હિંદુ ધર્મ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૦:
 
==ઈતિહાસ==
હિંદુ ધર્મનાં સૌથી પહેલાં અવશેષો નૂતન પાષાણ યુગ તથા પૂર્વકાલીન[[ હડપ્પા યુગ]]માંથી (ઈ.પુ. 5500-2600) મળી આવે છે. શિષ્ટ યુગ પુર્વેના રીવાજો અને માન્યતાઓ ને ઐતિહાસીક વૈદિક ધર્મ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે આધુનિક હિંદુ ધર્મનો વિકાસ વેદોમાંથી થયો, કે જેમાના સૌથી જુના [[વેદ]] - ૠગ્વેદ ની રચના ઈ. પુ. 1700 – 1100 વચ્ચે થઈ હોવાનું મનાય છે. ત્યાર બાદ ઈ.પુ. 500-100 માં [[રામાયણ]] અને [[મહાભારત]] મહાકવ્યોના આરંભીક વ્રુતાન્તની રચના થઈ જેમાં પ્રાચીન ભારતના રાજાઓ અને લડાઈઓની પૌરણીક કથાઓ સાથે ધાર્મિક તથા તત્વજ્ઞાનિક ઉપદેશો વણી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદનાં પુરાણોમાં દેવી દેવતાઓની કથાઓ તેમજ તેમની મનુષ્યો સાથેની આંતરક્રીયા અને દૈત્યો સાથેના યુધ્ધો આલેખાયા છે.
ઉદગમ સ્થળ ભારત , ધર્મ ગ્રંથો વેદ, પુરાણો, સ્મૃતિ, ઉપનિષદો, મહાભારત , ગીતા, રામાયણ . ધર્મ ચિન્હ ઓહમ અને સ્વસ્તિક . મુખ્ય સિધ્ધાંત ઈશ્વરની સાતમાં વિશ્વાસ, દેવ -દેવીઓની ઉપાસના, આત્માની અમરતામાં વિશ્વાસ, વેદોમાં વિશ્વાસ, કર્મમાં વિશ્વાસ, પુનઃ જન્મમાં વિશ્વાસ, જીવનનો મુખ્ય હેતુ મોક્ષ પ્રાપ્તિ
 
ભારતનાં બોહળા સમુહ વિસ્તારમાં હિંદુ ધર્મની પદસ્થાપને ઘનિષ્ટ કરવામાં ઉપનીશાદીક, બુદ્ધ અને જૈન ચળવળોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઉપનિશદ્, [[મહાવીર સ્વામી]] અને [[ગૌતમ બુદ્ધ]]એ સંદેશો આપ્યો કે મોક્ષ અને નિર્વાણ માટે વ્યક્તિએ વેદ કે વર્ણ વ્યવસ્થાનું આધીપત્ય સ્વીકારવું જરૂરી નથી.[[ બૌદ્ધ ધર્મ]]એ હિંદુ ધર્મની ધણીબધી માન્યતાઓનો અંગીકાર કર્યો. ઈ.પુ. 3જી સદીમાં સમ્રાટ [[અશોક]]નાં મૌર્ય સામ્રાજ્ય હેઠળ, કે જે મોટા ભાગનાં ભારતીય ઉપ-મહાદ્વીપ ઉપર પ્રસ્થાપિત થઈ ચુક્યું હતું, ત્યારે બૌદ્ધ ધર્મ તેની ચરમસિમા પર હતો. ઈ.પુ. 200 સુધી ભારતીય તત્વજ્ઞાન [[દર્શન]]ની ધણીબધી શાખાઓ પ્રસ્થાપીત થઈ ચુકી હતી જેમાં સાંખ્ય, યોગ, ન્યાય, વિશેશીકા, પુર્વમિમાંસા તથા વેદાંતનો સમાવેશ થાય છે. ઈ.પુ. 400થી 100ની વચ્ચે બૌદ્ધ ધર્મનાં ઓટનાં દિવસો આવી, હિંદુ ધર્મ પાછો પ્રચલીત થયો.
Line ૧૭ ⟶ ૧૮:
 
