અક્ષરધામ એ સ્વામિનારાયણ સંપ્રદાયની માન્યતા મુજબનો એક દિવ્ય લોક છે. જ્યાં ભગવાન સ્વામિનારાયણ પોતાના ભક્તો સાથે નિવાસ કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાય ની માન્યતા મુજબ જ્યારે સ્વામિનારાયણ ના ભક્તો નુ મૃત્યું થાય ત્યારે સ્વામિનારાયણ પોતે તેને અક્ષરધામમાં લઇ જાય છે. માન્યતાઓ મુજબ આ ધામ માં ગયા બાદ કોઈ ને ફરી જન્મ લેવો પડતો નથી.