તવાંગ ભારત દેશના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના તવાંગ જિલ્લામાં આવેલું નગર છે. તવાંગમાં તવાંગ જિલ્લાનું મુખ્યાલય છે. આ નગર ૩૦૪૮ મીટરની ઊંચાઈએ આવેલું છે. શરુઆતમાં આ નગર પશ્ચિમ કમેન્ગ જિલ્લાનું મુખ્યાલય હતું પણ તવાંગ આ જિલ્લો બન્યા પછી તે તવાંગ જિલ્લાનું મુખ્યા લય છે.

તવાંગ
—  નગર  —
તવાંગ મોન્ટેસરી સાથે દેખાતું તવાંગ નગર
તવાંગ મોન્ટેસરી સાથે દેખાતું તવાંગ નગર
તવાંગનું
અરુણાચલ પ્રદેશ અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 27°35′18″N 91°51′55″E / 27.58833°N 91.86528°E / 27.58833; 91.86528
દેશ ભારત
રાજ્ય અરુણાચલ પ્રદેશ
જિલ્લો તવાંગ જિલ્લો
વસ્તી ૪,૪૫૬ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) અંગ્રેજી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 2,669 metres (8,757 ft)

તવાંગ નગરની નજીક ૬ઠ્ઠા દલાઇ લામાનું જન્મસ્થાન

ભૂગોળ ફેરફાર કરો

આ નગર ગુવાહટીથી ૫૫૫ કિમી દૂર આવેલું છે. આ નગરની સરાસરી ઊંચાઈ ૨૬૬૯ મીટર છે.

વસ્તી ફેરફાર કરો

૨૦૦૧ની વસ્તી ગણતરી અનુસાર તવાંગની વસ્તી ૩૮,૯૨૪ હતી જેમાં ૫૪% પુરુષો અને ૪૬% સ્ત્રીઓ હતી. તવાંગની સાક્ષરતા ૬૩% હતી જે રાષ્હ્ટ્રીય સરાસરે ૫૯.૫% કરતાં વધુ હતી. પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ ૭૦% હતું જ્યારે સ્ત્રીઓમાં આ પ્રમાણ ૫૫% હતું. ૬ વર્ષથી ઓછી આયુ ધરાવનારનું પ્રમાણ ૧૭% હતું.

પર્યટન ફેરફાર કરો

 
તવાંગ મઠમાં સાખ્યમુનિ બુદ્ધની ૮મી ઊંચી પ્રતિમા.

તવાંગ મઠની સ્થપના૫મા દલાઈ લામા નાગ્વાંગ લોબસાંગ ગ્યાત્સોની ઈચ્છા અનુસાર મેરા લામા લોદ્રે ગ્યાત્સો દ્વારા કરવામાં આવી હતી. આ મઠ ગેલુગ્પા કુળ ની હેઠળ છે અને ભારતમાં આવેલ સૌથી મોટો બૌદ્ધ મઠ છે. તવંગનો અર્થ થાય છે ઘોડા દ્વારા પસંદ કરાયેલ.[૧][૧] એમ કહે છે અહીંનો મઠ તિબેટમાં આવેલ લ્હાસા પછી વિશ્વનો બીજો સૌથી મોટો મઠ છે.[૨] તિબેટિયન બૌદ્ધ લોકો માટે આ એક મુખ્ય પવિત્ર ધામ છે.

તવાંગમાં આવેલ ટિપી ઓર્ચિડ વનમાં ઓર્ચિડની હજારો પ્રજાતિઓ છે.

તવાંગની મુલાકાત લેવા માટે પ્રવાસીઓને ખાસ આંતરિક રેખાની પરવાનગી લેવી પડે છે જે કોલકત્તા, ગુવાહટી, તેજપુર અને નવી દીલ્હીથી મેળવી શકાય છે. અહીં આવના મોટા ભાગના લોકો મેદન પ્રદેશમાંથી ૪૧૭૬ મીટર ઊમ્ચો સેલા ઘાટ પસાર કરી તીવ્ર ઢોળાવવાળા રસ્તે આવે છે.

પ્રવાસેઓ આસમ માં આવેલ તેઝપુરથી ૧૨ કલાકના પ્રવાસ દ્વારા પણ અહીં પહોંચે શકે છે.કોલકત્તાથી તેઝપુર સુધી સીધી વિમાન સેવા ઉપલબ્ધ છે. આસમ્નું ગુવાહટી અહીંથી ૧૬ કલાકના પ્રવાસ અંતરે છે. ૨૦૦૮ના જૂન મહીનાથી અરુણાચલ પ્રદેશ સરકાર દ્વારા ગુવાહટીથી અહીં સુધીને હેલિકોપ્ટર સેવા ચાલુ કરાઈ છે.

આસામના તેઝપુરથી અહીં રસ્તા માર્ગે બસો, ટેક્સી કે નિજી વાહન દ્વારા પ્રવાસ કરી શકાય છે. આ પ્રવાસ ખૂબ થકવનારો હોય છે. મોટાભાગે રસ્તો ઢીલા થઈ ગયેલ ડામરનો કે પથ્થરનો છે. અમુક સ્થળે તે કાદવ વળો પણ છે. જોકે આ રસ્તો પ્રકૃતિ સભર છે. બોમડીલા ઘાટ (૨૪૩૮મી ) સેલા ઘાટની ટોચ ૪૧૭૬મી, જસવંત ઘાટ થઈને તવાંગ પહોંચી શકાય છે. ચઢાણ સમયે સરકારી બસો મોટે ભાગે ખોટકાઇ પડે છે અને રઝળી પડેલા પ્રવાસીઓ નિજી વાહનો પર ચઢીને પ્રવાસ કરતા દેખાય છે. રસ્તામાં સ્થાનીય ખોરાક મળી રહે છે. શાકાહરી કે માંસાહારી મોમો અને ક્રીમ બન અહીં પ્રચલિત છે. સીમાવરી રસ્તા સંગઠન દ્વારા મુકાયેલ સાવચેતી માટેના રમૂજી પાટીયા પ્રવાસીનું મનોરંજન કરતા રહે છે.

