માહિતી અધિકાર અધિનિયમ 2005 (આરટીઆઇ (RTI) ) એ ભારતીય સંસદનો કાયદો છે. તે "ભારતમાં રાષ્ટ્રીય કક્ષાએ નાગરિકો માટે માહિતી મેળવવાના અધિકારના વાસ્તવિક વહીવટની સ્થાપના કરવા" માટે માહિતીની સ્વતંત્રતાના કાયદાનું અમલીકરણ છે. આ કાયદો ભારતનાં બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પડે છે. જો કે તેમાં રાજ્ય કક્ષાના કાયદાથી સંચાલિત જમ્મુ અને કાશ્મીર રાજ્યનો સમાવેશ થતો નથી. આ કાયદાની જોગવાઇઓ હેઠળ, કોઇ પણ નાગરિક "જાહેર સત્તાધિકારી" (સરકાર અથવા "રાજ્યોના સાધનરૂપ" તરીકે કામ કરનાર સંસ્થા) પાસેથી ખૂબ માગ કરી શકશે અને તેમણે ઝડપથી અથવા ત્રીસ દિવસના ગાળામાં તેનો જવાબ આપવો જરૂરી છે. આ કાયદા અનુસાર પ્રત્યેક જાહેર સત્તાધિકારીએ ખૂબ જ વિસ્તૃત રીતે તેમની માહિતીને કોમ્પ્યુટરાઇઝ કરવી પડે છે અને કેટલીક ચોક્કસ પ્રકારની માહિતીને સક્રિય રીતે જાહેર કરવી પડે છે કે જેથી નાગરિકને માહિતીની વિનંતી કરતી વખતે લઘુત્તમ સ્રોતની જરૂરિયાત ઊભી થાય. 15મી જૂન, 2005ના રોજ આ કાયદો પસાર કરવામાં આવ્યો અને 12મી ઑક્ટોબર, 2005ના રોજ સંપૂર્ણ રીતે અમલમાં આવ્યો હતો[૧]. ભારતમાં અત્યાર સુધી ઓફિશ્યલ સિક્રેટ એક્ટ 1923 અને અન્ય વિશેષ કાયદાઓ પ્રમાણે માહિતી જાહેર કરવા પર પ્રતિબંધો હતો તે નવા આરટીઆઇ(RTI) એક્ટ આવતા હળવા થયા છે.

પૃષ્ઠભૂમિ ફેરફાર કરો

ભારતમાં સરકારી માહિતીની જાહેરાત, બ્રિટીશ રાજ દરમિયાન ઘડવામા આવેલા કાયદા પ્રમાણે થતું હતું, જેના અંતર્ગત મોટા ભાગનો પ્રદેશ પર કે જે હાલમાં ભારતમાં છે તે આવતો હતો, 1889ના ઓફિશ્યલ સિક્રેટ એક્ટમાં 1923માં સુધારણા કરવામાં આવી હતી. આ કાયદો રાષ્ટ્રની સલામતી, દેશના સાર્વભૌમ અને વિદેશી દેશો સાથેના મિત્રતાપૂર્ણ વ્યવહારોની માહિતી સુરક્ષિત રાખે છે અને બિન-વર્ગીકૃત માહિતીઓની જાહેરાત પર પ્રતિબંધ મૂકતી જોગવાઇઓને અટકાવે છે. નાગરિક સેવાઓ કાયદા ઘડે છે અને ઇન્ડિયન એવિડન્ટ એક્ટ સરકારી અધિકારીઓની જાહેર જનતાને માહિતી પૂરી પાડવાની સત્તાઓ પર વધુ પ્રતિબંધ લાદે છે.

