thumb|313x313px|આદિનાથજીની વિશાળ કદની પ્રતિમા બાવનગજા (હિન્દી:बावनगजा) મધ્ય પ્રદેશ રાજ્યના બડવાની જિલ્લામાં આવેલ એક પ્રસિદ્ધ જૈન તીર્થ છે. અહીંનું મુખ્ય આકર્ષણ પહાડના પથ્થરને કોતરીને બનાવવામાં આવેલ પ્રથમ તીર્થંકર આદિનાથજીની વિશાળ કદની પ્રતિમા છે. આ પ્રતિમાની ઊંચાઈ ૨૬ મીટર જેટલી છે, જેનું નિર્માણ ૧૨મી શતાબ્દીમાં થયું હતું. આ તીર્થ બડવાની થી ૮ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો