ભારત દેશના ઓરિસ્સા રાજ્યમાં ભુવનેશ્વર શહેરથી સાત માઇલ દૂર ઉત્તર-પશ્ચિમ દિશામાં ઉદયગિરિ નજીકની ટેકરીને ખંડગિરિ કહેવામાં આવે છે. ખંડગિરિની ટોચ ૧૨૩ ફૂટ ઊંચી છે, જે આસપાસની ટેકરીઓમાં સૌથી વધુ ઊંચી છે. કલિંગના રાજા ખારવેલની પ્રસિદ્ધ હાથી ગુફા ખંડગિરિથી થોડા જ અંતરે આવેલ છે.

ઉદયગિરિ અને ખંડગીરિની ગુફાઓ
ઉદયગિરિ ગુફાઓ
Map showing the location of ઉદયગિરિ અને ખંડગીરિની ગુફાઓ
Map showing the location of ઉદયગિરિ અને ખંડગીરિની ગુફાઓ
સ્થાનભુવનેશ્વર, ઑડિશા, ભારત
અક્ષાંશ-રેખાંશ20°15′46″N 85°47′10″E / 20.2628312°N 85.7860297°E / 20.2628312; 85.7860297
ખંડગિરિ ગુફા (મઠ)

ખંડગીરિની ગુફાઓ જૈન સમુદાય સાથે સંબંધિત છે. આ ગુફાઓનું લગભગ પ્રથમ સદી ઈસ્વીસન પૂર્વે નિર્માણ થયું હોય તેમ જણાય છે.

ખંડગિરિ અને તેની સાથે સંલગ્ન ઉદયગિરિ ખાતે ઉત્ખનન જૈન લયણ (ગુફાઓ) છે. ખડગિરિ સ્થિત લયણોની સંખ્યા ૧૯ છે. એ જ રીતે ઉદયગિરિ ખાતે ૪૪ અને નીલગિરિ ખાતે ૩ ગુફાઓ છે. આ બધી ઈસ્વીસન પૂર્વેની બીજી-પ્રથમ સદીની જણાય છે. તેના ઘણા ભાગોમાં મૂર્તિઓનું ઉચ્ચિત્રણ કરવામાં આવેલ છે. આ ગુફાઓમાં સૌથી પ્રસિદ્ધ હાથી ગુફાઓ છે, જેની ઉપર મહામેઘવાહન ખારવેલ માટે પ્રશસ્તિ અંકિત છે, જે ઐતિહાસિક દૃષ્ટિએ અત્યંત મહત્વનું છે.

ખંડગિરિની ગુફાઓ ફેરફાર કરો

  • તલોવા ગુફા નંબર-૧
  • તલોવા ગુફા નંબર-૨
  • શાશ્વત ગુફા
  • તેન્તુલી ગુફા
  • ખંડગિરિ ગુફા
  • ધ્યાન ગુફા
  • નવમુનિ ગુફા
  • બડભૂજી ગુફા
  • ત્રિશૂળ ગુફા
  • અંબિકા ગુફા
  • લાલતેંદુ કેસરી ગુફા
  • અનામ
  • અનામ
  • એકાદશી ગુફા
  • અનામ