હિંદુ ધર્મના મહાભારત ગ્રંથમાં વર્ણવ્યા મુજબ પાંચ પાંડવો પૈકીના ભીમના પુત્ર ઘટોત્કચની પત્ની અહિલાવતી એક નાગ કન્યા હતી. લગ્નપૂર્વે તે મૌરવિ નામે ઓળખાતી હતી. ઘટોત્કચે તેણીના ખુબ અટપટા સવાલોના જવાબ આપી જીતી હતી. ઘટોત્કચથી તેને બર્બરિક નામનો પુત્ર થયો હતો.