પાંડુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું robot Adding: su:Pandu |
Sushant savla (ચર્ચા | યોગદાન) No edit summary |
||
લીટી ૯:
==જીવન==
પાંડુ એક પાવરધો ધનુર્ધર હતો. તે ધૃતરાષ્ટ્રની સેનાનો સેનાપતિ બન્યો અને તેના વતી રાજ્ય પણ ચલાવતો. પાંડુએ દસર્નસૢ કાશીૢ અંગૢ વંગૢ કલિંગૢ મગધ એત્યાદિ રાજ્યો જીત્યા અને તેમની અન્ય રાજાઓમાં સર્વોપરીતતા સિદ્ધ કરી.
પાંડુના લગ્ન મદ્ર દેશની રાજકુમારી માદ્રી અને વૃશિણીના રાજા કુંતીભોજની પુત્રી કુંતી સાથે થયા. જંગલમાં એક વખત શિકાર કરતી વેળા તેણે એક ઋષીની હત્યા કરી (જેઓ તે સમયે તેનમેની પત્ની સાથે સંભોગ કરી રહ્યાં હતાં) આથી ઋષીએ તેને શ્રાપ આપ્યો કે જ્યારે તે તેની પત્ની પાસે સંભોગ માટે જશે ત્યારે તેનું મૃત્યુ થશે. આ શ્રાપના આઘાતથી દુખી પાંડુએ પોતાનું રાજ્ય છોડી પોતાની પત્ની સાથે જંગલમાં રહેવા લાગ્યો.
કુંતીએ દુર્વાસા દ્વારા મેળવેલા વરદાનનો ઉપયોગ કરી ત્રણપુત્રો મેળવ્યા- યુધિષ્ઠિર(યમ દેવ દ્વારા)ૢ ભીમ(વાયુ દેવ દ્વારા) અને અર્જુન (ઇંદ્ર દેવ દ્વારા). આ સિવાય કુંતીએ સુર્યદેવ દ્વારા કર્ણને પણ જન્મ આપ્યો હતો. તેણે પોતાનો વરદાન માદ્રીને પણ પ્રયોગ કરવા આપ્યો. જેના દ્વારા દેવોના જોડીયા વૈદ્ય એવા અશ્વિનિકુમારો દ્વારા તેણે નકુળએ સહદેવને જન્મ આપ્યો.
આ રીતે પાંડુના પાંડવોનો જન્મ થયો
==મૃત્યુ==
પાંડુ કોઈક ગુપ્ત રોગથી પીડાતો હતો. ૧૫ વર્ષના સંયમ પછી એક વખત જ્યારે કુંતી બાલકો સહિત બહાર ગઈ હતી ત્યારે પાંડુ માદ્રી તરફ ખૂબજ આકર્ષિત થયો. માદ્રીને સ્પર્શ કરવા જતાંજ શ્રાપને લીધે તેનું મૃત્યુ થયું. આના પશ્ચાતાપ અને વિયોગ ન સહન કરવાથી માદ્રી સતી થઈ.
[[Category:પૌરાણિક પાત્રો]]
|