રાજ્ય કક્ષાના કાયદાઓ ફેરફાર કરો

આરટીઆઇ(RTI) કાયદાઓની જે રાજ્ય સરકારો દ્વારા સૌપ્રથમ સફળતાપૂર્વક રચના કરવામાં આવી હતી તેમાં – તામિલનાડુ (1997), ગોવા (1997), રાજસ્થાન (2000), કર્ણાટક (2000), દિલ્હી (2001), મહારાષ્ટ્ર (2002), આસામ (2002), મધ્યપ્રદેશ (2003) અને જમ્મુ અને કાશ્મીર(2004)નો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર અને દિલ્હી રાજ્ય સ્તરની રચનાઓને વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી હોવાનું માનવામાં આવે છે. દિલ્હી આરટીઆઇ એક્ટ હજુ પણ અમલમાં છે. જમ્મુ અને કાશ્મીર તેમનો પોતાનો માહિતીનો અધિકાર 2009 ધરાવે છે, જે J&K માહિતીના અધિકાર, 2004 અને તેના 2008ના સુધારા પછીનો છે.

માહિતીના અધિકાર 2002ની સ્વતંત્રતા ફેરફાર કરો

રાષ્ટ્રીય સ્તરનો કાયદો પસાર કરવો જો કે મુશ્કેલ કાર્ય બની ગયું હતું. વ્યવહારુ કાયદાઓ પસાર કરવામાં રાજ્ય સરકારોના અનુભવ પરથી કેન્દ્ર સરકારે એચ.ડી. શોરીના નેતૃત્વમાં એક કાર્યકારી જૂથની નિમણૂક કરી હતી અને તેમને કાયદાના મુસદ્દાનું કામ સોંપવામાં આવ્યું હતું. શૌરી મુસદ્દો, અત્યંત સંક્ષિપ્ત સ્વરૂપ છે, તે માહિતી સ્વતંત્રતા ખરડો, 2000 માટેનો પાયો હતો, જે અંતે માહિતીની સ્વતંત્રતા કાયદો 2002 હેઠળ કાયદો બની ગયો હતો. ફક્ત રાષ્ટ્રીય સલામતી અને સાર્વભૌમત્વતાના કારણોસર જ નહીં પરંતુ, “જાહેર સત્તાના સ્ત્રોતોના અયોગ્ય રીતે બીજે વાળવા” અંગેની વિનંતીઓને સામેલ કરવામાં આવે છે, ઉપરાંત આ કાયદામાં અસંખ્ય મુક્તિઓ આપવામાં આવી હોવાથી તેની તીવ્ર આલોચના કરવામાં આવી હતી. લાદવામાં આવનારા આરોપો પર કોઇ ઉપલી મર્યાદા ન હતી. માહિતીની વિનંતીને અનુસરવા માટે કોઇ પ્રકારનો દંડ ન હતો. FoI એક્ટ ક્યારેય અસરકારક રીતે અસ્તિત્વમાં આવ્યો ન હતો.

રચના ફેરફાર કરો

એફઓઆઇ(FoI) એક્ટનો વિનાશ વધુ સારા રાષ્ટ્રીય આરટીઆઇ(RTI) રચના માટે કાયમી દબાણમાં પરિણમ્યો હતો. માહિતીના અધિકારના ખરડાનો પ્રથમ મુસદ્દો સંસદમાં 22 ડિસેમ્બર 2004ના રોજ રજૂ કરવામાં આવ્યો હતો. ઉગ્ર ચર્ચા બાદ, જ્યારે ખરડાને અંતે પસાર કરવામાં આવ્યો ત્યારે ડિસેમ્બર 2004 અને 15 જૂન 2005ની મધ્યમાં મુસદ્દા ખરડામાં સો કરતાં પણ વધુ સુધારાઓ કરવામાં આવ્યા હતા. કાયદો 12 ઓક્ટોબર 2005ના રોજ સંપૂર્ણપણે અસરમાં આવ્યો હતો.

