જળવિમાન (અંગ્રેજી:Hydroplane) એક પ્રકારની નૌકા છે, જે અન્ય નૌકાઓ કરતાં ભિન્ન હોય છે. આ પ્રકારની નૌકાઓ સામાન્ય રીતે નૌકાદોડ માટે થતો હોય છે. સામાન્ય નાવમાં વિસ્થાપિત જળનો ભાર નાવના ભારને સમતુલ્ય હોય છે. સામાન્ય નાવને આગળ તરફ ચલાવવા માટે ધક્કો આપવો પડતો હોય છે, જેના કારણે પાણીમાં પ્રતિરોધ ઉત્પન્ન હોવાને લીધે નાવ આગળ તરફ વધે છે. પરંતુ જળવિમાનમાં આમ બનતું નથી. જળવિમાન એવી રીતે બનાવવામાં આવેલું હોય છે કે તેના એક અથવા એક કરતાં વધારે નત સમતલ, જે પાછળના તળિયાના ભાગમાં બનેલા હોય છે, જળના પ્રતિદબાણના કારણે નાવને ઊપરની તરફ ઉઠાવી રાખીને તીવ્ર ગતિથી ચાલે છે. આના કારણે પાણીના સંસર્ગમાં રહેતા તળિયાનો ભાગ ઓછો થઇ જાય છે, પરંતુ શેષ ભાગ પર દબાણ વધી જાય છે. નાવ જ્યારે ઉભી રાખવામાં આવે છે ત્યારે તે દ્રવસ્થૈતિક બળ (hydrostatic force) પર આધારિત હોય છે. જ્યારે નાવ જળનો સ્પર્શ કરીને ચાલતી હોય ત્યારે દ્રવસ્થૈતિક બળ પ્રાય: શૂન્ય હોય છે અને તેનો આધાર મુખ્યત્વે દ્રવગતિક પ્રભાવ હોય છે. જળવિમાનની ચાલ એંજિન શક્તિ વડે ચાલતી નાવ કરતાં અધિક હોય છે, અથવા એટલી જ ગતિથી ચાલવા માટે ઓછી શક્તિ ધરાવતા એંજિનની આવશ્કતા પડે છે. ઈ. સ. ૧૯૫૩માં શોધાયેલા જળવિમાનની ગતિમાં બરાબર વૃદ્ધિ થતી રહી છે.

જળસફર ખેડી રહેલું એક જળવિમાન

ઇતિહાસ ફેરફાર કરો

જળવિમાનનો વિચાર પહેલાં સસેક્સ ખાતે એક અંગ્રેજ પાદરી રેવરેંડ ચાર્લ્સ મીડં રેમન (Rev. Charles Meade Raman)ના મનમાં ઈ. સ. ૧૮૭૦માં જાગ્યો હતો, પરંતુ હલ્કાં એંજિનના અભાવમાં તેઓ તેને વ્યાવહારિક રૂપ ન આપી શક્યા. ત્યારબાદ જ્યારે પેટ્રોલ એંજિનનો ઉપયોગ શુ ડિગ્રી થયો ત્યારે જળવિમાનનો કા વિચાર ફરીથી જાગી ઉઠ્યો અને ઈ. સ. ૧૯૦૬માં પહેલું રિકોચેટ જળવિમાન (Ricochet hydroplane) બનાવવામાં આવ્યું. આ જલવિમાનનો તળમાગ ચપટો હતો અને નતિના ઉપયુક્ત ખૂણા વડે તેનું ઉતરવાનું સંભવ થઈ શક્યું. અન્ય પ્રકારનાં જળવિમાનોનાં તળિયાંનો ભાગ અનુપ્રસ્થ કાટ (cross section)માં ચપટો હતો પરંતુ તેનો આકાર આરાની સાપેક્ષમાં લાંબો હતો અને એમાં અનેક નત સમતલ હતાં. નૌકા સંબંધિત વિષયમાં સર જૉન થૉર્નિક્રૉફ્ટ (Sir John Thornycroft) અનેક પ્રયોગ કરી રહ્યા હતા. તેમણે અનુકૂળતા પ્રતીત થતાં જ તેમણે જળવિમાન તૈયાર કરવા માટેની સંભાવનાઓ પર વિચાર કર્યો અને અનૂકૂળતા પ્રાપ્ત થતાં તેઓ જળવિમાન તૈયાર કરવા માટે વળગી પડ્યા. તેમનું જળવિમાન એકપદીય નૌકા હતી, જે બે નમ સમતલો વડે બનેલી હતી. આ બંન્નેય સમતલો પર તેનો ભાર વહેંચાયેલો રહેતો હતો. અમેરીકા ખાતે ફાઉબર (W.H. Fauber) અને જ્યોર્જ ક્રાઉચ (George Crouch) નામની વ્યક્તિઓએ એવાં જ જળવિમાન બનાવ્યાં.

બાહ્ય કડીઓ ફેરફાર કરો