મહારાષ્ટ્ર નવનિર્માણ સેના

ભારતના રાજકીય પક્ષ

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (ટૂંકાણમાં: મનસે) મહારાષ્ટ્રનો એક રાજકીય પક્ષ છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની સ્થાપના ૯ માર્ચ ૨૦૦૬ના રોજ રાજ ઠાકરે વડે કરાઇ હતી. તેમણે તેમના પિતરાઇ ભાઇ ઉદ્ધવ ઠાકરે સાથે મતભેદ થતા શિવ સેનામાંથી અલગ થઇને નવો પક્ષ બનાવ્યો હતો.