બીજીઅેક તરફ ભગવાન શંકરજીની પ્રેરણા હતી. રામશૈલ પર રહવાવાળારહેવાવાળા શ્રી અનન્તાનન્દજી નાપ્રિયના પ્રિય શિષ્ય શ્રીનરહર્યાનન્દજીએશ્રી નરહર્યાનન્દજીએ આ બાળકને શોધી કાઢિયો અને તેનુ નામ રામબોલા રાખ્યું. તેને તેઓ અયોધ્યા લઇ ગયા અને ત્યા સંવત્ ૧૫૬૧ માઘ શુકલા પંચમી શુક્રવારે તેનો યજ્ઞોપવીત-સંસ્કાર કર્યો. વગર શીખવાડ્યે જ બાળક બોલાએ ગાયત્રી-મન્ત્ર ઉચ્ચારણ કર્યો. આ જોઈ સહુ લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયાઁ. ત્યારપછી નરહરી સ્વામીએ વૈષ્ણવોના પાઁચ સઁસ્કાર કરી રામબોલાને રામમન્ત્રની દીક્ષા આપી અને અયોધ્યામાઁ જ રહી તેને વિદ્યાધ્યયન કરાવવા લાગ્યા. બાળક રામબોલાની બુદ્ધી ઘણી પ્રખર હતી. એક વાર ગુરુમુખથી જે સાઁભળી લેતા હતા, તેમને તે કંઠસ્થ થઈ જતુઁ હતુઁ. ત્યાઁથી થોડા દિવસો પછી ગુરુ-શિષ્ય બન્ને શૂકરક્ષેત્ર (સોરો) પહોઁચ્યા. ત્યાઁ શ્રીનરહરીજીએ તુલસીદાસ ને રામચરિત સઁભળાવ્યુઁ. થોડા દિવસો પછી તેઓ કાશી ચાલ્યા આવ્યા. કાશીમાં શેષસનાતનજી પાસે રહી તુલસીદાસે પંદર વર્ષ સુધી વેદ-વેદાંગનું અધ્યન કર્યુ. અહીઁ તેમની લોકવાસના જાગૃત થઈ ગઇ અને પોતાના વિદ્યાગુરુ પાસેથી આજ્ઞા લઈને તેઓ પોતાની જન્મભૂમી પાછા ફર્યા. ત્યાં આવી તેમણે જોયુંતો તેમનો પરિવાર સર્વ નષ્ટ થઇ ચુક્યો છે. તેમણે વિધિપૂર્વક પોતાના પિતા આદિનું શ્રાધ કર્યું અને ત્યાં રહી લોકોને ભગવાન રામની કથા સંભળાવવા લાગ્યાઁ.