જ્યારે ૧૫મા દલાઈ લામા ૩૦ માર્ચ ૧૯૫૯ના તિબેટથી ભાગી નીકળ્યાં ત્યારે સરહદ પાર કરી તેઓ અહીં આવ્યાં અને ૧૮ એપ્રિલે આસામના તેઝપુર પહોંચતા પહેલાં તેમણે અમુક સમય અહીં ગાળ્યો.[૩][૪]

રાજનૈતિક મહત્વ ફેરફાર કરો

એક સમયે તવાંગ તિબેટનો ભાગ હતો. ૧૯૧૪માં અંગ્રેજો દ્વારા મેકમોહન રેખા ખેંચવામાં આવી, તે અનુસાર તવાંગ ભારતનો ભાગ બન્યો. (સિમલા કરાર જુઓ). ૧૨ ફેબ્રુઆરી ૧૯૫૧ના દિવસે તે ભારતીય સત્તા હેઠળ આવ્યું જ્યારે મેજર આર ખાતિંગના નેતૃત્વ હેઠળ ભારતીય સેનાએ અતિક્ર્મણ કરનારા ચીની લોકોને પાછા મોકલી દીધા. ભારતે આ ક્ષેત્રનું સાર્વભોમત્વ મેળવ્યું અને મોન્પા લોકો પરની ત્રાસદીનો અંત આણ્યો. અહીં નિયમિત રીતે ચુંટણી થાય છે અને લોકશાહી ઢબે સરકાર ચાલે છે.

૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ સમયે તવાંગ ચીનના કબ્જા હેઠળ ચાલ્યું ગયું. મહાવીર ચક્ર મેળવનાર જસવંત સિંહ રાણાએ અહીં અસાધારણ બહાદૂરી બતાવી હતી. આ ક્ષેત્રમાંથી ચીની સેનાની સ્વૈચ્છિક નિવૃત્તિ પછી તવાંગ ફરીથી ભારતીય સંઘમાં જોડાયું. હાલના વર્ષોમાં ચીન તવાંગ પર પોતાનો કબ્જો હોવાનો દાવો કરતું રહ્યું છે અને ઘૂસણખોરી સુદ્ધાં કરે છે. ભારતે આ દાવાઓને વખોડી કાઢ્યો છે અને ભારતના વડા પ્રધાનએ કહ્યું છે કે તવાંગ એ ભારતનું અવિભાજ્ય અંગ છે. જ્યારે તેઓ ચીની વડાપ્રધાનને ૨૦૦૯માં થાઈલેંડમાં મળ્યાં ત્યારે તેમણે આ વાત તેમને પણ જણાવી દીધી હતી.

૨૦૦૯માં દલાઈ લામાની તવાંગ મઠની મુલાકાત સામે ચીનએ વાંધો બતાવ્યો હતો. જોકે ૧૯૫૯માં તિબેટ છોડતાં પહેલાં દલાઈ લામાએ આ પહેલાં પણ ઘણી વખત તવાંગની મુલાકાત લીધી હતી. ભારતે ચીનના આ વાંધાને એમ કહીને વખોડી દીધો કે દલાઈ લામા ભારતના માનદ્ મહેમાન છે અને તેઓ ભારતમાં ક્યાંય પણ હરી ફરી શકે છે. દલાઈ લામાએ ૮ નવેંમ્બર ૨૦૦૯ના દિવસે અહીંની મુલાકાત લીધી હતી. આ ધાર્મિક અનુષ્ઠાનમાં ભારત નેપાલ અને ભૂતાનના ૩૦,૦૦૦ લોકો સામેલ થયા હતા.[૫]

અરુણાચલ પ્રદેશના મુખ્ય મંત્રી અને અરુણાચલ પ્રદેશના લોકોએ દલાઈ લામાનું સ્વાગત કર્યું. તવાંગના લોકોએ તેમના ઘરોને ફરી રંગીને શહેરને સજાવી દીધું હતું. આખા નગરમાં ઉત્સવનું દ્રશ્ય હતું.[૬]

સૈન્ય મહત્વ ફેરફાર કરો

તવાંગમાં ભારતીય સેનાની પર્વતીય યુદ્ધકળા શીખવતી ઘાતક કમાન્ડો સ્કુલ અહીં આવેલી છે. ઘણી સ્થાનીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તેમના સૈનિકોને અહીં તાલિમ અપાવે છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "Tawang District: The Land of Monpas". મૂળ માંથી 2009-04-10 પર સંગ્રહિત. મેળવેલ 2011-05-01.
  2. Young Buddhist monks lead insular lives in India
  3. Richardson (1984), p. 210.
  4. Buddhist monks lead insular lives in India
  5. "Thousands flock to see Dalai Lama in Indian state". મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2011-05-01.
  6. "Dalai Lama stresses on peace as 30,000 attend Tawang discourse". Sify. મૂળ માંથી 2009-11-12 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૦૯-૧૧-૦૯.

બાહ્ય કડીઓ ફેરફાર કરો