રોબર્ટ કોચ
જર્મન જૈવવૈજ્ઞાનિક
(रॉबर्ट कोच થી અહીં વાળેલું)
રોબર્ટ કોચ એક જર્મન વૈજ્ઞાનિક હતા, જેમને માઇક્રોબાયોલોજી ક્ષેત્રમાં યુગપુરુષ માનવામાં આવે છે. તેમણે કોલેરા, એન્થ્રેક્સ અને ક્ષય જેવા રોગો પર ઊંડો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં રોબર્ટ કોચ સાબિત કરવામાં સફળ થયા કે ઘણા રોગ સુક્ષ્મસજીવોને કારણે થાય છે. તે માટે ઈ. સ. ૧૯૦૫માં તેમને ચિકિત્સાક્ષેત્રમાં ઉમદા કાર્ય બદલ નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[૧] રોબર્ટ કોચે રોગો અને તેમના કારક સજીવની શોધ કરવા માટે કેટલીક પરિકલ્પનાઓ કરી હતી, જે આજે પણ વપરાશમાં છે.[૨]
રોબર્ટ કોચ | |
---|---|
Robert Heinrich Hermann Koch | |
જન્મ | Robert Heinrich Hermann Koch ૧૧ ડિસેમ્બર ૧૮૪૩ |
મૃત્યુ | ૨૭ મે ૧૯૧૦ Baden-Baden (જર્મન સામ્રાજ્ય) |
અભ્યાસ | Doctor |
જીવન સાથી | એમ્મી કોચ |
પુરસ્કારો | |
સહી | |
અગિયાર ડિસેમ્બર, ૨૦૧૭ના દિવસે ગૂગલના ડૂડલ પર આ જર્મન વૈજ્ઞાનિક ડૉ. રોબર્ટ કોચને સ્થાન આપવામાં આવ્યું હતું. તેમના જન્મ દિવસના સન્માનમાં તેમનું આ ડૂડલ બનાવવામાં આવ્યું હતું.[૩].
સંદર્ભો ફેરફાર કરો
- ↑ "The Nobel Prize in Physiology or Medicine 1905". Nobelprize.org. મેળવેલ 2006-11-22.
- ↑ O'Brien S, Goedert J (1996). "HIV causes AIDS: Koch's postulates fulfilled". Curr Opin Immunol. 8 (5): 613–618. doi:10.1016/S0952-7915(96)80075-6. PMID 8902385.
- ↑ "Robert Koch Google Doodle: टीबी से दम तोड़ने जा रही औरत के बचा लिए थे प्राण". એનડીટીવી ઇન્ડિયા. મેળવેલ ૨૦૧૭-૧૨-૧૧.