઇન્સ્ટિટ્યૂટના નાયબ નિયામક તરીકે બઢતી આપવામાં આવી હતી અને છ વર્ષ સુધી તેમણે આ પદ પર સેવા આપી હતી. ૧૯૮૬થી ૧૯૭૯માં નિવૃત્ત થવા સુધી તેઓ ઇન્સ્ટિટ્યૂટના નિયામક પદે રહ્યા હતા.[૨][૧] તેમણે ૧૯૫૫-૧૯૫૫૬ દરમિયાન શ્રી રામાનંદ મહાવિદ્યાલય, અમદાવાદ ખાતે અને ૧૯૫૮-૧૯૬૨ દરમિયાન એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, અમદાવાદમાં પ્રોફેસર તરીકે પણ સેવા આપી હતી. તેમણે ૧૯૬૦થી ૧૯૬૨ સુધી ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ તરીકે સેવા આપી હતી.[૪][૧]

૯ ઑગસ્ટ ૨૦૧૪ના રોજ અમદાવાદના નવરંગપુરામાં તેમનું અવસાન થયું.[૨]

સર્જન ફેરફાર કરો

શાસ્ત્રીએ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કરેલું સર્જન.[૫][૪]

ગુજરાતી ફેરફાર કરો

  • હડપ્પા અને મોહેંજો-દારો (૧૯૫૨)
  • મૈત્રકકાળ દરમિયાન ગુજરાત (બે ભાગમાં) (૧૯૫૫)
  • ઇન્ડોનેશિયામાં વિસ્તૃત ભારતીય સંસ્કૃતિ (૧૯૫૭)
  • ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ (૧૯૬૪, ૧૯૭૩, ૧૯૯૪)
  • સિએલો (૧૯૬૯)
  • પ્રાચીન ભારત (બે ભાગમાં) (૧૯૭૦)
  • અશોક અને તેનો શિલાલેખ (૧૯૭૨)
  • ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસના ભાગો (૧૯૭૨–૮૭)
  • ભારતીય એપિગ્રાફી (૧૯૭૩)
  • ચીનમાં ભારતીય સંસ્કૃતિનો ફેલાવો (૧૯૭૫)
  • ગુજરાતના પ્રાચીન ઇતિહાસનો સ્રોત (૧૯૭૮)
  • ભારતીય ન્યુમિસ્મેટિક્સ (સહ-લેખન પી.સી. પરીખ, ૧૯૭૯)
  • પડોશી દેશોમાં ભારતીય સંસ્કૃતિનો ફેલાવો (એસ.એસ. શાહ સાથે સહ-લેખિત, ૧૯૮૦)
  • ભારતમાં બૌદ્ધ સ્થાપત્ય (૧૯૮૩)
  • ઇતિહાસના સ્રોત તરીકે ગુજરાતના શિલાલેખો (૧૯૮૩–૧૯૮૪)
  • ઇતિહાસના અરીસામાં પ્રતિબિંબિત ચરોતર (૧૯૮૯)
  • અધ્યયન અને સંશોધન (૧૯૯૧)
  • સંસ્મરણો (૧૯૯૧)
  • કરુણાશંકર: શિક્ષણવિદ (૧૯૯૧)

અંગ્રેજી ફેરફાર કરો

  • અ હિસ્ટોરીકલ એન્ડ કલ્ચરલ સ્ટડી ઑફ ધ ઇન્સ્ક્રીપ્શન ઑફ ગુજરાત અપ ટુ ૧૩૦૪. (૧૯૮૯)
  • હિસ્ટરી એન્ડ કલ્ચર ઑફ ગુજરાત ડ્યુરીંગ ધ મૈત્રક પિરિયડ.

ઉપરના પુસ્તકો લખવા ઉપરાંત શાસ્ત્રીએ ગુજરાતના ઇતિહાસને લગતા અનેક પુસ્તકોનું સંપાદન પણ કર્યું હતું. તેમણે ૧૯૫૭-૫૮માં ગુજરાતી સામયિક બુદ્ધિપ્રકાશ માટે સંપાદક તરીકે સેવા આપી હતી.[૧] તેમણે લગભગ ૭૭૫ સંશોધન પત્રો લખ્યા હતા અથવા સહ-લેખન કર્યું હતું.[૨]

ઉપલબ્ધિ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ "હરિપ્રસાદ શાસ્ત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ". ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ 2018-12-26.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ "Hariprasad Shastri, historian, dies at 95". The Times of India. 2014-08-17. મૂળ માંથી 2018-12-28 પર સંગ્રહિત. મેળવેલ 2018-12-26.
  3. Gazetteers: Kheda District. Directorate of Government Print., Stationery and Publications. 1977. પૃષ્ઠ 700. OCLC 312722922.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ Parikh, P. C.; Shelat, Bharati; Parmar, Thomas, સંપાદકો (June 1994). Dr. H.G. Shastri Felicitation Volume. Ahmedabad: Dr. H.G. Shastri Felicitation Volume Committee, C/o Dr. Bharati Shelat. પૃષ્ઠ 3–7. OCLC 32466092.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ Mohan Lal, સંપાદક (1992). Encyclopaedia of Indian Literature: Sasay to Zorgot. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 3994–3995. ISBN 978-81-260-1221-3.

નોંધ ફેરફાર કરો

  1. ઇતિહાસ અને સંસ્કૃતિઓ, ભાષાઓ અને ભારતના સાહિત્યનો શૈક્ષણિક અભ્યાસ કરનાર

બાહ્ય કડીઓ ફેરફાર કરો