હરીપુરા (તા. અમરેલી)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

હરીપુરા (તા. અમરેલી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા અમરેલી તાલુકાનું એક ગામ છે. હરીપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ હિરા ઉદ્યોગ અને પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

હરીપુરા
—  ગામ  —
હરીપુરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°36′10″N 71°13′05″E / 21.602871°N 71.21817°E / 21.602871; 71.21817
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમરેલી
તાલુકો અમરેલી
સરપંચ ગોપાભાઈ ગોહીલ
વસ્તી ૧,૦૦૩[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન, હિરા ઉદ્યોગ
મુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ શાકભાજી

ઇ.સ. ૨૦૧૭માં ગામના જુના રામજી મંદિરનો જીર્ણોધ્ધાર કરી અને નવા મંદિરમાં મુર્તિપ્રતિષ્ઠા ઉત્સવ ઉજવવામા આવ્યો હતો. આ ગામને ભૂતપુર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના હસ્તે સ્વચ્છ ગામનો પુરસ્કાર મળ્યો હતો.[સંદર્ભ આપો]

ઇતિહાસ ફેરફાર કરો

આ ગામની સ્થાપના લગભગ ૭૨ વર્ષ પહેલા બાજુના ગામ શેડુભારમાંથી થઇ હતી. એ સમયમાં બહારવટીયાઓ તેમજ લુંટારુઓના ડરથી લોકો સાંજ પહેલા શેડુભારમાં રાતવાસો કરવા જતા રહેતા. આ ગામમાં લગભગ ઈ.સ. ૧૯૫૦માં ભુપત બહારવટીયો ગામમાં ઘોડીની ઊઠાંતરી કરવા આવ્યો હતો. પણ એ ઘોડી બહારવટીયાના હાથમાં ના આવી અને ગામના એક પટેલે ભુપતનો સામનો કર્યો જેમાં ગામના અરજણ દાદાનું ગોળી વાગતા મૃત્યુ થયું હતું. એ જગ્યા પર એક દેરી બનાવવામાં આવી છે.[સંદર્ભ આપો]

તાલુકાનું ભૌગોલિક સ્થાન અને અમરેલી તાલુકાના ગામો


સંદર્ભ ફેરફાર કરો

  1. "Haripura Village Population - Amreli - Amreli, Gujarat". www.census2011.co.in. મેળવેલ ૧૭ માર્ચ ૨૦૧૮.