કાર્યક્ષેત્ર ફેરફાર કરો

જ્યાં J&K માહિતીનો અધિકાર લાગુ પડે છે તેવા જમ્મુ અને કાશ્મીર સિવાય આ કાયદામાં સમગ્ર ભારતનો સમાવેશ કરાયો છે. ભારતીય બંધારણના આર્ટિકલ 370માં દર્શાવ્યા અનુસાર સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાઓને જો રાજ્યની ધારાસભા દ્વારા સમર્થન આપવામાં આવ્યું ન હોય તો જમ્મુ અને કાશ્મીરના રાજ્યને આપોઆપ જ લાગુ પડતા નથી.તે કારોબારીતંત્ર, કાયદા ઘડનાર તંત્ર અને ન્યાયતંત્ર સહિતની તમામ બંધારણીય સત્તાઓને લાગુ પડે છે; સંસદ અથવા રાજ્યની ધારાસભાના કાયદા દ્વારા સ્થાપિત કે રચાયેલ કોઇ પણ સંસ્થા કે સંગઠન તેમાં સમાવેશ થાય છે. કાયદામાં એવું પણ નિર્ધારિત કરવામાં આવ્યું છે કે તે સંગઠનો અથવા સત્તાઓ કે જે સરકાર દ્વારા “સીધી રીતે કે આડકતરી રીતે ભંડોળ” પૂરું પાડવામાં આવ્યું હોય તેવી સરકારી અથવા બિનસરકારી સંસ્થાઓ દ્વારા “માલિકીની, અંકુશિત અથવા નોંધપાત્ર રીતે ભંડોળ પૂરું પડાયેલ” હોય તેવા સંગઠનો સહિતની યોગ્ય સરકારી સંસ્થાઓના હુકમ કે નોટીફિકેશન (જાહેરાત) દ્વારા સ્થાપિત કે રચાયેલા સંગઠનો અથવા સત્તાઓનો પણ તેમાં સમાવેશ કરી લેવાયો છે.

ખાનગી સંસ્થાઓ સીધી રીતે કાયદાના પરિપ્રેક્ષ્યમાં આવતી નથી. જો કે, જાહેર સત્તા દ્વારા અસ્તિત્વમાં હોય તેવા કોઇ પણ કાયદા હેઠળ જે માહિતીનો ઉપયોગ કરી શકાય તેની પણ વિનંતી કરી શકાય છે. 30 નવે. 2006ના (સરબજીત રોય વિરુદ્ધ ડીઇઆરસી(DERC)')માં એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં કેન્દ્રીય માહિતી પંચે સ્પષ્ટતા કરી હતી કે ખાનગી જાહેર ઉપયોગિતા કંપનીઓ ખાનગીકરણ ધરાવતી હોવા છતાં આરટીઆઇ(RTI) કાયદાના પરિપ્રેક્ષ્યમાં રહે છે. આ કાયદો સ્પષ્ટપણે કોઇ પણ અસાતત્યતાની માત્રાને ધોરણે, સત્તાવાર ખાનગી કાયદાને અને 15 જૂન 2005ના રોજ અસ્તિત્વમાં રહેલા અન્ય કાયદાઓને બિનઅસરકારક બનાવે છે.

માહિતી ફેરફાર કરો

આ કાયદો દર્શાવે છે કે નાગરિકો પાસે નીચેના હકો છે:

  • કોઇ પણ માહિતી મેળવવા માટે વિનંતી (દર્શાવ્યા પ્રમાણે).
  • દસ્તાવેજોની નકલ લઇ જવી.
  • દસ્તાવેજો, કામગીરી અને રેકોર્ડ્ઝની તપાસ કરવી.
  • કામગીરીના માલના અધિકૃત નમૂના લઇ જવા.
  • પ્રિન્ટ્સ, ડિસ્કેટીસ, ફ્લોપિઝ, ટેપ્સ, વિડીઓ કેસેટ્સ અથવા અન્ય ઇલેક્ટ્રોનિક પદ્ધતિ દ્વારા અથવા પ્રિન્ટઆઉટ્સ દ્વારા માહિતી પ્રાપ્ત કરવી.