19મી સદીમાં મેક્ષ મુલૅર તથા જોન વુડરોફ જેવા પાશ્ચાત્ય વિદ્વાનોએ ભારતીયશાસ્ત્રને યુરોપીય દ્રષ્ટીકોણથી અભ્યાસની ઔપચારિક શાખા તરીકે સ્થાપિત કરી. તેઓ વૈદીક, પુરાણીક તેમજ તાન્ત્રીક સાહીત્ય અને તત્ત્વજ્ઞાનને યુરોપ તથા સંયુક્ત રાજ્ય અમેરિકા સુધી લઈ ગયા. તે સમયગાળા દરમ્યાન [[બ્રમ્હો સમાજ]] અને[[ થિયોસોફીકલ સોસાયટી]] જેવી સંસ્થાઓએ એબ્રાહમીક તથા ધાર્મીક તત્વજ્ઞાનને સાથે લાવી સુસંગત અને સંગલિત કરવાના પ્રયત્નો કરી સામાજીક સુધાર લાવવાના પ્રયત્નો કર્યા હતા. આ સમયે આંતરીક પરંપરાઓથી ઉદ્ભવલી નવોઉત્પાદક ચળવળો પણ જોઈ કે જે વિશિષ્ટ વ્યક્તિઓ, જેમકે શ્રી રામક્રુષ્ણ અને રામાના મહર્ષિએ આપેલા બોધ કે શીખ ઉપર આધારીત હતી. આગળ પડતા હિંદુ તત્ત્વજ્ઞાનીઓ, જેમકે સ્વામી પ્રભુપાદ અને શ્રી ઓરબીંદોએ હિંદુ ધર્મના આધારભુત સિધ્ધાંતોની પુર્નરચના કરી તેને નવું રૂપ આપી નવા શ્રોતાઓ સમક્ષ રજુ કરી ભારત તેમજ વિદેશમાં ધ્યાન આર્કષીત કરી નવા અનુયાયીઓ બનાવ્યા. બીજા યોગીઓ જેમકે [[સ્વામી વિવેકાનંદ]], પરંહંસ યોગાનંદ, બી.કે.એસ ઐયંગર અને સ્વામી રામએ પણ પશ્ચીમી દેશોમાં યોગ અને વેદાંતનું સ્થાન ઉચ્ચ સ્તરે પહોંચાડવામાં ખાસ યોગદાન આપ્યું છે.તે સત્ય છે. તેમજ હિન્દુ ધર્મમાં અન્નદાનનું એટલેકે ટુકડાનું ખુબજ મહત્વ છે. ભારતમાં ઘણાં સંતૉએ આવી જગ્યા બાંધીને ભુખ્યાને જમાડતા, તેવી જ એક જગ્યા એટલે [[શ્રી નાથજીદાદાની જગ્યા - દાણીધાર]][[ ગુજરાત]] રાજયનાં જામનગર જિલ્લાના કાલાવડ શહેરની બાજુમાં આવેલી છે.
ઉદગમ સ્થળ ભારત , ધર્મ ગ્રંથો – વેદ, પુરાણો, સ્મૃતિ, ઉપનિષદો, મહાભારત , ગીતા, રામાયણ . ધર્મ ચિન્હ – ઓહમ અને સ્વસ્તિક . મુખ્ય સિધ્ધાંત – ઈશ્વરની સાતમાં વિશ્વાસ, દેવ -દેવીઓની ઉપાસના, આત્માની અમરતામાં વિશ્વાસ, વેદોમાં વિશ્વાસ, કર્મમાં વિશ્વાસ, પુનઃ જન્મમાં વિશ્વાસ, જીવનનો મુખ્ય હેતુ – મોક્ષ પ્રાપ્તિ