પ્રક્રિયા ફેરફાર કરો

કાયદા હેઠળ, આવરી લેવામાં આવેલા બધા સત્તાધિકારીઓએ જાહેર માહિતી અધિકારી (પીઆઇઓ-PIO)ની નિમણૂક કરવી પડે છે. કોઇ પણ વ્યક્તિ માહિતી મેળવવા માટે પીઆઇઓ(PIO)ને લેખિતમાં વિનંતી સુપરત કરી શકે છે. આ કાયદા હેઠળ માહિતીની માગ કરતા કોઇ પણ ભારતીય નાગરિકને માહિતી પૂરી પાડવાની પીઆઇઓ (PIO)ની જવાબદારી છે. જો કરવામાં આવેલી વિનંતી અન્ય જાહેર સત્તા સાથે સંબંધ ધરાવતી હોય તો પાંચ દિવસના સમયગાળામાં સંબંધિત વિભાગને તબદીલ કરવા કે પહોંચાડવાની જવાબદારી પીઆઇઓ (PIO)ની હોય છે. આ ઉપરાંત, પ્રત્યેક જાહેર સત્તાધિકારીએ પીઆઇઓ (PIO)ને પહોંચાડવા માટે આરટીઆઇ (RTI) વિનંતીઓ અને અપીલ સ્વીકારવા મદદનીશ જાહેર માહિતી અધિકારી (APIOs)ની નિમણૂક કરવી જરૂરી છે. માહિતીની માગ કરતા નાગરિક તેના નામ અને સંપર્કની વિગતો સિવાયની કોઇ જ વિગતો જાહેર કરવા જવાબદાર નથી.

કાયદામાં વિનંતીનો જવાબ આપવા નિશ્ચિત સમયગાળો દર્શાવવામાં આવ્યો છે:

  • જો પીઆઇઓ (PIO)ને અરજી કરવામાં આવી હોય તો તે મળ્યાના 30 દિવસ માં જવાબ મળી જવો જોઇએ.
  • જો આ વિનંતી એપીઆઇઓ(APIO)ને કરવામાં આવી હોય તો તે મળ્યાના 35 દિવસ માં જવાબ મળી જવો જોઇએ.
  • જો પીઆઇઓ (PIO) (યોગ્ય રીતે માહિતી આપવા) અન્ય વિભાગને અરજી સુપરત કરે તો તેનો જવાબ આપવા માટે 30 દિવસ નો સમયગાળો મંજૂર કરાયો છે પરંતુ તેને તબદીલ કરવામાં આવ્યો હોય તેવા પીઆઇઓ (PIO)ને અરજી મળે તે દિવસથી ગણતરી થાય છે.
  • શિડ્યુલ્ડ સિક્યોરિટી એજન્સીઝ (કાયદાની બીજી સૂચિમાં દર્શાવેલ) દ્વારા ભ્રષ્ટાચાર અને માનવીય કાયદાઓના ઉલ્લંઘનને લગતી માહિતી કેન્દ્રીય માહિતી પંચની આગોતરી મંજૂરી સાથે 45 દિવસ માં પૂરી પાડવામાં આવે છે.
  • આમ છતાં, માહિતી સાથે કોઇ વ્યક્તિની જિંદગી કે સ્વતંત્રતા સંકળાયેલી હોય તો પીઆઇઓ (PIO) 48 કલાક માં જવાબ આપે તેવી અપેક્ષા હોય છે.

માહિતી મેળવવા માટે ચૂકવણી કરવી પડતી હોવાથી પીઆઇઓ(PIO)નો જવાબ વિનંતી સામે માહિતી આપવાનો ઇનકાર (પૂર્ણ અથવા આંશિક રીતે) અને/અથવા "વધુ ફી"ની ગણતરી આપવા સુધી મર્યાદિત રહે તે જરૂરી છે. પીઆઇઓના જવાબ અને માહિતી માટે વધારાની ફી જમા કરાવવા માટે લીધેલા સમયની વચ્ચેના ગાળાને મંજૂરી આપેલા સમયમાંથી બાકાત રાખવામાં આવ્યો છે.

જો આ ગાળામાં માહિતી પૂરી પાડવામાં ન આવે તો તેને ઇનકાર કર્યો હોવા તરીકે ગણવામાં આવે છે. કારણો સાથે કે તેના વિના કરાયેલો ઇનકાર કદાચ અપીલ અથવા ફરિયાદ માટેનું કારણ બની શકે. વધુમાં, નિશ્ચિત સમયગાળામાં પૂરી નહી પાડવામાં આવેલી માહિતી વિના મૂલ્યે પૂરી પાડવી જોઇએ.

કેન્દ્રીય વિભાગો માટે as of 2006, વિનંતી ફાઇલ કરાવવાની ફી રૂ. 10, પાના દીઠ માહિતી માટે રૂ. 2 અને પ્રથમ કલાક બાદ નિરીક્ષણના દરેક કલાક માટેની ફી રૂ. 5 છે. જો અરજદાર ગરીબી કાર્ડ ધારક હોય તો કોઇ પણ ફી લાગુ પડશે નહી. આ પ્રકારના બીપીએલ કાર્ડ ધારકોએ જાહેર સત્તા સમક્ષ તેમની અરજી સાથે તેમના બીપીએલ(BPL) કાર્ડની નકલ પૂરી પાડવાની હોય છે. રાજ્ય સરકાર અને હાઈ કોર્ટ તેમના પોતાના નિયમો નક્કી કરે છે.

== કઈ માહિતી છતી કરી શકાતી નથી? == નીચેની માહિતીને જાહેરાતમાંથી મુક્તિ આપવામાં આવી છે [S.8)]

  • માહિતી, કે જેની જાહેરાત ભારતની સાર્વભૌમત્વતા અને સંકલિતતા, રાજ્યની સલામતી, "વ્યૂહાત્મક, વૈજ્ઞાનિક અને આર્થિક" હિતો, વિદેશી રાજ્ય સાથેના સંબંધને પક્ષપાતી રીતે અસર કરશે અથવા આક્રમણની ઉશ્કેરણીમાં પરિણમી શકે;
  • કોઇ પણ કોર્ટ અથવા ટ્રીબ્યૂનલના કાયદા દ્વારા માહિતી પ્રસિદ્દ કરવાની મનાઇ વ્યક્ત કરવામાં આવી હોય અથવા જેની જાહેરાતમાં કોર્ટના તિરસ્કારનો સમાવેશ થતો હોય;
  • માહિતી કે જેની જાહેરાત સંસદના અથવા રાજ્યની વિધાનસભાના વિશેષાધિકારનો ભંગ કરતી હોય;
  • વ્યાપારી વિશ્વાસ, વેપારના રહસ્યો અથવા બૌદ્ધિક સંપત્તિ સહિતની માહિતી, જેની જાહેરાત કરવાથી ત્રીજા પક્ષકારની સ્પર્ધાત્મક સ્થિતિને નુકસાન કરે તેવી હોય, જો આ પ્રકારની માહિતીની જાહેરાતને મોટા જાહેર હિતો રોકતા હોય તેની સાથે સક્ષમ અધિકારીને સંતોષ ન હોય તો;
  • જે તે વ્યક્તિને તેના ન્યાસ સંબંધને કારણે ઉપલબ્ધ માહિતી, જો આ પ્રકારની માહિતીની જાહેરાતને મોટા જાહેર હિતો રોકતા હોય તેની સાથે સક્ષમ અધિકારીને સંતોષ ન હોય તો;
  • વિદેશી સરકારના વિશ્વાસમાં પ્રાપ્ત કરવામાં આવેલી માહિતી;
  • જે-તે વ્યક્તિના જીવન માટે જોખમી બનતી હોય અથવા શારીરિક સલામતી જોખમાતી હોય અથવા લાગુ પડાયેલ કાયદા અથવા સલામતી હેતુઓ માટે વિશ્વાસથી આપેલી સહાય, એવી માહિતીની જાહેરાત;
  • એવી માહિતી કે જે તપાસની પ્રક્રિયા અથવા દહેશત ફેલાવે અથવા અપરાધીની કાર્યવાહીની પ્રક્રિયામાં અવરોધ ઊભી કરતી હોય;
  • પ્રધાનો, સચિવો અને અન્ય અધિકારીઓની કાઉન્સિલની ચર્ચાવિચારણાઓની રેકોર્ડઝ સહિતના કેબિનેટ પેપર્સ;
  • જે માહિતી અંગત માહિતીને લાગતીવળગતી હોય, તેની જાહેરાતને કોઇ જાહેર કામગીરી અથવા હિત અથવા જે-તે વ્યક્તિની ગોપનીયતા પરના કારણ વિનાનું આક્રમણ કરતી હોય (પરંતુ તે પણ એ શરતે કે તે માહિતીનો સંસદ અથવા રાજ્ય ધારાસભાને માહિતી આપવાનો ઇનકાર કરી શકાય નહીં, તેને આ અપવાદ દ્વારા ઇનકાર કરી શકાશે નહીં) તેવી માહિતીની જાહેરાત;
  • ઉપર કોઇ પણ અપવાદો દર્શાવ્યા છતાં પણ જાહેર અધિકારી, જો માહિતીની જાહેરાત રક્ષિત હિતોને નુકસાન ન પહોંચાડતી હોય તો તે માહિતી જોવાની મંજૂરી આપી શકે છે. (નોંધ: આ જોગવાઇની કાયદાની પેટાકલમ 11(1)ની જોગવાઇ અનુસાર માન્ય કરવામાં આવી છે, જે 8(1)(d)સાથે વાંચતા આ અધિનિયમ હેઠળ "વેપાર અથવા વ્યાપારી રહસ્ય કાયદા દ્વારા રક્ષિત છે" તેની જાહેરાતને મુક્તિ આપે છે)'

અંશતઃ જાહેરાત ફેરફાર કરો

કાયદો રેકોર્ડના તે ભાગોની માહિતી પૂરી પાડવાની મંજૂરી આપે છે જેને જાહેરાતમાંથી મુક્તિ આપવામાં આવી નથી અને જેને વ્યાજબી રીતે મુક્તિવાળી માહિતી ધરાવતા ભાગોમાંથી આપી શકાય.

બાકાત રાખવા ફેરફાર કરો

સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ અને સિક્યુરિટી એજન્સીઓ જેમ કે બીજા શિડ્યૂલ જેમ કે આઇ.બી., આર.એ.ડબ્લ્યુ. (રો), સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ), ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ, સેન્ટ્રલ ઇકોનોમિક ઇન્ટેલિજન્સ બ્યૂરો, ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ, નાર્કોટીક્સ કંટ્રોલ બ્યૂરો, એવીયેશન રિસર્ચ સેન્ટર, સ્પેશિયલ ફ્રંટીયર ફોર્સ, બીએસએફ, સીઆરપીએફ, આઇટીબીપી, સીઆઇએસએફ, એનએસજી, આસામ રાયફલ્સ,સ્પેશિયલ સર્વિસ બ્યૂરો, સ્પેશિયલ બ્રાંચ (સીઆઇડી), આંદામાન અને નિકોબાર, ધી ક્રાઇમ બ્રાંચ-,સીઆઇડી-સીબી, દાદરાનગર હવેલી અને સ્પેશિયલ બ્રાંચ, લક્ષદીપ પોલીસમાં દર્શાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા નોટીફિકેશન(જાહેરાત)થી નિશ્ચિત કરાયેલી એજન્સીઓને પણ બાકાત રાખવામાં આવશે. જો કે માહિતી અધિકારમાંથી બાકાત રાખવામાં આ એજન્સીઓ સંપૂર્ણપણે બાકાત નથી અને ભ્રષ્ટાચારના આરોપો અને માનવ અધિકાર ઉલ્લંઘનોને લગતી માહિતી પૂરી પાડવાની આ સંસ્થાઓની જવાબદારી છે. વધુમાં, માનવ અધિકાર ઉલ્લંઘનને સંબધિત માહિતી આપી શકાય પરંતુ તે પણ કેન્દ્ર અથવા રાજ્ય માહિતી પંચની મંજૂરી હોય તો જ.

સરકારની ભૂમિકા ફેરફાર કરો

કાયદાની કલમ 26 ભારતીય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને (J&K સિવાય) નીચે જરૂરી પગલાં ભરવા આદેશ આપે છે:

  • ખાસ કરીને લાભથી વંચિત સમાજો માટે આરટીઆઇ(RTI) પર શૈક્ષણિક કાર્યક્રમો વિકસાવવા.
  • આ પ્રકારના કાર્યક્રમોના વિકાસ અને સંચાલનમાં ભાગ લેવા માટે જાહેર સત્તાને પ્રોત્સાહન આપવું.
  • જાહેર જનતાને સમયસર સાચી માહિતી આપવાને પ્રોત્સાહન આપવું.
  • અધિકારીઓને તાલીમ આપવી અને તાલીમ સામગ્રીઓનો વિકાસ કરવો.
  • સંબંધિત સત્તાવાર સુધારાઓમાં જાહેર જનતા માટે યૂઝર ગાઇડ (વપરાશકર્તા માર્ગદર્શિકા) તૈયાર કરવી અને પ્રચાર કરવો.
  • પીઆઇઓ(PIOs)ના નામ, હોદ્દાઓ, પોસ્ટલ સરનામું અને સંપર્ક વિગતો અને માહિતી જેમ કે ચૂકવવામાં આવનારી ફી, જો વિનંતી ફગાવી દેવામાં આવે તો કાયદામાં ઉપલબ્ધ ઉપાયોની માહિતીને પ્રકાશિત કરવી.

નિયમો બનાવવાની સત્તા ફેરફાર કરો

  • કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સક્ષમ સત્તા જેમ કે એસ.2(ઇ)(S.2(e))માં નિશ્ચિત કરવામાં આવી છે, તેમને માહિતીના અધિકારનો કાયદો, 2005ની જોગવાઇ ઘડવા માટે નિયમો બનાવવાની સત્તા આપવામાં આવી છે. એસ. 27 અને એસ. 28(S.27 & S.28)

આ કાયદાને લાગુ પાડતી વખતે સમસ્યાઓ સાથે કામ પાર પાડવાની સત્તા કોની પાસે છે? ફેરફાર કરો

  • કાયદામાં જોગવાઇઓને અસર આપતી વખતે જો કોઇ સમસ્યા ઉદ્ભવે તો કેન્દ્ર સરકાર સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત આદેશ દ્વારા સમસ્યાને દૂર કરવા માટે જરૂરી/અનુકૂળ જોગવાઇઓ કરી શકે છે. એસ.30(S.30)

અસરો ફેરફાર કરો

રાષ્ટ્રીય આરટીઆઇ(RTI)ના પ્રથમ વર્ષમાં કેન્દ્રીય (એટલે કે સમવાય) જાહેર સત્તા સમક્ષ માહિતી માટે 42,876 (જો કે સત્તાવાર નથી) અરજીઓ સુપરત કરવામાં આવી હતી. તેમાંથી 878 આખરી એપેલેટ તબક્કામાં- સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશન નવી દિલ્હી ખાતે વિવાદાસ્પદ હતી. આમાંના થોડા નિર્ણયોએ ભારતની વિવિધ હાઇ કોર્ટોમાં વધુ કાનૂની વિવાદ ઉછાળ્યો હતો. સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનના આખરી એપેલેટ નિર્ણય પર સૌ પ્રથમ મનાઇહુકમ 3 મે 2006ના રોજદિલ્હીની હાઇ કોર્ટ દ્વારા ડબ્લ્યુપી (સી)(C)6833-35/2006 દ્વારા અપાયો હતો, જેને "એનડીપીએલ અને અન્યો "("NDPL & Ors.) વિરુદ્ધ સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશન અને અન્યો" તરીકે નોંધવામાં આવ્યો. ભારત સરકારનો 2006માં આરટીઆઇ એક્ટમાં સુધારો કરવાનો દેખીતો આશય જનતાના ઉહાપોહને કારણે બંધ રાખવામાં આવ્યો હતો પરંતુ ફરીથી 2009માં તેની ડીઓપીટી(DoPT) દ્વારા સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

બાહ્ય લિંક્સ ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

  1. 12 ઑક્ટોબર 2005ને ખોટી રીતે અસરકર્તા તારીખ તરીકે દર્શાવવામાં આવે છે. કાયદો ખરેખર તો 12 અને 13મી તારીખની વચ્ચે મધરાતે અમલમાં આવ્યો હતો, જેનો અર્થ એવો થાય છે તે 13મી તારીખ પછી અમલમાં આવ્યો હતો.